________________
આદતખરી એટલે મારી ચેરીને આપ પણ તેના ઉપર આવવા લાગ્યા. પણ મને તે વખતે આ ડંખતું નહીં.
ત્યારબાદ, કચ્છમાં જવાનું થયું. પિસા-પ્રતિક્રમણમાં રસતે જૈન કુળમાં જૈન્મવાના કારણે ખરો જ. પછી ધર્મને અભ્યાસ જરા ધીરજ અને ઊંડાણથી કર્યો. બીજું સાહિત્ય પણ વાંચવા લાગ્યા. ગાંધીજી અને સંતબાલજીનું સાહિત્ય પણ જોવામાં આવ્યું. ઊંડે વિચાર થવા લાગે. “જીવનમાં નીતિ નિષ્ઠા ન હોય તે વતનિષ્ઠા પ્રાણવાન નથી બનતી !” આ વિચારેના લીધે પૂર્વની ભૂલો ડંખવા લાગી.
- ચાર-પાંચ વર્ષો પહેલાં મુંબઈ આવ્યા. ત્યારે પૂર્વ જે રૂા. ૨૦૦-૨૫૦ની ચોરી મારા હાથે થયેલી તેને હાદિક એકરાર કર્યો. જના શેઠને પ્રેમ ઘટયો નહીં, પણ વધ્યા.
તેમણે કહ્યું: “અમે તે આવું ઘણું જાણી જોઈને કરીએ છીએ પણ અમને તમારી જેમ પસ્તાવો થતો નથી.”
મારે કહેવું જોઈએ કે હજુ જીવનમાં પૂરેપૂર સત્ય આવ્યું નથી પણ ભૂલ થતાં ડંખ થાય છે.
ચારેક દિવસ પહેલાં માટુંગા આવતાં ઘાટકોપરથી પ્રથમ વર્ગમાં ચઢી ગયો. ચઢયા પછી જ ખબર પડી કે આ તે પ્રથમ વર્ગ છે. ત્રીજા વગની ટિકીટ છતાં પહેલા વર્ગમાં ચઢાય કેમ ? એ મનમાં ડંખવા લાગ્યું અને સીટ ઉપર ન બેઠો. માસ્તર આવ્યા અને વધારાને રૂપિયો માંગ્યો ત્યારે પહેલાં તે સહેજ ખચકામણ થઈ પણ ભૂલ કરી હતી, એટલે તે ભરી આપ્યો અને પછી સમાધાન થતાં શાંતિ થઈ. ' કોઈકવાર પૈસાની તંગીના કારણે ભૂલ થઈ જાય; જેમકે કોઈ વાપરેલી ટિકીટ હોય તે તેને ફરી ઉપયોગ કરવાની લાલચ થાય પણ તેવી ભૂલ ડંખે છે ખરી. મને આનું કારણ તે નીતિનિષ્ઠાની આદત કેળવી એજ લાગે છે. ઘણા લોકો એને વેદિયાવેડા કહે છે પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com