________________
' મેં સહેજે કહ્યું : “રામ રાખે એને કોણ ચાખે છે અને કોણ જાણે કેમ તે વાત પડકાર કરનાર હૈયાને લાગી ગઈ. તે ચાલ્યો ગયો.
ત્રીજી વખત મારાં ગાડાંની પછવાડે હોવા છતાં, મને ન માર્યો. તેમાં કોઈ અજ્ઞાત શકિત જ કામ કરતી હેવી જોઈએ. "
એકવાર તે મેં રસિકભાઈને પત્ર લખેલો : “સોનીને ત્યાં તેનું આવવાનું છે.” રસિકભાઈને તે વાતની બાતમી પહેલેથી જ મળી ગયેલી પણ મારા પત્રની નકલ પેલા બહારવટિયાઓના હાથમાં આવી ગઈ. ગરાસિયાઓ મને ચેતવવા આવ્યા. કાપૂવકના સસરા વાજસૂરવાળાએ પણ અમને ચેતવ્યા; છતાં નિસર્ગની દયા હતી; અને કંઈ ન થયું.
બે ખેડૂત સંમેલનો થયાં. તેમને તેડવા બહારવટિયાઓએ વિચાર કરેલો પણ એક ભાઈને (મોહનલાલ મેતીચંદ) આ ખૂનરેજી થવાની ખબર પડતાં રાયે લશ્કર ગોઠવી દીધું.
આ બધા ઉપરથી લાગ્યું : “જગતમાં અવ્યકત શકિત કામ કરે છે, મદદ પણ કરે છે.” બધા અનુભવ ઉપરથી વાત્સલ્ય વિકાસની પદ્ધતિમાં મને ત્રણ વસ્તુ ત્રિવેણી રૂપે અગત્યની લાગી – (૧) નેહપૂર્ણ વહેવાર (૨) વિશ્વાસપૂર્વક ગતિ અને (૩) જાન, માલ, શીલ અને વ્યવસ્થાની સામાજિક સલામતી. વાત્સલ્ય વિકાસને પ્રારંભ ઘરથી
શ્રી પુંજાભાઈએ ભક્ત જલારામને દાખલો આપતાં કહ્યું કે તેમના વાત્સલ્યનું ઝરણું પહેલાં ઘરથી ફૂટે છે, પછી તે પરબ, દાળિયા અને પછી આવેલા ભૂખ્યાતરસ્યાને રોટલી-દાળ આપી સદાવ્રત શરૂ કર્યું. તેમાં એક બાજુ સમાજ તેમને આપને ગમે તો બીજી બાજુ તેઓ સમાજના જરૂરતમંદોને નિઃસ્પૃહભાવે આપતા ગયા. આ રીતે વાત્સલ્ય વિકાસ તેમણે સમાજ સુધી સાશે. વાત્સલ્યમાં નિકુરતા અને પ્રેમ બને હોય છે
ત્યારબાદ બ્રહ્મચારીજીએ કહ્યું : “એક બાળકે ચોરી કરેલી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com