________________
૩ર૩
વટાવ, વ્યાજ વગેરે અનિષ્ટો છૂટે તેમજ રાજ્ય સર્વોદયના માર્ગે અને - સર્વોદય વિશ્વ વાત્સલ્યના માર્ગે જઈ શકે. ટુંકમાં રાજ્ય, પ્રજા, પ્રજાસેવકે તથા ક્રાંતિપ્રિય સાધ્વીઓના અનુબંધથી ભાલ નળકાંઠા પગની જેમ અનુબંધપૂર્વક એગ્ય દિશામાં કામ થાય તે જરૂર વિશ્વમાં મૂળ પલટ કરી શકાય. રામરાજય કે સર્વોદય કંઈ ઉપરથી આવવાના નથી. દરેકે સાથે મળીને પ્રયત્ન કરવા પડશે. મારા નમ્ર મતે બીજાના દુખે દ્વવે તે દેવ અને બીજાના દુઃખે હસે તે રાક્ષસ છે. અસમાનતાનું મૂળ :
શ્રી પુંજાભાઈ કહેઃ “મને તે અસમાનતાનું મુખ્ય કારણ ચારેબાજુથી કમાતો માનવી લાગે છે. એક બંધ અને બાંધી આવક હોય તો પાયાને ફેરબંધ થઈ જાય. વધુ પડતે સંગ્રહ એજ ઝેર છે. ઝાડ સુદર ત્યાં લગી રહે જ્યાં સુધી અંદરનાં મૂળિયાં પ્રેમપૂર્વક રસ અંધારામાં રહીને પણ ખેંચ્યા કરે, પણ ઉધઈ લાગે તે ? એમ કિસાન, શ્રમજીવીએ, માતાઓ વગેરેને સંતોષ ઉપર સમાજ હર્યોભર્યો છે. એટલે અસતેષ વધે તે પહેલાં જ શ્રીમતો અને સત્તા લક્ષીઓએ સ્વયં ચેતવું જોઈએ. કલ્યાણરાજના અમલદારે કે શ્રીમતિ વગેરે આ સમજે તો સર્વોદય અને ક્રમથી વિશ્વ વાત્સલ્ય તરફ તેમણે આવવું જોઈએ.
શ્રી બલવંતભાઈઃ “દાદા ધર્માધિકારીના કંઈક આવાજ શબ્દો છે કે “નાગરિકોમાં–લોકોમાં પરસ્પર પ્રીતિ અને વિશ્વાસ હોય તે રાજ્યની જરૂર બહુ ઓછી રહે,” અને લોકોમાં એ જગાડવાનું સાધન નૈતિક જનસંગઠન છે; જેના હાથમાં રાજ્ય આર્થિક-સામાજિક પ્રશ્નો છોડી દેવાં જોઈએ. વિધવાત્સલ્ય એટલે પ્રાણી માત્રને સર્વોદય : - પૂ. શ્રી દંડી સ્વામી કહે : વિશ્વ વાત્સલ્ય પ્રાણી માત્રને સર્વોદય "ઈચ્છે છે, પણ પ્રથમ આપણે માનવસમાજ લેવો પડશે. બૌદ્ધ ધર્મમાં અહંત, પ્રત્યેક બુદ્ધ અને બેધિસત્વ એ ત્રણ દશા ગણવામાં આવી છે. તેમાં બેધિસત્ય એ છે કે જે બીજા બધાને મેક્ષમાં મોકલી ગાડ રૂપે સૌથી પાછળ જાય છે, ત્યાં સુધી મોક્ષમાં જવાની ના પાડે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com