________________
છે તેની વિચારણા થઈ ગઈ છે. પરિગ્રહને, ન તે ધર્મ સંમતિ આપે છે, ન સમાજવાદ કે વિચારધારાએ સંમતિ આપે છે કે ન તે રાજ્ય તેને પ્રતિષ્ઠા આપે છે. આ એક નિતાંત સત્ય છે. તે ઉપરાંત બધા યે સ્વીકારે છે કે ધન મેળવવામાં, સાચવવામાં અને વાપરવામાં દુઃખો જ મળે છે, અને તે આ જીવન પછી તો સાથે રહેતું નથી છતાં લેાકમાનસમાં એને જે ખોટું મહત્વ અપાઈ ગયું છે તે દૂર કરવું જ રહ્યું.
સત્રમાં કહેવામાં આવ્યું છે કે જે માણસ પોતાના પરિગ્રહ ઉપર અંકુશ ન મૂકે અને મોટાં મોટાં આરંભે અને હિંસક ધંધાઓ કરે તે સાચા ધર્મને પામી શકતો નથી. એટલું જ નહીં તે સાચા ધર્મનું શ્રવણ પણ કરી શકતો નથી. ઠાણાંગ સૂત્રમાં કહેવામાં આવ્યું છે -
“दोहि ढाणेहिं जीवो केवलिघण्णत्तं धम्मं न लमेज सवणयाए तंजहाः महारंमेण चेव महापरिग्गहेण चेव"
–એટલે કે બે કારણોથી છવ કેવળી પ્રરૂપિત ધર્મનું શ્રવણ કરીને પામી શકતો નથી; મહારંભ અને મહા પરિગ્રહ દ્વારા. ' એક વસ્તુ તે ચોક્કસ છે કે મહારંભ અને મહાપરિગ્રહમાં રચ્યાપચ્યા રહેતા લોકોને પહેલાં તો એટલો સમય જ મળતું નથી કે તેઓ ધર્મશ્રવણું કરી શકે. કદાચ શ્રવણ કરે છે કે તેના ઉપર રૂચિ થવી મુશ્કેલ છે, અને રૂચિ થઈ તે પણ તેને અમલ તે કરી શકર્તા નથી. મહાપરિગ્રહી કે મહારંભી હોય તે આત્માની વાત કરી શકશે નહીં. દ્રવ્યગુણ પર્યાયની ચર્ચા કરી શકશે નહીં અને જે તે આત્માજ્ઞાની કે સમ્યકત્વી લેવાની વાત કરે તો તે પિતાની છેતરપીંડી સાથે બીજાની સાથે પણ બનાવટ છે.
જ્યાં નીતિ નથી, મર્યાદા નથી, જરૂર ઉપરાંતની સંપત્તિ અને સામગ્રી છે તેના ઉપર મર્યાદા કે ટ્રસ્ટીપણાને જરાપણ વિચાર નથી ત્યાં અધ્યાત્મ કે ધર્મ ક્યાંથી હોઈ શકે ? સરકારી કાયદા પ્રમાણે ભલે કોઈને માલિકી હક મળી જતો હોય તે પણ ધર્મના કાયદા એના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com