________________
૧૪૬
(૩) માનવજીવનના સર્વક્ષેત્રે નીતિધર્મને પ્રવેશ:
વિશ્વવાત્સલ્યની નીતિનિષ્ઠાનું ત્રીજું સૂત્ર એ છે કે વિશ્વવાસત્યને સાધક માનવ જીવનના બધા પ્રકારનાં ક્ષેત્રોમાં પ્રવેશ કરશે અને તે ક્ષેત્રે માં નીતિધર્મ પ્રવેશ કરાવવા પ્રયત્ન કરશે. આ માનવજીવનનાં ક્ષેત્રોમાં સામાજિક, આર્થિક, રાજકીય, સાસ્કૃતિક, ધાર્મિક, આધ્યાત્મિક કે શિક્ષણિક બધાય ક્ષેત્રેનો સમાવેશ થઈ જાય છે. બધાં ક્ષેત્રને લઈએ ત્યારે વિશ્વવાત્સલ્યને સાધક રાજકીય ક્ષેત્રથી એકલે, અટુલે કે અતડે ન રહી શકે ! તેમ જ ત્યાંથી ભાગી પણ ન શકે. - મહાત્મા ગાંધીજી રાયકીય ક્ષેત્રની ગંદકી જોઈને ભાગ્યા નહીં; ડર્યા નહી તેમજ કટાળ્યા પણ નહીં. તેમણે તે એની સાથે અનુબંધ જોડ્યો અને ગંદકી કાઢી એમાં ધર્મપ્રવેશ કરાવવાનો પ્રયત્ન કર્યો. એવી જ રીતે આર્થિક ક્ષેત્રમાં ખાદી-ગ્રામવેગેનાં સંગઠને રચાવી ત્યાં પણ ધર્મનીતિને પ્રવેશ કરાવ્યો. સામાજિક ક્ષેત્રમાં હરિજનો અને મજૂરોના પ્રશ્નો લઈ તેમના સંગઠન દ્વારા તેમાં ધર્મ અને નીતિ દાખલ કરાવી. સાંસ્કૃતિક ક્ષેત્રના પ્રશ્નો પણ તેમણે આફ્રિકામાં લીધા હતા અને હિંદમાં પણ સ્ત્રી જાગૃતિ અને નારી-પ્રતિષ્ઠ, સંતતિનિયમન વગેરે પ્રશ્નો લીધા હતા. શિક્ષણના ક્ષેત્રમાં “નઈ તાલિમ પ્રમાણે નવી શિક્ષણ
જના ઘડી, એ સંગઠન વડે શિક્ષણનું માળખું બદલાવ્યું હતું. ધાર્મિક ક્ષેત્રમાં પિસલી વિસંવાદિતાઓ દૂર કરવા માટે સર્વધર્મ સમન્વય કરવા તેમણે તનતોડ મહેનત કરી. “ઈશ્વર અલ્લાહ તેરે નામ"તે ઘર ઘર ગાજતું કર્યું હતું. ઘનિષ્ઠામાં તેમણે નવું જીવન રેડયું હતું અને આધ્યાત્મિક ક્ષેત્રે પણ તેમણે અનુબંધ રાખ્યો હતો તેને અનુરૂપ તપ, ત્યાગ, બલિદાન, દાન, પ્રાર્થના ઉપવાસ વગેરે કાર્યક્રમો મૂક્યા હતા. * આમ જોઈ શકાશે કે ગાંધીજી જેમ બીજા વિશ્વવાસિલ્ય સાધકે પણ ભાન જીવનના કેઈ ક્ષેત્રને મુકી શકશે નહીં. એટલે વિશ્વવાત્સલ્યના સાધકે માનવજીવનના સર્વ ક્ષેત્રમાં પ્રવેશ કરવો જોઈશે. ગાંધીજી પછી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com