________________
૩૪૪
તે આમાં ન રખાઈ. એટલું જ નહીં ઘણા તકવાદીઓ આમાં ઘૂસી તે ગયા પણ તેમણે “ભૂદાન ”ના નામે આડુંઅવળું ઘણું બાફવું શરૂ કર્યું.
એક નાને પ્રસંગ ટાંકુ. ધંધુકામાં કોંગ્રેસ કાર્યકરોની મીટિંગ હતી. શ્રી ઠાકોરભાઈ દેસાઈ તેમાં આવેલા. તેમને ચિઠ્ઠી એકલી એક ભૂદાન કાર્યકરે બોલવાની રજા માગી. થોડી મિનીટે ઉદારતાથી અપાઈ પણ તેઓ જે બોલ્યા તેમાં માત્ર વ્યકિતગત બડાઈ અને કેંગ્રેસની નિંદા સિવાય કાંઈ ન નીકળ્યું. એ ભાઈ પહેલાં હાઈસ્કૂલમાં હશે. એમને કોગ્રેસી કાર્યકરો તરફથી કે કોંગ્રેસી કાર્યકરોને એમના તરફથી દુઃખ થયું હોય એ બનવાજોગ છે. પણ, તે અંગત પૂર્વગ્રહને આવા ઠેકાણે ભૂદાન કાર્યકરના નામે દુરૂપયોગ કરવો તે કેટલું વિચિત્ર ! આમ જેને ગ્રેસ કે કેંગ્રેસીઓ સાથે ન ફાવ્યું અને કેટલીક વાર તે પ્રત્યાઘાતી વલણવાળાઓને એક વ્યાસપીઠ રૂપ એ કાર્યક્રમ (ભૂદાન) બની જવા લાગ્યો. આચાર કરતાં પ્રચાર વધારે થવા લાગ્યો. આવેશમાં અને ઉત્સાહમાં ઘણું જીવનદાની બની ગયા, પણ ખરેખર જીવન શું? જીવનદાન શું ? એવું ભાગ્યે જ સમજાયું અને સૂકાવી દીધું. ન સંગઠન, ન સંસ્થા, ન વહીવટી કુશળતા. પરિણામે કેટલાક ભૂદાન-યાત્રાના બહાને સમાજમાં રખડતા થઈ ગયા; કેટલાક ખરી ગયા !
આખા કુટુંબને સર્વોદય પાત્ર ઉપર જીવવું કયાં સહેલું છે? એટલે ભૂદાનમાંથી ઘણું નીકળી ગયા અને તેઓ ભૂદાનની નિંદા કરતા થઈ ગયા. બીજા એવા પણ નીકળ્યા, જેઓ ભૂદાનમાં ગયા પછી ચારિત્ર્ય સાચવવામાં કાચા નીકળ્યા. આથી સમાજમાં એકંદરે છાપ સારી ન પડી. ભૂદાનમાં સમજણપૂર્વક પડનારા બહુ ઓછા હતા.
જોયું કે સારા ગણાતા માણસોએ “માગે છે માટે આપવી પડશે” એમ જાણીને બિનઉપયોગી જમીન આપી. દાનનાં પત્રકો ભરાયાં પણ તેની વ્યવસ્થા-ગોઠવણ થઈ શકી નહીં. સંગઠને ન ઊમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com