________________
– અનુકુળતા રૂપે બદલાઈ શકે અથવા તેની આચારનિકાનું મૂલ્યાંકન બીજા લોકો કરવા લાગે એ પણ શક્ય છે.
(૨) પિતાની પરિસ્થિતિની પ્રતિકૂળતા : આચારનિષ્ઠાને અમલમાં લાવવા માટેનું આ બીજું બાધક કારણ છે. ઘણીવાર સાધકને તેના કુટુંબવાળાઓ જ ન માને, જ્ઞાતિ કે સંપ્રદાયવાળા ન માને એવું પણ બને. ક્યારેક સાધકની આજીવિકા કે ભિક્ષાચરી એવા લોકોનાં હાથમાં છે, જે તેની આચારનિષ્ઠાના વિરોધમાં તેને મુશ્કેલીમાં મૂકી દે.
ઘણુંખરા સાધુઓની પરિસ્થિતિ પણ સમાજ સાથે સંકળાયેલી હોય છે. તેઓ વિશ્વ વાત્સલ્યને આચારમાં મૂકવા જાય તે સમાજ તેમની ભિક્ષાચરી પણ બંધ કરી શકે–તેમને ઉતરવાનું સ્થાન ન આપે કે બિમારીમાં ચિકિત્સાને પ્રબંધ પણ અટકાવે. તેમના શિક્ષણ માટે પંડિતને ખર્ચ પણ બંધ કરાવે !
આ બધી ચિંતાઓ મોટાભાગના બધા ય સંપ્રદાયના સાધુઓને થયા કરે છે. એથી એક વાત તેઓ ભૂલી જાય છે કે તેમણે વિશ્વવત્સલ (છ કાયના મા-બા૫) બનવાની પવિત્ર જવાબદારી લીધી છે તે પૂર્ણ થતી નથી. એટલું જ નહીં તેમણે જાતે પેદા કરેલી આ માનસિક પ્રતિકુળતાના કારણે જેમની પાસે વિશ્વ વાત્સલ્યના વિચારોનું સ્પષ્ટ ચિત્ર છે તેમની પાસે જવામાં, સમજવામાં કે વિચાર વિમર્શ કરવામાં પણ સંપ્રદાયને ભય અનુભવે છે. જેવા જઈએ તે આ જાતે ઊભાં કરેલાં બધને છે. તેને સાધકે તેડવાં જોઈએ.
(૩) જૂના સંસ્કારે જૂના સંસ્કારે એ પણ એક જબ્બર બાધક કારણ છે. “આ વિચારે બરાબર છે. તેનામાં વિશ્વહિત રહેલું છે !” એમ સમજવા છતાંય તેને આચારમાં મૂકવા અચકાવનાર જૂના સંસ્કાર હોય છે. જ્યારે સર્વધર્મ સમન્વયની વાત રજૂ થઈ ત્યારે કોઈએ તેનાથી ખાસ આંચકે ન અનુભવ્યો ! કેટલાક કહેવાતા સુધારકોએ ઉદાર દિલે પિતાના સંપ્રદાયના દે બતાવ્યા. પણ જ્યારે સર્વધર્મ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com