________________
કાઠી મૂછે ઉપર તાલ દઈને ડબ્બામાંથી કાઢી ગયો. હું તે શમશમી ઊઠ. આટલો બધે જૂલ્મ સહન થાય શી રીતે ? મેં પોલિસમાં ફરિયાદ કરી; પણ મુખીએ, “ઢોર પરાયાં નથી” એવું જૂઠું લખાણ કર્યું. કોઈ સાક્ષી તરીકે પણ ઊભું ન રહ્યું. એટલું જ નહીં, જે ખેડૂતની ભેળ થયેલી તેણે જાતે કહ્યું કે મારું કંઇપણ ભેળવાયું નથી. રોટલી અને દૂધપાક નીચવીને આપે !
હવે શું થાય ! હું તો ખૂબ મુંઝાયો. એક દિવસ વિચાર થતાં હું અને મારા પત્ની બન્ને જણ તે ગામ તે કાઠીને ત્યાં જ પહોંચ્યા. તેમણે આગ્રહ કર્યો અને અમે જમવા રોકાયા. ભાણમાં રોટલીઓ આવી કે મેં કહ્યું : “આ નીચવીને મને આપો !”
તે કાઠીના ભા અને ઘરના બધાય મુંઝાયા. પહેલાં તો તેઓ કંઈ ન સમજ્યા. પછી મેં ચોખવટ કરતાં કહ્યું : “આમાં અનેક ખેડૂતોને પરસેવે ચેટ છે, તે કાઢીને મને રોટલી આપે !”
' છેવટે કાઠી પીગળી ગયા અને તેમણે કહ્યું : “આ મારી ગાય, મારી જ મહેનતે ઉછેરીને મોટી કરી છે અને તેને ભેળથી અલગ રાખી છે. તેનું દૂધ લો !” - સામાન્ય રીતે ભેળ તે થેડી, ભેંસ વ. થી થતી હોય છે એટલે મેં થોડું દૂધ લીધું. ત્યારબાદ કાઠીને આખા કુટુંબે પિતાની આપવીતી કહી સંભળાવી : “અમને પણ કે ખેડૂતોને રંજાડગ ગમતા નથી, પણું, શું કરીએ ? અમારી પાસે સો વીઘા જમીન હતી પણ અમુક પટેલને ત્યાં ગિરે મૂકેલી. ત્રીશ વર્ષ થઈ ગયાં હવે એ આપતા નથી!”
એમનું પણ કંઈક કરવું જોઈએ એમ નક્કી કરી તેમની વિદાય લઈને અમે પાછા ફર્યા. એ પટેલ બાપા ચૂસ્ત વેદાંતી હતા. થોડા દિવસો પછી સમય જોઈને હું તેમને ત્યાં ગયો. મેં તેમને કહ્યું : “બાપા ! આપ તો અતવાદી! આપનાથી આવું થાય ! ” સભાગે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com