________________
૩૮૫
એથીયે જુદી એક બીજી વ્યાખ્યા કરવામાં આવી. તે એકે નબળા અને સબળા સૌને વિકાસની સમાન તક મળે. સૌનું કલ્યાણ થઈ શકે, ભલું થઈ શકે, સર્વપ્રજાનું કલ્યાણ થઈ શકે, એવી નવી વ્યાખ્યા કલ્યાણ રાજ્યના નામે કરવામાં આવી. Welfare State-કલ્યાણ રાજ્ય એટલે કે રાજ્ય પાસે જે પોલિસ, વહીવટી તંત્ર, લશ્કર વગેરે છે; પ્રજાના ન્યાય, સંરક્ષણ, આરોગ્ય માટેની શકિત છે તેને ઉપયોગ સમગ્ર પ્રજાના કલ્યાણ માટે થવો જોઈએ.
ભારતે પણ સ્વતંત્ર થતાં પ્રારંભમાં કલ્યાણ રાજ્યની દૃષ્ટિ રાખી. જે ભારતે કલ્યાણ કરવું હોય તો ભારતના ન્યાય, રક્ષણ અને વ્યવસ્થા માટે, રાજ્ય પોલિસ, લશ્કર, વહીવટ તંત્ર, આરોગ્ય ખાતું, શિક્ષણ ખાતું વગેરે સંભાળવાં જોઈએ; એમ પશ્ચિમના ધરણે સ્વીકાર્યું. કલ્યાણું રાજ્યના કાયદા કેવા પ્રકારે ઘડાય ? કે, લોકો કલ્યાણ કેવી રીતે કરે ? પિતાનું વ્યક્તિત્વ શી રીતે સાચવે? પ્રજાનું ઘડતર કેવી રીતે થાય ? અને કલ્યાણકારી રાજ્ય પોતાના ધ્યેયને શી રીતે પહોંચી શકે એ વિચારવાનું રહે છે.
સ્વરાજ્ય બાદ અગ્રેજી શાસનની ઘણી રીતો આમ સ્વતંત્ર . પ્રજાતંત્રીય શાસને કલ્યાણરાજને સિદ્ધાંત સ્વીકારી બદલી નાખી છે. પણ કર્મચારીઓ હજુ જૂની ઢબ અને ઘરેડમાંજ રાચે છે. અમલદારને રૂવાબ, ધાકધમકી, કેજદારોની સખતાઈ હજુ પણ અંગ્રેજી રાજ્ય જેવી ચાલે છે. એટલે કે લોક-કલ્યાણકારી અંશ દેખાવાના બદલે હજુ અમલદાર શાહી, લાગવગશાહી, લાંચરૂશ્વત, જે હુકમી, ચાલે છે. માટે નામ જરૂર બદલાયું છે પણ કામમાં ફેર પડ્યો નથી.
હવે એ વિચારવાનું રહે છે કે આ કલ્યાણ રાજ્યના કાર્યક્રમ ક્યા છે? એમાં કયાં કયાં કેવી રીતે પલટો લાવે જોઈએ જેથી પ્રધાન, કર્મચારીઓ અને પ્રજા ત્રણેનું ઘડતર થઈ શકે, ત્રણેમાં પલટે આવે એ અંગે હવે વિચારીએ. ૨૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com