________________
૩૩૮
બાળકોને પત્નીવાળા છે તેમને બસો અઢીસોથી ઓછામાં પૂરું ન પડે એટલે તેમને જીવનદાનીમાં ગણવા કે લેવા જોઈતા ન હતા.
જીવનદાન નવયુગને દીક્ષા સંસ્કાર છે. પરિત્રજ્યા લઈને જીવનદાની પરિવ્રાજકરૂપે ફરશે. જીવનદાનમાં આ યુગની સાધુસંસ્થા નિર્માણ કરવાનાં બી પડયાં છે. જીવનદાન આપનારા સાધુપુરૂષો ગાંઠે પૈસા બાંધશે નહીં કે સંગ્રહ કરીને ફરશે નહીં. સાધુ તે કોઈપણ સંસ્થા, પક્ષ, પંથના બંધન વગર અપ્રતિબદ્ધ રીતે વિહાર કરે છે, તેવી જ રીતે નવયુગને આ પરિપ્રાવક પણ સર્વ-સંગ કે આશકિતથી મુક્ત રહેશે; તે જ તેનું ચિંતન પૂર્વગ્રહ પરિહારી અને શિસ્તના ભયથી મુકત હશે. આવા સાધુચરિત પુરુષ, લોકો દ્વારા આપેલ સર્વોદય – પાત્રાધારિત હશે. પરમહંસની જેમ એ સાધક મસ્ત હશે.
મૂલ્ય પરિવર્તન માટે નવાયુને એ સાધક શું કરે? તેના જીવનમાં કોઈપણ પ્રકારને પૂર્વગ્રહ, રાગદ્વેષ કે મેહમમતા નહીં હોય. આ મારી સંસ્થા છે, એવો પણ મમત્વભાવે એનામાં નહીં હોય. આ પૂર્વગ્રહમુક્ત, સંસ્થામુક્ત અને પક્ષમુકત સાધક જ વિચાર–પરિવર્તન કરી શકશે. એટલે એવા સાધુ પુરૂષે સંધ, સંસ્થા, નિધિ કે પક્ષ ઉપર નિર્ભર રહેવાનું ન હોય, તેને આજીવિકાનું કામ પણ શું? તેને તે સર્વોદય પાત્ર ઉપર નભવાનું છે અને લોકોના વિચારનું ઘડતર કરવાનું છે. એ માટે તેને સતત ફરવાનું છે. તેનું કામ હશે અધ્યયન કરવાનું અને સત્યના વિચારને અતાગ્રહપૂર્વક કોઈના ઉપર લાદયા વગર મૂકતા રહેવાનું છે. એટલે વિનોબાજી આ કાર્યક્રમ દ્વારા નવાયુગની સન્યાસીસંસ્થાને બેઠી કરી રહ્યા છે, એમ માનીએ તો એ કાર્યક્રમને
ન્યાય આપી શકીએ. . એ નિશ્ચયનયના તત્વજ્ઞાનની દ્રષ્ટિએ વિનોબાજીએ બીજે કાર્યક્રમ
એ મૂકે કે “કાર્યકરોને ઘડે કોણ?” તેઓ એમ વિચારે છે કે હું ધડનાર કોણ? ઈશ્વરે સહુને બનાવ્યા છે અને તે જ ઘડશે. મારે વચમાં ન પડવું જોઈએ. આ વાત ઉચ્ચ કોટિએ પહેચેલા વિનોબાજી જેવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com