________________
૧૫૭
છે. આ જમીન પ્રમાણે ગામના વીશ ફૂટ જાહેર રસ્તાની જગ્યા તેમ જ ચેક પણ ભેળવી લીધો. મંડળમાં દેરાવાસી ભાઈઓ પણ છે. લોકોને વિરોધ થયો. તેમણે ડેપ્યુટી કલેકટર સુધી દરેક અમલદારેને ફેડેલા. હવે તેમણે મંડળના સભ્યોને ફાડવાને પ્રયત્ન શરૂ કર્યો. પણ કોઈ ડયું નહીં. છેવટે તેમણે પંચ સ્વીકાર્યું પણ તેમને ફેંસલે માન્ય કર્યો નહીં. અમારા મંડળના આગેવાન તેમના સગા થાય. તેમણે નમતું ન આપ્યું પણ તાદામ્ય સાથે તટસ્થતાની વાતને લીધે તેમજ વ્યકિત કરતાં સંસ્થા મહાન છે, એ સિદ્ધાંત આગળ બધું ગૌણ માની. સંસ્થા ટકી શકી. સંસ્થાને ટકાવવી આ રીતે કઠણ હોય છે.
સંસ્થાને ટકાવી રાખવા માટે સંસ્થાના નીતિ નિયામાં મક્કમતા હેવી જોઈએ, સુકાની દઢ હોવો જોઈએ તે જ જુદા જુદા વલણવાળા. સંસ્થાના સભ્યોને ટકાવીને રાખી શકાય.
જે સંસ્થા આમ ટકે છે, તેને પ્રભાવ સમાજમાં પડે જ છે. દશ હજારની તખ્તી મારવાના તાજા પ્રલોભનને વશ ન થયાનું ખમીર વિશ્વ વાત્સલ્ય પ્રાયોગિક સંધ માટે નવું નથી.
ધર્મ દીવાલ છે પણ તેને પાયો નીતિ છે. ભલે સંસ્થા નાની હેય પણ ચેમેરના વિરોધ વચ્ચે જે ટકી શકે છે, તે જ મહાન કાર્ય કરી શકે છે. વ્યકિત કે સંસ્થાના વ્રતો ગમે તેટલાં હોય પણ જે નીતિ નિષ્ઠાની સાવધાની ન હોય તો વખત આવે તેને પડી ભાંગતાં વાર લાગતી નથી. આચરણ એજ નિષ્ઠાનું માપ
શ્રી માટલીયાએ કહ્યું:–“મારા નમ્ર મતે ગાંધી વિચારધારાને આગળ લઈ જનારી શાખાઓ પૈકી વિશ્વ વાત્સલ્ય અને સર્વોદય એ બન્ને શાખાઓ છે. આ બન્ને ગાંધી વિચારનું સંશોધન કરનારી પ્રક્રિયાઓ છે.
ગાંધીજીએ કહ્યું: “સત્ય એજ ઈશ્વર છે. તેની ખેજમાંથી મને અહિંસા મળી છે.” અત્યારસુધી બ્રહ્માંડમાં રહેલા સત્યનું તત્વજ્ઞાન,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com