________________
[૧૨] વિશ્વવાત્સલ્યમાં માલિકી
હકમર્યાદા
[૯-૧૦-૬૧]
મુનિશ્રી નેમિચંદ્રજી વિશ્વવાત્સલ્યનાં મૂળ બે ઉપર આ અગાઉ સારી પેઠે છણાવટ થઈ ગઈ છે. હવે ત્રીજા મૂળવ્રત–માલિકી હકમર્યાદા ” ઉપર વિચાર કરવાનું છે. સૌથી પહેલો પ્રશ્ન એ ઊઠશે કે માલિકીહક મર્યાદા શા માટે ? માણસ કોઈ પણ વસ્તુ ઉપર માલિકી ન રાખે; છૂટથી ઉપાર્જન કરે અને છૂટથી તેને વાપરે એમાં શું ખોટું છે?
જેમ યુગલિયા કાળમાં કે આદિમાનવ સંસ્કૃતિના કાળમાં હતું; તેમ ભગવાન ઋષભદેવના વખતે માલિકીને પ્રશ્ન જ નહોતું. એટલે હક ભોગવવાની વાત પણ ન હતી. તે વખતે કોઈ પણ માણસ કોઈ વસ્તુ ઉપર માલિકી રાખતે નહીં. પ્રકૃતિના ખોળામાં રહી તેની અસીમ વસ્તુઓ મુક્તપણે જેને જેમ ફાવે તેમ આ લોકો (યુગલિયા) વાપરતા. તેઓ સંઘરતા નહીં. ઘણાને એમ થાય છે કે શું તેમ આજે ન થઈ શકે?
એના ઉત્તરમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ભગવાન ઋષભદેવે સમાજરચના કરી; સમાજની બધી વ્યવસ્થા ગોઠવી અને તરત માલિકીને પ્રશ્ન ઊઠશે. એટલે જ્યાં સમાજ આવ્યો ત્યાં તરત જ મર્યાદાઓ આવવાની. અમુક વસ્તુ ઉપર કોને હક એ પણ પ્રશ્ન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com