________________
૩૩૦
એ ઉપરાંત ગાંધીજીના સમયે કાર્યક્રમે બનતા તેને અમલ થત અને તેની પ્રક્રિયાઓ અને પરિણામે ઉપરથી બીજે કાર્યક્રમ આગળ ધપાવવામાં આવતા. ત્યારે આજના સર્વોદયના સંત વિનોબાજી પાસે એવી કોઈ વ્યવસ્થા નથી. તેમણે એક પછી એક કાર્યક્રમ આપવા શરૂ કર્યા. પણ દરેક કાર્યક્રમ પાછળ ઉપર જણાવેલ ચાર બાબતેને અભાવ હોય, તે તે લાંબે ગાળે પણ અસફળતાને આરે જઈને ઊભે રહે. નિધિ-મુક્તિને કાર્યક્રમ પણ અસફળ ગયો કારણ કે તેમણે તરત જ જે શાંતિ સેનિકોનો કાર્યક્રમ મૂક્યો તેમાં વગર ઘડાએલા માણસો શાંતિ સૈનિકો તરીકે દાખલ થવા લાગ્યા. તેમના નિર્વાહનો પ્રશ્ન આવ્યો એટલે તેમનાં નિર્વાહ માટે સર્વોદય-પાત્રને કાર્યક્રમ મૂક્યો. આમ કાર્યક્રમ ઉપર કાર્યક્રમે આવ્યા પણ સર્વોદયની સાથે જ જનસંપર્કની અને નૈતિક જન સંગઠનની અપેક્ષા રહે છે તે અહીં આવશ્યક ગણાતી નથી. * શાંતિ-સૈનિકનું જ લઈએ. એ શા માટે છે? એનાથી દેશના હિતની કઈ વાત થવાની છે? દેશમાં શાંતિ સ્થાપવા નિમિત્તે સર્વોદય પ્રજિત આ શાંતિ સેનાએ અત્યાર સુધી શું કર્યું? કાશ્મીર, ગોવા, કેરલ, જબલપુર, આસામ, પંજાબી સબા અને અલીગઢના પ્રશ્નોમાં; હુલ્લડે થયાં. અશાંતિ પ્રર્વતી ત્યારે શાંતિ-સેના કશુંયે ન કરી શકી ? એટલું જ નહીં અમદાવાદમાં બંડખેર અને દાંડ તોએ દ્વિભાષીને તેડવા અને મહાગુજરાતની અલગ સ્થાપના અંગે તેફાને કર્યા, ત્યાં શાંતિ સૈનિક ફરક્યા પણ નહીં. આ બધાને સંતોષકારક ખુલાસો લોકોને ન મળે તે પછી એ સર્વોદય પાત્રમાં અનાજ નાખવા માટે ઉત્સાહી કેમ બને? એટલે સર્વોદય-પાત્ર યોજના પણ અસફળ જેવી જ રહી છે.
હવે પાછો કાર્યકરોના નિર્વાહને પ્રશ્ન ઊભું થયું ત્યારે સર્વસેવાસંધે નિધિ મુક્તિના બદલે, નિધિ–સંગ્રહને કાર્યક્રમ મૂકે. આમ આ કાર્યક્રમ અગાઉના તેમના જ કાર્યક્રમની વિરૂદ્ધમાં છે. એટલે લેક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com