________________
૧૪ર
अहिंसाग्गहणं पंचमहव्वयाणि गहियाणि भवंति
दशवैसेलि र हरिकृति (અહિંસાના પ્રહણથી પાંચ મહાવ્રતનું ગ્રહણ થાય છે.)
પણ, સામાન્ય જનતા માટે આટલી ઝીણવટ અશક્ય છે અને તે ઉધે રસ્તે દેરવનારી પણ નીવડી શકે છે, અહિંસામાં કેવળ અહિંસાને જ તેને બંધ થશે; જ્યારે ધર્મશબ્દમાં અહિંસાદિ પાંચેતે ઉપરાંત બીજા ઉપવ્રતા જે બધા ધર્મોને માન્ય છે, તે આવી જાય છે. એટલા માટે જ ભગવાન મહાવીરે તેમની પૂર્વે થયેલ ભ. પાર્શ્વનાથના ચાતુર્યામ સંવર માંથી પંચમહાવ્રતની પ્રતિસ્થાપના કરી હતી.
આજે અહિંસક સમાજ રચના કહેતાં માત્ર એવા સમાજની રચનાને બંધ થશે કે જે માંસાહાર ન કરતા હોય છવવધ ન કરતો હોય કે લીલોતરી ન ખાતે હોય. અને તેવી કલ્પના સામાન્ય રીતે જૈન સમાજ કે તેને માનનારે સમાજ કરશે. વૈષ્ણવ અહિંસાને અર્થે કરશે - ગોહત્યા ન કરવી, પશુવધ ન કરો અને શાકાહાર કરવો.”
માનવાનું પરસ્પરનું શોષણ, અન્યાય, અત્યાચાર, અનીતિ, ભેદભાવ, ગુલામી વગેરે હિંસાના પ્રકાર છે એવી વાત કોઈને ગળે અહિંસા કહેતા નહીં ઉતરે. એટલે જ “ધર્મ' શબ્દને અહીં આગ્રહપૂર્વક લેવામાં આવ્યું છે અને ધર્મદષ્ટિએ સમાજ રચનામાં એ વાત સ્પષ્ટ થાય છે.
કોઈપણ કાર્યનું મૂર્તરૂપ સ્પષ્ટ થાય તે જ એ કાર્ય વ્યાપક બની શકે છે. વિશ્વવાત્સલ્યનું મૂર્તરૂપ ધર્મમય સમાજ છે. એ દષ્ટિએ વિશ્વ વાત્સલ્યને લક્ષમાં રાખીને જે સંગઠને ઊભાં થયાં છે તેમાં ધર્મદષ્ટિ રહેવી જોઈએ. તેમાં અર્થ કે કામ દષ્ટિ ન હોવી જોઈએ. કદાચ અર્થ-કામદષ્ટિ આવી પણ જાય તે ત્યાં સાવધાની રાખીને તેને દૂર કરવી જોઈએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com