________________
સફર
ટેકે આપે અને જેની શુદ્ધિ-પુષ્ટિ કરી હતી અને જેણે દેશભરમાં રચનાત્મક કાર્યક્રમ આપ્યો અને લોકોને જગાડ્યા અને અંતે આઝાદી અપાવી તેવી ઘડાયેલી સંસ્થા કેંગ્રેસને ટેકો આપવો રહ્યો. એટલું જ નહીં, ક્રાંતિપ્રિય સાધુ વર્ગ દ્વારા પ્રેરિત જનસેવકોનાં વ્યવસ્થિત સંગઠને તેના હસ્તક ચાલતાં જનસંગઠને સાથે પણ અનુબંધ રાખવો જોઈએ. નહીંતર આજ એવું લાગે છે કે દેશનાં બે મોટા બળે-સર્વોદય અને કેસ એકબીજાની વિરુદ્ધમાં જઈને પિતાની શક્તિ વેડફી રહ્યાં છે. સામાન્ય પ્રજામાં પણ સર્વોદયની આજની રીતિનીતિને કારણે બુદ્ધિબ્રમ ઊભે થાય છે.
એટલે સર્વોદયના નવા કાર્યક્રમમાં ઉપર જોઈ ગયા તે પ્રમાણે જે તત્ત્વ ખૂટે છે તે આ પ્રમાણે છે:–(૧) કોંગ્રેસ સાથે અનુબંધ અને કોંગ્રેસની શુદ્ધિ અને પુષ્ટિ (૨) નૈતિક જનસંગઠને ઊભાં કરી તેની સાથે ભૂદાન વગેરે કાર્યક્રમ જોડવા. (૩) લોકસંગઠન, લોકસેવક સંગઠન એ અને સંગઠનના માર્ગદર્શન અને દેખરેખની સંપૂર્ણ જવાબદારી લેવી (૪) એક કાર્યક્રમ પૂરી રીતે પાર પાડ્યા વગર બીજે કાર્યક્રમ ઊભો ન કરે.
ભાલનળકાંઠામાં પ્રયોગ કર્યા પછી અનુભવ ઉપરથી જે વાત લાગે છે તે જણાવવામાં આવી છે. એટલે આધુનિક સર્વોદયે આ ખૂટતાં તો ઉપર વિચાર કરી તેની પૂતિ કરવી પડશે તેમજ તેની આ શક્તિને લાભ સમાજને વધારે ઉપયોગી નીવડશે.
ભાલ નળકાંઠામાં ચાલતા રચનાત્મક (કાર્યકરોની સંસ્થાની) પ્રાયોગિક સંઘની વધુ નજીક જે સંસ્થાઓ છે તેમાં સર્વોદય કે સર્વ સેવાસંધને ક્રમ પહેલો આવે છે. પણ તે સંસ્થાઓએ સિદ્ધાંતની સાથે વહેવારો મેળ બેસાડવો જોઈએ. અને કાર્યક્રમ ઘડવા જોઈએ. તે દેશના ઉત્થાન માટે, વિશ્વના કલ્યાણ માટે, જે શક્તિઓ કામ કરે છે તેને લાભ સમાજને વધારે પહોંચશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com