________________
૨૨૫
“ઘણું સંતાનો થજે !” એવા આશીર્વાદ આપતા હતા. આજે બ્રહ્મચર્ય ધર્મ બન્યો છે. અને ઘણું અનૂભવથી જણાય છે કે બ્રહ્મચર્ય જેવો અનંત આનંદ ક્યાંય નથી. પણ દુઃખની વાત એ છે કે ગામડાં અને શહેરે બન્ને સ્થળે મા-બાપની મને દિશા એવી છે કે “જલદી સંતાનોને પરણાવી દે. રખે રખડી જશે !” એવી બીકથી અથવા ખોટી વાહ વાહથી–જલદી લગનને લહાવો લેવા દોડે છે. આથી નાનાં નાનાં બાળકો સમાજ જ્ઞની લગ્નની બલિવેદી ઉપર હૈમાઈ જાય છે. ક્ષય આદિ ભયંકર રોગોના ભોગ બને છે. એ માટે વડીલોને બ્રહ્મચર્ય અંગે પાયાની ઊંડી સમજણ આપવી જોઈએ. ખેરી દેરવણ અને ઉલ્ટાં મૂલ્ય
(૧) વિશ્વામિત્ર અને મેનકા (૨) પરાશર અને મત્સ્યગંધા (૩) શકુંતલા અને દુષ્યતના દષ્ટાંત આપીને બાળકોને ભડકાવવામાં આવે છે કે બ્રહ્મચર્ય સરળ નથી. તેથી બાળકોને ઉંચે ચઢતાં અટકાવવામાં આવે છે. આ બ્રહ્મચર્યની વાત કઠણ છે એ જ રીતે સરળ પણ છે.
પણ, છેલ્લાં દેઢ વર્ષથી બ્રિટિશ શાસન દરમિયાન કેવળ ભાષાને જ પલટો થયો નથી પણ વિદેશગમનથી જે વાતાવરણ આવ્યું તેને લઈને ઘણે પલટ થઈ ગયું છે. ચઢવું મુશ્કેલ થયું છે અને પડવું સહેલ. દુઃખની વાત તો એ છે કે ઉલ્ટાં મૂલ્યો સ્થપાયાં છે. સ્વચ્છ દીપણાને સંસ્કારીપણું મનાયું અને સંસ્કારીપણને જડતા કે રૂઢિચુસ્તતા મનાઈ. બીજુ દુર્ભાગ્ય એ થયું કે દેશની સંસ્કૃતિરક્ષાધર્મરક્ષા માટે જે સાધુસંસ્થા હતી; અને ચાર સંતાનોમાંના લગભગ એક સંતાન એ ભાર્ગે જતું તે માર્ગ બંધ જે જ થઈ ગયા. તેથી સાધુ સંસ્થા ક્ષીણ થતી ગઈ. રાજા રક્ષણને બદલે ભક્ષણ-અપહરણ કરવા લાગ્યો. નાના રાજ્યમાં તો કોઈ કુટુંબ ઇજજતભેર રહી શકે જ નહીં. એટલે બ્રહ્મચર્યની વાત કરવાવાળાં ઓછા થઈ ગયા. છતાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com