________________
૩પ૭
પક્ષ રહેશે, જે તેમના કાર્યમાં સહાય કરશે. જ્યાં સહકારની જરૂર હશે, ત્યાં સહકાર અને જ્યાં વિરોધની જરૂર હશે ત્યાં વિરોધ કરશે. આ બન્ને પક્ષે રાજનૈતિક ક્ષેત્રમાં કામ કરશે. એ ઉપરાંત એક ત્રીજો પક્ષ નિષ્પક્ષ સમાજને હેવો જોઈએ જે આ અધિકારી કે વિરોધી દળને નહીં હોય પણ તે જુદી જમાત હશે. આ જમાત સેવાના કામમાં તથા રાજતંત્ર–લોકતંત્ર બનેને મર્યાદામાં રાખનારી હશે. એના માટે એક દેશવ્યાપી મોટો કાર્યક્રમ હશે. આ કાર્યક્રમોના નીચેના પાંચ મુદ્દા હશે :(૧) સ્વ-પરની જીવનશુદ્ધિ. (૨) નિત્ય નિરંતર અધ્યયનશીલતા. (૩) સમાજસેવાના ઉપેક્ષિત ક્ષેત્રે પ્રત્યે ધ્યાન આપવું. (૪) સમાજજીવન અને સરકારી કામમાં જ્યાં ભૂલ જુએ, અનિષ્ટ
જુએ ત્યાં જાહેરાત અને નિર્દેશ કરે; પણ રાગદ્વેષ રહિત થઈને.
અને જરૂર પડે ત્યાં સક્રિય પ્રતિકાર-સત્યાગ્રહ પણ કરે. (૫) સમાજ જીવનના ગૂંચવતા પ્રશ્નોને અહિંસાત્મક નૈતિક ઉકેલ કાઢે.
આ બધી વાતો સુશાસનની તરફેણમાં જાય છે. એટલે શાસનમુક્તિનું પ્રયોજન આ વાતને ગૂચવે છે. ઉપરાંત એકવાર તેમણે એમ પણ કહ્યું કે સુશાસન પણ ન જોઈએ. તાત્કાલિક કારણે સર કે રાજ્ય સરકારની ભૂલ તરફ તેઓ ઘણીવાર ઉકળીને જે વિધાને કરે છે તેને કોઈ મેળ બેસતો નથી. તેમણે એકવાર કહ્યું : “સરકાર કોઈ ભૂલભરેલું કામ કરતી હોય ત્યારે તેની સામે અવાજ ઉઠાવવા માટે અમારી જરૂર નથી, પણ સરકાર કોઈ સારું કામ કરતી હોય ત્યારે જ જોરદાર અવાજ ઉઠાવવા માટે અમારી જરૂર છે. દુઃશાસનના વિરોધમાં તો મહાભારતમાં વ્યાસે અવાજ ઉઠાવ્યો જ છે. ખરાબ શાસન ચાલે છે તે લોકો જ ટીકા કર્યા કરે છે એમાં અમારી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com