________________
૩૯
ગાંધીજી વખતે થયું નહોતું અને આજે પણ એ શકિત ઘડાઈ નથી. ગાંધીજીની સત્યાગ્રહી શક્તિ રાજકારણ અને રચનાત્મક બળ બનેને સત્ય-અહિંસા તરફ વાળવામાં વધારે વાર લાગી હતી. હવે સ્વરાજ્ય પછી ઊભા થતા પ્રશ્નોને સત્યાગ્રહની દૃષ્ટિએ ઉકેલવા શી રીતે ? આ કોયડે ઊભો છે ? લોકશ્રદ્ધાનું જબરજસ્ત વાહન કરનાર અને સૌથી વિશેષ પવિત્ર જવાબદારીવાળા સાધુઓની શક્તિ રણની રેતીમાં નદીને પ્રવાહ સુકાઈ જાય અને રેતી ફેલાઈ જાય, એમ સાંપ્રદાયિકતાના રણમાં સુકાઈ જવા દેવી ? એવી જ રીતે સત્યાગ્રહશકિત અને રચનાત્મક પ્રયોગોની શક્તિને વેરવિખેર થઈ જવા દેવી ? આ મહાન પ્રશ્નો રાષ્ટ્ર આગળ અને તેમાં પણ ખાસ કરીને સર્વોદય, વિધવાત્સલ્ય અને કલ્યાણ રાજ્ય આગળ અણઉકેલ્યા ઊભા છે !
એટલે અત્યારે વિશ્વ વાત્સલ્યની વિશેષ જવાબદારી–નવી જવાબદારી એ ઊભી થઈ છે કે તેણે એક બાજુથી પંડિત જવાહરલાલજીની શકિતસુદઢ બનાવવી, વિશ્વમાં એમની શકિત વધારેમાં વધારે કામ કરતી થાય એ રીતે મદદ કરવી. બીજી બાજુ વિનેબાજીના વિચારોથી જે પ્રયોગ એમના વડે કે રચનાત્મક કાર્યકરો વડે થાય છે એ પ્રયોગને સંકલિત કરવા અને તેમને પ્રતિષ્ઠિત કરવા, તેમ જ એ લોકઘડતર કરી શકે, એવાં કામમાં મદદ કરવી. ત્રીજી બાજુ ઈન્દુકનું ક્ષેત્ર કેવળ શહેરે સુધી રહ્યું છે તેથી ગામડાં વેરવિખેર રહી ગયાં છે. ત્યાં એના કારણે ખેડૂતવસવાયા અને ખેડૂત ભરવાડે વચ્ચેના સંઘર્ષો વધ્યા છે. ખેડૂતો અને ભરવાડ વચ્ચે ઘણે ઠેકાણે મારામારી વધી છે. ખેડૂત અને ખેતમજૂર વચ્ચે પણ ઘર્ષણ ઊભાં થયાં છે. બન્નેને આજીવિકાની ચિંતા છે. ખેડૂતો પાસે આજીવિકાનું સાધન નબળું છે. વરસાદ સારો થાય તો પાક સારો ઊતરે. માંડ માંડ તેઓ રોટલો પૂરે કરે છે. બધી નહેર યેજના પાર પડ્યા પછી તેમની દશામાં શું સુધારો થશે, તે કહી શકાતું નથી. બીજી તરફ સરકાર સાધન હોવાના કારણે, મજૂર-વસવાયા વગેરેને પિતાની તરફ ખેંચી લે છે; અગર તો તેઓ સરકાર તરફ ખેંચાઈ જાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com