________________
૩૫૪
આ સહેજ અપવાદ પણ રાખવા માગતા ન હતા. કેટલી ઝીણવટથી લોકો રાજ્યકર્તા, પિતાના અને કુટુંબના જીવનને તપાસતા એ અહીં જાણવા મળે છે.
પશ્ચિમમાં એની વિરૂદ્ધ હમેશાં રાજ્ય પ્રબળ રહ્યું છે. ત્યાં રાજનીતિ ઉપર લોકસેવકો (પુસહિત) કે લોકોનું નિયંત્રણ રહ્યું નથી. એટલે ત્યાંની પરિસ્થિતિ માટે કહી શકાય કે રાજનીતિને બદલે લોકનીતિ જોઈએ. તે છતાં અહીંની પરિસ્થિતિમાં પણ એ સૂત્ર બોલાય છે એનું કારણ બેલનારા પિતે જ છે. ભારતના ઈતિહાસમાં મધ્યયુગમાં જોઈશું તે જણાશે કે રાજ્ય ઉપર લેકનું અને લોકસેવકો (બ્રાહ્મણ )નું નિયંત્રણ ન રહ્યું. તેથી રાજ્ય સર્વોપરિ બની બેઠું. ગાંધીજીએ એ પરિસ્થિતિ સુધારી હતી અને રાજ્ય ઉપર લોકોનું (આશ્રમ દ્વારા લોકો અને જનસેવકોનું) ઘડતર કર્યું હતું. એથી તેઓ બ્રિટીશ-રાજ્ય શાસન ઉપર દબાણ લાવી, તેને શાસનત્યાગની ફરજ પાડી સ્વરાજ્ય અપાવી શક્યા હતા. પણ આધુનિક સર્વોદયે બાપુજીની આ રીત ન સ્વીકારી, લોકનીતિની વાત તો થઈ પણ લોકઘડતરની પ્રક્રિયા ન સ્વીકારી; ત્યાં સુધી ઊલટો અને ખોટો અર્થ કરી નાખે કે “રાજનીતિથી તદ્દન અલગ રહેવું, રાજનીતિને અડવું જ નહીં, એને ઘડવાની વાત જ ન કરવી. રાજ્યશાસનને ઉખેડવું એટલે કે શાસનમુકિત એમાં જ લોકનીતિ આવી જશે ! મધ્યયુગની વાત તો બરાબર છે કે લોકો અને લોકસેવકોનું નિયંત્રણ છૂટતાં રાજ્ય સર્વોપરી બન્યું. પણ હાલઘડીએ એમ કહેવામાં આવે કે રાજનીતિ ન જોઈએ તે હવે એને ટાળવી કઈ રીતે? એની કોઈ પ્રક્રિયા ઊભી કરાતી નથી !
આ એક ભૂલ તો થઈ છે પણ બીજી ભૂલ એ થાય છે કે જ્યારે રાજ્ય લોકશાહી રૂપમાં આવ્યું છે ત્યારે તેની શુદ્ધિ, પ્રેરણા કે નૈતિક ચોકીથી અતડા રહેવામાં અને પ્રજાને રાખવામાં આવે છે. લોકનીતિ જબરદસ્ત વસ્તુ છે. લોકો જ સ્વેચ્છાએ અનુશાસનમાં આવી જાય, સ્વેચ્છાએ નિયમ પાળે એ તે અત્યંત ઉચ્ચ ભૂમિકાની અને સારી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com