Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 01 Vishvavatsalya Sarvoday ane Kalyanraj
Author(s): Nemichandra Muni, Dulerai Matalia
Publisher: Mahavir Saitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 408
________________ ૩૦૨ ચર્ચા-વિચારણું તત્વજ્ઞાનથી માનવતા શ્રી દેવજીભાઈ: “રાજ્ય હાથ લંબાવી રહ્યું છે; સમાજને ભાડે લઈ રહ્યું છે. આ વાતથી આજના વિદ્વાન ગણાતા સાધુ-સાધ્વીઓ પણ અજાણ હોય છે એવું મને લાગે છે. હું માટુંગામાં એક મુનિછના પ્રવચનમાં ગયેલો. તેમણે પોતાના પ્રવચનમાં ન્યાયસંપન્ન આજીવિકા ઉપર ભાર મૂકયો હતો. મને એ ગમ્યું. પણ મેં જ્યારે એમને પૂછયું : “આવો આચાર કઈ રીતે સમાજમાં ધડે ” ત્યારે તેઓ જવાબ ન આપી શક્યા. અલબત્ત સાધુ સાધ્વીઓ પ્રત્યે મને પૂરૂં માન છે. મને વિશ્વાસ છે કે તેઓ ક્રાંતિ કરી શકે છે પણ તેમની આસપાસનું વર્તળ “જી હજુરીયાઓ”નું અથવા રૂઢિચુસ્તનું છે. એ વાડામાંથી તેઓ બહાર આવી શકતા નથી. સમાજ પોતે તે પરાધીન છે. મુનિવરોમાં એક પરિવર્તન જેવા ભળે છે અને તે આશાજનક છે કે કોરી તવજ્ઞાનની વાત ઉપરથી તેઓ માનવતા ઉપર આવ્યા છે તે જગતના પ્રવાહને ખ્યાલ આવતાં, અને નૈતિક હિમ્મત આવતાં જરૂર કાર્ય થશે. રાજ્ય પાસેથી બીજી જવાબદારીઓ દૂર કરાવવી જ રહી શ્રી પૂજાભાઈ : “સ્વરાજ્ય બાદ શરૂઆતમાં સેવકોથી અમલદારે ડરતા હતા પણ તેઓ સેવકોની નબળાઈઓ જોઈ ગયા અને પછી આ બધું ચાલ્યું. જ્યારે અમલદારો સાથે રાજકીય સંસ્થાના માણસો કોયડા ગૂંથવા અને ઉકેલવામાં પડી જાય છે ત્યારે તે ભારે ગ્લાનિ થાય છે. કેટલાક આ કોયડાથી અલગ રહ્યા છે ખરા, પણ એમને આનંદ થવાના બદલે એરતો તે થાય છે : “બીજા આગળ ગયા અને અમો રહી ગયા !” એટલે કલ્યાણકારી રાજે, પિતાની અને પિતાના પક્ષની પાસે જે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424