________________
- ૫૪
એને તેઓ કંઠસ્થ કરાવતા. ધીમે ધીમે સ્મૃતિઓ ઘટતાં કંઠસ્થ જ્ઞાન સાચવી રાખવું મુશિલ બનતું ગયું. એટલે ચતુર્વિધ સંઘે મળીને જેને જે વસ્તુ યાદ હેય તે બધું લિપિબદ્ધ કરવું, એ આ સમેલનને ઉદ્દેશ્ય હતે.
ભદ્રબાહુ સ્વામી વિશિષ્ટ જ્ઞાની હતા અને તેઓ હાજર હેય તે જ શાસ્ત્રોના પાઠ વ્યવસ્થિત થઈ શકે અને જ્ઞાન દર્શન ચારિત્રમાં વૃદ્ધિ થઈ શકે એમ શ્રીસંઘને લાગ્યું. શ્રીસંઘે બે સાધુઓને ભદ્રબાહુ સ્વામી પાસે સંદેશ લઈને મેકલ્યા. તે વખતે ભદ્રબાહુ સ્વામી નેપાળની તળેટીમાં મહાપ્રાણુ ધ્યાનની સાધના કરતા હતા. સાધુઓએ જઈને સંઘને સંદેશો આપો.
ભદ્રબાહુસ્વામીએ કહ્યું : “હું અત્યારે યોગ સાધના કરી રહ્યો છું. તેને અધૂરી મૂકીને કઈ રીતે આવી શકું !”
સાધુઓએ પાછા વળી સંઘને વાત કરી. સંઘે એક જ વાકયમાં ભદ્રબાહુસ્વામીને ફરીથી કહેવડાવ્યું : “વ્યક્તિસાધના મોટી કે સંધસાધના !”
આ સંદેશો મળતાં જ ભદ્રબાહુ સ્વામીએ તરત જ ત્યાંથી વિહાર કર્યો. તેઓ પાટલિપુત્ર આવ્યા અને તેમણે સંઘની ઉન્નતિમાંલિપિબદ્ધ કરવામાં પિતાનો ફાળો આપ..
આ ઉપરથી એમ માની શકાય છે કે કોઈ સાધક ભલે એકાંતમાં રહેતો હોય પણ તેને તાળો (કર્તવ્ય-સંબંધ) જગત સાથે વધારે રહેવો ઘટે છે.
- વિશ્વ વાત્સલ્યમાં માતાને આદર્શ સામે હોય છે. જેમ માતા પિતાના બાળકોમાંના નબળાં, રોગી કે મૂર્ખ બાળકને તરછોડતી નથી, પણ તેની વધારે કાળજી રાખે છે તેમ વિધવાત્સલ્યને સાધક, સમાજના પછાત ગણાતા, નબળા કે તરછોડાએલા વર્ગને તરછોડશે નહીં, ઉલ્ટી વધારે આત્મીયતા તેમની સાથે રાખશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com