________________
૧૭૭
શકે એનું નામ ધર્મ. અલબત્ત શ્વાસોશ્વાસ વિના આપણે ટકી શકતા નથી. પણ તે સહેજ હોય છે એટલે હવા હોય છે ત્યાં લગી ખબર પડતી નથી. હવા ન હોય ત્યારેજ ગુગળામણું જણાઈ આવે છે તેવુંજ સત્યનું છે.
* : ' છે થોડાક અસત્યનો પ્રભાવ
જેમકે, બાળકે એપ્રિલ ફૂલ તા. ૧લી કે ૪થી એપ્રિલના કરતા હેઈ, તે દિવસે સાચી વાતનેય વિશ્વાસ થતું નથી. પરિણામે હાસ્યમાંથી પણ કેટલીકવાર બુરું પરિણામ આવે છે. પ્રહસનનું ચિત્ર ગોઠવી અડધે કલાક જે ખોટું બોલવાનું ગોઠવાય, કે કોઈ મરી ગયું છે, ત્યાં લગ્નની વાત થતાં મડદાં પર જાનડીઓ ગીત ગાતી આવે તો કેવુ બેહુદુ બની જાય ! આ સત્યનું મહામૂલ્ય છે. તેજ સમાજને ધારણ કરી રાખે છે. સૂર્ય ગમે ત્યારે ઉગે કે ગમે ત્યારે આથમે તો શું થાય ? મોસમી પવન ન થાય તો ખેડૂતોને વિશ્વાસ ન રહે. ટુંકમાં જડગણાતી સૃષ્ટિમાં પણ નિયમનો ભંગ થતો નથી. સૂર્ય, ચંદ્ર, પૃથ્વી, એ બધું નિયમિત ચાલે છે. એટલે નિયમની પણ એટલી જ જરૂર છે.
સમાજમાં જરા જૂઠું ચાલે છે, તે તેમાંથી દહેશત ઊભી થાય છે. દસ્તાવેજ, કાયદા, કાનૂન વ. કેટલું બધું વધી ગયું છે. એવી કલાકના દિવસની ગણત્રી કરીએ તે થોડીવાર માટેના, પૈડા' લોકોના જૂઠાણને કારણે પણ કેટલું બધું અંધારું અને અવિશ્વાસ વ્યાપી જાય છે. એટલું પણ જે અસત્ય ન હોય તે જગત, પ્રકાશમાં સ્વર્ગમય અને અમૃતમય બની જાય છે. સત્ય એ જ જગતનું અધિષ્ઠાન
એથી જ કહ્યું છે જેના વિના જગતુ ન ટકી શકે તે જે સવા કય સર્વ પ્રતિ ”—એટલે કે જગતની બધી વસ્તુઓ સત્ય ઉપર પ્રતિષ્ઠિત છે. ૧૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com