Book Title: Dharmveer Sheth Venichandbhai
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Jain Shreyaskar Mandal
Catalog link: https://jainqq.org/explore/034499/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ પપકારાય સતાં વિભૂતય: ધર્મવીર શેઠ વેણીચંદભાઈ પેજક – પ્રભુદાસ મહેચરદાસ પારેખ. પ્રકાશક:– શ્રી જૈન શ્રેયસ્કર મંડળ –મહેસાણા. સંવત ૧૯૮૪. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #2 -------------------------------------------------------------------------- ________________ આવૃત્તિ પહેલી. ધી સૂર્યપ્રકાશ પ્રિન્ટીંગ પ્રેસમાં પટેલ મૂળચંદભાઈ ત્રિકમલાલે છાપ્યું. ઠેકાણું–પાનકેર નાક-અમદાવાદ == મત ૩૦૦૦. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #3 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #4 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહેસાણાનિવાસી આત્મભોગી નરલ શાહ વેણીચંદ સુરચંદ. જન્મ સં. ૧૯૧૪ના ચૈત્ર વદિ ૫ સોમવાર. સ્વર્ગવાસ સં. ૧૮૮૩ના જેઠ વદિ ૯ ગુરૂવાર Shrez udhamiawanyams Tandaroita? A જોશી આર્ટ કેટ-મુબઈ umenta Page #5 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના. શ્રી મહેસાણું યશેવિજયજી જેને સંસ્કૃત પાઠશાળા તથા જૈન શ્રેયસ્કર મંડળ વિગેરે સંસ્થાઓના સંસ્થાપક આમલેગી સેવાપરાયણ નરરત્ન વેચંદભાઈ સુરચંદનું આ જીવનચરિત્ર છે. તે ગદ્ય અને પદ્ય: એમ બંને રીતે લખાયેલું છે. - આ ચરિત્ર, પ્રથમ અમે તેમનાં સગા સંબંધીઓ પાસેથી મુદ્દાવાર હકીકતે મેળવી, અમારા અનુભવ પ્રમાણે તૈયાર કરી, રા. પ્રભુદાસ હેચરદાસને જોઈ જવા કહ્યું હતું. તેમણે તે જોઈ, મુદાઓ કાયમ રાખી પોતે લખવા જરૂર જણાવી અને અમને તે ઠીક લાગવાથી પરિણામે આ ગદ્યાત્મક ચરિત્ર તૈયાર થયું. વેણીચંદભાઈને યથાર્થ સ્વરૂપમાં તેમણે જૈન સમાજ પાસે જે રીતે રજુ કર્યા છે, તે પ્રમાણે અમારાથી કે અન્યથી ન થઈ શકત, એમ અમને લાગે છે અને તેથી “વેણચંદભાઈ પોતાના વાસ્તવિક સ્વરૂપમાં આલેખાયા છે” એ વિચારતાં અમને ઘણેજ હર્ષ થાય છે. રા. પ્રભુદાસભાઇ ઉંડા વિચારક છે, પ્રાકૃત અને સંસ્કૃત વિષયના સારા જ્ઞાતા છે તેમજ જૈન શાસનની પ્રાચીન તથા અર્વાચીન ચાલ પરિસ્થિતિના પણ નિપુણ અભ્યાસી હાઈ રેગ્ય વ્યકિતઓમાં તેમની ગણના છે. પદ્યાત્મક જીવનના લેખક અમદાવાદ-નિવાસી કવિ “રસિક” શા, લેગીલાલ ધળશાજી છે. તેઓ પણ સેવાપ્રિય અને ધર્મશ્રદ્ધાળુ પુરૂષ છે. તેમની કવિત્વ-શકિત માટે તેમના પ્રત્યે માન ઉત્પન્ન થાય તેમ છે. આ બને વ્યકિતઓને વેણચંદભાઈ તરફને પ્રેમ પ્રશ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #6 -------------------------------------------------------------------------- ________________ સનીય છે. પ્રસ્તાવનામાં અમારે વિશેષ લખવાપણું રહેતું નથી કારણ કે ગદ્ય-પદ્યમાં બધી હકીકત સમાયેલી છે, એટલે અમે કંઈ લખીએ તે પિષ્ટપેષણ જેવું થતું સમજાય છે. ઉપરની બે વ્યક્તિઓ ઉપરાંત નીચે જણાવેલી સજજનોની ઉદારતા અને વેણીચંદભાઈ તરફના પ્રેમ વિષે જેટલી પ્રશંસા કરીએ તેટલી ઓછી છે – ૧ શ્રી પોરબંદર નિવાસી શા. રણછોડભાઈ શેષકરણ જેમણે આ ચરિત્ર છપાવવામાં રૂા. ૧૦૧ ની મદદ આપી છે. ૨ શ્રી અમદાવાદ નિવાસી સૂર્યપ્રકાશ પ્રિ. પ્રેસના માલિક પટેલ મૂળચંદભાઈ ત્રિકમલાલ, જેમણે રૂ. ૫૧) સ્મારકફંડમાં આપવા સાથે આ પુસ્તક મફત છાપી આપ્યું છે, અને જેનેતર છતાં પોતાની ઑફિસમાં વેણચંદભાઈને ફેંટો એન્લાર્જ કરાવી મૂકે છે. એમની ગુણજ્ઞતા પ્રશંસનીય છે. ૩ અમદાવાદ–નિવાસી બુક-આઈન્ડર ફકીરભાઈ જેઠાભાઈ, જેમણે આ પુસ્તક મફત બાંધી આપ્યું છે. છેવટે નીચેના તેટક–પદ્ય તરફ વાચકેનું ધ્યાન ખેંચી આ પ્રસ્તાવના પૂર્ણ કરવામાં આવે છે. જન મહાનતણું જીવન પઠીને, અનુસરતાં મહાન તમે ય થશે; ભવપંથ વિકટ અતિ તેહ પરે, પગલાં નવલાં પણ મૂકી જશે. સં. ૧૯૮૪ ની શ્રી જૈન શ્રેયસ્કર મંડળ વસંત-પંચમી છે. –હેસાણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #7 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા. ભૂમિકાઃ— ૨ જૈનશાસનમાં સ્થાન. ૧ ચાત્ર લખવાના હેતુ. ૩ સામસામુ’વિચાર વાતાવરણ. ૪ વિદ્યક્ષ્ય ગતિશ્ચિન્તનીયા. ૫ લેખક સાથેના સબંધ હું નિવેદન અને ઉપસંહાર. ધર્મવીર શેઠ વેણીચંદભાઇ. પૃષ્ઠ:— ૧ થી ૧૪૩. પૃષ્ઠ. વિષય. વિષય. પ્રકરણ ૧ ૩. પ્રાથમિક જીવન ૧થી૧૯ ૧ જાહેર પરિચય ૨ ખાસ પરિચય ૩ ૩ જન્મસ્થાન, માતા-પિતા અને કુટુંબ ૪ માતા-પિતાના વારસા ૪ ૫ કસ્તુરચ'દભાઈ ૬ માળજીવન ૭ જીવન—સ ંસ્કાર કેળવણી ટ્ ૮ જ્ઞાનાભ્યાસ ૧૧ ૯ લગ્ન અને દામ્પત્ય જીવન ૧૩ ૧૦ ધંધા-રાજગાર ૧૧ શાસન સેવક તરિકે પ્રકરણ ૨ જી. સત્પ્રવૃત્તિમય જીવનરથી૬૮ ૧ પરિસ્થિતિ ૨ બાહ્ય પરિસ્થિતિ ૩ અદરની પરિસ્થિતિ ૪ કાર્યકત્ત તરિકે ૫ ઉપાડેલાં કામાની પૃષ્ઠ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૧૫ ૧૭. ૨૦ २० ૨૩ ૨૪ પર પા ૨૫ [૧લા વ`માં મદિરા અને તી] [રાવમાં ચારિત્રધર્મને લગતાં કામો] ૨૬ ૨૫ www.umaragyanbhandar.com Page #8 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠ. વિષય. પૃષ્ઠ. | વિષય. [૩જા વર્ગમાં જ્ઞાનને લગતાં [૧૨ જેન કેળવણું (સમ્યગુ કામો] ૨૬ * જ્ઞાન–પ્રચાર) ખાતું પડ્યું [૪થા વર્ગમાં જૈનધર્મને લ- જૈિન શ્રેયકર મંડળ] પણ ગતાં કામો ૨૬ [૧૩ સૂક્ષ્મ-તત્ત્વબોધિની [પમા વર્ગમાં સંઘના ક્ષેત્રની પાઠશાળા બહારનાં કામો] [૧૪ આગમેદય સમિતિ) ૫૪ [દા વર્ગમાં સામાન્ય પ્રાણ- [૧૫ મુંબઈનું જ્ઞાન ખાતું) ૫૫ દયાનાં કામો] ૨૭ [૧૬ પુસ્તકે છપાવી પ્રચાર | ૬ કેટલાંક ખાસ ખાતાંએ કરવાનું ખાતું ૩થી૬૫ [૧૭ સ્કોલરશિપ ખાતુ ૫૬ [1 ચક્ષુટીકા ખાતી. ૩૫ [૧૮ મહેસાણામાં ઉપાશ્રય પદ [૨ જીર્ણોદ્ધાર , ] ૩૬ [૧૯ દીક્ષિતના કુટુંબને સહાય- ' [કેસરસુખડ, ] ૩૭ ક ખાતું [૪ લેપ , ] [૨૦ ચારિત્રધર્મનાં ઉપકરણ : ખાતું ૫૮ પિ કલ્યાણક–દિવસે ભક્તિ) ૩૮ [જયંતી’ વિષે વિચાર] ૩૯ થી ૪૪ [૨૧ સાધુ-સાધ્વીજી માટે ? ઔષધખાતું ૫૮ દિ સિદ્ધાચલજીનું ફૂલ [૨૨ આયંબિલ વર્ધમાન તપ ૫૮ ધૂપખાતી છ સિદ્ધાચલજીનું આંગી [૨૩ ગિરિનાર-તળેટીએ રસોડું૫૯ કપ (૨૪ મેમાન ખાતુ) - • [૨૫ જૈન શ્વેતામ્બર મૂર્તિપૂર [૮ તલાટી ભક્તિ ખાતું) ૪૫ જક મદદ [૯ સિદ્ધાચળજી ઉપર આ [૨૬ જૈન દવાખાનું શાતને ટાળવા ખાdી ૪૬ [૨૭ છપનિયો દુષ્કાળ] ૬૧ [૧૦ શ્રીયશોવિજયજીજેનર્સ (જૈન-જૈનેતર.) ૬૫ સ્કૃત પાઠશાળા-મહેસાણા ૪૭ [૨૮ જીવ–દયા] ૬૫ [૧૧ બનારસ પાઠશાળા ૫૦ | [૨૯ માડ્યાં ઉગારવા ખાતી ૬૫ ૩૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #9 -------------------------------------------------------------------------- ________________ વિષય. પૃષ્ઠ. ૨ આત્મ-પરિણતિ ૩ વ્યવસ્થા ૪ ભાઈ બબલદાસ અને કિશોરદાસભાઈ ૫ ૫ જેઠ વદિ ૭મ. ૬ આખરે ૭ લેક-લાગણી ઉપસંહાર. પરિશિષ્ટ૧ દિલગીરીના તારે ૧૦૧ ૨ શોકદર્શક સભાઓ ૧૦૧ ૩ દિલસેજીના પત્રે ૧૦૪ બાકીના પત્રોની સં. ક્ષિસ નેંધ ૧૨૧ ૪ પત્રકારોએ લીધેલી ૭૩ વિષય. પૃષ્ઠ. | છ માસ્તર વલભદાસ હાવાભાઈ ૬૬ ! પ્રકરણ ૩ જુ. અંગત જીવન. દસ્થી૦ ૧ પ્રકરણ -સંબંધ ૬૯ ૨ સામાન્ય દિનચર્યા ૩ જિન–પૂજા ૭૧ ૪ મુનિમહારાજાઓને લાભ ૫ તપશ્ચર્યા ૬ ધાર્મિક અનુષાને ૭ ભાવના ૮ સાદાઈ ૯ સ્વભાવ ૧૦ આજીવિકાએ સ્વાશ્ર યીપણું ૧૧ પ્રકરણે પસંહાર બુિદ્ધિસાગર સૂરિ મહારાજશ્રીએ આપેલી અર્પણ પત્રિકા ૮૮ પ્રકરણ ૪ થું. અંતિમ અવસ્થા અને વ્યવસ્થા હ૧થી૯૯ ૧ શરીર-શથિલ્ય ૯૧ | ত ૧૨૨ ૫ સ્મારક ફંડ ૧૪૦ જ ઉદેશ. ૧૪૦ જ ભરાયેલી રકમેની નોંધ ૧૪૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #10 -------------------------------------------------------------------------- ________________ ધર્મવીર શેઠ વેણચંદભાઈ [પદ્યાત્મક જીવન] રચનાર કવિ “રસિક–ઝવેરી ભેગીલાલ ળશાજી. અમદાવાદ, પ્રસ્તાવના. ૧૪૬ | શાસન–સેવા ૧૫૩ જીવનચરિત્ર, ૧૪૯ ઢાળ ૪ થી ઢાળ ૧ લી. કેટલાંક કાર્યો જન્માદિક વન ૧૫૦ ઢાળ ૫ મી ઢાળ ૨ જી અંતિમ અવસ્થા ૧૫૭ સાંસારિક જીવન ૧૫ર ! ઢાળ ૩ જી. શેકપ્રદર્શન અને ઉપસંહાર ૧૫૭ ૧૫૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #11 -------------------------------------------------------------------------- ________________ ૐ અર્જ ભૂમિકા. ૧. ચરિત્ર લખવાને હેતુ– જગવન્ત પરમાત્મા મહાવીર દેવે સામાયિકધર્મસ્વરૂપ સનાતન સત્ય એ જૈન ધર્મ રૂપી સદા જગપ્રકાશક રત્નપ્રદીપ પ્રગટ કર્યો. તેની રક્ષા, પ્રચાર અને આંતર તથા બાહ્ય વ્યવસ્થાને માટે પ્રવચનાદિક સકળ સામગ્રી સહિત અપ્રતિહત શાસન તંત્ર રૂપ મહાતીર્થ સંસ્થા પણ સ્વહસ્તે જ સ્થાપી. તે એવી રીતે કે સત્પાત્ર (ભવ્ય) જીવાત્માઓને એ રત્નપ્રદીપને પ્રકાશ સુલભ અને સુગ્રાહ્ય થઈ શકે. માટે જ–તીર્થ સ્થાપનાર હોવાથી જ એ દેવાધિદેવ પરમ પુરુષ તીર્થંકર કહેવાય છે. એ રત્નપ્રદીપ અને તત્રક્ષક તીર્થ એ બન્ને પરમ મિલ્કત આપણને ઘણે અંશે વારસામાં મળેલી છે. તેમાંથી આપણે લાભ ઉઠાવીએ છીએ. માટે એ વારસે આપણું જીવનમાં બરાબર જળવાઈ રહે અને તેને આપણે જરા પણ ઓછો ન થવા દેતાં, જેમ બની શકે તેમ છે ને તે આપણી પછીની ભાવિ પ્રજાને આપી શકીએ તેવી આપણે તૈયારી હોવી જ જોઈએ.આજના પ્રત્યેક જૈન બાળકનું એ ખાસ કર્તવ્ય છે, એ બરાબર દરેકે યાદ રાખવાનું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #12 -------------------------------------------------------------------------- ________________ ૧૦ એ વારસો જેમ આપણને મળે છે, તેમાં લગભગ તેજ સ્વરૂપમાં - છેવત્તે અંશે આપણી પછીની ભાવિ પ્રજાને ય મળશે, એમ તે આપણે આજે ખાત્રીપૂર્વક કહી શકીએ છીએ. તેની પછીની પ્રજાને પણ કંઈક ફેરફારથી મળશે, એ પણ ચકકરા. પરંતુ એમ કયાં સુધી ચાલ્યા કરશે કે અમુક કાળે માત્ર એકાદ હૈ કે બહુજ જુજ સંખ્યામાં જ માત્ર કેટલીક વ્યકિતએ ભગવાન મહાવીર દેવ, જેનધર્મ અને જૈન શાસનને યાદ કરનારી જગમાં વિદ્યમાન હશે? તેને ચકકસ જવાબ વિશિષ્ટ જ્ઞાનશક્તિ વિના આપણે તે નજ આપી શકીએ. માત્ર એટલું જ એ ઉપરથી નકકી કરી લઈએ કે આપણી પછી પણ ભવિષ્યમાં આ વારસો ઓછાવત્તા રૂપમાં લાંબા વખત સુધી લંબાશે, એટલે તે ચેકકસ. ભગવાન મહાવીર પરમાત્માથી માંડીને છેવટમાં છેવટના જૈનધર્મના આરાધકે અને શાસનના આશ્રિતની વિપુલ સંખ્યાને ખ્યાલ કરીએ તે કંઈ પાર ન આવે. પરંતુ શાસનરૂપી વિશાળ ગગનમાં મુખ્ય મુખ્ય ધર્મારાધકે, તીર્થના પ્રભાવકે, પ્રચારકે, રક્ષક, વ્યવસ્થાપકે, યુગપ્રવર્તકે એવા અનેક સુરિઝવરે, આચાર્યપુંગવો, સાધુમહાત્માઓ, શ્રમણમહત્તરાઓ, વિદ્વાન તથા ધનાઢ્ય ગૃહસ્થશેખરે, અને નારીદેવીઓ રૂપી સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર, તારા, રત્ન, અને ખદ્યોત વિગેરેના પ્રકાશની જેમ યથાસંભવ ચળકયા છે, તે આપણે ઈતિહાસ પરથી જાણીએ છીએ, ચળકે છે, તે આપણા જીવનમાં જોઈ શકીએ છીએ, અને ભાવિકાળે કઈને કઈ ચળકતા રહેશે તેના માત્ર અનુમાનને શાસપ્રમાણથી પુષ્ટ કરી શકીએ છીએ. યદ્યપિ એક વખતની સામાન્ય વ્યક્તિઓમાં પણ જે સામર્થ્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #13 -------------------------------------------------------------------------- ________________ ૧૧ હોય છે, તેવું જ માત્ર સામાણ્ય ધરાવતી વ્યક્તિઓ જુદા સંજે ગોમાં વિશિષ્ટ વ્યક્તિઓ ગણાય છે. એટલે કે જે સમયે જે જાતની પરિસ્થિતિ પસાર થતી હોય તે સમયે તે પારરિસ્થતિમાં કે પણ જાતની વિશિષ્ટતાને લીધે તરી આવતી વ્યક્તિઓ તે સમયે વિશિષ્ટ વ્યક્તિઓ છે. કારણ કે જે વખતે જે હેય તેનાથી જ વ્યવહાર ચલાવવો પડે છે, અને ઉપયોગ પણ તેને જ થઈ શકે છે. માટે તે પણ વિશિષ્ટ વ્યક્તિઓ જ છે, પછી ભલેને પૂર્વની સામાન્ય વ્યક્તિઓ કરતાં પણ કાં ઓછું સામર્થ્ય ન હોય? માત્ર તેઓની સાથે વ્યક્તિગત સરખામણી કરતી વખતે બન્નેને યથાયોગ્ય સ્થાન આપવું જોઈએ. આ રીતે ધર્મના આરાધકે, અને તીર્થના ઉપગ્રાહકોમાં શ્રીયુત વેણચંદભાઈનું યત્કિંચિત સ્થાન છે, એમ તે સર્વકઈ કબૂલ કરી ચૂક્યા છે. પરંતુ તે સ્થાન બરાબર ચેકકસ કેટલું છે? એ વિચારવાને ખરેખર અહીં પ્રસંગ છે, એટલે તે બાબત વિચાર કરવો જ જોઈએ, અને તે અતિ આવશ્યક છે. વેણચંદભાઈનું જીવનચરિત્ર લખવાને પણ આ એકજ ઉદ્દેશ છે. અન્યથા, વ્યર્થ પ્રયત્ન કરવાથી શું? કારણ કે જગતમાં જેમ અનેક પ્રાણીઓ પ્રતિક્ષણે જન્મે છે, તેમાં અનેક માનો પણ પ્રતિક્ષણે જન્મે છે. તેઓ બિચારા પિતાની પૂર્વે પ્રાપ્ત કરેલી સામગ્રી પ્રમાણે આ સંસાર રૂપી નાટકશાળામાં અનેક પ્રકારના વેષે ભજવે છે અને છેવટે અદશ્ય થાય છે. તે દરેકના દરેકે દરેક બનાની નેંધ કે લેવા બેસે છે? અને કેટલાકની લઇ પણ શકાય? અને તેથી ફાયદો યે શે? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #14 -------------------------------------------------------------------------- ________________ પરંતુ જેઓના જીવનમાં કોઈ પણ વિશિષ્ટતાઓ હોય છે તેઓની નોંધ લેવી જ જોઈએ. અને જે તેમને કરવામાં આવે તો જગત્ તેનું રાણી રહે છે. તથા, જેએને જીવન પ્રકાશ જેટલા પ્રમાણમાં ચમકતા હોય છે, અને જેટલા પ્રમાણમાં તે સજજનેના ચિત્તને આકર્ષી શકે છે, તેટલાજ પ્રમાણમાં તેની કીર્તિગાથા ઉચારીને જગત ત્રણમુક્ત થઈ શકે છે. અને તેમ થવું જ જોઈએ, એ સ્વાભાવિક છે. આવું કંઈક વેણચંદભાઈના જીવનમાં વાસ્તવિક રીતે છે, એમ જોઈ વિચારીને અમે તેમનું જીવનચરિત્ર લખવાને પ્રેરાયા છીએ. ૨. જૈનશાસનમાં સ્થાન વાસ્તવિક રીતે શ્રીયુત વેણચંદભાઈનું સ્થાન શાસનધુરાના વર્તમાન વાહકના બીજા વર્ગમાં પહેલે નંબરે છે. કારણકે–પહેલાં વર્ગમાં હું-શ્રમણ યા શ્રમણી રૂપે વિચરતા - વર્ગને મૂકું છું. તે વર્ગમાં છેલ્લે નંબરે પણ વેણચંદભાઈને સ્થાન નથી, એમ ચકકસ કહું છું. બન્ને પ્રકારને શ્રમણવર્ગ પહેલા વર્ગમાં એટલાજ માટે છે કે–શાસનની ધુરા વહન કરવામાં એ વર્ગનું અનન્ય સ્થાન છે. તેઓ આત્મકલ્યાણ સાધે છે. ઉપરાંત, ભગવાનના શાસનના પ્રવનમાં પણ તેમને હજુ તે અસાધારણ ફાળે છે જ છે. તે વર્ગમાં કેટલીક વ્યકિતએ, ઉંચા ખાનદાન કુટુંબમાંથી બહાર નીકળી આવેલી છે, ત્યારે કેટલીક વ્યક્તિઓને સુવાસ પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #15 -------------------------------------------------------------------------- ________________ પ્રસરે છે, કેટલીક વ્યક્તિઓ પરિણામદશ બુદ્ધિ માટે પંકાય છે, ત્યારે કેટલીક વ્યક્તિઓ વિદ્વત્તાને લીધે જાહેર છે. અને કેટલીક વ્યક્તિઓ ઉત્તમ ચારિત્ર અને ગુણેને લીધે, તે કેટલીક વ્યક્તિઓ તપ અને શાસનરાગને લીધે પ્રસિદ્ધ છે. આ રીતે આ વર્ગ સારી રીતે પ્રતિષ્ઠિત છે. આ વર્ગ ચારિત્રધર્મનું આરાધન કરે છે; ઉપરાંત, શાસનની સેવામાં અને શાસનના પ્રવર્તનમાં પણ સીધી કે આડકતરો અનન્ય ફાળો આપે છે. દરેક વ્યક્તિને સમાજમાં રહી, સમાજ ભેગવતી સર્વ સામગ્રીને ઉપગ કરવાને હક્ક છે. ખાનપાન, મોજશેખ, ધોજગાર, મકાન-જાગીર, દર-દાગીના, કુટુંબ પરિવાર વિગેરેમાં તેને હક્ક છે. ભાગે પડતું તે તે મેળવી શકે, અને જે વિશેષ પુરુષાર્થ કરે તે વધારે પણ મેળવે. તેમાં કઈ રોકાવટ ન કરી શકે. છતાં તે બધી સામગ્રીઓને ત્યાગ કરી, માત્ર સંક્ષિપ્ત જીવનવ્યવહાર અને તે પણ સંયમ પૂર્વક ચલાવવાનું સ્વીકારી લેવું, એ જેવી તેવી સેવા નથી. માટે જ તે વર્ગ પૂજ્ય છે. અલબત્ત જે આ મુનિજીવન ઘણું જ સરળ અને દરેકને સુગ્રાહા હેતે, તે પછી જગતમાં તેની આટલી જ નાની સંખ્યા ન હોતે. ગમે તે ઉદ્દેશથી પણ તે જાતના મુનિજીવનમાં પ્રવેશ કરતી વ્યક્તિ કંઈક તે દુષ્કર જરૂર કરે જ છે, એ નિ:સંશય લાગ્યા વિના રહેતું નથી. તેથી જ શાસનની તમામ જવાબદારી આજ સુધી આ વર્ગ ઉપાડતે આવ્યું છે અને તે વર્ગની દેરવાણી પ્રમાણે આ સંઘ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #16 -------------------------------------------------------------------------- ________________ ૨૪ આજ સુધી ચાલતે આવ્યો છે. આજે પણ તે વર્ગનું જેવું તેવું સ્થાન નથી, પણ અનન્ય સ્થાન છે. છેલ્લા પચ્ચીસ પચ્ચાસ વર્ષમાં ચાલેથી કોઈ પણ પ્રવૃત્તિની પાછળ પણ આપણને સુનિવર્ગને હાથ જણાશે જ. તેની સીધી કે આડકતરી સમ્મતિ વિના, તેના પૃષ્ઠબળ વિના આપણે ત્યાં કઈ પણું કામ ઉપાડવું લગભગ અશક્યવત્ જ જણાશે. તેના દાખલા અનેક છે. મહેસાણા પાઠશાળા, બનારસ પાઠશાળા, યશવિજય ગુરુકુળ, લલ્લુરાઈજી બૅડીંગ, મહાવીર વિદ્યાલય, દેવચંદલાલભાઈ પુસ્તકેદ્ધાર ફંડ, આગોદય સમીતિ, જેનવિદ્યાભવન, પાટણ જૈન બેડીંગ, બીજાં પણ પુસ્તક પ્રસિદ્ધિ ખાતાં, સ્કુલ, દવાખાનાઓ, પંજાબ ગુરુકુળ, વરકાણ વિદ્યાલય, તીર્થોના કેસે પ્રસંગે બારીક મુદ્દાઓ પુરા પાડવા, તીર્થોને મુશ્કેલીમાંથી બચાવવા પ્રયત્ન કરવા, દુકાળ મદદમાં પ્રેરણા, જીર્ણોદ્ધાર વિગેરે વિગેરે અનેક દાખલા આપી શકાય. ઉપરાંત, વિહાર દરમ્યાન સ્થાનિક સંઘમાં હમેશાં ધાર્મિક વાતાવરણ ચાલુ રહે છે. અસ્તવ્યસ્ત મંદિરે કે ઉપાશ્રયેની વ્યવસ્થા શરૂ થાય છે. પઠન પાઠન શરૂ થાય છે. મુશ્કેલીને પ્રસંગે સલાહ મળે છે. એક ઠેકાણે જરૂર પુરતાં નાણું બીજે સ્થળેથી આવી શકે છે. એમ એકંદર ધર્મસંસ્થાનાં તમામ અંગે આ વર્ગને લીધે હંમેશા કંઈને કંઈ પ્રવૃત્તિમય રહે છે, અને તેથી પ્રજાને આડકતરી રીતે ધર્મનું જ્ઞાન-વિજ્ઞાન મળ્યા કરે છે. ધાર્મિક કેળવણ મળે છે. જેની કિંમત અસાધારણ છે. આપણે પાઠ્ય પુસ્તકમાં મુનિને ફેટે આપી મુનિ વિષે બાળકોને ઓળખાણ આપીએ, એ શાબ્દિક જ્ઞાન થયું. પરંતુ વિહાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #17 -------------------------------------------------------------------------- ________________ કરતાં કરતાં મુનિઓ ગામમાં જઈ ચડે, લેકે જાહેર રીતે વાજતે ગાજતે સામે આવે. એ એક પ્રવૃત્તિ શરૂ થતાં બાળકે, સ્ત્રીઓ સે તેને પ્રત્યક્ષ જોઈને પ્રેકટિકલ પદાર્થ પાઠ શીખે, તેટલું પાઠય પુસ્તકથી ન શીખવી શકાય. હંમેશના વ્યાખ્યાનમાં કંઈને કંઈ કઈને બેધ મળે જ. બહુ જુજ સંખ્યાને મળે, એમ એક વખત સ્વીકારી લઈએ તે પણ શું? સસ્તી વાંચનમાળાને બદલે આ મફત વાંચનમાળા મળી જાય છે. વાંચન કરતાં પણ જ્યારે સુંદર રીતે કહેવામાં-ઉપદેશવામાં આવે, ત્યારે તેની અસર વધારે પડે એ સ્વાભાવિક છે. છેવટ નવું કંઈ ન થાય, પરંતુ મુનિની હાજરીથી હાય તેમાંથી ઓછાશ ન થવા પામે, એટલું સામાન્ય ફળ તે થાય જ. • સિવાય, મંદિરનું વાતાવરણ જામે. તેથી પણ બાળકે વિગેરેને આડકતરી રીતે જ્ઞાન મળ્યા જ કરે છે. આપણે પાઠમાં શીખવીએ કે-“બાપા આ શું!”—“ એ ઘંટ છે.” આ આરતિ છે,” વિગેરે વિગેરે. પરંતુ એક અઠ્ઠાઈ મહોત્સવ શરૂ થાય, નગારાં અને ત્રાંસા વાગે, એટલે બાળકે એકઠાં થઈ જાય. સહેજે આનંદથી નાચવા લાગે. પૂજા ભણાય, સંગીત સાંભળે, સાચાખેટા કાંસી જેડા વગાડે, આરતિ ઉતારવા લલચાય, ઘંટ વગાડીને તો કાન જ ફેડી નાંખે. આ આખા પ્રોગ્રામ વખતે તેમને જે કેળવણી મળી જાય છે, તે બીજી કોઈ પણ રીતે નજ આપી શકાય. મોટી ઉમ્મરના માણસને પણ તેમાં તલ્લીનતા થાય છે અને ઘણી રીતે સંસ્કાર પડે છે. સ્ત્રીઓને પણ આનંદનું એિક અઠવાડીઉં ઉપસ્થિત થાય છે. ઘર આંગણે કે પિતાની મર્યાદામાં રહી શકાય તે રીતે ગાવું, રાસ લેવા, ધર્મકરણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #18 -------------------------------------------------------------------------- ________________ કરવી, હળવું-મળવું, કેટલીક આરંભિક પ્રવૃત્તિઓમાંથી રાહત મળવી વિગેરે કેટલાયે લાભ તેમાં સમાયેલા જણાય છે. આ બધું શિક્ષણ આપવા માટે આજ સુધીમાં કોઈ પણ જાતની સંસ્થાએ નહીં છતાં થોડેઘણે અંશે આ પ્રવૃત્તિઓ વિષે પ્રજામાં સજ્ઞાનતા જોવામાં આવે છે, તે આ રીતે મંદિર અને ઉપાશ્રયની સંસ્થાઓદ્વારા પ્રજાને જ્ઞાન મળતું રહે છે તેથી જ આ પ્રવૃ. ત્તિઓ હજુ જેવી ને તેવી પ્રવર્તતી જ રહે છે. ઉદ્યાપનમાં મંદિર અને મુનિનાં જે જે ઉપકરણનું પ્રદર્શન થાય છે, તેમાં પ્રભુપ્રતિમા તે કેન્દ્રિત હોય જ છે, એટલે તેમના દર્શન સાથે હજાર માણસ સાથે સાથે તે ચીજોનાં દર્શન કરે છે. એટલી બધી સંખ્યાને એ બધી ચીજોનું એકી સાથે જ્ઞાન આપવા માટે આપણે બીજું કયું સાધન રજુ કરીશું ? ત્યારે કહેવું જ પડશે કે આ રીતે ઉદ્યાપનની ચેજના તે બહુ જ દીર્ઘ દષ્ટિ ભરેલી છે. એ બધાં સાધને પ્રત્યક્ષ જ્ઞાન આપે છે ઉપરાંત રહસ્યાત્મક જ્ઞાન મેળવવા માટે હંમેશ વ્યાખ્યાન ચાલુ જ છે. પ્રશ્નો પૂછીને પણ ખપી વ્યક્તિઓ તે તે રહસ્યાર્થ સમજી શકે. આ રીતે આ બધી જાતની ધાર્મિકરચનામાં આ વર્ગને અસાધારણ સીધે યા આડકતરે ફાળે છે, એમ કબૂલ કરવું જ પડશે . કાળ, વ્યક્તિ અને સ્થાનના દોને આગળ કરીને કેટલાક ભાઈઓ આખી પ્રવૃત્તિઓને દૂષિત ગણું કાઢી નાંખવાનું કહે તે ત્યાં એજ જવાબ છે કે દૂષિત ભાગ શુદ્ધ કર વ્યાજબી છે, પરંતુ અદ્દષિત અને એકંદર હિતપ્રવૃત્તિઓની સામે આંગળી પણ ન ચીંધી શકાય. તેમ કરવામાં પ્રજાનું અકલ્યાણ છે. તથા પરિસ્થિતિ વિશેષમાં લાભ વધારે સમજીને દૂષિત પ્રવૃત્તિને પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૭ નભાવી લેવી પડે છે. રાળીનું ઓપરેશન કરાવવા જતાં અંદગી ઈ બેસવાને પ્રસંગ આવે તેમ હોય, તે તેને નભાવી લેવી, એ જ ફરજ થઈ પડે છે. આ સિવાય કેટલીક ચારિત્રવાન વ્યક્તિઓ પાસેથી કેટલાક ચારિત્ર શીખે છે. કેટલાક અભ્યાસ કરી બુદ્ધિની કટી કરી શકે છે. વ્યાખ્યાન વિગેરે પ્રસંગે કંઈ કંઈ સ્થાનિક કામ, * વ્રત, પ્રત્યાખ્યાન, તપ, વિગેરે ચાલુ જ હોય છે. પર્યુષણાનું જાહેર વાતાવરણ મુનિ વિના ફીકું જ લાગે. છેવટે તે દિવસે માં પણ પ્રજાને કંઈક ને કંઈક ધાર્મિક બોધ, વિજ્ઞાન અને બીજા પણ અનેક લાભને સંભવ ગણે શકાય. આ રીતે શ્રી સંઘને આ વર્ગની અનેક મદદ છે, અને શાસન પ્રવર્તે છે. કોઈ કહેશે કેશાસન પ્રત્યે તેમાં શું આવી ગયું ? તેના જવાબમાં જે વ્યક્તિએને પ્રભુના શાસનની ગણના નથી, તેને માટે આ લખાણજ નથી. તેને માટે આ જવાબ જ નથી. તેને માટે જુદા જ જવાબો છે. અથવા તેમની સાથે સવાલ જવાબથી શું? કઈ કહેશે કે પૂર્વ કાળમાં હતું તેમ તે નથી ને? તેને જવાબ આગળ અપાઈ ગયે છે. અથવા જે વખતે જે જાતના દેશકાળની પરિસ્થિતિ હોય તે પ્રમાણે જ તેની કિંમતની આંકણી થઈ શકે. બધું ચે ધાર્યું પાર પડતું જ નથી, માટે જે વખતે જે હોય, તેથી સંતોષ પામે જોઈએ. તે પણ, ગુણશાળી અને શક્તિશાળી વ્યક્તિઓને માટે તમે જેમ કહેશે, તેમ કદાચ અમે કબૂલ કરી લઈશું કે- જરૂર શાસનના તંત્રવહનમાં તેમને કંઈ ને કંઈક ફાળો છે જ, પરંતુ જેઓ માત્ર મુનિવેષ જ ધરાવે છે, તેમને માટે પણ તમે આટલે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #20 -------------------------------------------------------------------------- ________________ બધે ભાર મૂકે, તે શી રીતે યોગ્ય છે? તે નથી સમજાતું. માત્ર મુનિવેષ જ હેય, કોઈ પણ જાતની શક્તિ કે ગુણ ન જેવામાં આવતાં હોય, તેમની પાસેથી કશું નવું શીખવાનું કે જાણવાનું ન હોય, તેમને માટે શું? આ પ્રશ્ન આજકાલ ઘણા ભાઈઓ કરી રહ્યા છે, અને તેથી તેના જેને જેમ ફાવે તેમ મનમાન્યા સમાધાન પણ કરી લે છે પણ તે બરાબર નથી. જેનશાસન-તંત્ર તે શું, પરંતુ કેઈ પણ જાતના શાસનતંત્રનાં તરનું જ્ઞાન હોય, તેને આ પ્રશ્નને થાય જ નહીં. તે પણ તેને યથાયોગ્ય ઉત્તર આપવા અહીં પ્રયત્ન કરીશું. આ પ્રશ્નની ચર્ચા કરવાની સગવડ ખાતર આપણે મુનિવર્ગના અહીં ત્રણ વર્ગ પાડીશું. પહેલા વર્ગમાં-દર્શન કે જ્ઞાન કે ચારિત્રથી, અથવા દર્શન જ્ઞાન અને ચારિત્રથો, કે તેને અનુસરતા બીજા ગુણે અને સામર્થ્યથી એમ ઓછેવત્તે અંશે વિશિષ્ટ વ્યક્તિઓને મૂકીશું, જેને માટે તે અહીં ચર્ચાને અવકાશ જ નથી. બીજા વર્ગમાં-કશી પણ વિશિષ્ટતા ન ધરાવનાર મુનિવેષ ધારણ કરનાર સશુરુ-પરતંત્રને મૂકીશું. અને ત્રીજા વર્ગમાં– મુનિવેષ તે ધારણ કર્યો હોય, પરંતુ કેઈ પણ જાતની ગ્યતા ન ધરાવતા હોય, એટલું જ નહીં, પણ કેટલીક કેટલીક બાબતમાં અયોગ્ય વર્તન હેય, તેને ત્રીજા વર્ગમાં ગણીશું. આ છેલ્લા બન્ને વર્ગોને લગતી ચર્ચા કરવાને અહીં અવકાશ છે. જેનું અયોગ્ય વર્તન ન હોય, એવા માત્ર મુનિ વેષ ધારી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #21 -------------------------------------------------------------------------- ________________ બીજા વર્ગમાં ગણવામાં આવેલા મુનિવર્ગ માટે તે કહેવું જ પડશે કે–તેમને વેષ માત્ર પણ વંદનીય જ છે, અને ગૃહસ્થાએ તેમના વેષનું પણ જરાયે અપમાન ન થાય તે રીતે વર્તવું જોઈએ. કારણ કે તેમને વેષ જ જૈન શાસનની સેવામાં જરૂર કંઈને કંઈ–અ૯પમાં અલ્પ પણ ફાળો આપે છે. તેથી જૈન શાસનનું હિત ઈચ્છનારા તેને કલ્યાણપ્રદ માનનારા, સમ્યમ્ દર્શની ગૃહસ્થોની ફરજ છે કે જ્યાં યત્કિંચિત્ પણ શાસનને પોષક અનુકૂળ તત્વ હોય, તેને સર્વદા માન્ય જ ગણવું બીજું કશુંયે નહીં તો-કેઈ પણ અજાણ્યા પ્રદેશમાં તે મુનિ જઈ ચડે, તે વખતે ત્યાંના માણસે જ્યારે ખરી ઓળખ કરવા માંડે, ત્યારે પૂછપરછ કરતાં કે બીજી રીતે એ નિર્ણય ઉપર આવે કે “આ જૈન સાધુ છે.” અર્થાત જૈન ધર્મ અને શાસનના પ્રચારક વર્ગમાંના એક છે. આ નિર્ણય ઉપર તે લેકેને લાવનાર મુનિવેષજ થાય છે. અર્થાત અજાણ્યા પ્રદેશમાં પણ વેષ જૈનત્વને ઉધક થાય છે. તેટલા પુરતી પણ અલ્પમાં અલપ તેની સેવા છે. જેમ લેકો ચાંદ ઉપરથી, પટ્ટા ઉપરથી કે બીજા એવા કેઈ પણ ચિહ્ન ઉપરથી રાજા, રાજકર્મચારી, અમલદાર કે સ્ટેશનમાસ્તર તરીકે ઓળખી કાઢે છે, ત્યારે તેઓએ ધારણ કહેલ તે તે ચાંદ, પટ્ટો કે, ટેપી ઉપરની પટ્ટી તે તે તંત્રનું પોષક તત્વ બને છે. એટલે તે તે તંત્રને માન આપનાર વર્ગ માટે તે તે નિશાનીઓ ધારક વ્યક્તિઓ માન્ય બને છે. તે રીતે અહીં વેષ, એ જેમ દર્શન, જ્ઞાન અને ચારિત્રના આરાધનમાં મદદગાર થાય છે, ઉપરાંત, એ બધાને એકંદર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #22 -------------------------------------------------------------------------- ________________ સમૂહ “આ જૈન મુનિ છે,” એવો બોધ પણ કરાવે છે. માટે જૈનત્વને ઓળખાવનારું એક ચિહ્ન પણ શાસનતંત્રનું એક અંગ થઈ જાય છે. માટે જૈન શાસનને પૂજ્ય માનનારાને તે પણ પૂજ્ય થઈ પડે છે. આ તાત્પર્ય છે. અલબત્ત, જેમને કોઈ પણ જાતને લાભ મેળવવો છે, કંઈ પણ આત્મકલ્યાણ સાધવું છે, કંઈ પણ જાતનું જ્ઞાન મેળવવું છે, કેઈ પણ જાતને સાધ શીખે છે, તેમને તેવા મુનિ તરફથી કદાચ મદદ ન મળે તો ભલે તે માણસ તેને પોતાના અંગતવ્યક્તિગત પ્રગતિ કરાવનાર ગુરુ તરીકે ન માને એ સમજી શકાય તેવી બાબત છે. પરંતુ શાસનનું ચિહ્ન આખી જીંદગી ધારણ કરી પ્રથમ વર્ગના અધિકારીઓમાં પછી ભલેને છેલ્લામાં છેલ્લા નંબરમાં હેય,પણ હોવાથી અને ગૃહસ્થા બીજા વર્ગમાં હેવાથી, સામાન્ય રીતે પિતાના કરતાં ગુરુ પદ ધારક છે. માટે તેટલા પુરતા ગુરુ માનવાની કોઈ પણ શાસનપરતંત્ર ભક્ત ના પાડી શકે જ નહીં. અહીં એ પણ ખુલાસો કરી દેવું જોઈએ કે કઈ પણ વ્યક્તિને કેઈ ગૃહસ્થ તરફથી કેઈ અન્ય દર્શનીય વ્યકિત કે એક બાળક તફરથી પણ લાભ થયો હોય, તે તેને તેટલા લાભ પુરતે તે વ્યક્તિ પિતાને હિતસ્વી, પ્રગતિકારક, કે ગુરુ માને તેમાં કઈને વિરોધ જ ન હોઈ શકે. પરંતુ એટલા ઉપરથી જેમના તરફથી વ્યકિતને લાભ નથી થયે એવા મુનિ વેષ ધારીને સામાન્ય ગુરુ તરીકે માન આપવાની ફરજમાંથી તે છુટી ન જઈ શકે, એ યાદ રાખવું, એથી તો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #23 -------------------------------------------------------------------------- ________________ ૨૧ જેનાથી લાભ થયો હોય તેવા મુનિ વેષ ધારિ તરફ બમણું માન રાખવાનું પ્રાપ્ત થાય છે. | મુનિ વેષ ધારિ ઉપર સન્માનની વૃત્તિ રાખવાની જરૂર છે એટલું જ નહીં પરંતુ મુનિ તરીકેના તેના નિર્વાહ પુરતી નહીં કે તેના સ્વછંદને પોષકતમામ સામગ્રી પુરી પાડવાની જૈન સ્ત્રી કે પુરુષ વ્યકિતની ફરજ તે છેજ. છેવટે તે સામગ્રી પુરી પાડવામાં ફાળે પડતે જે ભાગ પોતાના ભાગમાં આવે તેટલે ભાગ આપવાની તે ફરજ છે જ. અને વિશિષ્ટ વ્યક્તિઓ માટે વિશિષ્ટ સામગ્રીઓ પુરી પાડવાની ફરજ છે, એટલું જ નહીં પણ તેમની દરેક પ્રવૃત્તિએમાં આપી શકાય તેટલી સહાનુભૂતિ આપવાની ફરજ છે. પિતાને અંગત લાભ મળતું હોય કે ન મળતો હોય, તેપણ તે ફરજમાંથી છુટી શકાતું નથી જ. અને જે અંગત લાભ થયો હેય, તે વધારે પડતી ભકિત, સન્માન કરવું કે નહીં એ વ્યતિની પિતાની મરજીની વાત છે, પરંતુ શાસનના વહીવટ તરફની એ ફરજ નથી. આ રીતે તમે માત્ર વેષ ધારિ મુનિઓને વધારે પડતું પક્ષ કરે છેએમાં તમને કશી અનુચિતતા નથી લાગતી? ના. ઉચિત સંજોગોમાં અને ઉચિત મર્યાદામાં બધું સુંદરજ હોય છે. જ્યાં જેમ ઘટે ત્યાં તેમ ન કરવામાં આવે-ન્યૂનાધિકતા કરી નાંખવામાં આવે, ત્યાંજ બધી ગડબડ અને અનુચિતતા ઉપસ્થિત થાય છે. અમે માત્ર શાસનતંત્રના એક અંગ તરીકે જ તે વર્ગને જેટલું સ્થાન હોવું જોઈએ, તેટલું જ સ્થાન આપવા માગીએ છીએ. અર્થાત્ જેટલું સ્થાન સિદ્ધ જ છે તેથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #24 -------------------------------------------------------------------------- ________________ २२ વધારે આપવામાં અમે અનુચિત કરીએ છીએ,અને તેટલુંચે માન ન આપવું એવા તમારા મત હોય તે તમે અનુચિત કરી છે. પહેલાં પણ ઉપર અમે લખી ગયા છીએ કે જગતના કાઇ પણ તંત્રમાં આજ વ્યવસ્થા હતી, છે, અને રહેવાની જ. માત્ર રસ્તા વચ્ચે મુંગા મુંગા ઉભા રહેલા પાલિસ જેમ રાજ્યત ત્રના કર્મચારી હાવાની ખાત્રી થાય છે. રસ્તા વચ્ચે ઉભા રહેલા ઇલેકટ્રિકના દીવાને પકડી રાખતા થાંભલા જેમ વીજળીના કારખાનાના વહીવટના અંશ છે. તેમજ માત્ર વેષધારિ મુનિ પણ જૈન શાસનના ધર્માધિકારીમાં છેલ્લા નખ૨ના પણ અધિકારના પદ પર છે. તેના અપલાપ કરવા એ સ વથા અશકય જ છે. ઠીક છે, એ કબૂલ કરી લેઇએ છીએ, પરંતુ તેમ કરવાથી ત્રીજા વર્ગના માત્ર વૈષધારી એવા અાગ્યનું પોષણ કરવામાં અવિવેક અને દોષ પાત્ર થવાય છે, એમ તમને નથી લાગતું તેવી વ્યક્તિએ વેષના પડદા પાછળ રહીને શાસનને નુકસાન કરતી હાય, તેનું પણ માનપૂર્વક પાણુ કરવાની સઘ ફરજ પાડે છે ના. અમે એમ કહેતાજ નથી, પરંતુ તેમાં નીચે પ્રમાણે વિવેક જાળવવાની આપણી ફરજ છે. વિવેક જાળવ્યા વિના તેઓની સામેના વિરાધથી પણ આપણે શાસનને તા નુકસાન જ કરી એસીએ. તે વિવેક આ પ્રમાણે વિચારવાના છે— આ ત્રીજા પ્રકારના વર્ગોમાં તેમના મુનિવેષ સામે તે કાંઇ વાંધેા રહેતાજ નથી. વાંધેા માત્ર તેમની અચેાગ્ય પ્રવૃત્તિ સામે છે. અહીં અયેાગ્ય પ્રવૃત્તિના પણ અર્થ નકકી કરવા જોઇએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #25 -------------------------------------------------------------------------- ________________ ૨૩ હાય. જેમાં મુનિના મૂળ ગુણ્ણાના ઘાત થતા હોય, અર્થાત્ સામાન્ય માનવની નીતિથીયે પતિતતા જોવામાં આવતી તેમાં પણ જો અમુક એક ખાસ ગુણુ હાય, કે જે ખધા દુષ્ણેાને ઢાંકી દેતા હાય, તોપણુ કદાચ ચલાવી શકાય. પરંતુ તેમાંનું કઈંચે ન હાય, તેા પછી ખાસ વિચાર કરવા જ પડે. પરંતુ ગુણવાન્ અને વેષવાન છતાં જો જૈન દર્શન વિરુદ્ધ વિચાર કે વાણી ને વત્ત ન હોય તે તેને સંગ વિનાવિચાયે ત્યાજ્ય જ છે. અને જે સમ્યક્ દન છતાં મુનિવેષ છેડ્યો હાય તા, તે ગૃહસ્થના વર્ગમાં જ આવી પડે છે, અને તેમાં જે પ્રમાણે ચાગ્યતા હાય તે પ્રમાણે ગૃહસ્થા, ગૃહસ્થા સામે યથાચેોગ્ય વર્તન રાખે તેજ યાગ્ય છે, પરંતુ જો તેમાં દનવિરુદ્ધતા જણાતી હાય, તેા તે વ્યક્તિ શાસનના સામાન્ય સભ્ય થવાને પણ લાયક રહી શતી નથી. પછી તેા માત્ર દનાંતરીય સાથે જે જાતના વ્યવહાર હાઇ શકે, તે જ વ્યવહાર તેની સાથે રાખવા ઉચિત છે. તેમાં પણુ દૃઢ દનાનુરાગી અને વિવેકી વ્યકિતના જ જરૂર પ્રસ ંગે જ સંસર્ગ સહી શકાય. આટલું વિચાર્યું પછી બહુ ઉંડે ઉતરી જોતાં આપણને એ તત્ત્વ હાથ લાગેછે કે “ દર્શાનાંતરમાં ધૃઢ શ્રદ્ધાળુ ગમે તેવી શ્રેષ્ટ વ્યકિત કરતાં જન દર્શાનાવિરેાધિ ગમે તેવી વ્યકિત જૈન દનીને મન વધારે પાત્ર છે. ” જૈન દર્શન તે જગના સાર જીવનનું નવનીત છે, એમ જેએને ખાત્રી થઇ છે, તેઓને આ વાકયમાં જા પણ પ્રશ્ન કરવાના અવકાશ જ નથી. સિવાય, બીજાના પ્રશ્નોના જવાબને અહી અવકાશ નથી, તેને જવાબ આપવાના પ્રકાર અને મુદૃા જુદા જ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #26 -------------------------------------------------------------------------- ________________ જ એ તો ઠીક, પરંતુ જૈન દર્શનના અવિધિ છતાં અગ્ય પ્રવૃત્તિવાળી સુનિલિંગધારી વ્યકિતઓને પણ બીજા નંબરની પેઠે શાસનના પહેલા વર્ગના કાર્યવાહકે અને શાસનપ્રવર્તકેમાં ગણવા કે કેમ? એ પ્રશ્નનો જવાબ સ્પષ્ટ કરે તે ઠીક. તેવાઓને એ સ્થાન ઉપર શા માટે રહેવા દેવા જોઈએ? તેના જવાબમાં, શાસ્ત્રમાં જણાવેલા પાર્થસ્થાદિક આ વર્ગમાં આવતા હોવા જોઈએ. તે પાશ્વસ્થાદિકને વેષ તે ગૃહસ્થને વંદનીય ફરમાવ્યાજ છે. પરંતુ જેઓની ગણના પ્રાર્થસ્થાદિક વર્ગમાં પણ ન થઈ શકતી હેય, અર્થાત્ નિતંવ [ આગમનીતિ અને તત્ત્વથી વિરુદ્ધ પ્રતિપાદક) અને વેષવિડંબક [ દર્શનાન્તરીમાં વેષની–જેનદર્શનની નિન્દા થાય, તેવું વર્તન કરનાર વ્યક્તિ ] ને નુકસાન કરતાં અટકાવવાની ફરજ પ્રત્યેક સભ્ય દર્શનીને છે જ, પરંતુ તેવાઓને દેશે આખી મુનિસંસ્થાને કે આખા મુનિવર્ગને ન નિંદી શકાય, ન તેની સામે થઈ શકાય. પરંતુ જે જે વ્યક્તિઓ છેલ્લામાં છેલ્લા નંબરમાં પણ ન આવી શકે તેવી હોય, તેઓને વ્યક્તિવાર એ પહેલા વર્ગમાંથી બીજા વર્ગમાં લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેમાં પણ એ યાદ રાખવું કે છેલ્લામાં છેલ્લી કેટીની–અલ્પમાં અ૫ રેગ્યતા મુનિવર્ગમાં રહેવાને જેમાં હોય, તેને પહેલા વર્ગમાં રહેવાને અધિકાર કેઈથી ખુંચવી શકાય તેમ નથી જ. ઠીક. ચાલ એમ. પરંતુ છેલ્લામાં છેલ્લી પણ એ વર્ગમાં રાખી શકવા જેવી યોગ્યતા ન હોય, તેને માટે શું? તેને જ જવાબ અમે માગીએ છીએ. ઉ૦-તેવી વ્યક્તિએ શેાધી કાઢીને તેને બીજા વર્ગમાં મૂકવા તમારાથી બને તેટલા પ્રયત્ન કરે પરંતુ તે પહેલાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #27 -------------------------------------------------------------------------- ________________ એક શાસનસેવકમાં સેવાની જે યોગ્યતા હેવી જોઈએ, તે પ્રથમ તમારે ધરાવવી પડશે. એટલે કે આવેશ,ઉતાવળ, કે ધાંધલિયાપણું ન હોવું જોઈએ. રાગદ્વેષ-વૃત્તિ જેમ બને તેમ ઓછામાં ઓછી, સામી વ્યકિતનું હિત કરવાની બુદ્ધિ,શાસનનું માત્ર અહિત અટકાવવાની શુદ્ધ કર્તવ્યબુદ્ધિ, જાગ્રત્ સ્થિતિ, શાંતિ અને વિવેક એ વિગેરે ગુણે હોવા જોઈએ. ઉપરાંત બીજાને શાસન કરવા માટે, આજેય વચન થઈ શકે તેવી યોગ્યતાવાળી વ્યકિતને જ છુટ આપી શકાય. તેને ક્રમ પણ નીચે પ્રમાણે પ્રથમ તે તેને સમજણ આપીને, રાગ બતાવીને ઠેકાણે પાડવાને પ્રયત્ન કરી જેવો જોઈએ. પછી જરા જનસમાજની દ્રષ્ટિમાં દે ઉઘાડા પડાવીને શરમાવવા પ્રયત્ન કરવો જોઈએ. તેમ છતાં કંઈ પરિણામ ન જણાય તે તેને વડિલે, લાગવગવાળા, ગુરુ, કે આચાર્યાદિકને મળીને તે પ્રયત્ન કરી જોઈએ. કારણ કેદરેક-જેને જેમ ફાવે તેમ, ફાવે તેને શાસન કરવા માંડે તે અવ્યવસ્થા વધી જાય. એ અવ્યવસ્થા કરતાં કઈ વખતે એવી વ્યક્તિઓ એકંદર શાસનને વધારે નુકસાન કરતી ન હોય, એવી સ્થિતિમાં તેને ચલાવી લેવી એ પણું કર્તવ્ય થઈ પડે છે. વ્યવસ્થા ખાતર જ ગુરુઓ, સંઘાડા વિગેરે ગોઠવણ છે. તેમાંથી તેઓ બાતલ કરી નાંખે, તે તેની તે તે વર્ગમાં ગણતરી જ ન રહે. એટલે અયોગ્યને શાસન કરવાને સૌથી પહેલું એ સંસ્થાના અધિકારીઓદ્વારાજ કામ લેવું જોઈએ. આ રીત તે સંસ્થા વ્યવસ્થિત હોય ત્યારે વાપરી શકાય તેવી (રીત) છે. કારણ કે પોલિસ અમલદારની ભૂલ કે બીજા કોઈ અમલદારની ભૂલ બદલ તે તે ખાતાના ઉપરી અધિકારી પાસે શાસન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #28 -------------------------------------------------------------------------- ________________ કરાવી શકાય છે. છેવટે ન્યાયાધીશ અને છેવટ રાજા સુધી અપીલ લઈ જવાય છે. વ્યવસ્થાની દષ્ટિથી આ ધરણે જેમ ત્યાં બરાબર જણાય છે, તેમ આ ધર્મ તંત્રમાં પણ એ રીત યથાયોગ્ય જ છે. તે પ્રમાણે ન વર્તવામાં આવે તે અવ્યવસ્થા અને અંધાધું. ધીજ પ્રવરી રહે. એ વાત તે બરાબર લાગે છે, પરંતુ આજે એમ પણ કયાં છે? આજે કણ કેનું સાભળે છે? કેને માથે મોડ છે? એ સ્થિતિમાં શું કરવું ? ' અરે ભાઈ! ઉતાવળા ન થાઓ. આવેશ અને અકળાવાથી કંઈ ન વળે. જે વખતે જે જાતના સંજોગો હોય, તેમાંથી જ યોગ્ય માર્ગ કાઢવે, એ તે તે વખતના લાયક વિચારક અને કાર્યવાહકેનું કર્તવ્ય છે. માટે આપણે જરાયે ગભરાવાની કે ઉતાવળા થવાની જરૂર નથી. જો કે કેટલાંક વર્ષો પહેલાં જેવું એક તંત્ર હતું તેવું એક તંત્ર હાલ નથી, એ વાત બરાબર છે, પરંતુ એટલા ઉપરથી સર્વત્ર અંધાધુધી જ ચાલે છે, કે કોઈને ભાવ પૂછતું નથી, શાસનના હિતને કોઈ વિચારજ નથી કરતું, એવું કાંઈ પણ નથી. એવી ઘણું વિશિષ્ટ વ્યકિતઓ છે કે જેમાંના ઘણું ઘણી રીતે છે, અને શાસનના હિતમાં બની શકે તેટલે હાદિક ફાળો આપે છે. પછી ભલે દરેકની દિશામાં જુદી જુદી હોય. તેવી કોઈ પણ વ્યક્તિ નથી, એમ કહેવામાં મહાન દેષ છે. ગર્ભિત રીતે અભિમાનને ધ્વનિ તેમાં જણાય છે-અને જેનસમાજમાંનાં સારાં તત્વો અને વ્યકિતઓ પ્રત્યે નિરર્થક અનાદર પ્રવત્ત છે. માટે એ વિચાર અવાસ્તવિક છે. અલબત્ત, તેઓના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #29 -------------------------------------------------------------------------- ________________ ૨૭ માર્ગમાં ઘણાં વિઘો હશે. કાર્યોમાં જોઈએ તેટલી ઉજ્વળતા નહીં હેય, એ બધું બનવા જોગ છે. વળી પરિસ્થિતિ અને દેશકાળને લીધે પ્રતિબંધક કારણે પણ ઘણું આડે નડતાં હોય, તેથી પણ કેટલીક અવ્યવસ્થા ચલાવી લેવી પડે. એ બધી અવ્યવસ્થા મૂળમાંથી જ ઉડી જાય અને બધું વ્યવસ્થિત ચાલે, તેમાંના પ્રતિબંધક કારણે દૂર થાય, એ સૌથી પહેલું કરવાનું કામ છે. તે છતાં આપણું ઉપરની ચર્ચાને તે આપોઆપ નિકાલ થઈ જ જવાને. મૂળને સિંચન કરવાથી આખા વૃક્ષમાં નવપલ્લવતા આવ્યા વિના રહે જ નહીં. છતાં કોઈક ભાગમાં ક્યાંક દૂષણ સ્વાભાવિક રીતે કાળદેષને લીધે રહી જાય, તે તે અનિવાર્ય છે, તેને આ જગતમાં કાંઈ ઉપાય જ નથી. ' અર્થાત્ જે દરેક વ્યક્તિ પિતાના હાથમાં બધી શાસનપ્રવૃત્તિ લઈ લે, અને યથેચ્છ વર્તવા માંડે તે આ રીતે દેષનું મૂળ ન શોધાય, અને અંધાધુંધી તથા વેરવૃત્તિના બીજે વધારે વવાઈ જાય. આખા તંત્રમાં અંધાધુંધી એવી પ્રવર્તે કે તે દૂર કરવાને પ્રસંગ આવતાં વર્ષોના વર્ષો વીતી જાય, તેથી જે નુકસાન થાય તેના હિસાબમાં કદાચ અયોગ્ય વ્યકિતઓથી થતું નુકસાન બહુ વધારે ન હોય, તે તે જ નભાવી લેવું વધારે સારું છે. અલબત્ત, આપણું આ આવી સ્થિતિ માટે જરૂર વિચાર કરે જોઈએ, અને પદ્ધતિસર, કમસર, શાતિપૂર્વક પ્રયત્ન પણ કરવા જોઇએ, એ પ્રત્યેક વ્યક્તિની ફરજ છે. આ તે તમે અમને જુદા જુદા વિચારે તરફ દેરી જાઓ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #30 -------------------------------------------------------------------------- ________________ છે! પણ સમાધાન આપીને કોઈ એક માર્ગ બતાવતા નથી. ઉલટી ગુંચવણ વધારતા જાઓ છે. ભલે તેમ માની લો. તે પણ શું? જે તમને શાસનને રાગ હોય, તે તમારે ક્યાં ગુંચવણ છે? તે સમજવી જોઈએ, તે ઉકેલવા પ્રયત્ન કરવામાં ફાળે આપ જોઈએ. તેમાં જેમ બને તેમ રસ લે જોઈએ, એ તમારી ફરજ થઈ પડે છે. . તેમાં યથાશકિત ભાગ લે, પણ તેની ઉપેક્ષા તો નજ કરી શકાય. એ બધું ઠીક પણ કરવું શું? કરવાનું એક જ કે જે ખાસ કરીને કંઈ મોટું નુકસાન ન જણાતું હોય, તે વિશિષ્ટ વિશિષ્ટ મુનિ મહારાજાઓની આગેવાની નીચે દરેક મુનિ મહારાજાએ એકત્ર થાય. અને દરેક બાબતેના તેડ કાઢી નવા નિયમ-શાસ્ત્ર, પરંપરા અને દેશકાળની વાસ્તવિક પરિસ્થિતિને સામે રાખીને, ભૂતકાળના ઇતિહાસના અનુસંધાન રૂપે, અને શાસનનું ભાવિ હિત ધ્યાનમાં રાખીને, જે નિયમો કરે તે આખા શાસનને નવું જીવન આપવા બરાબર થઈ પડશે. અને તેમાં તમારા બધા પ્રશ્નોને આપોઆપ નિકાલ થઈ જશે. વળી, અત્યારે તક પણ બરાબર તેમ કરવાને આવી ગઈ છે. આ કાર્યમાં દરેક વ્યકિતએ યથાશકિત ફાળો આપ એ આ સમયમાં જૈન સંઘની પ્રત્યેક વ્યકિતનું પ્રધાન કર્તવ્ય છે, એમ કુદરતી વાતાવરણ જ સૂચવતું હોય તેમ લાગે છે. એ પણ સાથે સાથે યાદ રાખજો કે એટલું કર્યું પણ નહીં ચાલે, પરંતુ તેમ કર્યા પછી આખા શાસનની કેન્દ્રભૂત આચાર્યસંસ્થા, કે જે તીર્થકરની પ્રતિનિધિ સંસ્થા છે, સકળ સંઘની નાયક અને શાસનની પ્રવર્તક કેન્દ્રભૂત સંસ્થા છે તેને સ્થાયિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #31 -------------------------------------------------------------------------- ________________ નિયત કરવી પડશે. કારણ કે કામચલાઉ પ્રમુખથી કોઈ પણ સંસ્થા લાંબા કાળ માટે સ્થાયિ થઈ શકતી નથી. પ્રમુખ તે તત્કાળ પુરતું જ કામ ચલાવી આપે છે, પણ આખી પ્રજાના દિલમાં હમેશા યાદ રહે તેવું એક સ્થાન નક્કી કરવું જોઈએ, એ કોઈ પણ તંત્રના સ્થાયિપણાને અનિવાર્ય સિદ્ધાંત છે. ભગવાન્ મહાવીર પ્રભુનું શાસન પણ એવું જ એક તંત્ર છે. તેમાં એ ગોઠવણ બરાબર કરવામાં આવી છે. જે હાલ ઝાંખી પડી છે, તેને તેજ કરવી જોઇશે જ. શાસન આગળ ઉપર ચાલવાનું છે અને ચલાવવાની આપણું ફરજ છે માટે જેમ બને તેમ સ્થાયિ યોજના કરી આપવી જોઈએ. વિશિષ્ટ વ્યકિતઓ ગમે તેટલી થાય, તેને લાભ લેવાનું ચૂકવું ન જોઈએ. પરંતુ જનસમાજમાં આદેયતા કેન્દ્રથી છુટેલા હુકમથી જેટલી થાય છે, તેટલી બીજાથી નથી થતી. વિશિષ્ટ વ્યકિત ન હોય, તે વખતે પણ એ સ્થાન નિયત કરેલા ધોરણથી વહીવટ ચલાવ્યે જાય તે પણ વાંધો નથી આવતે. માટે સુવ્યવસ્થા માટે આપણે તેવા સ્થાનની આવશ્યકતા સ્વીકારવી જ પડશે. પ્રજાતંત્ર તરીકે ગણાતા રાજ્યતંત્રમાં આપણે જોઈશું તો ગમે તેવી વિશિષ્ટ વ્યકિતઓના હાથમાં તે તે સમયમાં જનસમાજનું માનસ હય, અને વાતાવરણ ઉપર ગમે તેટલી તે વ્યકિતની અસર હોય, છતાં છેવટની સહી રાજાની થયા પછી જ તે છેવટ ની સહી ગણાય છે. ઈંગ્લાંડની પાર્લામેન્ટ પણ રાજપદ અને તેને લાયક વ્યકિત પસંદ કરવા માટે રાજકુટુંબ રાખેલું છે. તેમાં માત્ર ચાલી આવતી સ્થિત્તિ નભાવે છે, એમ ન સમજવું, પરંતુ તેમાં બંધારણનાં તના જ્ઞાનનું ઊંડું રહસ્ય સાબિત થાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #32 -------------------------------------------------------------------------- ________________ ૩૦ શ્રીમદ્ યશાવિજયજી ઉપાધ્યાય જેવી વિશિષ્ટ વ્યક્તિઓ પણ તેમને આધીન રહીને વત્ત વામાંજ વધારે ફાવી શકી હતા. કારણ કે જનસમાજ હમ્મેશ પ્રથમ કેન્દ્ર તરફ વળે છે. આ માનવસ્વભાવ છે, માટે કેન્દ્ર નકકી રાખવું જ જોઇએ. વારંવાર કેન્દ્ર ન મંદલાવવું જોઇએ. આટલી ડુઇ સુધી પ્રયત્ન કરવામાં આવશે ત્યારે વધારે સ્થાયિ લાભ શાસનને થશે, એ ખાત્રીથી માનવું. ખીજા ઉપાય નથી અથવા લાભપ્રદ નથી, અથવા અધુરા છે અથવા નુકસાનકારક છે. આ જ માત્ર સારાંશ છે. અરે ! આ તે। મહા મંથન છે. કાણુ એ અધું કરે ? કાને પડી છે? ના, ના. એમ છેક જ નથી. વખત આવ્યે થઇ પડશે.ઘણાએ કરનારા પડયા છે. શું તદૃન અસ્તજ થઈ ગયું છે, એમ માના છે ? એમ તા કદી મનેજ નહીં. હજી ઘણુ એજ-તેજ છે, એ વિશ્વાસ રાખા. અને ઘણા નીકળી પડશે. પણ મીજા નીકળે કે ન નીકળે એટલા માટે આપણી ફરજ નથી એમ નથી. આપણી યે અત્યારે પણ ફરજ છે જ છે, અને મંથન વિના કયાંયે ફળ દીઠું છે ? મંથન પ્રશ્નજીવનનું આવશ્યક અંગ છે, માટે મંથનથી ગભરાવું ન જોઈએ. જો તમને મંથનથી ગભરાટ છુટતા હાય, તા માત્ર નમામારાવળી ગણા અથવા ચૂપચાપ પ્રભુની સેવાપૂજા કે સામાચિકની આરાધના કરે, તા તેથી પણ કલ્યાણ થશે.આવા પ્રશ્નોમાં માથુ મારી તેની ચર્ચા કરવાનું જવા દો. પ્રસંગ આવ્યે યથાશક્તિ કરવામાં તે પાછા હુઠાય જ કેમ ? પરંતુ જાણવા જેવા પ્રશ્નો પૂછીએ તેમાં વાંધા શે ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #33 -------------------------------------------------------------------------- ________________ ૩૧ ના, ના, વધે તે નહીં, પરંતુ તેથી ખાસ બહુ ફાયદો પણ નહીં. અથવા ઠીક છે, આમ કરતાં કદાચ ફાયદાની નજીક પહોંચી શકીશું. પરંતુ હજુ અમારા પ્રશ્નને ખુલાસો બરાબર નથી થતું. એ તે જાણે અદ્ધર લટકતો હોય એમ લાગે છે. ત્યારે હવે તેને ચેકકસ ખુલાસે જ કરી દઉં—સાંભળો. ઉપર પ્રમાણે શાસનતંત્ર હાલ ચાલે છે તેના કરતાં બેરાબર વ્યવસ્થિત ન થાય, અને કઈ કઈને પૂછે નહીં એવી સ્થિતિ થઈ પડે, ત્યારે વિવેકી ગૃહસ્થ–વ્યક્તિ પણ અ૫માં અલ્પગ્યતા ન ધરાવનાર પાસેથી મુનિલિંગ, તેનું અને શાસનનું હિત હૈયે ધરીને છોડાવી શકે છે, પરંતુ તે અધિકાર જે બજાવે છે, તે આચાર્યપદના અધિકાર વતી બજાવે છે, નહીં કે સ્વતંત્ર રીતે. એમ ગર્ભિત રીતે સમજી લેવાનું હોય છે. અસ્તુ. આ રીતે હાલ પહેલા વર્ગના કાર્યવાહકના હાથમાં શાસનતંત્રને વહીવટ મુખ્ય પણે ચાલે છે. તથા તેમના અધિકારો તથા સત્તા કેટલા છે તે પણ બરાબર સમજ્યા હશો.અહીં શ્રેણિક રાજાએ દેવમાયાથી પતિત જણાતા મુનિ તથા પતિત સાથ્વી ને સત્કાર કરી સમજાવ્યાની કથા વિચારવી ઘટે છે. મુનિઓના અંદર અંદરના માનસત્કારના શા નિયમો છે? તે બાબતના શાસ્ત્રમાં વિગતવાર સૂમ નિયમે આપેલા છે. તે પ્રમાણે જોઇને તેઓ વર્તે. તેની ચર્ચાને અહીં સ્થાન નથી, તેમજ મુનિ અને ગૃહસ્થો વચ્ચેના સંબંધના પણ ઘણુ નિયમ છે, જે વિચારવાનું આ સ્થળ નથી. માત્ર આટલી આનુષંગિક ચર્ચા ઉપયોગી ધારી કરી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #34 -------------------------------------------------------------------------- ________________ વેણચંદભાઈ જેવાને પણ કઈ રીતે આ વર્ગમાં ન જ મૂકી શકાય, કારણ કે એ વર્ગ પોતાનો જનસમાજમાંનો હકક છેડીને ત્યાગદશા રાખી શાસનના મુખ્ય અંગ તરીકે ઉચ્ચ અધિકાર પદે છે. તે સ્થાન વેણીચંદભાઈને ન જ આપી શકાય. વેણીચંદભાઈ બીજા વર્ગમાં પહેલા નંબરના કાર્યવાહક છે, એ ચક્કસ જે કે બીજા વર્ગમાં પણ મુખ્ય કાર્યવાહકે તે આખા સંઘ ઉપર કાબુ રાખનારા દેરનારા,રાજા મહારાજાઓમાં લાગવગ ધરાવનારા પ્રસંગ આવ્યે ધનનો સારો વ્યય કરનારા, તીર્થો માટે મંથન કરનારા, સ્થાનિક સંઘને વહીવટ સંભાળનારા, દોરનારા, વિ. ચારકે, વિદ્વાને, ગ્રંથલેખકેઃ વિગેરે બીજા નંબરના કાર્યવાહકે છે. તેમાં પણ પ્રેમાભાઈ શેઠ જેવા, મનસુખભાઈ ભગુભાઈ વિગેરે વ્યક્તિઓ જેવા આગેવાને અસાધારણ કાર્યવાહક હતા. તેવા કાર્યવાહકે અત્યારે પણ એછેવત્તે અંશે શાસનના વહીવટમાં ભાગ ભજવી રહૃાા છે. એટલે કાર્યદ્રષ્ટિથી, કાર્યના મહત્ત્વ અને જવાબદારીની દષ્ટિથી તેઓમાંના ઘણાખરા વેણીચંદભાઈથી હડી જાય તેવા હોય છે, એટલે તેઓને નંબર વેણીચંદભાઈ કરતાં ઉચ્ચ ગશુ જોઈએ. પરંતુ વેણચંદભાઈને મેં પહેલા નંબરમાં ગણ્યા છે, તેનું કારણુ–માત્ર તેમને ત્યાગ, નિ:સ્વાર્થવૃત્તિ, સદા તત્પરતા અને આખી જીંદગીને ભેગ, તથા ધર્મપરાયણતા. આટલા તને ઉમેરો થવાથી સરવાળે વેણચંદભાઈ વધી જાય છે, એટલે તેમને પહેલે નંબર આપવો એ વધારે સમુચિત જણાય છે. અતિશયોક્તિ ન થઈ જવાની પુરેપુરી કાળજી રાખવા છતાં મારાથી તેમ કહ્યા વિના ચાલી શકતું નથી, છતાં કઈ બંધુ મને મારી ભૂલ સમજાવશે તે જરૂર મારો અભિપ્રાય ફેરવીશ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #35 -------------------------------------------------------------------------- ________________ ૩૩ ૩ સામસામું વિચાર-વાતાવરણ, આ રીતે વેણીચંદભાઈ બીજા વર્ગને કાર્યવાહકમાં પહેલે નંબરે છે, છતાં તેમના કાર્યો સામે બે પ્રકારના ટીકાકારેને મારે સત ચાલતા જ હતા અને તે સહેતુક જ હતા.તે બન્ને તરફના સપાટા વચ્ચે થઈને વેણચંદભાઈ અડગ-ચુસ્તતા,સહનશીલતા, શાંતિ અને કાર્યો પ્રત્યેની તીવ્ર લાગણીથી જ ટકી રહી શકતા, અને પિતાને માર્ગ પસાર કરતા હતા. તેમની સામે કેવી મુશ્કેલી હતી ? તેને વિચાર કરતાં. તેની સામે ટકાવ ઝીલવામાં વેણીચંદભાઈનું સામચ્ચે જણાઈ આવે છે. આ બન્ને જાતના સામસામા વિચારવાતાવરણ વચ્ચે આવવા છતાં વેણચંદભાઈ પિતાના નિશ્ચિત માર્ગે ચાલ્યા જતા હતા. તેમની સ્થિતિ ડામાડોળ થઈ જતી ન્હોતી. જેટલી બાબતમાં જે તરફ ઢળવાનું નિશ્ચિત હોય, તેટલી જ બાબતમાં તે તરફ ઢળતા હતા. વધારે પડતી મચક આપતા નહીં. જ્યાં જેમ પ્રવાહ વહેતો હોય તેમ તણાઈ જાય તેવા કેવળ તેઓ હેતા, એમ તે ઘણી વખત અનુભવ્યું છે. જ્યાં જે પ્રસંગ ત્યાં તેવી રીતે નિશ્ચયે ડગમગ્યા કરે, કઈ સ્થિરતાજ નહીં, અને જેમ વાગે તેમ લકી બજાવ્યે જાય, એવો તેમને સ્વભાવ હેતે. જે બાબતમાં પોતાનું ચાલે તેમ ન હોય, અથવા જે બાબત પિતાના અધિકાર, સમજણ અને વિચારથી પર હોય, તેમાં મૌન રહે, માથું મારેજ નહીં. આ તેમની ટેવથી તેઓ વધારે પ્રિય થઈ પડતા હતા. છતાં બન્ને તરફના વર્ગને સંપૂર્ણ સંતોષ તે ન જ આપી શકાય. કારણ કે બન્નેની દિશા સામસામી છે, એટલે સામસામી ખેંચતાણમાં ગમે તે એક તરફ વધારે પડતા ખેંચાઈને બનેને સંતોષ ન આપી શકાય.તેમજ મધ્યસ્થ રહીને પણ બનેને સંતોષ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #36 -------------------------------------------------------------------------- ________________ ૩૪ ન આપી શકાય. બન્નેને પહોંચી વળે તેવી અસાધારણ વ્યતિજ તેવા સતાષ આપી શકે. અથવા પરસ્પર વિરાધવાળી પરિસ્થિતિમાં કોઇપણ દુન્યવી વ્યકિત કાઈપણ સ ંજોગેાંમાં સંતાષ આપી શકે કે કેમ? એ શંકાસ્પદ છે. ઘડીભર આપણે વેણીચ ંદભાઈને અહીંજ તટસ્થપણે રહેવા દ, ખન્ને પક્ષેાના પ્રશ્ના વિષે ક ંઇક વિચાર કરીએ—— “ એક પક્ષ કહે છે કે-વેણીચંદભાઈ એ શું નવીન કર્યું ? તે તે કહી બતાવેા. સંઘમાં તમામ પ્રવૃતિએ ચાલતી હતી. શું પઠનપાઠન ન્હોતું ચાલતું, શું દહેરાં ઉપાશ્રયેા ન્હાતાં થતાં ? શું સાધુસાધ્વીની વૈયાવચ્ચ ન્હાતી થતી? શું ન્હાતું થતું? શું અધુ એ થતું હતું. “ ખરૂં. બધુંએ થતું હતું. પર ંતુ તેમાં વેણીચંદભાઇએ નવું શું કર્યું ? વેગ વધારે આપ્યા, વધારે સંગીનતા આણી અને બીજા કાર્ય વાઢુકાના ઉત્તરાધિકારી કાર્યવાહક તરીકે તૈયાર થઈ જો પેાતાને માથે ઉઠાવી લીધેા. એ જેવા તેવા પુરુષાર્થ નથી. ઘણાએ જન્મે છે, અને ઘણાયે મરે છે પરંતુ ફરજ સમજીને પેાતાના ઉપર કાર્ય ના ભાર ખેંચી લેનાર, વિલાજ હાય છે. એ વેણીચંદભાઇએ કર્યું છે. કાઇએ પ્રેરણા કરી નથી. કાઇએ દમાણુ કર્યું નથી. તે ન કરે તેા કાઇ ઠપકા માપવાનું ન્હાતું. પરંતુ પેાતાની ફરજ સમજ્યા અને બજાવી, એજ તેમની ખુબી છે.” ૮૬ એ વાત ઠીક છે. પરંતુ અમારા આશય જુદાજ છે. શાસ્ત્રમાં એક સ્થળે શ્રી હમ્ભિદ્ર સુરીશ્વર મહારાજે ક્યું છે કે:मूक्ष्मबुद्धया सदा ज्ञेयो, धर्मो धर्माभिर्नरैः । अन्यथा तद् बुद्धचैव तद् व्याधातः प्रसम्यते ॥१॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #37 -------------------------------------------------------------------------- ________________ ધર્માર્થિઓએ ફરજ પણ સૂક્ષ્મ બુદ્ધિપૂર્વક સમજીને જ અજાવવી જોઈએ, પરંતુ જો તેમ કરવામાં ન આવે તે ફરજ બજાવવા જતાં ઉલટી વિપરીત ફરજ બજાવાઈ જાય, તે ફરજને હાનિ પહોંચે, પરિણામે નુકશાન થાય.” આ રીતે વિચાર કરતાં જે જમાનામાં વેચંદભાઈ કાર્યકર્તા તરીકે બહાર પડ્યા તે જમાનાની હવામાં ઘણે અંશે વેણચંદભાઈ તણાઈ ગયા છે. અને તેથી કેટલીક રીતે બહુ દીર્ઘ દ્રષ્ટિ ન રાખતાં નુકશાન થયું છે, એમ અમારું કહેવું છે. જમાનાને અનુસર્યા તેમાં શું ભૂલ થઈ? શું દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને અનુસરવાનું શાસ્ત્રકારે નથી કહેતા? શું તે ચારમાંના કાળના સંજોગે પ્રમાણે અનુસરવામાં ભૂલ થાય ખરી કે?” શાસ્ત્રકારોએ જે બતાવ્યું છે, તેને આશય બરાબર સમજ્યા વિના તેને દુરુપયેગ કરતા ઘણું માલુમ પડે છે. તે પ્રમાણે તમે પણ કરવા ધારતા હે તેમ જણાય છે. ” શી રીતે દુરુપયોગ થાય છે? શાસ્ત્રકારોનું કહેવું એમ છે કે-મૂળમાં પરિવર્તન કર્યા વગર માત્ર બાહ્યા સ્વરૂપમાં જ અનુસરવાનું હોય છે. જે મૂળમાં પરિવર્તન કરીયે તો દ્રવ્યાદિને અનુસાર વર્તાને જે વસ્તુ બચાવવા માગીએ છીએ તેજ નાશ પામી જાય, તેમાં ફળ શું મેળવ્યું? વળી બહારનું પરિવર્તન પણ એવું હોવું જોઈએ કે જે મૂળમાં પરિવર્તન કરવા માટેનું પ્રાથમિક પગથિયું ન હોવું જોઈએ. માત્ર બાહ્ય પુરતું જ હોવું જોઈએ. નહીંતર એક પગથિયું ઉતરતાં ઠેઠ નીચે ઉતરી પડાય તેમ હોય તે તે પગથિયું પણ ન ઉતરતાં વિચારવું ઘટે. વળી દ્રવ્ય, ક્ષેત્ર કાળ અને ભાવની અસર જેટલા પ્રમાણમાં કુદરતી રીતે જ ફેરફાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #38 -------------------------------------------------------------------------- ________________ વાળી હેય, તેટલાજ પ્રમાણમાં કુદરતી રીતે જ મૂળમાં પણ ફેરફાર થાય તે રેકી ન શકાય. પરંતુ આ જમાનાની અસર એ કુદરતી અસર નથી. તે માનોએ ઉત્પન્ન કરેલી છે. તેમાં કુદરતી અંશ અમુક બે ચાર ટકા જ છે અને કૃત્રિમ અંશ, સ્વાર્થને અંશ વધારે ટકા છે. છતાં કૃત્રિમ અંશને લોકે સ્વાભાવિક કાળની અસર માની લઈ તે પ્રમાણે પરિવર્તન કરવા તૈયાર થાય છે, તે ભૂલ થાય છે અને તેનું પરિણામ બૂરું છે. એટલે કે હાલના જમાનાની અસર એ કુદરતી અસર નથી પણ કૃત્રિમ અસર છે છતાં તે કુદરતી છે, એમ મનાવવા પ્રયત્ન થાય છે. પણ વિવેકીએ તેમાંથી બચી જવું જોઈએ. કુદરતી અસરનું પરિણામ આટલું બધું મોટા પ્રમાણમાં ન હોય. તે તો ધીમે ધીમેજ અસર કરે. પરંતુ આ કૃત્રિમ પ્રયત્નનું પરિણામ એકદમ આવી ગયું છે, તે પણ તેની સાબિતી છે. બીજી પણ ઘણી સાબિતીઓ છે, પરંતુ અહીં તેને વિચાર નહીં કરીએ.” ઠીક છે, ગમે તેમ પણ સારાં કાર્યો કરવામાં તે વધેજ શો? અસર ગમે તે જાતની હેય?” “સારાં કામે કરવામાં કાંઈ વાંધો નથી, પરંતુ આપણે માનતા હોઈએ કે–આગળ વધીએ છીએ, પ્રગતિ કરીએ છીએ અને પરિણામ જોવા જઈએ તે પાછા ત્યાંના ત્યાં હાઈએ. અરે ત્યાંના ત્યાં હોઈએ ત્યાં સુધી પણ ઠીક, પરંતુ પાછળ હઠયા હોઈએ તે? માટે એ વ્યામોહમાંથી વિવેકીએ બચી જવું જોઈએ.” : - “તો શી રીતે પાછા હઠક્યા છીએ, તે તમે સમજાવશો?” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #39 -------------------------------------------------------------------------- ________________ ૩૭ તેમાં સમજાવવાનું શું હતું? પ્રત્યક્ષ જ છે ને? પ્રજાની સ્થિતિ જુઓ–તેનું શરીર બળ છેલ્લા પચાસ વર્ષમાં ઘટી ગયું, મેટા ભાગની આર્થિક વિષમતા વધી ગઈ, સ્થાનિક ધંધા તૂટી ગયા છે અને ધર્મભાવના, સંસ્કાર, વારસાની શ્રદ્ધા વિગેરેનું બળ એકંદર કમી થઈ ગયું છે. ખરૂં શૈર્ય કયાં છે? પ્રજાને મોટે ભાગે સ્વતંત્ર ધંધાને બદલે નેકરીના ધંધા ઉપર ચડી ગયો છે, ફડે ઉપર નભનારે થતું જાય છે. એક વેપારી ગમે તે તેલ–મરચાંને બંધ કરીને પેટ ભરે અને સાદામાં સાદી રીતે રહે ને મહિને રૂપિયા ૧૫ કમાય તેટલામાંજ મહા મુશ્કેલીએ ખર્ચ ચલાવે, તેના કરતાં કોઈ પણ ફંડમાંથી ૫૦) ને પગાર મેળવનાર વધારે પ્રજાજન છે, શ્રેષ્ઠ પ્રજાજન છે, એમ ન માનવું. પહેલો માણસ એક કલાક ધર્મ ધ્યાનમાં આપે તેને બદલે બીજે માણસ કલાકના કલાકે આપે, છતાં તેની ધર્મભાવનાનું બળ પહેલાં કરતાં વધી નહીં જઈ શકે. આ રીતે પ્રથમનાં તત્ત્વ પ્રજામાંથી ઘટતા જાય છે અને બીજી જાતનાં ત વધતા જાય છે. પ્રથમનાં તો જુનાં છે, માટે માન્ય છે, એમ ન સમજજે, પરંતુ તે સબળ અને કિંમતી છે, માટે તે માન્ય છે. એ તો ઠીક પણ તેમાં વેણચંદભાઈને શું વાંક? તેમણે તો એવા ફરતા સંજોગોમાં “લેકે ધર્મભાવનાથી વિમુખ ન થઈ જાય” એ શુભ હેતુ ધ્યાનમાં રાખીને જે જે પ્રવૃત્તિઓ કરી, તે બધીએ મને તો પ્રશસ્તજ જણાય છે. જે તેમણે મહેસાણા પાઠશાળા કાઢીને પઠન પાઠન શરૂ ન કર્યું હેત તે આટલે લાભ શી રીતે થાત? ઠામઠામ જૈનશાળાઓ ખેલાઈ રહી છે. લોકોને ધામક જ્ઞાન અપાઈ રહ્યું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #40 -------------------------------------------------------------------------- ________________ મંદિરના જીર્ણોદ્ધાર થયા. પુસ્તકો અને ગ્રંથે મોટા પ્રમાણમાં થઈ લોકોને લાભ આપવામાં આવ્યા, અને જ્ઞાન વધવા માંડયું.” “અલબત્ત જ્ઞાન એટલે જાણવાની જિજ્ઞાસા વધી, પરંતુ જ્ઞાનનું ફળ-વિરતિ તે કેટલું વધ્યું?” “અરે ! જુઓને-મુનિસંખ્યા જે ઓછી હતી, તે હમણું થોડા વર્ષોમાં વધીને મોટી થઈ છે.” વસ્તુત: મોટી સંખ્યા નથી. કારણ કે જે કાળે થોડા વખત પહેલાં મુનિસંખ્યા નાની હતી ત્યારે સાથે યતિઓની સંખ્યા મેટી હતી. અને આખા ભારતમાં દરેકે દરેક મુખ્ય મુખ્ય સ્થળે શાસનના અમલદાર તરીકે તેમની હાજરી હતી. જો કે કેટલાક ભાગમાં ચારિત્ર તથા જ્ઞાનની ન્યૂનતા છતાં દર્શનની બાબતમાં બહુ વધે હેતે. એ રીતે ગણતાં આખા દેશમાં જેનેના તમામ મથકમાં પહોચી વળવા અને ધાર્મિક વાતાવરણ ચાલુ રાખવા માટે બન્નેની મળીને સંખ્યા સારી હતી. આજે તે વર્ગ તો તદ્દન ઘટી જ ગમે છે. અને આ વર્ગ પણ તેની સંખ્યાને પહોંચી વળે તેટલે હજુ ઉત્પન્ન થઈ શક્યો નથી. અને તેથી પરિણામે આપણું સંઘનું સરેરાશ બળ કેટલું વધ્યું છે? તે તપાસવું જોઈએ. તેના ઉપર જ કેઈપણ પ્રવૃત્તિના ચેગ્યારોગ્યપણને આધાર છે. બહારથી ગમે તેટલી પ્રવૃત્તિ ઉત્તમ લાગતી હોય કે ગમે તેવી અધમ લાગતી હોય, પરંતુ પરિણામે બળપષક. હોય તે જ તે ઉત્તમ અને પરિણામે બળને હાસ કરનારી હોય તે તે ઉત્તમ ન સમજવી. આપણી સામે પરિણામ શું છે? પરિણામ બળના ઘટાડાનું છે. “ઘટાડો થતા જાય છે એમ સૌ પક્ષ કબૂલ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #41 -------------------------------------------------------------------------- ________________ કરે છે. તે ઘટાડે અટકાવવા હાલના જમાનાને અનુસરતા જે જે સાધનેનો ઉપગ લેવાય છે તે બધાં ઘટાડો વધારવામાં વધારે મદદગાર થાય છે, એમ અમે ચોકકસ સાબિતીપૂર્વક કહી શકીએ છીએ. કારણ કે પતનનાં કારણોમાંથી બચવા માટે તેની સામે આપણે જે સાધનોનો ઉપાય તરીકે ઉપયોગ કરીએ છીએ, તે સાધન પણ તેમાંથી જન્મેલાં છે, એટલે પાછાં તે પતનનાં કારણોને વધારે વેગ આપે છે, માટે તેની સામે વિરોધ છે. આ વાત વેણચંદભાઈ કેટલીક બાબતમાં સમજી નથી શક્યા, તેથી અમે એમ કહીએ છીએ. નુકશાનકારકને લાભનાં સમજી તેની પાછળ મચ્યા રહેવું, તેના કરતાં ચૂપચાપ હાથ જોડીને બેસી રહેવું સારૂં કે નહીં ? પૂર્વ તરફ જવું હોય, તેને બદલે પશ્ચિમ તરફ. દોડે, તેના કરતાં એક જ સ્થળે ઉભે રહેનાર છેઠ કે નહીં ? કારણ કે પછી પાછા વળવાનો ઉપાય જ ન હોય? મરવાની અણું ઉપર આવી રહેલા પિતાને મળવા નીકળેલા બે ભાઈઓમાંથી કલકત્તાની ગાડીમાં બેસવાને બદલે મદ્રાસની . ગાડીમાં બેસી જનાર કરતાં બીજા વખતની ગાડીની રાહ જોઈ ત્યાં જ ઉભે રહેલે ભાઈ વધારે રહેલે પહોંચે કે નહીં? માટે કઈ પણ નવી પ્રવૃત્તિ કરતાં પહેલાં ખામોશ રહેવાને અમે કહીએ છીએ.” “વેણચંદભાઈને માટે તમે આમ નહીં કહી શકે, કારણ કે બહારથી નવા જણાતા સાધનેને ઉપગ પણ તેમણે ધર્મના મૂલને સિંચન કરવામાં જ કર્યો છે. એ રીતે ઉપયોગ ધ્યાનમાં રાખીને જ તેમણે આવશ્યક નવાં સાધનો ઉપયોગ કર્યો છે. તેમને ખ્યાલ ધર્મ અને ધર્મજ્ઞાન વધારવાનું હતું, ધર્મ સ્થાનેને આકર્ષક બનાવવાનું હતું, અને તેમાં ચાલુ નવાં સાધનોથી જે કાંઈ થઈ શકે તે રીતે કરતા હતા. અર્થાત્ નવાં સાધનથી થઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #42 -------------------------------------------------------------------------- ________________ શકે તે રીતે પણ કાર્ય તે એજ કરતા હતા. નહીં કે નવા જમાનાનાં કાર્યો કરતા હતા, તેમણે સંસ્થા સ્થાપી, તે પણ ધાર્મિક જ્ઞાનને માટે. તેમાંથી તૈયાર થયેલા શિક્ષકે પણ ધાર્મિક શિક્ષણ માટે. પુસ્તકે પણ તેવાંજ-આઈડીંગ ગમે તેવું આ જમાનાનું હોય, પરંતુ અંદરની હકીક્ત વાંચે તે જૈન ધર્મને લગતી જ હેય. રીપેર્ટ છપાવે, કમિટી રચે પણ એ બધુ તપાસ તે અંદર હોય તેનું તે. બીજું કાંઈ ન મળે. ને તેમાં હટલની વાત હોય, ને તેમાં સીનેમાની વાત હાય, ન તેમાં અંગ્રેજી ભણવાની વાત હોય, ને તેમાં દેશની વાત કે સુધારાની વાત હોય. આટલી બધી સાવચેતી રાખવા છતાં તમે આ રીતે એવા પુરુષ ઉપર આક્ષેપ કરો તે અસહ્ય છે.” * “એ રીતે પક્ષપાતથી વાત ન કરવી જોઈએ. વેણચંદભાઈની અંગત બાબતમાં અમે ખાસ કરીને કાંઈ કહેવા નથી માગતા, પરંતુ એક તરફ શાસન, ધર્મ અને જનસમાજનું હિત અને બીજી તરફ વેચંદભાઈ હોય કે ગમે તેવી સમર્થ વ્યકિત હોય, પરંતુ તેનાં કાર્યની સમાલોચના કરતી વખતે જે રીતે હોય તે રીતે જ સમાલોચના કરવી જોઈએ. તેમાં અંગત ગુણે કે અંગત સંબંધ વચ્ચે ન લાવી શકાય. તેમ કરવા જતાં સત્ય છુપાઈ રહે અને પરિ. મે હાનિ થાય. માટે વ્યકિત તરીકે ગુણવાન વ્યક્તિનાયે કર્યો કાર્યની સમાલોચના–સમગ્રહિતની દષ્ટિથીજ થાય. તેમાં જરાયે મનદુઃખ ન કરવું જોઈએ. તેથી અમે કહીએ છીએ કે-ધર્મના લાભની દષ્ટિથી પણ એ સાધનેને અલ્પમાં અલ્પ ઉપગ પણ નુકશાન કરે છે. વેણીચંદભાઈ જેવાએ તદૃન પ્રાથમિક રૂપમાં શરૂઆત કરી એટલે તેઓ ખૂબ પૂર જેસમાં વધતા ગયા. અને હવે ઘણાયે એ સાધનેને એ રીતે ઉપયોગ કરે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #43 -------------------------------------------------------------------------- ________________ છે. વળી હવે તે જેટલા ટકા એ રીતે ઉપયોગ થાય છે, તેના કરતાં વધારે ટકા બીજી રીતે થઈ રહ્યો છે. તેથી સમગ્ર નુકશાન ઉધારે અને થોડો લાભ જમે કરે તે નુકશાન વધારે ઉધરશે. અલબત્ત વેણચંદભાઈએ અથવા તેમની પહેલાના કે તેમની સાથેના કાર્યવાહકોએ ઘણી જ પ્રાથમિક પહેલ કરી છે. પરંતુ તે વખતે તે પ્રાથમિકજ પહેલ થઈ શકે તેવી સ્થિતિ હતી. આજે તે તે ઘણું આગળ વધી ગઈ છે, આપણું ઘણું તને તોડી રહી છે. માટે એ સાધનોનો ઉપયોગ કરવાની જરૂર નહોતી. આ અમારો આદર્શ છે.” ઠીક, પણ તેથી ક્યા ક્યા નુકશાને થયા? તે જરા સમજો તે ઠીક, ગેળા ગેળ કહેવાથી શું સમજાય?” નુકશાને એટલા બધાં થયાં છે કે તે સમજાવવા મુશ્કેલ છે. કારણ કે તે સૂક્ષમ છે. નજરે ન ચડે તેવા છે અને સૂક્ષમ વિચારને અંતે સમજાય તેવાં છે, છતાં મોટાં વિપરીત પરિણામો ઉત્પન્ન કરે તેવાં છે. તે પણ સામાન્ય રીતે સમજાવશુંશાસનની સર્વ પ્રવૃત્તીઓ શું તે સાધનોના ઉપયોગ વિના અટકી પડી હતી? અને જો એમ શાસનની પ્રવૃત્તિઓ અટકી પડી ગયેલી માનીયે તે તે પહેલાં શાસન જોતું ચાલતું? એમ તે હોતું જ એટલે શાસન ચાલતું હતું અને તેને અંગે જરૂરની બધી પ્રવૃત્તિઓ પણ ચાલુ જ હતી. તે કદી અટકી ન્હોતી. સંઘમાં દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવની કુદરતી પરિસ્થિતિ જેવી હતી તેના પ્રમાણમાં સર્વ પ્રવૃત્તિઓ સંઘમાં ચાલતી હતી, તેમાં નવીનતા શી કરી? બધી પ્રવૃત્તિઓને સંસ્થાઓ અને ફંડના રૂપમાં ગોઠવવાથી થતાં નુકશાનને ખ્યાલ નથી કર્યો. કારણ કે ગામેગામ વ્યક્તિગત કે સંઘસમુદાય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #44 -------------------------------------------------------------------------- ________________ રૂપે થતાં કામને સંસ્થાના રૂપમાં ગોઠવવાથી સૈ પિતાપિતાની જવાબદારી ભૂલી જવા લાગ્યા. વ્યક્તિગત નાણાંને ફાળો આપ જોઈએ તેવી વ્યક્તિની ફરજને બદલે ધનિક ગૃહસ્થોએ આપેલા ફંડ ઉપરજ પ્રવૃત્તિઓ નભવાથી વ્યકિત ફરજમાંથી ચૂકવા માંડી છે. આમ થવાથી નુકશાન એ થયું કે-કાંઈ પણ શાસનને અંગે જરૂરિયાત ઉભી થાય એટલે ગૃહસ્થો પૈસા આપશે અને અમુક સંસ્થા એ કામ કરશે એવી પામરતા ઉત્પન્ન થતાં પરિણામે શાસનમાં બળની માત્રા ઘટી છતાં જોઈ ન શકાય એવી જાતની બ્રમણા ઉત્પન્ન થઈ, કે કામે સારાં ચાલે છે.” પૂર્વના વખતમાં શાસનનાં કામ કરવા માટે આજના જેવી સંસ્થાઓ હૈતી તેથી કામ અટક્યાં હતાં તેમ ન માનવું. અને આવી સંસ્થાઓ ન હોત તેપણ કામ અટકત એમ પણ ન માનવું. કામ કરવાની પદ્ધતિ બદલી છે. આ પદ્ધતિ શાસ્ત્રસિદ્ધ નથી તેમજ શાસ્ત્રસિદ્ધમાંથી ઉપજતા અવાંતર સિદ્ધાંતથી પણ ઉત્પન્ન નથી થઈ. માત્ર બહારની પદ્ધતિનું દેખાદેખીથી અનુકરણ છે. એ પદ્ધતિ નિરૂપગી થતાં પૂર્વની સબળ પદ્ધતિના નિયમ પ્રજા ભૂલી ગઈ હશે. તેમજ વારસામાં મળેલી તાલિમ અને અનાયાસે પ્રાપ્ત જના તથા વિજ્ઞાન પ્રજા ભૂલી ગઈ હશે. તેથી મુશ્કેલીને પ્રસંગે શાસન જોખમમાં આવી પડે. એટલે પૂર્વાચાર્યોએ વિહિત માળેથી ખસીને તાત્કાલીન લાભ તરફ દોરાઈને બીજો માર્ગ લેવાથી કોઈ વખતે ઉલટું ફસાઈ જવા જેવું થાય છે. કારણ કે મહાપુરુષોએ ઘણી જ દીર્ઘ દષ્ટિ વાપરીને યેજના ગઠવી હોય છે. આપણે કોઈ પણ માર્ગે ચાલતા હોઈએ અને બાજુમાં તેના કરતાં સરસ માર્ગ હોય છે. પણ, પાકી ખાત્રી કર્યા વિના ડાહ્યા માણસે માર્ગ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #45 -------------------------------------------------------------------------- ________________ ૪૩ બદલતા નથી. કારણ કે તેમ કરવાથી આગળ ઉપર અડચણ ઉભી થવાની હોય, અથવા ભૂલા પડવાનો સંભવ હોય, અથવા ખાડાખૈયા આવવાથી ગાડું ઉંધું પડે તેમ હોય, એ વિગેરે વિધ્રને સંભવ વિચારીને ચાલતે માર્ગે જ જવામાં ડહાપણ માને છે. અને તે જોઈએ તે વ્યવસ્થિત ન હોય છતાં એકંદર રીતે વધારે સલામત અને ઠેઠ પહોંચાડે તે હોય છે. અધવચ રખડાવે નહીં. તેથી પાક વિચાર કર્યા વિના છેડી શકાય નહીં. એ પાકે વિચાર કેણ કરે છે? એક પ્રવાહ ચા કે તેમાં આજકાલ સે ભળી જાય છે. આ રીતે વેણચંદભાઈ પણ થોડે ઘણે અંશે નથી ભળી ગયા એમ કોણ કહી શકશે ? જેમ જેમ પ્રજા પ્રત્યેક કાર્ય–પ્રત્યેક જરૂરિયાત માટે સં. સ્થાઓ ઉપર આધાર રાખતી થાય તેમ તેમ તેમાં અપંગતા, નિરાશતતા, અસ્વાશ્રયપણું, વિગેરે આવતું જાય, અને ધીમે ધીમે એક જાતને ગુપ્ત ઘસારો લાગે. જો કે એવાં સાધને વિના કષ્ટ જણાય, મુશ્કેલી માલુમ પડે, કાર્યો ધીમાં તથા ઝાંખાં લાગે, એ વાત ખરી છે. છતાં જે કાંઈ હોય, તે પ્રમાણસર, આવશ્યકતા પુરતાં, મર્યાદિત, તથા યથાશક્તિ જ હોય છે. અને જ્યારે સંસ્થાના રૂપમાં કાર્યો પરિત થાય છે, ત્યારે દેખાવ વધે છે અને અંદરખાને નિર્બળતા વધે છે. તે જોવામાં ન આવતાં એક જાતની ભ્રમણા અને ભુલાવ ઉત્પન્ન થાય છે. કારણ કે વાસ્તવિક શક્તિ ઉપર તેને આધાર નથી હોત. વળી સંસ્થાઓમાં પણ વિચાર કરીએ તે તેમાંયે ઘણું રૂપાન્તર જોવામાં આવે છે. પુસ્તકે જેમ જેમ વધારે પ્રમાણમાં છપાઈને મળતાં ગયાં તેમ તેમ જ્ઞાનની કિંમત ઘટતી ગઈ. અને તેનું પરિણામ એ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #46 -------------------------------------------------------------------------- ________________ આવ્યું કે પ્રજાનું વાસ્તવિક નૈતિક અને ચારિત્ર બળ ઘટયું. સ્વયં પૂજાભાક્ત કરવાની વૃત્તિ હઠી. નકરો જેમ જેમ મળવા લાગ્યા તેમ તેમ જાતે કરવાનું ભૂલી જવાયું. પ્રજામાં ફેલાયેલી ધંધાની મુશ્કેલીમાંથી ઉત્પન્ન થયેલી ધંધાની ખાતર ભણવાની વૃત્તિને શુદ્ધ જ્ઞાન પ્રાપ્ત કરવાની વૃત્તિ માની લેવાઈ અને હમેશ અસંતેષ રહ્યાજ કર્યો. ઉપાશ્રયના વાતાવરણમાં ઓટ થયે અને જૈનશાળાના વાતાવરણમાં ભરતી થઈ, અને તેની સાંકળ સામાન્ય શિક્ષણ સાથે હોવાથી ધર્મગુરુઓ સાથેના સંબંધમાં નવી પ્રજા ઓછી આવવા લાગી. તથા છપાયેલાં પુસ્તકની બહોળી સગવડ થવાથી તેઓ દ્વારા શીખવા સમજવાની જરૂરિયાત ઉડવા લાગી. એટલે ગુરૂ શિષ્ય વચ્ચે અંતર વધતું ગયું અને તે તરફની ભક્તિ પાતળી પડે. કમિટી વિગેરે ને ધોરણે હડતાં એક વ્યક્તિ ઉપર વિશ્વાસ ગર્ભિત રીતે નાકબૂલ ગ. ટ્રસ્ટડીડ વિગેરેની ઝંખનામાં આપણામાં વિશ્વાસલાયક કોઈ વ્યક્તિઓ નથી એવી ગતિ કબુલાત અજાણપણે સ્વીકારાય છે. શત્રુંજયના ચારે તને રફના રસ્તા મહત્તવના અને ચાલુ રાખવા જેવા હતા. તેને પ્રવાહ ચાલુ રહેવા દેવાની જરૂર હતી. પ્રજા તેને વ્યવહારમાં ન ભૂલે એ સાવચેતી રાખવાની હતી. તેને બદલે એક સ્ટેટને સમૃદ્ધ કરવાની નીતિ છતાં ખ્યાલમાં રાખ્યા વિના એકજ તરફ વલણ થઇ જવાથી, વખતેવખત મુશ્કેલીઓ ઉભી થવા લાગી છે. ઈત્યાદિ નાનાં મેટાં અનેક નુકશાને જણાય છે. “આ તમારી વાતે તદ્દન જુઠ્ઠી છે. કારણ કે તમે જે નુકશાને ગણાવો છો, તે છે કે નુકશાન નથી, પરંતુ બદલાયેલા સંજે ગેનું પરિણામ છે. અને બદલાયેલા સંજોગોને પરિણામે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #47 -------------------------------------------------------------------------- ________________ જે કાંઈ નુકશાન થવું જોઈએ તે ગમે તે રીતે તેજ તેને કે રોકી શકે તેમ હતું? અને જેમ જેમ બેપરવા વધતી ગઈ અને જરૂરિયાત ઉભી થતી ગઈ તેમ તેમ જે રીતે ઠીક થાય તે રીતે સંસ્થાઓ સ્થાપીને અને ફંકે કરીને કાર્યો કર્યા તેમાં ખોટું શું કર્યું?” અલબત્ત તમારી દલિલ સાંભળતાં તે સબળ જણાય છે પરંતુ વાસ્તવિક રીતે તેમ નથી. કારણ કે જે આ રીતે સંસ્થારૂપમાં અને ફંડેનાં સાધનાથી કાર્યો ન કર્યા હોતે, તે પણ બદલાયેલા, સંગથી જે નુકશાન થતે તે રોકી તે નજ શકાતે. પરંતુ આ રીતે કરવાથી ઉલટ તેને આડક્તરે વેગ મળે છે. કારણ કે આપણે જે સાધનને ઉપયોગ કરીએ છીએ તે સાધને પણ જેને આપણે નુકશાનકારક માનીયે છીએ તે બદલાયેલા સંજોગમાંથી જ જમ્યાં છે. તેને જ એ ફાલ છે. તેની મૂળ રચનાયે આપણે કરી નથી માટે તેને ઉપગ દેખીતે ઉત્તમ, સરળ, સગવડતાવાળે અને માનભર્યો લાગે છે. પરંતુ તે નુકશાનને કેઈક વેગ આપે છે, એમ સૂમ દષ્ટિથી નિહાળતાં માલુમ પડશે. અને આજે કેઈ જે સિંહાલેકન કરીને તપાસશે તે સૈકા પહેલાં આપણું જે સાચું બળ હતું, આપણી પ્રજામાં ધાર્મિક ભાવનાને જે જેસ હિતે, પ્રજામાં સ્વાશ્રયીપણાની જે કટ્ટરતા હતી, શારીરિક બળ હતું, ધર્મપ્રેમ હતું, તે બધામાં ઘણું ઢીલાશ આવી ગઈ છે, એ હવે સ્પષ્ટ છે. અર્થાત જે સાધનેને આપણે ઉપયોગ કર્યો છે તે આડકતરી રીતે તે નુકશાનકારક એવા બદલાયેલા સંજોગોને ટેકે આપે છે. તેથી આ વધારા પડતું નુકશાન થયું છે. પાંચમા આરાને લીધે જે ધીમું ધીમું નુકશાન થાય છે તેના પ્રમાણમાં સરખાવતાં જેટલા eliitili Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #48 -------------------------------------------------------------------------- ________________ વખતમાં આ નુકશાન થયું છે, તેટલું સ્વાભાવિક રીતે ન થતેજ એ ચોકક્સ છે. અને સંજોગોને અનુસરનારાં જે સાધનો આપણે ચેજ્યાં છે તે હજુ બીજ રૂપ છે. પણ ભવિષ્યમાં તે જેમ જેમ આગળ વધતા જશે, તેના ઉપર ચણતર વધતું જશે, તેમ તેમ કેટલું નુકશાન થશે ? તેની કલપના કરે. આડે માર્ગે જેટલા વેગથી આગળ વધવામાં આવે તેટલાજ વેગથી નુકશાનને સમૂહ અંદર દાખલ થઈ જાય છે. આપણું ધ્યાનમાં પણ ન રહે. આજે એક ગરીબ થનાર વ્યક્તિને સીદાતા ફંડમાંથી કે ર્કોલરશીપના ફંડમાંથી સારી ફતે સગવડ મળે અને તે રીતસર કપડે લત્તે રહી શકે, એ ખરું. પણ એક શ્રાવક બચ્ચો એક ઉંચી કોમને બાળક ચિંથરે હાલ રહેવા છતાં સ્વાશ્રયી કહેવામાં સ્વમાન અને ખાનદાની તથા એક જાતને પાવર બચાવી શકે છે, તે પેલે સગવડ લેનાર માણસ ગુમાવી બેસે છે. એ રીતે અનેક પ્રકારની અન્ય પાસેથી લીધેલી સગવથ ઉજ્વળ દેખાતે વર્ગ વધતો જાય, તેને અથ એ થયો કે પ્રજામાંથી સ્વમાન ધરાવનાર સ્વભુજાબળ ઉપર નભનાર વ્યક્તિ એ ઘટતી જાય છે. જે બાબત એક વખતે નામોશીભરેલી ગ. શુતી હતી તે પ્રતિષ્ઠાની ગણવા લાગી છે, પણ તે પ્રજાની નબળાઈમાંથી જન્મી છે, એ ચોકકસ માનવું. અને તે માર્ગમાં આટલી બધી સંખ્યા વધતી જાય છે, તે સામાન્ય નુકશાન ન માનવું. આજે પણ એવાં કુટુંબે છે કે જે પિતાના પગ ઉપર અને પોતાની મૂડી ઉપર કુટુંબનું ભરણ પોષણ કરનારા ગમે તેટલું વ્યાજ ભરીને પણ જરૂરિયાત પ્રમાણે કરજે નાણાં લે છે, પરંતુ સર્વને માટે ખુલ્લું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #49 -------------------------------------------------------------------------- ________________ મુકેલા ફંડમાંથી નાણાં મેળવવામાં પ્રતિષ્ઠા માનતા નથી. એવા દેખાવે ગરીબ અને સાદા હશે તે પણ નરરી હોદ્દો ભેગવનારા તેવાજ આપણે પસંદ કરવા પડે છે. તેનું કારણ પગારદાર કરતાં તેઓ પોતાની આજીવીકા વધારે જોખમ ખેડીને ચલાવે છે તે છે, માટે તેમની પ્રતિષ્ઠા વધારે છે. પરંતુ દિવસે દિવસે તેવાં કુટુંબોની સંખ્યા ઘટતી જાય છે એ આપણા ધ્યાન બહાર છે. પ્રજાજીવન તરીકેના બળનું એક પગથિયું પ્રજા ઉતરતી જાય છે, તે આપણે જોઈ શકતા નથી. અને સંસ્થાઓ તથા ફંડેને ભભકે એ ભુલાવી દે છે. આ રીતે પુષ્કળ છુપાં નુકશાને ચાલુ છે, તેને પુરા એ જ છે કે આપણને કાયમ અસંતોષ રહ્યા જ કરે છે કે આટલું આટલું કરવા છતાં કાં ધર્મશ્રદ્ધા ન વધે? કાં નીતિ ન વધે ? કાં સ્વાયિપણું અને ખાનદાની ન વધે? આ અસંતેષ ચાલુ જ છે. જે આ યોજનાઓ પ્રગતિનાં સાધન હોય તે કંઈક તો આગળ વધાવું જ જોઈએ? તેને બદલે પાછળ હઠવાની બુમ કાં પડે છે? નવા જમાનાવાળા પણ એમજ કહે છે કે “આપણે પાછળ પડીએ છીએ. પાછળ પડીએ છીએ, દેડા દોડે આગળ ધસો, આગળ ધસો” જુના જમાનાવાળા પણ કહે છે કે “બધુંય બગડતું જાય છે. વખત બહુ પલટાઈ ગયે. કાંઈ સૂઝતું નથી.” આમ એની પણ બુમ છે. તે કહે હવે આ છેલલા પચાસ વર્ષમાં વાસ્તવિક શું પેદા કર્યું? વાસ્તવિક કેટલું બળ હાંસલ કર્યું? અરે! મેળવ્યું નહીં તેની તો કાંઈ ચિંતાજ નહીં પણ ગુમાવ્યું ન હોત તે ઠીક થતું. આ બધા પ્રયત્ન અને દોડધામ કરવાને બદલે ચૂપ બેસી રહ્યા હતા તે શું નુકશાન હતું? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #50 -------------------------------------------------------------------------- ________________ “ ત્યારે શું કાંઈ કરવુંજ નહી?” હાથ જોડીને બેસી રહેવું “ના, સીધે રસ્તે જેટલું ચલાય તેટલું ચાલવું, પણ ઉંધે માગે એક ડગલુંયે ન ચાલવું. એક વાત છે કે–એક ઉંદરે ખા. જાં ખાવાની ઈચ્છાથી આખી રાત કરંડિયો કાપવાને પ્રયત્ન કર્યો અને અંદર પેઠે પણ ખરે. પરંતુ અંદર સાપ હતા. એવા પ્રયત્નથી શો લાભ? અને જે સીધો રસ્તો ન જ મળે તે બેસી રહેવું વધારે વ્યાજબી ગણાય.” “ઠીક છે. તમારી વાત કદાચ સાચી હશે, પરંતુ વેણીચંદભાઈની શુભ મનવૃત્તિ વિષે તે શકજ નથી. તેમણે તે લાભ સમજીને જ પ્રયત્ન કર્યો. એટલે તેમને તે લાભ જ થ.” અલબત્ત જેટલી તેમની શુભ ભાવના તેને માટે ના ન કહી શકાય, પરંતુ તેમાં જેટલી દીર્ધ દષ્ટિ અને વિવેક રાખવા જોઈએ તે ન રખાય તે જે નુકશાન થાય તેમાંથી તે છુટી નજ શકાય. છતાં પોતાના સમયમાં એક કાર્યકર્તા તરીકે બહાર પડીને પૂર્વને કાર્યવાહકેને જે ઉપાડી લીધે. તથા તેની પાછળ શુભ મનોવૃત્તિ તથા ધર્મિષ્ઠતા અને અથાગ પરિશ્રમ વિગેરે વ્યકિતગત ગુણો સામે અમે કયાં કશો વાંધો દર્શાવીએ છીએ? અને એ કારણેથીજ અમે વિરોધ કરી શકતા નથી અને મુંગે મેં ચલાવી લઈએ છીએ. પરંતુ તેમણે જે પ્રવૃત્તિઓ જે રીતે અને જે બંધારણાથી કરી છે, તેની સામે અમારે વિરોધ નથી એમ ન સમજવું.” અમને તે એમ લાગે છે કે “કરશે તેને કહેશે” એ ન્યાયે એ કરવા બહાર પડયા છે તેમના કાંઇને કાંઈ દો જેવાજ જોઈએ, એટલે બીજું કશું ન જોતાં આવા દૂધમાંથી પોરા કાઢવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #51 -------------------------------------------------------------------------- ________________ ૪ સૂયા. આવા દૂધમાંથી પેારા કાઢનારાયે પડયા છે, એ જોઈ અમને આશ્ચર્ય થાય છે. નહીંતર કેટલું બધું તાત્કાલીન સ ંજોગાનું અનુકરણ થઈ રહ્યું છે? તેમાંથી કેણુ ખચી શકયા છે ! તેને બદલે અનેક આક્ષેપે સહન કરીને જેમ બને તેમ આચ્છામાં આખ્ખું અનુકરણ થવા દીધુ છે. અને તેમ વળગી રહેવામાં વેણીચંદભાઈને અનેક વ્યક્તિઓ અને આંદોલના સામે ટક્કર ઝીલવી પડી છે, તેની કયાં કાઇ કદર કરે છે ? માત્ર ભૂલ કાઢવા સૌ તૈયાર. બાકી તા મીજી સંસ્થાઓમાં કેટલું બધું અનુકરણ આગળ વધ્યું છે? પણ તેને ભાવ કાણુ પૂછે છે. "" આ “તમારી એ વાત ખરી છે. વેણીચંદભાઇએ આછામાં અનુકરણ કર્યું છે, પણ તેમણે શરૂઆત કરી છે. એ ચેાક્કસ, જો કે તે વખતે એટલુ બધુ અનુકરણ કરવાના સોગા ન્હાતા, તે પણ આટલીયે પહેલ ન કરી હાત તે ખીજા પણ આટલે સુધી આગળ ન વધી શકત, એ અમારા કહેવાના આશય છે. અને બીજો એ કે–તમે એમ માની લેતા હૈા કે પરિસ્થિતિ અને આપણું અળ હતું તેમાં આગળ વધ્યા છીએ, માટે મહાન કામા કરી નાંખ્યાં છે. એવી ભ્રમણામાં ન પડી જવાય, તેમાંથી ચેતવવા માટે અમે કહીએ છીએ. અને આ સિવાય બીજા સચાટ માર્ગો લીયા હૈાત અને કદાચ ફ્ાયદો ન થયેા હાત તેમ· નુકશાન પણ ન થયું હાત. પરંતુ અમને તેમની વ્યકિતગત ચેાગ્યતા વિષે માન છે, એટલે અમે તેમની સામે કાંઈ કરી શકતા નથી. "" ખીજો પક્ષ કહે છે કે “ વેણીચંદભાઇ એટલે ચુસ્ત સ્થિતિચુસ્ત, એક તસુયે ન ખસે તેવા આર્થોડાકસ. જમાના કંઈ તમ્ ચાલી રહ્યો છે, પવન કઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #52 -------------------------------------------------------------------------- ________________ ૫૦ તરફ વાઈ રહ્યો છે, તેની સામે દૃઢતા પૂર્વક આંખ મીંચનારા. ધાર્મિક શાળામાં વ્યાવહારિક દાખલ ન કરવું તે ન જ કરવું. ગમે તેવા મુનિને માન આપવું તે આપવું જ. ધોરણસર અભ્યાસપ્રણાલી નકી ન કરી તે ન જ કરી. ઘણા શિક્ષકે તથા સુધરેલી ઢબથી વહીવટ ન ગઠો તે ન જ ગોઠવ્યા. એ તે પિતાને ચલે જ ચાલ્યા જતા હતા. તેમના આખા જીવનમાં–જમાન કે આગળ વધે? ક્યાં કયાં ખાતાએ ખોલાય છે, તે બધા સામે તેમણે આંખ મીંચી રાખી. જરાય તેમાંથી અનુકરણ ન કર્યું. કેઈની વાત ન સાંભળી સાંભળી તે અમલ ન કર્યો. નહીંતર કેટલી બધી પ્રગતિ થઈ હેતે? સારામાં સારા ધાર્મિક શિક્ષકે ઉત્પન્ન થયા હતે. સંસ્કારી, વિદ્વાન અને જમાનાને અનુસરીને ચાલવાવાળા શિક્ષક થયા હેતે, ઉત્તમ પાઠય પુસ્તકો, ઉત્તમ લેખસંગ્રહો વિગેરે તૈયાર કરાવી શક્યા હોતે. પ્રજાના ઘણા રીતરિવાજે ફરી ગયા હોતે. અંધશ્રદ્ધા ટૂટી હોત. સાધુઓની જોહુકમી વધારે મોળી પડી હેત. ગૃહસ્થ ધર્મિઓ વધારે છુટથી ધર્મનાં ખાતાંએની લગામ હાથમાં લઈ શક્યા હોત, ઇત્યાદિ અનેક ફાયદાઓ થયા હતે. પરંતુ એકના બે ન થયા તે ન જ થયા. અલબત્ત તેમણે સુધારા તરફ પહેલ કરી કહી શકાય. એ રીતે સુધારાના જૈન ઈતિહાસમાં તેમનું નામ પણ ગણાશે તે ખરૂંજ, અને તેટલા ઉપરથી અમે પણ તેને માન આપીએ છીએ, કેમકે જ્યારે બીજા તદ્દન વિરોધી જ છે, તેના કરતાં વેણચંદભાઈએ જરૂર વધારે હિમ્મત બતાવી છે. તે પણ જોઈએ તેવી નહીં. એટલે જ અસંતોષ રહી ગયો છે. જો કે તેમણે કેળવણી ખાતે સ્થાપીને કેળવણીની હિમાયત કરવાની પહેલ કરી ખરી, પરંતુ તેને પ્રવાહ એકલા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #53 -------------------------------------------------------------------------- ________________ ૧? ધાર્મિક તરફ વળે એવી કાળજી રાખી. રીપોર્ટ છપાવવા, કમીટીઓ કરવી મેળાવડા ભરવા, સમિતિઓ સ્થાપવી, ભાષણ કરવાં, વિગેરે પ્રવૃત્તિઓ કરી પણ તે બધું ધર્મની ખાતર અને ઘણુંખરૂં રૂઢિને વળગી રહીને કર્યું. તેમાં જમાનાની ચમક ન મળે. આગળ વધવાપણું જ ન મળે.” “અરે ! પણ તમે જમાને જમાને શું કરે છે? એક તરફ જમાનાને છંદે ચડીને પ્રકાશ વધારતા ગયા તેમ તેમ બીજી તરફ પ્રજા કેટલી પાયમાલ થતી ગઈ તેને ખ્યાલ કર્યો? માટે આંખો મીંચીને જેમાં તેમાં કુદી ન પડે. બુદ્ધિ સ્થિર રાખી ચોકકસ માર્ગ મકકમતાથી કામ કરવાનું અને આત્મભોગ આપવાનું વેણીચંદભાઈ પાસેથી શીખ એટલે બસ છે. તમારી જરૂરિયાતે જુઓને કેટલી બધી વધી ગઈ છે? પરમાર્થને માટે તમને અવકાશ કયાં છે? તમારાં સાધને કેટલાં બધાં ખર્ચાળ છે? વેણચંદભાઈ એકલે હાથે અને થોડા ખર્ચથી જે કામ કરી શકતા હતા, તે તમારામાંથી ગમે તેવી ધગશવાળા પણ કરી શકે તેમ છે? તમારે મેટાં ફંડો જોઈએ, કલાર્કે મોટા પ્રમાણમાં જોઈએ અને બીજા અનેક ખર્ચાળ સાધને જોઈએ. વળી અંગત જરૂરિયાતે પણ એટલી બધી ખર્ચાળ કે ન પૂછો વાત. એટલે તમે તમારી જરૂરિયાતેમાંથી જ ફારગત થાઓ ત્યારે સેવા કરી શકે ને ? અને તમારી સેવા કેટલી બધી પ્રજાને મોંઘી પડે, તેને ખ્યાલ છે ? થેડી સેવા કરી એટલે માનપત્ર તો લેવું જ જોઈએ, વાહ ! વાહ! તે થવી જ જોઈએ, અને તે મોઢે ના પાડવા છતાં હદયથી પાકે પાયે ઈચ્છાનું હોય છે. અમે તે આમાં કાંઈ ફાયદે જોઈ શકતા નથી. વળી તમે જેને જમાને કહે છે, તે એક જાતને ચાહ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #54 -------------------------------------------------------------------------- ________________ છે. તે ઉડી જતાં જગતની ખરી સ્થિતિ શું છે? તે તમે આપેઆપ સમજશે. આજે કોઈ તમને સમજાવી શકે તેમ નથી. મનુધ્યકૃત સંજેગેને કુદરતી જમાને માની લીધો છે, તે જ ભૂલ છે. યુરોપ અને અમેરિકાના લેકે પોતાના સ્વાર્થને ઉદેશીને તેમાં મદદગાર થાય તેવા જે જે વિચાર કરે છે, જે જે યોજનાઓ ઘડે છે, અને તે એવી ખુબીથી બહાર મૂકે છે કે આપણે તેનાથી અંજાઈ જઈએ છીએ અને તે જનાઓની એટલી બધી સંખ્યા જનસમાજમાં પ્રચારવામાં આવે છે કે જાણે કેમ આ બધું કુદરતજ કરતી હેય, એ ભાસ ક્ષણ ભર થઈ રહ્યો છે. તેથી આપણે જમાને જમાને બેલીએ છીએ, પણ વાસ્તવિક રીતે એ બધી માયાજાળ છે. માની ત્યે કે એ ચેજના કલ્યાણકર હોય, પરંતુ માનવને કલ્યાણકર એવા એટલાં બધાં સાધનની જરૂર છે કે એ બધાં સાધને એ વિચારકે નિઃસ્વાર્થપણે પુરા પાડી શકશે કે કેમ? એ સંશય છે. જ્યારે તેઓ થાકશે ત્યારે પછી કોને આધાર? પછી જમાને કયાં જશે ? વળી જે તેઓએ આ જનાઓ નિ:સ્વાર્થ પણે જગતને આપી હોત તો આટલું બધું ન નુકશાન થતું. પ્રજામાં શારીરિક બળ ઘટતું જાય છે. નૈતિક બળ ઘટતું જાય છે. ધર્મભાવના ઘટતી જાય છે. જીવનકલહ મુશ્કેલ થતો જાય છે, અને સ્વદેશમાં અને સ્વવતનમાં રહેવું મુશ્કેલ થતું જાય છે. કપટ પ્રપંચ ખૂબીપૂર્વક કેળવાતા જાય છે, અને મનમોહકરીતે પ્રજામાં પ્રચાર પામતા જાય છે. હેતપ્રીતિ ઉડતા જાય છે, વિગેરે વિગેરે રીતે આગળ વધવાને બદલે પ્રજા પાછળ હઠતી જાય છે. એક બાજુ આગળ વધતી દેખાય છે ને બીજી તરફ તેના કરતાં અનેકગણું પાછળ હઠતી જાય છે. ખુશામત અને વમાનની વૃત્તિને અભાવ વધતો જાય છે. એકંદર બળ તૂટતું જાય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #55 -------------------------------------------------------------------------- ________________ ૫૩ છે. માટે પૂર્વના વીતરાગી નિઃસ્વાર્થ પુરૂએ જગના કલ્યાણ માટે સાંગોપાંગ સર્વ જનાઓ જગતમાં પ્રચલિત કરી ઘરગતુ કરી છે. તેનાથી એક દેરાવા પણ ખસવાથી જગતનું અપમંગળ છે, એમ અમારું ચેકકસ માનવું છે. માટે એ મહાપુરુષોના માર્ગેથી જરાયે ન ચલિત થવું. અલબત્ત અમે બરાબર જોઈએ તેવી રીતે તેને અનુસરી શકતા નથી. તેમાં માત્ર કુદરતી કાળદોષજન્ય નિબળતા છે અને તેને માટે નિરુપાય છીએ અને નુકશાન પણ થયું છે. એટલે જેટલું બની શકે, જેટલા શકય સંજોગો હિય, તેને કામમાં લગાડીને પણ એ માર્ગને વળગી રહેવું તેમજ શ્રેય છે. લાલચ કે દેહવ્યાપારના તેજમાં અંજાઈને માર્ગ બદલવાથી કયાં ભુલા પડીશું કે જ્યાં ઘાંચમાં પીશું, તે કહી ન શકાય. કઈ કહી શકતું નથી. માટે એવી પેટી દોડાદોડી ન કરી મૂકવી જોઈએ. તમારી વાત રજુ કરવામાં તમે સચોટતા તે સારી વાપરે છો, પરંતુ વેણચંદભાઈએ જ તેમાં કયાં પ્રવૃત્તિ નથી કરી? તો પછી તમે શી રીતે આટલું જોર દઈ શકે છે?” હા. તેમની પ્રવૃત્તિ જમાનાને અનુસરતી રીતભાતમાં જણાય છે. પણ તે તેમનો ઉદ્દેશ હેતે. તેમને ઉદ્દેશ તે એ રીતે પણ જમાનાના વ્યામોહમાંથી પ્રજાને બચાવવાનો હતે.” ભલે એમ હશે. પરંતુ જ્યારે એવા પુરુષો અવળા રસ્તાને ટેકે આપે છે, તે કાંઈક લાભ હશે. એટલે બીજા ફાયદાને બદલે આવું અજ્ઞાન ફેલાય એ નુકશાન વધારે પડતું છે, પરંતુ તેમાંથી બચી શકાય તેમ નથી. આજે જમાનાને અનુસરવું, જેમ બને તેમ તેમાં આગળ વધવું, એજ તરણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #56 -------------------------------------------------------------------------- ________________ / ૫૪ તારણ ઉપાય છે. એમ અમારું માનવું છે, અને તેમાંથી છટકવાના ગમે તેવા ફાંફા મારવા છતાં, મેઢેથી ગમે તેટલી ના પાડવા છતાં કેઈથી છટકી શકાય તેમ નથી. તે રસ્તે જવાથી ઘણાને ફાયદો થાય છે. તેમ તેને અનુસરવામાં આવે તો આપણનેય ફાયદો થાય. દરેક વસ્તુમાં લાભ અને નુકશાન બને પરોવાયેલાજ હોય છે. એટલે નુકશાન ન થાય અને લાભ મળે. તેટલી ખબરદારી તો રાખવી જોઈશેજ. અમે તો એમ માનીએ છીએ કે જેટલે અંશે વેણીચંદભાઈએ જમાનેને આશ્રય લઈને કામ લીધું છે તેટલે અંશે તેઓ ફાયદા કરી શક્યા છે. જ્યારે કોઈને કાંઈ પડી હતી, તેવા વખતમાં રીતસર જમાનાની રીતને અનુસરીને ફંડ કરી શક્યા. જીર્ણોદ્ધાર થયા. નહીંતર દહેરાસરની શી દશા થતું બંધારણ ઘડવાની નવી રીત જાહેરમાં આવતી ગઈ તે સંસ્થા સ્થાપી શકાઈ. નહીંતર બંધારણ ન જાણતા હોઈએ તે સંસ્થા શી રીતે સ્થાપવી ? અને એ સ્થાપ્યા વિના કામ કેમ થાય? જેમ ધંધાની ઉત્થલપાથલ થતી ગઈ, મોટા શહેરો વધતાં ગયાં, જેમ ગામડાવાળાને મુશ્કેલી પડતી ગઈ, તેમ તેમ વેણચંદભાઈએ સંસ્થા સ્થાપીને ભણવા આવેલા અનેકને આશ્રય આપે, ભણાવ્યા અને છેવટે જૈનશાળાઓના પણ માસ્તર કરીને આજીવિકાની સગવડ કરી આપી. શહેરમાં પંચ પ્રતિક્રમણ જાણનારા બેચાર જણા હતા, તેને બદલે સારાં સારાં પુસ્તક અને શાસ્ત્રો વાંચી શકનારની સંખ્યા મળી શકે છે. હજારે પુસ્તકને પ્રચાર કરાવી જ્ઞાન ફેલાવી શકાય છે. નહીંતર શી સ્થિતિ થતું, તેને વિચાર કર્યો? કે એમને એમ જમાનાની સામે બખાળા કહાડે છે એટલે એ રીતે એટલે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #57 -------------------------------------------------------------------------- ________________ પપ અંશે વેણચંદભાઈએ જમાને ઓળખે તેટલે અંશે લાભ થયેજ છે. ફક્ત તે બહીતા હીતા આગળ વધતા હતા. તેમનામાં સામે થવાની જાહેર હિંમત ન હતી. એટલે ઘણી વાર સ્થિતિચુતેના હથિયાર બની જતા હતા. તે જ માત્ર ટીકાપાત્ર મુદ્દો છે. બાકી તેના વ્યક્તિગત ગુણે સામે અમારે કશે વાંધો નથી. તેની ધગશ, આત્મગ વિગેરેના જેટલા વખાણ કરીએ તેટલા ઓચ્છા છે. પણ નવા જમાનાની રેશનીને બરાબર ઓળખી ન શક્યા ને ન શક્યા. પરંતુ તેથી એ ફાયદો થયો કે સમાજમાં એક જાતની શરૂઆત થવાથી બીજી ઘણી રીતે જમાનાને પ્રકાશ ફેલાઈ રહ્યો છે. અને હજુ પણ તેઓ જે સાધન મૂકી ગયાં છે, તેને ઉપયોગ તેના લાગતા વળગતા જમાને ઓળખીને અપટુડેઈટ સાધનેને જેમ વધારે લાભ લેશે, તેમ સમાજને વધારે ફાયદે થશે, એમ અમારું ચકકસ માનવું છે. હવે પછીના કાર્યવાહકે વેણચંદભાઈ જેવી સ્થિતિચુસ્તતા નહીં રાખે, એવી આશા રાખીએ છીએ. તેમણે જેમ થોડે ઘણે જમાને ઓળખે તેમ હવે પછીના કાર્યવાહકે વધારે સારી રીતે જમાને ઓળખશે, એમ આશા રાખીએ છીએ આ રીતના બે જાતના સબળ વિચાર વાતાવરણમાંથી વેચંદભાઈને પસાર થવાનું હતું, છતાં ડામાડોળ ન થતાં બ નેની વચ્ચેથી નક્કી કરેલે માગે ચાલ્યા જવામાં તેમના બળની કટી જણાઈ આવે છે. કાચીપિચી મને વૃત્તિને માણસ કાં તે એક તરફ દેરાઈ જાય, કાં તે એક તરફ અથડાઈ પડે, અને ટટા ઝગડામાંથી ઊંચા આવે ત્યારે કામે તરફ વળી શકે ને ? તેવી રિથતિમાં ન મૂકાતાં બન્ને જાતની પરિસ્થિતિઓના ઉછળતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #58 -------------------------------------------------------------------------- ________________ તરો વચ્ચે પિતાનું હાડકું હાંકી શક્યા છે, અને બન્ને વર્ગમ પિતાના માટે માન ઉત્પન્ન કરી શક્યા છે. सिद्धस्य गतिश्चिन्तनीया. વેણીચંદભાઈ નવા જમાનાને અનુસર્યા ન હતા તે ઠીક હતું, એમ એક પક્ષ કહે છે, ત્યારે બીજો કહે છે કે--જોઈએ તેવી રીતે બરાબર ન અનુસર્યા. આપણે આ વિવાદમાં ન પડતાં હવે શું કરવું અને તેમણે જે સાધને ઉભાં કર્યા છે, તેને લાભ શી રીતે મેળવવું? જે થઈ ગયું તે ન થનાર નથી પણ જે સ્થિતિ સિદ્ધ છે, તેમાંથી શે માર્ગ લે? એ વિચારવું જોઈએ અને હવે તે રસ્તે જવું જોઈએ. વેણચંદભાઈએ નિ:સ્વાર્થવૃત્તિથી પોતાની સર્વ શક્તિ અને સર્વ સામર્થ્ય ખર્ચીને ઉભી કરેલી. સંસ્થાઓ, એકવકરેલી મિકતે, ઉત્પન્ન કરેલી લાગવગે, જાહેર કરેલી પ્રસિદ્ધિઃ એ વિગેરે સર્વ સાધનેને પ્રવાહ હવે કઈ તરફ વહેવડાવો ? કઈ રીતે કહેવલવો? શા માટે કહેવડાવ? અને કઈ તરફ વહેતે અટકાવ વો? એ વિગેરે અનેક પ્રશ્નને થવા સંભવિત છે. એ પ્રસંગે કઈ પણ લખાણને અક્ષરાર્થ ન કરતાં વેણીચંદભાઈનાં દિલના આ શયને પણ સમજીને તેનો સદુપયોગ કરવો. નાણું આપનાર કરતાં, કાર્યમાં સહાયક અને સંચાલકો કરતાં, વેણચંદભાઈના દિલના આશય અને હેતુઓ અને શાસનનું હિત જ વધારે પ્રમાણભૂત અને માર્ગદર્શક છે. આપણને માલૂમ પડી ચૂકયું છે કે સંસ્થા, તેના સાધારણું બંધારણ, રીટ, કમિટી, મેળાવડા, વિગેરે પ્રવૃત્તિઓ કરવા છતાં, કેળવણી, પ્રગતિ, મેનેજર, મેમ્બર, સેક્રેટરી, વિગેરે શબ્દોને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #59 -------------------------------------------------------------------------- ________________ ૫૭ પ્રયાગ કરવા છતાં એ સર્વમાં તેમનું પ્રધાન લક્ષ્ય તેઓ જ જણાઈ આવે છે કે— “ શ્રી વીતરાગ ભગવાન શ્રી મહાવીર દેવે બતાવેલા ધર્મ અને વારસામાં મળેલા તેમના શાસનની ઉન્નતિ થાય તે વિશેષ સારૂ. પરંતુ જેમ અને તેમ અવનતિ તે અટકવીજ જોઇએ, તેમાં ખામી તે ન જ આવવી જોઈએ. જૈન ધર્મ પાળવાના ઈચ્છુકાને તેની સગવડ સુલભ થાય, શાસનના વહીવટ ચલાવનારા અંગેવાનાને વહીવટનું તંત્ર ચલાવવું સુલભ થાય, અને તેનાં કાઇપણ ગુપ્ત ચા જાહેર સંગીન તત્ત્વાને સીધી ચા આડકતરી રીતે નુકશાન ન પહોંચે, જૈન ધર્મ પાળનારી કામાનું–સમાજોનું શ્રય: થાય, અને સદેાદિત જૈનધર્મનું આરાધન પ્રવસ્ત્યો કરે, તથા વારસામાં મળેલા ધર્મ અને શાસન તથા તેનાં સર્વ ગુસ તેમજ જાહેર તત્ત્વા અને મિલ્કત ઉત્તરાતર વારસામાં આગળ લંબાય, સર્વ વિઘ્ન દૂર થાય, સર્વ અપમગળા શાંત થાય, શાસનની માનપ્રતિષ્ઠા વધે અથવા ટકી તા રહેજ, પ્રજા વ્યામાહમાં પડી જઈ સન્માર્ગથી ભ્રષ્ટ ન થઇ જાય, ચૂકી ન જાય, ઉન્માર્ગે ડુડી ન જાય તથા સદૈવ શ્રી જિન મંદિરોમાં ઘટાનાદના ઘણાટકશાઓમાં ગાજ્યા કરે, ઉપાશ્રયામાં ચાલી રહેલા ચારિત્રપાત્ર ગીતા શ્રમણ મુનિનાં વ્યાખ્યાનવનિએાના પડઘા માનવજીવનમાં રાતિદવસ સંભળાયા કરે, અને ચિ ંથરેહાલ સ્થિતિમાં પણ જૈનધમ થી વાસિત થઈ, ઘુઘવાટ કરતા રાડાની સંખ્યાવાળા અન્ય ધર્માવલ ́ખી માનવસાગરની વચ્ચે પણ સ્થિર સમ્યક્ દૃષ્ટા બની આ સત્કાર સંપન્ન થઈ વીતરાગ ધર્મ ના આરાધક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #60 -------------------------------------------------------------------------- ________________ ૫૮ વર્ગ–સ્વ જાતિ અને સ્વ ધર્મની પ્રતિષ્ઠા જાળવી રાખનારા શ્રવક વર્ગ વિજય પામે, પછી ભલેને તે અલ્પ સંખ્યામાં હાય. ” તેમનાં કાર્યો ઉપરથી આ પ્રધાન લક્ષ્ય તરી આવે છે. આ લક્ષ્યને હૃદયમાં રાખીને આગળ પાછળના બહુ વિચાર કર્યા વિના તેમણે પાતાનું સર્વ જીવન અને સર્વ સામર્થ્ય હામી દીધુ હતું. તાપણુ લક્ષ્ય ઉત્તમ છતાં, હેતુ અને ઉદ્દેશ ઉત્તમ છતાં, પ્રવૃત્તિ કર્યા વિના કશું ફળ મળી શકતું નથી. પ્રવૃત્તિ પણ ચેાગ્ય માગે કરવામાં ન આવી હાય, ઉમાગે થઇ ગઇ હોય, વચ્ચેથી કાઇએ તેના દુરુપયેગ કરવા માંડયા હોય તે ખ્યાલ ન રાખી શકાયા હાય, ઉન્માર્ગે થી ચેતીને સીધે માગે આવી જવાયું ન હોય, એ વિગેરે કારણેાને લીધે પ્રવૃત્તિનું ચેાગ્ય પરિણામ આવવાને બદલે વિપરીત પરિણામ પણ આવી જાય એ સ્વાભાવિક છે. માટે કોઇ પણ પ્રવૃત્તિ એવી જ હોવી જોઇએ કે જેમાંથી ઉત્તરાત્તર હિતાનુબંધી ફેળા ઉત્પન્ન થતાં જાય, અથવા વિષેરીત પરીણામેા તા જરૂર અટકેજ, હિતાનુબંધી એટલે એક પ્રવૃત્તિમાંથી નાનું પણ અમુક ચાક્કસ સફ્ળ ઉત્પન્ન થાય જ. એ ફળ પણ એવી રીતે ઉત્પન્ન થાય કે સાથેજ બીજા અનેક સાધના વધારે પ્રમાણમાં ઉત્પન્ન કરતું આવે અને તેમાંથી બીજું સારૂં પરિણામ ઉત્પન્ન થાય, એમ પરંપરા ચાલ્યા કરે, તે હિતાનુંબંધી પ્રવૃત્તિ *હેવાય. પહેલેથીજ ખામી રહી ગઈ હાય તેા ઉત્તરાત્તર ખામીની પરંપરા ચાલ્યા કરે, તે હિતાનુબંધી પ્રવૃત્તિ ન કહેવાય. આ રીતે પિરણામ તરફ જોશું તેા ગમે તેટલી પ્રવૃત્તિઓ કરવા છતાં છેલ્લા સા પચાસ વર્ષોમાં ધર્મભાવના ઘટી છે. તે ઘટયાના સંજોગા ઉભા થઇ ગયા છે. પ્રજા સગઠન શક્તિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #61 -------------------------------------------------------------------------- ________________ ૧૯ ઘટી છે. સંગઠનના ખાટા દેખાવા કરવાના ડાળ વચ્ચેા છે. સાચું સગઠન ઘટયું છે, ઢીલુ પડયું છે. ગામડાઓમાં સખ્યા ઘટી છે. અળ કમી થયુ છે. કાણુ ઢીલા થયા છે. શહેરામાં પણ ચળકાટ વચ્ચે છે, તેના પ્રમાણુમાં વાસ્તવિકતા ઉડતી જાય છે, અને ધર્મના સાધક સજાગેા કરતાં વિદ્યાતક સ ંજોગાની સખ્યા અને ખળ વધારે પ્રમાણમાં વધતા જાય છે, અને ઉત્પન્ન પણ થતા જાય છે. હા, ખરેખર થયું તેા એમજ છે? પરતુ એ બધુ એમ કેમ બન્યું હશે ? સારા પ્રયત્ના કરવા છતાં પરિણામ એમ કેમ આવ્યું ? પ્રયત્ના અવળે માર્ગે થયા? કે આપણા સુપ્રયત્ના કરતાં વિપરીત પરિણામેા ઉત્પન્ન કરનારાં કારણેાની સંખ્યા અને ખળ વધારે પ્રમાણમાં હશે ? કે આપણા પ્રયત્નાએજ તેમાં કાંઇક વેગ ઉમેર્યા હશે ? એ વિગેરે ઘણા પ્રશ્નો ઘણાને આજે થઇ રહ્યા છે. અહીં આપણને પ્રથમ પક્ષના આશાનું મૂળ તત્ત્વ હાથ લાગે છે, તે કહે છે કે આ ઉપર જણાવેલા વિપરીત પરિણામે લાવનારા અગમ્ય અને ન કળી શકાય તેવાં કારણેાના ખીજ રાપાઈ ચૂકયા હતા. તેમાંથી ઉત્પન્ન થયેલી ચૈાજનાઓને ભ્રમણાથી સારી માની લઇને તેના ઉપયાગ કરવાથી સારૂ પરિણામ શી રીતે આવે ? માટે ખરી રીતે તા એવી ચેાજનાઆના ત્યાગ—તેમાં અવૃપ્રત્તિજ વધારે લાભકારક થઈ પડત. ઉન્માર્ગે ઢાડવાની ચેષ્ટા કરી ઉદ્યોગીમાં ખપવા કરતાં નિચેષ્ટ ઉભા રહી નિરુવમીમાંજ ખપવામાં વધારે સલામતી છે. સત્ માગે એક વર્ષે એક ડગલું ભરાય તેા પણ તે વધારે હિતાવહ છે. જો તેમ પણ અની શકતું ન હાય તા સુરક્ષિત સ્થળે થઈ ઉભા રહેવામાં એ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #62 -------------------------------------------------------------------------- ________________ -ટલી હાનિ નથી કે જેટલી ઉન્માર્ગે એક પણ પગલું ભરવામાં છે. તે પછી દેડવાની તો વાત જ શી ? માટે અમે કહીએ છીએ કે “જે જે સાધનને ઉપયોગ કરી ઉન્નતિની આશા રાખવામાં આવે છે, તે દરેક દરેકે સાધને વિપરીત પરિણામને પોષક અગમ્ય કારણોમાંથી જન્મેલાં હતાં, અને તેનેજ પિષનાર તરીકે ઉત્પન્ન થયાં હતાં. તેમાંથી નુકશાનને બદલે લાભની આશા શી રીતે રાખી શકાય?” એમ પ્રથમ પક્ષના મન્તવ્યનું હાર્દ છે. અને બીજો પક્ષ એમ કહે છે કે એટલો પ્રયત્ન કર્યો તે નુકશાનમાંથી કેટલેક અંશે બચ્યા, નહીંતર ગયું. તેના કરતાં પણ વધારે નુકશાન થતું અને ફાયદો કાંઈ પણ મળતજ નહીં. માટે જેટલો ફાયદો મળે તેથી સંતોષ માની આગળ વધવું એ ડાહ્યા પુરુષનું કામ છે. દણાં રોવાથી કાંઈ ન વળે. અને એ ઉપરથી હવે અમારૂં એમ પણ કહેવું છે કે એ નવાં ઉત્પન્ન થયેલા સાધનો તથા જનાઓને ઉપગ બરાબર નવીન રીતે વધારે ઉત્તમ રીતે, વધારે આકર્ષક રીતે, વધારે સબળ રીતે કર્યો હતે. તે જરૂર ઘણુજ સુંદર ફળે આવ્યા હોત. હજી પણ ચેતીને તેમ કરવામાં આવે તે ઉત્તરોત્તર શ્રેય સજ છે. સાધનની ઉ. રમતા વિષે હવે શંકા લાવવાનું કારણ નથી. જગતને સારે નશીબે અત્યારને જમાને-એજ કોઈ શુભ પ્રસંગ મળે છે કે જેમાં સારામાં સારા અને સરળમાં સરળ રીતે કાર્યસાધક એટલાં બધાં સાધનો ઉત્પન્ન થયાં છે કે જે કી જગતના નશીબમાં હતા. માટે તેને છુટથી લાભ લેવું જોઈએ. જે નહીં લે તે ગાફલ ગણાશે. અથવા તમે તેને ખેટાં માનતા હે તોપણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #63 -------------------------------------------------------------------------- ________________ . જિજા વિવિઘ એ ન્યાયથી પણ અત્યારે તેને ઉપયોગ કરે ન્યાઓ માર્ગ છે. એમને બીજા પક્ષન મન્તવ્યનું હાર્દ છે. - ત્રીજો પક્ષ એમ કહે છે કે ગમે તેમ હોય પરંતુ હાથ જેને બેસી રો પાલવે કે? જે વખતે જે જાતના સંજોગો હાથ લાગે તે વખતે તે સંજોગોમાં પસાર થઈને તેમાં ફસાયા વિના, કુનેહપૂર્વક જેટલા લાભકારક હોય, તેને ઉપયોગ કરી લઈ અથવા છોડયા છુટે તેમ ન હોય તે તેને અનિવાર્ય રીતે ઉપયોગ કરી લઈ શુભ ઉદ્દેશને દયાનમાં રાખી પ્રયત્ન કરવાથી શુભ જ થશે. બીજો માર્ગ ન હોય, તો હાથ જોડીને બેસી રહેવું અમને પાલવે તેમ નથી. પક્ષે ગમે તેમ કહે પરંતુ વેણચંદભાઈના કાર્યોમાંથી, તેમના દિલના આશયમાંથી કયે માર્ગ સૂઝે છે? તે ધ્યાનમાં રાખીને હવે પછીના કાર્યવાહકે એ વર્તવાનું છે. પછી તેને આગળ વધવાનું કહો કે પાછળ હઠવાનું કહો. પ્રણાલી કહો કે પ્રગતિ કહે. જે નામ આપવું હોય તે આપ. જેમ જેમ મુંબઈ વિગેરે મોટાં શહેરોમાં વધારવાની ચેજનાઓ વધતી જાય છે, ઝાકઝમાળ થતા જાય છે, તેમ તેમ સ્થાનિક ધંધાઓ તૂટવાથી નવી સંતતિને ધંધા માટે કઈ પણ રીતે બહાર નીકળ્યા વિના છુટકે નથી થતું. આમ વતનમાંથી ખસેલું ધર્મ વિષેનું શ્રદ્ધાબળ, શરીરબળ અને જીવનમાં ઉપયોગી સંબંધે વિગેરે પ્રમાણમાં કેટલેક અંશે કંઈક નીચે ઉતરે છે. વળી વતનમાંથી ખસવા છતાં જલદી ધંધો મળે તેમ નથી, કારણ કે જુના ધંધાની તાલીમ તે હોતી નથી એટલે નવાં નવાં શહેરમાં ચાલતા ધંધાની તાલીમ લેવી પડે છે. તેમાં પ્રાથમિક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #64 -------------------------------------------------------------------------- ________________ કુર પગથિયા તરીકે-લખતાં, વાંચતાં તે કોઈ પણ માણસે શીખવુંજ જોઇએ. જ્યારે એક વખત પ્રજાને પેાતાની સહી કરતા આવડતી હાય કે ન આવડતી હોય પણ તેને જીવનવ્યવહાર ચલાવવામાં અડચણુ નહાતી આવતી. જો લખતાં વાંચતાં આવડતું હાય તા ઠીક પરંતુ તે વિના, તેને કાંઇ સ્થાનજ ન મળે, એમ તે ન્હાતું મનતું. ત્યારે આજે વ્યવહારનું ધેારણ એટલું બધું 'ચુ જતું જાય છે કે પ્રજાના ઘણા ભાગની શક્તિ અને વખતના વ્યય એ ઉંચા ધેારણને લાયક થવામાં ખર્ચાયા છે. પછી તે વ્યવહારના ચેાગઢામાં ગેાઠવાય છે. જે વર્ગ તે પ્રમાણે ન કરી શકે, જેની પાસે તેવાં સાધના ન હાય, તેને તેા ધંધા માટે લાયક સગવડ ન મળતાં નીચેના સ્થાનમાંજ રહેવું પડે. આમ વ્યવહારનું ધેારણ ઉંચે લઇ જવાથી દેખાતી રીતે સારૂ લાગે છે, આગળ વધવાની હાંશ તેમાં ઉત્પન્ન થાય છે અને પર`તુ આથી ગણેા વર્ગ બિનધ ંધાદાર, બિનરેાજગાર અને છે . અને ખર્ચના ખાજામાં ઉતરી પડે છે. આને લીધે આજે પુષ્કળ માણસા ધધારહિત થયેલા જોવામાં આવે છે. થતા જાય છે, અને ઘણે! ભાગ પિરણામે ગરીબી અને પછી રાગોના ભાગ થઈ નાશ પામે છે. કેટલાકને ગમે ત્યાં જ્યાં ત્યાં જવું પડે છે. આ રીતે એક તરફ જ્યારે એક વર્ગ માતબર વધારે માતબર થતા જાય છે ત્યારે બીજી તરફ આપણા ભાઇઓમાં ગરીબેાની બીજી દુઃખદાયક સ્થિતિ વધતી જાય છે. આ ખામત વિહાર કરનારા મુનિ મહારાજાએ વધારે જોઇ શકે. એક વખત જે ગામડા કે કસ્બાની સ્થિતિ જોઇ હાય, તેને હવે ૨૦-૨૫ વર્ષે જુએ, તે તેમાં તેઓને આકાશ પાતાળ જેટલા તફાવત લાગશે અને ભાસે પણ છે, આપણી સંખ્યા ઘટતી જાય છે, વિધવાઓનું પ્રમાણ વધતું જાય છે, એ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #65 -------------------------------------------------------------------------- ________________ વિગેરે પરિસ્થિતિઓનું પણ મુખ્ય બીજ આજ છે. વતનથી છુટા પડેલાને બધું નવેસરથીજ બિછાવવાનું હોય છે, એટલે તેની ઘણું શક્તિને અપવ્યય થાય છે. તેથી આયુર્ પણ ઓછું ભોગવી શકે છે. મોટા શહેરમાં જવું પડે છે, અથવા પવિત્ર આર્ય ભૂમિને ત્યાગ કરી દૂર દૂરના ટાપુઓમાં જવું પડે છે. તેમાં પણ શક્તિ અને સાધન સંપન્ન ફાવી શકે છે, પરંતુ નબળાપિચાને મરેજ થાય છે. કેઈ ફાવે તેને સે જોઈ શકે, અને તેનું અનુકરણ કરે પરંતુ કેટલા નામશેષ થઈ ગયા તેને હિસાબ કોણ રાખે? આમ એક જાતનું સંક્રમણ ચાલી રહ્યું છે. આ સંક્રમણનેજ અંગે લેકો આગળ વધવા માટે વ્યવહારના ઉંચા ધોરણમાં દાખલ થવા માટે–જ્ઞાન મેળવવા (જ્ઞાન મેળવવાની તે માત્ર શાબ્દિક ભાવના હોય છે) ખાતર અર્થાત્ ઓછામાં ઓછું વાંચવા લખવાની તાલીમ મેળવવા માટે દોડે છે. લેકે (હિંદુસ્થાનમાં જ્ઞાની પુરૂએ જ્ઞાનની જે પ્રતિષ્ઠા ઉત્પન્ન કરી છે, તેને ધ્યાનમાં લઈને તેના તરફની ભક્તિથી) આ પરિસ્થિતિને જ્ઞાનને નામે નભાવી રાખે છે, તેના તરફ દોરાય છે. વસ્તુતઃ એ દોરવણી ઉંચે લઈ જવામાં આવેલા વ્યવહારના ધરણેને ગર્ભિત રીતે કબૂલી લે છે. જે બીજા ઘણુઓને ઘાતક થઈ પડે છે, માટે હિંસામૂલક હોવાથી આ દોરવણને જ્ઞાન એવું નામ આપવા કરતાં અજ્ઞાન–અવિદ્યાજ કહી શકાય. માટે જ અમે આ ગ્રંથમાં જ્ઞાન અને કેળવણીને જુદા પાડ્યા છે. ' લખવા વાંચવાનું જ્ઞાન મેળવવા અને તેથી પણ વધારે જેટલુ મેળવાય તેટલું મેળવીને વ્યવહારમાં સની સાથે જેટલું રહી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #66 -------------------------------------------------------------------------- ________________ શકાય તેટલું રહેવાની લાલસાથી પ્રજા દોડી રહી છે, અને સંસ્થાઓમાં દાખલ થતી જાય છે. પછી તે સહકારી સહકારી, રાષ્ટ્રીય પ્રજાકીય, ધામિક વ્યાવહારિક, દરબારિ સ્કુલ કે ગુરુકુળ, બોડિગ કે ભુવન, પાઠશાળા કે મસા, કોલેજ કે મહાવિદ્યાલય, શિક્ષણમંદિર કે જ્ઞાનમંદિર, જુની ઘરેઠ પ્રમાણે ચાલતી હોય - કે નવી ઘરેડ પ્રમાણે ચાલતી હોય, શિક્ષણના સૂમ નિયમ પર ચાલતી હોય કે સ્થૂલ નિયમો પર ચાલતી હોય; ગામડામાં હેય, કે શહેરમાં હોય, પર્વતની ટેકરી પર હોય, કે નદી કિનારે હોય, જંગલમાં ચાલતી હોય કે વેરાન પ્રદેશમાં ચાલતી હોય, દેશીની હોય કે ખ્રીસ્તી પાદરીની હાય, આશ્રમ નામ નીચે ચાલતી હોય કે નિકેતન નામ નીચે ચાલતી હોય, પરંતુ તે દરેક માં સંખ્યાબંધ વિદ્યાથીઓ ઉભરાઈ રહ્યા છે. અને છેલ્લા ૫વચ્ચીસ વર્ષમાં વિચાર કરીશું તે આપણામાં પણ ૩૦-૪૦ સં સ્થાઓ જોતજોતામાં થઈ ગઈ છે. અને દિગબંર સ્થાનકવાસી વિગેરેની સાથે ગણના કરીએ તે જેના નામ સાથે જોડાયેલી સે. ઉપરાંત સંસ્થાઓ જુદા જુદા નામ અને ઉદેશના લખાણ નીચે ચાલુ થઈ ગયેલી છે. ભલે નામ ગમે તેવું રાખ્યું હોય, તેના બંધારણમાં ઉદ્દેશ ગમે તેવા અક્ષરે લખ્યું હોય પરંતુ દરેકનું પરિણામ એકજ આવ્યું છે. કારણ કે એકાએક ઉત્પન્ન થવાનું જે કારણ હતું તે દરેકનું સમાન હતું એટલે પરિણામ પણ સમાજ આવે, તેમાં નવાઈ શી? જ્યારે એક પણ સંસ્થા નહોતી મારી ધારણ પ્રમાણે આપણામાં સૌથી જુની સંસ્થા મહેસાણા પાઠશાળા છે કે જે માત્ર ધાર્મિક શિક્ષણ આપવાના ઉદ્દેશથી જ સ્થપાઈ હતી. અને પછી તે પાઠશાળાઓ, બાઈ વિગેરે રૂપમાં અનેક સંસ્થાઓ ઉત્પન્ન થઈ ગઈ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #67 -------------------------------------------------------------------------- ________________ અહીં વેણચંદભાઈ કહે છે કે જ્યારે પ્રજા ઉત્થલપાથલે હડી છે અને કોઈ ને કઈ રીતે ઘેરથી નીકળે છે, ત્યારે ડી ઘણી સંખ્યા આપણે પકડી પાડીએ અને ધાર્મિક ભણાવી તૈયાર કરીએ તેમાં ખોટું શું ? કેટલાક બીજું જ્ઞાન મેળવશે, ત્યારે તે સંખ્યામાં આવા કેટલાક માણસો પણ ભળશે, એટલે કાંઈક ને કાંઈક ધર્મની પ્રક્રિયા ચાલુ રહેશે, અને સામાન્ય સ્થિતિના હશે તેને ધંધો પણ મળશે. આપણે ઠામઠામ જૈનશાળાઓ સ્થાપીને ધંધો પણ આપી શકીશું. વળી એક એક ઠેકાણે નક્કી કરીને મૂકેલ જૈનશાળાને માસ્તર ધાર્મિક અમલદાર તરીકે કામ આપશે, ગામનું સ્થાનિક ધાર્મિક વાતાવરણ જેમ બનશે તેમ જાળવી રાખી શકશે. આમ એક પ્રવૃત્તિથી બે ત્રણ હેતુ સધાશે અને સાધર્મિક ભાઈઓને ઠેકાણે પાડવાનું કર્તવ્ય બજાવી શકાશે. આવી અનન્ય ભાવનાથી તેઓએ પોતાનું જીવન હેમી દીધું. અલબત્ત-આથી ઝપાટાબંધ તૂટતી જતી ધર્મભાવના, પલટાતી સ્થિતિ, વધતી જતી નિસ્તે જતા અને સ્થાનિક વિષમતાનો તે કશે ઉપાય થતજ નથી. તે તે ધમધોકાર વચ્ચે જ જાય છે. તેના ઉપાય તે હજુ વિચારવાના અને અજમાવવાના બાકી જ છે. માત્ર એટલો જ અર્થ થાય છે કે લુંટ ચાલી છે, તેમાંથી લઈ જતાં જે ડું ઘણું વેરાય છે, તેને માત્ર સંગ્રહ કરી સંચય કરવામાં આવે છે. એટલું પણ ઠીક છે. પરંતુ લુંટ અટકાવવાના તે પ્રયત્નને સાચો પ્રયત્ન માની લેવામાં આવે, તે અર્થનો અનર્થ થઈ જાય. કારણ કે બેટે હથિયારે લડતાં સાચા ઉપાય શોધવાની જિજ્ઞાસા જ ન જાગ્રત થાય. માત્ર વેણચંદભાઈને પ્રયત્ન જે રીતે સ્તુત્ય છે, તે રીતે વધાવી લેઈ તેને ગ્ય રીતે ઉપયોગ કરવું જોઈએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #68 -------------------------------------------------------------------------- ________________ અર્થાત વેણચંદભાઈના આશયમાંથી એજ તત્વ મળે છે કે –“ ગમે તે સ્થિતિ ચાલતી હોય, ગમે તે પરિસ્થિતિ ચાલતી હોય, તે કુદરતી દેશકાળની પરિસ્થિતિ પ્રમાણે હોય કે કૃત્રિમ રીતે ઉભી થયેલી હોય, એમ ગમે તે કારણે હોય તે વિચાર વિદ્વાને, આગેવાને અને મુનિમહારાજાઓ ભલે કરે. મારૂં તે ગજું નહીં. મારે તે એકજ ધર્મ છે કે જે સમયે, વર્તમાન સમયે-જે ભાઈ જ્યાં હોય, જે પરિસ્થિતિમાં હોય, તે દેશમાં હોય કે વિદેશમાં વસતા હોય, તે નવા પોષાકમાં હોય કે જુના પોષાકમાં હૈય, તે જુના વિચારના હોય કે નવા વિચા૨ના હાય, તે મુનિ હોય કે ગૃહસ્થ હોય, ગરીબ હોય કે તવંગર હોય, પરંતુ જેમ બને તેમ અને જેટલી રીતે થઈ શકે તેટલી રીતે પ્રયત્ન કરીને દરેકની આજુબાજુ વીતરાગ ધર્મનું વાતાવરણુ ફેલાવવું, તેને સંદેશો પહોંચતે કરે અને તેના દિલમાં જે શ્રદ્ધા-વાસના હોય, તે તેને પલવિત કરવી. જે ઝાંખી ન પડે, નષ્ટ ન થાય. અને ન હોય તેનામાં નવી ઉત્પન્ન કરવી, અને તે વ્યક્તિ પોતાનું ઈ-પારલકિક હિત સમજે અને આચરે. આ એકજ તત્વને વળગી રહેવું. એજ મારે જીવન્મત્ર છે. પછી તે મહેસાણા પાઠશાળાથી સિદ્ધ થાય, પુસ્તકો છપાવવાથી સિદ્ધ થાય, જેનશાળાઓ સ્થાપવાથી સિદ્ધ થાય, સૂકમ બેધ પ્રકરણની પાઠશાળા સ્થાપવાથી સિદ્ધ થાય, કેળવણી ખાતું અને શ્રેયસ્કર મંડળ સ્થાપવાથી સિદ્ધ થાય, ગમે તે રીતે સિદ્ધ થાય તેની સાથે મારે વધારે તાત્પર્ય નથી. સારાંશ કે-વ્યાવહારિક શિક્ષણને માટે તે તે સંસ્થાઓ છે, અને નહીં હોય ત્યાં ત્યાં સ્થાનિક લોકો ધંધા અને વ્યવહારને અંગે જરૂરીઆત પુરતી સંસ્થા ખેલશે એટલે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #69 -------------------------------------------------------------------------- ________________ ૬૭ તે જવાબદારી તેમના ઉપર રહેવા દઈ માત્ર ધાર્મિક અને શાસનને લગતી જ પ્રવૃતિઓ ઉપાડી લેવાનું કામ આ સંસ્થાએ કરવાનું છે. જે આ સંસ્થાને પણ વ્યાવહારિક સાથે મિશ્રિત કરી નાખવામાં આવશે તે ઉપરના કાર્ય માટે કોઈ જૂદા સાધનની અપેક્ષા રહેશે જ. માટે તેમ થવા ન દેતાં જેમ બને તેમ ધાર્મિક જરૂરિયાતને પુરી પાડનારી સંસ્થા તરીકે જ આ સંસ્થાઓને ઉપયોગ કરવો જોઈએ. એટલે કે જ્યાં જ્યાં એક પણ જૈન કુટુંબ કે વ્યક્તિને વસવાટ હોય, દૂર કે નજીક દેશ કે પરદેશ, પરંતુ તે સર્વ સ્થળે-તેની જન ધર્મ તરફની ફરજ, વીતરાગ ધર્મનું આરાધન કરવાના ફાયદા, તે વિષેનું જ્ઞાન વિજ્ઞાન–દેવ ગુરુ અને ધર્મ તરફ વલણ, સંઘના જવાબદારીના સવાલમાં ઉપેક્ષા દૂર કરીને બનતું કરી છૂટવાની વૃત્તિ ઉત્પન્ન થાય, તે રીતે તેના કાન પર અવાજ અથડાબે જવા જોઈએ, વાતાવરણ ફેલાવે જવું જોઈએ. ઉચિત સાધને પણ પુરા પાડવાની સગવડ કર્યો જવી જોઈએ. જ્યાં જ્યાં કોઈ પણ જૈન વ્યક્તિ સૂક્ષ્મ તત્વજ્ઞાન મેળવતી હોય ત્યાં તેને તેનાં સાધનો પુરાં પાડવાં જોઈએ, જૈન મંદિર અને ઉપાશ્રયના ધાર્મિક વાતાવરણમાં પ્રકાશ રહ્યા કરે તેવી યોજનાઓ પુરી પાડે જવી જોઈએ. વિગેરે વિગેરે કાર્યોને લગતી પ્રવૃત્તિ તરફ આ સંસ્થાઓનાં નાણાં અને શક્તિનો વ્યય થ જોઈએ. આપનારાઓ પણ આ ઉદ્દેશથીજ નાણાં આપે છે અને આપ્યા છે. પછી તે સ્પષ્ટ હોય કે ગર્ભિત હાય. અને સંસ્થાઓ સ્થાપવાને અને ચલાવવાને વેણચંદભાઈને ઉશ પણ એજ છે. માટે તે રીતે જ તેને ઉપયોગ થ જોઈએ. નહીં કે બીજી રીતે. એ નાણુઓને, એ શક્તિઓને એ રીતે ઉપગ કરવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #70 -------------------------------------------------------------------------- ________________ ઘૂંટ છતાં કેટલીક ખાખતેામાં ઘણીજ દીર્ઘ દ્રષ્ટિ વાપરીને અત્યન્ત સાવચેત રહેવાની જરૂર છે. તેનું માત્ર દિગ્દર્શન કરાવીને આ પ્રકરણ પુરૂં કરીશું— ૧ હાલના જમાનાની રુઢ અને કાયદાને અનુસરીને ટ્રસ્ટડીડ કરાવવામાં સંઘના પ્રાચીન બંધારણ તથા કાયદાઓ અને સ ંસ્થા વચ્ચે અંતર વધે છે. તેથીજ ધમ અને પ્રજાના એકાન્ત હિત અને સંસ્થા વચ્ચે પણ અંતર પડશે. અર્થાત્ સંસ્થા હિત નહી સાધી શકે. વળી જે સમાજની તે સસ્થા છે તેમાં વિશ્વાસલાયક વ્યક્તિએ ન હાવાનું, ટ્રસ્ટડીડ કરાવનારી તે સમાજનીજ અગ્રગણ્ય વ્યક્તિએ ભુલ કરે છે, એવું ગભિ ત રીતે સાબિત થાય છે. અને પેાતાની સમાજના બધા માણસોના વિશ્વાસ કાર્ય વાહકા ઉપર નથી, એવું પણ ગર્ભિત રીતે સ્વીકૃત થાય છે. એક સસ્થાનાં નાણાં અને કાર્યવાહી બચાવવા જતાં કાયમને માટે આ લકે ગર્ભિત રીતે વ્હારી લેવામાં આવે છે. તેથી ભવિષ્યમાં સમાજને ઠામ ઠામ શેષવું પડશે અને ધાર્મિક ખાતાઓ જોખમમાં પડશે. આમાં ફાયદા કરતાં ભાવિ નુકશાન વધારે સમજાય છે. માટે આ માખત અહીં આટલું દિગ્દર્શન કરવું પડ્યું છે. એમ કર્યા વિના માત્ર નાણાંની સુરક્ષિતતા તથા કાર્યની ક્કસ નીતિ જાળવી રાખવા માટે સમાજમાંથીજ એવા ચેાગ્ય વિશ્વાસલાયક ગૃહસ્થાશે ધી ફાઢવા જોઇએ કે-જેએની જવાબદારી ઉપર ધુ રહે, તે કશા વાંધા નહી આવે. થાડી વ્યક્તિઓના વિરુદ્ધ વિચારા ચલાવી લેવા સારા, પરંતુ ટ્રસ્ટડીડ કરાવી આખી સમાજમાં અવિશ્વાસનું ધેારણ સ્વીકારી લેવું તે વધારે જોખમ છે. અને એવી લાયક થેડી પણ વ્યક્તિએ આપણામાં નથી, એમ કબુલવામાં તે સમાજ પ્રત્યે ભારે અવિશ્વાસ ગણાય. પરંતુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #71 -------------------------------------------------------------------------- ________________ તદ્દન તેવી સ્થિતિ નથીમાત્ર થોડા પ્રયત્ન કરવાની જરૂર રહે છે. તે વ્યાજબી પ્રયત્ન થવો જોઈએ. જે કોમ મહાજન તરીકે-ગામેગામના ટ્રસ્ટી તરીકે જાહેર છે પ્રજામાં વિશ્વાસપાત્ર સ્થાયિ જમાવટ પાડેલી વિશ્વાસપાત્ર કેમને પોતાના ખાતા માટે બીજા પાસે વિશ્વાસ સ્થિર કરાવવું પડે એ બહુ ખુશી થવા જેવું તે નથી જ. પછી તો જેને જે રૂચે તે ખરું. તેમાં બહુ આનંદ માનવા જેવી વાત નથી એ ચોક્કસ. ૨ સંસ્થાની હેડ ઓફીસ મહેસાણામાં જ રહેવી જોઈએ. બ્રાંચ ભલે મુંબઈ રહે, નાણુંના ઉત્પન્ન માટે નાણું ભલે મુંબઈ વિગેરે જ્યાં ગ્ય સ્થળ તજરેને ઠીક લાગે ત્યાં રહે. પરંતુ હેડઑફિસ તે મહેસાણાજ રહે ત્યાં સુધી વધારે ઉત્તમ પ્રકાર છે. આપણુ દરેક બાબતનાં ખાતાંઓની હેડ ઓફિસનું મથક મુંબઈને કરી નાંખવાને એ અર્થ છે, કે-જે દેશના સ્થાનિક લેકમાં કામકાજ કરવાની શક્તિ ઘટતી જાય છે, એ તેને ગર્ભિત અર્થ છે. આપણે તો એવું જ ઈચ્છીએ કે મુંબઈમાં પણ કાર્યકરનારાઓની શક્તિ રહે, અને દેશમાં પણ રહે. હેંડ - ફીસ છતાં મુંબઈ લઈ જવી ઘટે તે એટલી અશક્તિ કબુલ કરી લેવી જોઈએ, બીજું શું ? પછી ભલે ત્યાં વધારે સગવડનું બાનું મળી જાય. પણ અહીં તે પ્રમાણે સગવડ નથી, એટલી અશક્તિ તે ખરીજ. માટે જ્યાં સુધી તેમ ન થાય ત્યાં સુધી ઉત્તમ છે. ૩ કેળવણું ખાતાનો ઉપયોગ જૈન જ્ઞાન અને તેમાં પણ જેમ બને તેમ સમ્યગ જ્ઞાનને સમ્યગ રીતે પ્રચાર થાય તેમાં જ થવું જોઈએ. નહીં કે કેળવણી એટલે ગમે તે જાતની કેળવણમાં તને ઉપયોગ થવો જોઈએ. અલબત્ત કેળવણી શબ્દને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #72 -------------------------------------------------------------------------- ________________ વ્યવહાર કાય વાહકોએ રાખ્યા છે, પર`તુ નાણાં ભનારના, ઉપદેશક મુનિમહારાજાઓના અને ધર્મમૂત્તિ કાર્યકર્તા વેણીચંદભાઅને એકંદર હૃદયના શે! હેતુ અને આશય છે ? તે વધારે પ્રમાણભૂત છે. જૈનવિજ્ઞાન એટલું બધું વિશાળ અને જગત િતકર છે કે તે છે તેટલા જૈનેામાં ખરાખર વ્યાપ્ત કરવાને અને જીવનાં જીવતું કરવાને અબજો રૂપિયાના ખર્ચે પણ પુરૂં પહોંચી વળાય કે કેમ ? તા પછી આટલી રકમથી શું થાય? તાપણુ જે છે તેના ઉપયાગ તેમાંજ થવા જોઇએ. ૪ એજ રીતે જેમ શ્રેયસ્કર મડળનાં નાણાના ઉપયાગ જૈન ધર્મનાં શ્રેય: કરવામાંજ થવા જોઇએ. જૈન એવી કાઈ કામ નથી. જૈન એ માત્ર ધર્મ છે. અને જૈન કામેા કહેવાય છે, તેના અર્થ જૈન ધર્મ પાળનારી કામે એવા છે. માટે આ ખાતું જૈનધર્મ –જૈનદર્શન, જૈનશાસનના હિતને માટેજ છે, યદ્યપિ ધર્મના સ્થાયિપણામાં કામેાને લાભ છેજ. આજની સ્થિતિમાં ધમ વ્યવસ્થા હશે તે કામે ગર્ભિત રીતે વ્યવસ્થિત હેાવાનીજ. શિખર ખરાખર વ્યવસ્થિત હશે તેા મંદિર હજી ઉભું છે, એમ તા સાબિત થશે જ. માટે ધર્મ એ પ્રજાજીવનનું શિખર છે, કેન્દ્ર છે, સર્વ જીવનની પ્રતીક છે. તેથી જેમ બને તેમ તેની વાસ્તવિક તેજસ્વિતા અને નિસ્તેજતા ઉપરથી જ ભારતવર્ષમાં પ્રજાની આખાદીના વિચાર કરાય છે. નહીં કે માટા રાજમહેલે કે માટી હવેલીઓ ઉપરથી આંક કાઢવાના છે. ઝુપડામાં પણ આદર્શ ભારતીય આનું જૈન જીવન ચમકી શકે છે. અલબત્ત, જૈનધમ અને શાસનના શ્રેય: માટે ધ્યાન આપવાની જરૂર છે, તેમ ફીમ સમાજ કે પ્રજા માટે ઉપેક્ષા કરવાની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #73 -------------------------------------------------------------------------- ________________ ૭૧ છે, એમ સાબિત નથી થતું. કારણ કે-એ પણ ધર્મનાં અંગે છે. જેમ અંગીની મરામત આવશ્યક છે, તેમ અંગેની પણ મરામત આવશ્યક છે. અને જે આપણુથી પહોંચી વળી શકાય તે એકેએક અંગની સંભાળને પહોંચી વળવું જોઈએ, અને તેને ખૂબ મજબૂત તથા તેજસ્વી કરવું જોઈએ. તોપણ યથાશક્તિ તેમાં ભાગ લેવા વિના અંગી શી રીતે ટકી જ શકે? એ પ્રશ્ન છે. અને તેને ઉત્તર એ છે કે–એ કામે કરવા માટે અમારે બીલકુલ નિષેધ નથી પરંતુ તે બીજા હાથ પર સામાજિક, કેમી કે પ્રજાકીય સવાલ તરીકે હાથ ધરાવા જોઈએ. અને તેને ઉકેલ તે રીતે લાવવા જેટલા બને તેટલા પ્રયત્ન કરવા જોઈએ. પરંતુ બન્ને સવાલો અનાવશ્યક સેળભેળ ન થઈ જવા જોઈએ. ભેદભેદ છે. એટલે જેટલે અભેદ છે, તેટલો તે પ્રત્યક્ષ કે જોઈએ, અને જેટલો ભેદ છે, તેટલો તે પ્રત્યક્ષ થવો જોઈએ. એકાંતથી ભેદ અથવા એકાંતથી અભેદ કરી નાખવાથી ભારે જોખમે છે. જૈન એ ધર્મ છે, નહીં કે કેમ છે. એ રીતે ભેદ છે. અને ધાર્મિક જીવન તથા સામાજિક કે કેમી જીવન એ બન્ને પ્રજાનાં અંગ છે. એ રીતે અભેદ છે. માટે આ ખાતું મુખ્યપણે ધર્મના શ્રેય: માટે ઉપયોગમાં આવવું જોઈએ. તેથી સામાજિક કામ માટે બીજાં ખાતાંઓ હોય કે સ્થાપવા આવશ્યક હોય તેને ઈન્કાર થતું નથી. ૫ સંસ્થાનું કામકાજ એટલું પ્રકાશમય રીતે ચાલવું જેઈએ કે-જે ખાતાઓમાં જે જે નાણુ છે, તેને ઉપયોગ જ્યાં જરૂર જણાય ત્યાં ઉદ્દેશને ધ્યાનમાં રાખીને એવી રીતે ખર્ચાવા જોઈએ કે ઉત્તરોત્તર તે ઉદ્દેશ પાર પડવા સાથે યથાશક્તિ નવાં નાણાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #74 -------------------------------------------------------------------------- ________________ R મળ્યાજ કરે, જેમકે-સાધુસાધ્વીનું ઔષધ ખાતું-જ્યાં કાઇ પણ ઠેકાણે આ શ્રમણુવ ગ્લાન કે રુજ્જુ હાય તે સ્થળે જો સ્થાનિક મદદ ખરાખર ન પહોંચી શકતી હાય તેા આ ખાતાએ ત્યાં પહોંચી વળવું જોઈએ. ફ્રાઈ કાઇ વખતે કાઇ કાઇ મુનિને મહારાગ થાય છે, અને કેટલીક વખત તે લંબાય છે. ભારે કિ ંમતી દવાઓ કરતાં સારવારની વધારે અગત્ય હાય છે,ત્યાં સ્થાનિક કામ કરનારાએ પૈસે ટકે ન પહેાંચી વળે તેવી સ્થિતિ હેાય ત્યાં આ ખાતાએ પહેાંચી વળવું જોઇએ. જો કે સ્થાનક લાકે પહેાંચી વળે, જેમ અને તેમ ઓછા ખર્ચે જેટલું કરે તેટલું કરવા દેવું, એ ઉત્તમ આદશ છે. તેમાં વચ્ચે વધારે સગવડ આપવા જવું એ તેને તેાડવા બરાબર છે, તેને ઝાંખા પાડવા બરાબર છે, અને તેમ થવા દઈએ તેા પાછળથી પસ્તાવું પડે, કારણ કે બધે ઠેકાણે કેન્દ્રિત ખાતું તે ન પહોંચી વળી શકે. તાપણુ આદર્શની વાત કરીને ખાતું પ્રમાદ ન સેવી શકે. સંસ્થાનું ધ્યાન તે પહેાંચવુંજ જોઇએ કે અમુક સવાલ સ્થાનિક લેાકેાએ ઉપાડી લીધા કે કેમ ? પછી જરૂરિયાત ન હોય તે ભલે મદદ ન કરવી, પરંતુ જાગૃતિ તેા જોઇએજ. જો સસ્થામાં તે ખાતું એ તા, ન હેાય તા કાઈ ન પૂછે. આ રીતે જાગતી સ્થિતિમાં કામ થાય તા નાણાં પણ અવશ્ય મળે તેમાં શે સંશય છે? તેવીજ રીતે સૂક્ષ્મ એધ પાઠશાળાનાં નાણાંના ઉપયોગ જ્યાં જૈને જૈન તત્ત્વાના સૂક્ષ્મ વિચાર કરતા હાય, ખાસ ગ્રંથાના અભ્યાસ કરતા હાય, ત્યાં એ નાણાં પહેાંચી જવાં જોઈએ. અલબત્ત અભ્યાસકની દનશુદ્ધિ વિગેરે તત્ત્વાની ગવેષણાની આવશ્યકતા રહેતી હાય તા તે કરીને પણ તેના ઉપયાગ થવા જોઇએ. આ માત્ર દાખલા આપ્યા છે. પરંતુ આ દાખલા ઉપરથી ખીજા બધાં ખાતાંઓ માટે સમજી લેવું જોઇએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #75 -------------------------------------------------------------------------- ________________ ૭૩ નાણાંની રાકાત જેમ બને તેમ જૈન ભાઈઓને ધંધામાં મદદ કરે તેવી રીતે થઇ શકે તેા વધારે ઉત્તમ. કારણ કે આપણાં નાણાંથી એકા વધારે જોરમાં આવે છે, તથા તે આપણને ન ધીરતાં કંપનીઓને ધીરે છે. તેથી કંપનીઓ વધારે જોરથી વેપાર કરી શકે. અને તે જોરનું આપણા વેપારીએ ઉપર આડકતરૂં દબાણુ આવેજ. અને સાથે મૂડીની સગવડ નહીં. આ બન્ને મારાથી આપણા વર્ગને તૂટવું પડે છે. માટે જે આપણાં નાણાંને ઉપભાગ તેમને મળે તેવા ખ્યાલ રખાય તે સારૂં. આ ઉપરથી નાણાની સુરક્ષિતતામાં ઉપેક્ષા કરવી, કે જૈન ગૃહસ્થાને નાણાંના પેાતાના અંગત ઉપયાગ વિષેની ચૈાગ્યતા યાગ્યતાને ખ્યાલમાં ન લેવી તથા જૈન બેંક કાઢવી, એવી કશી ભલામણ કરતા નથી. ૬ આજે અભ્યાસ કરનારાઓની સ ંખ્યા ચારે તરફ્ ઉલરાઈ રહી છે, પરંતુ શુદ્ધ દ્રષ્ટિથી જૈન ધર્મનાં તત્ત્વાને અભ્યાસ કરનારી સંખ્યા અહુજ જીજ છે, અર્થાત્ નહીં જેવીજ કહી શકાય. કારણ કે ગૃહસ્થે ની જ્ઞાન તરફ જે ભક્તિ હતી તે ભકિત માત્ર હૃદયમાં હતી. કારણ કે તેઓ એમ માનતા હતા કે ' આપણે વ્યવસાયી હાવાથી જ્ઞાન મેળવી શકતા નથી, પણ જેએ મેળવે છે તેમને ધન્ય છે.” પરતુ તેમના સ ંતાના જમાનાના વાતાવરણને લીધે ભણવા તક્ વળ્યા, પરંતુ તેઓએ મુખ્યપણે બાહ્ય જ્ઞાન, અને બાહ્ય જમાનાના 'સ્કાર ઝટ લીધા. તેમાંજ વણાઈ ગયા. અને બાકી વધારે પૈસા મેળવવાની લાલસા, ટાપટીપ, ખર્ચાળ જીવન વગેરેમાં જીવન હામાઇ ગયું. એટલે માત્ર યુદ્ધ ઉંડા તત્વજ્ઞાનની દ્રષ્ટિથી સંગીન તલસ્પર્શી અભ્યાસ કરનારાએની સખ્યા અહુજ જીજ હશે એમ કહી શકાય. પછી મધ્યમ વર્ગ–તેને પાતાની જરૂરિયાતને પહોંચી વળવાની ઉપાધિ હાય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #76 -------------------------------------------------------------------------- ________________ હવે રહ્યો તદ્ન છેલ્રો સામાન્ય વર્ગ–જેને પેટની પડી હાય. તે ભણવા આવે, પરંતુ તેને તેમાંથી પેાતાના પ્રથમ અને મુખ્ય પ્રશ્ન ઉકેલવાના હૈાય. આ સ્થિતિમાં તેમની પાસેથી તલસ્પશી અભ્યાસની આશા રાખવી વ્યર્થ, અથવા તેમ થાય તાપણુ સમાજપર તેની છાપ જોઇએ તેવી પડે નહિ. અને તે બન્નેય ઉદ્દેશોને મેટી સંખ્યામાં વિદ્યાથી ઓને રાખવાના લેાભથી સંસ્થાના ચાલકેા નાણાં અને સાધનાથી પહોંચી વળતા નથી, અને થાડાને પહેાંચી વળી શકે, પણ સંખ્યા વધારે રાખવાની પ્રતિષ્ઠાના ચેપથી બચી શકતા નથી, વધારે સખ્યાથી વધારે સંખ્યાને પાળી પોષી શકાય, પરંતુ ખધાને સ ંગીન વિદ્વાન્ તા નજ મનાવી શકાય. થાડી સખ્યાને સંગીન અનાવવામાં વધારે લાભ છે કે માટી સંખ્યાને સામાન્ય જ્ઞાન આપવામાં વધારે લાભ છે? આ માટા વાદ છે. વિદ્વાનામાં આ પ્રશ્ને ભારે ગુંચવાડા ઉભે કર્યો છે. તાપણુ અહુજ વિચારને અંતે નક્કી કરી શકાય છે કે-આપણને હાલ જેમ સંગીન તૈયારી તેમ વધારે લાભ છે. પછી તેની મેટી સંખ્યા હાય તેા વધારે ઉત્તમ. પણ છેવટે નાની સંખ્યા હાય તાપણુ પ્રમાણમાં પરિણામે સામાન્ય તૈયારીવાળાની માટી સખ્યા કરતાં વધારે ફાયદા છે, એ ચેાક્કસ સિદ્ધાંત છે. એટલે હવે તેા આ સંસ્થામાં એવી એકાદ બે વ્યકિત તા ચા કકસ હેાવીજ જોઇએ કે જે આખા સમાજમાં સારામાં સારા વિદ્વાન્ હાય. એટલે જ્ઞાનની સર્વ શાખા પ્રશાખામાં તૈયાર હાય. જ્યારે પ્રસંગ ઉપસ્થિત થાય ત્યારે કામ આવી શકે. અહીં એટલું યાદ રાખવું કે આ આદર્શ સ્થિતિ નથી, પર ંતુ શરૂ કરેલા કામની માત્ર ગતિ વિચારીએ છીએ. આદશ તા એ છે કે-સમથ ચારિત્રપા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #77 -------------------------------------------------------------------------- ________________ કપ આચાર્ય અને મુનિઓ ઉત્પન્ન કરવા જોઇએ. શાસનના ખર આધાર તેમના ઉપર છે. આ રીતે વિદ્વાન્ વ્યકિતએ તૈયાર કરવાથી અનાજ અને પરાળના ન્યાયથી વચ્ચે શિક્ષકે ઉપદેશકેા વિગેરે મધ્યમ કા - કત્તાવર્ગ મળીજ રહેશે. ૭ જેમ અને તેમ અભ્યાસમાં-પાઠશાળામાં અને સર્વત્ર પ્રાચીન પૂર્વાચાર્ચની કૃતિના ગ્રંથાના ઉપયોગ થાય તે વધારે ઈષ્ટ છે. કારણ કે તેમાં વચ્ચે ખીજાને ઘુસાડવાથી તેનું સ્થાન ખસી જશે. અથવા ઘણે ઉંચે સ્થાન ચાલુ અભ્યાસક્રમમાંથી ખસી જશે. અને બીજું તેએના પવિત્ર આત્મા સાથે શબ્દાદ્વારા જે સીધે સબંધ બંધાય છે, તે ખીજી કઇ રીતે શક્ય નથી. ગમે તેવા વિદ્યાન થવા છતાં મહાત્મા પુરૂષોના હૃદયના રસના છાંટા તેમાં ન પડે તે ઘી વગરના ખારાક જેવું બધું જ્ઞાન લુખુ છે. માટે તેમનીજ ભાષામાં અને તેમનાજ શબ્દોમાં જે લખાયું હાય તે દ્વારાજ અભ્યાસ કરવા જોઇએ. કારણ કે તેમના શબ્દો અને પરિભાષાઓ અને રચનાએ તેમના હૃદયમાંથી રસ બહાર નીકળવાની નીકો છે. તે દ્વારા અભ્યાસીઓના હૃદયમાં તે વસી શકે છે. આ તત્ત્વ ધર્મ પ્રચારકોએ અને હિતચિતકાએ ભૂલવું નથી જોઇતું. તેએાના ગ્રંથાના રહસ્ય સુધી પહેાંચવા માટે વળાવા તરીકે ઉપયેાગમાં લીધેલાં ખીજા' પુસ્તકા કદાચ ઘરધણી થઈ ન બેસે તેની સાવચેતી રાખવાની જરૂર દે. એટલી સાવચેતી રાખ્યા પછી વળાવા તરીકે લેવામાં વાંધા નથી. અને જો પૂર્વાચાર્યોના ગ્રંથાના અભ્યાસ વિષે અશકિત વધી ગઈ છે, એમ કબૂલ કરી લેવામાં આવે તાપણુ તેની છાયા પાડે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #78 -------------------------------------------------------------------------- ________________ ૭૬ તેવાજ ગ્રંથ તૈયાર થવા જોઈએ, નહીં કે છીંછ. કોઈ પણ જોતાંની સાથે જૈનવિજ્ઞાનની અપૂર્વતા જોઈ શકે. તેના દિલમાં ચમત્કાર લાગ જોઈએ. નહિ કે તેને વિષે તેને અને રોગ્ય અથવા નજીવે અભિપ્રાય બંધાય કે ઉપેક્ષાની વાત ઉત્પન્ન થાય. તેવું ન થવું જોઈએ. - ૮ ધર્મ એ જીવનમંદિરનું શિખર છે, માટે તેને લગતી સંસ્થા સર્વ સંસ્થાઓ કરતાં અતિશયવંત હોવી જોઈએ. તેનું તેજ ઝાંખું ન હોવું જોઈએ. બીજી જૈન સંસ્થાઓ ધર્મને કેવું સ્થાન આપે છે, તેની તપાસ કરવી જોઈએ. તેઓને માટે માર્ગ નકકી કરવા જોઈએ. અને દરેક સામાજિક (વ્યાવહારિક) શિક્ષણની સંસ્થાઓમાં પણ ધર્મ કેન્દ્ર રૂપે વિરાજમાન છે કે નહીં, તેને તપાસ કરીને તે સંસ્થા માટે ધર્મની બાબતમાં પિતાને અભિપ્રાય પણ આ સંસ્થાએ જાહેર કર જોઈએ. જે સર્વને માન્ય રહે જોઈએ. ફરીથી યાદ કરાવું છું કે આ સંસ્થા જૈન તત્ત્વજ્ઞાનના આદિથી અંત સુધીના અભ્યાસને માટે હેવી જોઈએ. જે તે જરા પણ ભેળસેળ કરવા લલચાશે તે તેની ગાડી બીજે પાટે અહડી જશે. પછી પરિણામે મુંબઈ જવાને બદલે તે કલકત્તાના હાવરા સ્ટેશન પર જઈને ઉભી રહેશે ત્યારે માલુમ પડશે કે “અરે! આપણે અહીં તે હેતું આવવું ને? હવે શું થાય ? બે દિવસનું વચ્ચે આંતરું પડી ગયું. લાભ મળવાના કેસની મુદત ગઈ કાલે વીતી ગઈ. એકતરફી કેસ ચાલીને કેટલું નુકશાન થયું હશે ? હવે કાંઈ ઉપાય જ હાથમાં નથી રહેતું.” એવું થશે. બાકી તત્ત્વજ્ઞાન મેળવનારાએને એવી રીતે તૈયાર કરવા જોઈએ કે-તે વ્યવહારથી અજ્ઞાન ન રહે. કારણ કે તે શિક્ષણમાં ગર્ભિત રીતે વ્યવહાર આવીજ જ જોઈએ. એ યુક્તિથી અભ્યાસ થાય, એટલું જ નહીં પરંતુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #79 -------------------------------------------------------------------------- ________________ ૭૭ તેને વ્યવહાર પણ સર્વાતિશાયી હોવા જોઇએ. પ્રાચીન તત્ત્વજ્ઞાનના અભ્યાસથી વ્યવહારમાં શૂન્ય રહેવાય, એમ માની લેશું તે શ્રીમદ્ હેરચંદ્રાચાર્ય વગેરે સંખ્યામાંધ નાની ઉંમરમાં દીક્ષા લઇ માત્ર શાસ્ત્રીય ગ્રંથેાના અભ્યાસ કરનારાઓને વ્યવહારશૂન્ય માનવા પડશે. પરંતુ વાસ્તવિક રીતે તેમ નથી. જગા વ્યવહારના પણ એવા મહાત્માએ માદક મને એટલી હદ સુધી પહોંચ્યા હાય છે. માત્ર અભ્યાસક્રમની રચના અને ગોઠવણુમાંજ ખુખી છે. ૯ જૈનશાળાએ દહેરાસર (દેવગૃહેશ્વર) અને ઉપાશ્રયના વાતાવરણમાં અંતર પાડે તેવી રીતે ન ચાલવી જોઈએ. પ્રજાના ધાર્મિક જીવનના મુખ્ય આધાર ચારિત્રપાત્ર વ્યક્તિએ સાથે પ્રજાના સહવાસ ઉપર છે. અને ધાર્મિક શિક્ષણ, આચાર, શ્રદ્ધા તથા સંસ્કાર પ્રજામાં દાખલ કરવાની મુખ્યમાં મુખ્ય એજ ચાવી છે. આ રીતે ચેાગ્ય રીતે પ્રાચીન પુરૂષોએ એ પ્રશ્નના નિકાલ કરી મૂકયા હતા, પરંતુ આપણે વચ્ચેથી દેોઢડાહ્યા થઇને જૈન શાળાઓ વચ્ચે ઘુસાડી છે. પરિણામ એ આવતું જાય છે કે નિશાળમાં પાંચ કલાક ભણવા ગયેલા ખાળક ત્રણ કલાક ખીજા પાઠમાં ગાળે છે. અને એકાદ કલાક જૈનશાળામાં જઈ આવે છે. પછી તેને દહેરા કે ઉપાશ્રયમાં જવાને અવકાશ-ઇચ્છા સગવડ આચ્છા રહે છે. કાય વાહકે જૈનશાળામાં માળકાના આવવાથી તેમના ધાર્મિક સંસ્કારના ઉકેલ આવી જશે એમ ભ્રમણામાં પડયા છે. પહેલાં જ્યારે નિશાળા ન્હાતી ત્યારે ઘેર કે દુકાને રહેલા બાળકો અને યુવકા ઉપાશ્રયમાંજ જતા, ત્યાંજ ભણતા, ત્યાંજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #80 -------------------------------------------------------------------------- ________________ ૭૮ સામાયિક કરતા. આમ ગુરુએ અને તેમની વચ્ચે સીધી લીટીના સબંધ થતા. હવે જૈનશાળાના માસ્તરદ્વારા સંબંધ રહે છે, એટલું અંતર વધતાં જે નુકશાન થયું છે તેની ખૂમા તા સૈા આગેવાને પાડી રહ્યા છે, એટલે અહીં વધારે નહીં લખું. અશ્રદ્ધા, ધાર્મિક વાતાવરણની, સ ંસ્કારની શિથિલતાનું ખરું કારણ આ છે. પહેલાં વાતા એજ ચાલતી હતી કે “અમુક મહારાજ આવવાના છે. અમુક આવા વિદ્વાન્ છે. અમુક મારા ગુરુ છે. અમુક અમુકના ગુરુ છે. તે ખરાખર ક્રિયાપાત્ર નથી. ” એ એવી વાતામાં કદાચ લડી પણ પડતા હતા, પરંતુ તે લડાઇમાં ગુરુએની યાદ હતી, અને જીવન નમાં તન્મય વાતાવરણ રહેતું હતું. હાલ તે આ ખાબત વિદ્યાર્થી - આ લડાઇ પણ કરતા નથી. તેના અથ એ છે કે-તેમના મગજમાંથી વસ્તુનું સ્થાનજ ખસી ગયું છે. અર્થાત્ બહુ ઉંડે ઉતરીને તેની સમાલેચના કરીએ તેા ઉપેક્ષાજન્ય ઉદાસીનતા જન્મી છે. તેને બદલે અમુક લેખક આવા છે. અમુક દેશના વકતા આવા છે. અમુક સાહેબ આવા વિદ્વાન છે. અમુક શેાધક આવી શેાધ કરી રહ્યો છે. વિગેરે વિગેરે વાતા મગજમાં સ્થાન જમાવી રહી છે. તે જમાવે તેની સાથે તેા વાંધેા નથી, પણ ઉપરના ખ્યાલાને બહાર કાઢીને તેમણે સ્થાન જમાવવા માંડયું છે, તેની સામે વાંધા છે. તે વાંધા પણુ કાની દૃષ્ટિથી ? જેઓ એમ માને છે કે જૈન ખાળકે ને કે બ્રાહ્મણ ખાળકોને જૈનત્વના આર્યંત્વના કે બ્રાહ્મજીત્વના સાંસ્કાર મળવાજ જોઇએ, અને પિરણામે તેમાં તેનું ભલું છે, એમ માનનારાઓની ષ્ટિથી. પરંતુ જેઓ એમ માને છે કે જેમ અને તેમ મગજમાંથી એ ભુસા હવે નીકળવા જોઇએ, પ્રણાલીને -વળગી રહેવાની રુઢતા નીકળી જાય, તેમાંજ પ્રજાનું હિત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #81 -------------------------------------------------------------------------- ________________ છે. તેની દ્રષ્ટિથી તે તે સંસ્કારે મગજમાંથી નીકળી જાય અને નવા પાછા ઓચ્છા ઘુસે તેમાં જ બાળકોનું વધારે શ્રેય છે. માટે જેઓ ધાર્મિક સંસ્કારના વારસાને બાળકોમાં સારી રીતે ઉતરતો જેવા ઇચ્છે છે, તેમણે ગુરૂઓ અને બાળકો વચ્ચેનું વ્યવધાન કબુલ ન કરવું જોઈએ. અને જેઓ જેમ બને તેમ એ સંસ્કારને વારસો આગળ ઓછો લંબાય, એ વિચારના હોય, તેમણે જેમ બને તેમ વ્યવધાન વધારવું જોઈએ આમ બને સુષ્ટિને સાર સૂચવ્યા છે. બીજી હવે એક અહીં સાવચેતી એ પણ રાખવા જેવી છે કે-ઉપરની સંસ્કાર પાડવાની લાલચ બતાવીને જૈનશાળાના માસ્તરનું સ્થાન જૈન મુનિઓને લઈ લેવાની ભલામણ કરશે. તે તે ભલામણથી પણ ચેતવું. કારણ કે, તે ભલામણને સ્વીકાર કરવાથી મુનિઓ ગુરૂ સ્થાનેથી ખસી જઈને માસ્તરને સ્થાને આવી જશે. અને પિતાના પદથી-(ગુરુપદથી) નીચે એક પગથિયું ઉતરી જશે. પછી પ્રજાને યુરોપ અમેરિકામાથી કે જર્મનીમાંથી ગુરુ શોધવા માટે દોડવું પડશે. છુટાપણુ આવ્યેજ જશે. કારણ કે જૈનશાળાઓના માસ્તરેનું વ્યવધાન છતાં હજી ગુરુઓ પિતાનું અસ્તિત્વ બતાવી શકે છે. એટલે કંઈક ટકાવ થયો છે. પણ ગુરુઓ માસ્તર બની ગયા એટલે પછી પતી ગયું. પછી ગુરુઓની જરૂરીઆત શી રીતે પુરવી? એટલે તેના વિના આખા ધાર્મિક વાતાવરણમાં પાતળાપણું આવી જશે. પ્રજા ભણને ભલેને ગમે તેટલી વિદ્વાન થશે પણ સંસ્કારમાં મીંડુ વળતું જશે. પરિણામે, આજે પણ લાખોની સંખ્યામાં જે માણસો જાણયે અજાણયે જેની જીવન જીવવારૂપ અમૃતપાન કરી રહ્યા છે, તેનાથી તેની ભણતા થતી જશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #82 -------------------------------------------------------------------------- ________________ , ૮૦ માટે સંક્ષેપમાં એટલુંજ જણાવવાનું કે-ધર્મગુરુઓ ધર્મગુરુ તર કેજ રહે. તેમનું સ્થાન જરાપણ ઢીલું ન પડવું જોઈએ. અને પ્રજા જેમ બને તેમ સીધી રીતે તેમના સંબંધમાં આવતી રહે, તેમ કરવું તેથી ધર્મગુરુઓ પણ સાવચેત અને જવાબદાર વધારે બનશે માસ્તરની અનિવાર્ય આવશ્યકતા જ નથી. પરંતુ જ્યાં સુધી એ તત્ત્વ સાધારણ રીતે ઉપયોગી હોય ત્યાં સુધી ભલે રાખવું, પણ બાધક થતું હોય તો તે નભાવી ન શકાય, અને નભાવવું પડે તે તેટલી અશક્તિ વધી છે, એમ કબુલ કરવું. મારો તે એ જ અભિપ્રાય છે કે-એ તત્ત્વ આપણને સાધક તરીકે જણાય છે પણ તેને પ્રયોગ મૂળથી જ બાધક તરીકે છે. અને તે બાધક તરીકે પોતાનું છુપું કામ કર્યું જ જાય છે, એમ ઉંડે ઉતરીને વિચારતાં જણાય છે. માટે આ સંસ્થાએ એ તત્વ જેમ બને તેમ બાધકપણે કાર્ય ન ભજવે અને મંદિર તથા ઉપાશ્રયનું વાતાવરણ જેમ બને તેમ ગામેગામ ઉત્તેજિત રહે, તેમ કરવું. તેમાં ભારે ધમિક શિક્ષણ રહેલું છે. એ ઢીલું થતું જતું હોય અને જેના શાળાઓ ધમધોકાર ચાલતી હોય તો જરાએ રાજી ન થવું. માટે ધાર્મિક સંસ્કાર પાડવાની બાબતમાં કાર્યવાહકોએ આ ચિકિત્સા કરેને નિદાન કરવાની અને દવાનો ઉપયોગ કરવાની જરૂર છે. ૧૦ કોઈ પણ સંસ્થા અને ખાતાનાં બંધારણનું કઈ પણ તત્વ પૂર્વાપરથી ચાલ્યા આવતા ચતુર્વિધ સંઘના બંધારણનું વિધિ ન હોવું જે૪એ. આજકાલ એમ ઘણું ચાલી રહ્યું છે. તેની શુદ્ધિ કરાવવા પ્રયત્ન કરે પડશે. હવે પછી નવી સંસ્થા કે નવા ખાતાઓ નીકળે, તેના બંધારણમાં તે ખ્યાલ રાખવો જોઈશે, નહીંતર પરિણામ એ આવશે કે-સંઘના હિતને માટે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #83 -------------------------------------------------------------------------- ________________ થયેલાં કાજ બંધારણમાં રાખેલી અદીર્ઘદૃષ્ટિને પરિણામે સંધનેજ નુકશાન કરી બેસશે. આ સંસ્થાઓ સંઘની છે, મેંબરેની સંસ્થા નથી. માટે બહુમતિનું ધોરણ રાખવું હાસ્યાસ્પદ છે. હાલની સંસ્થાઓમાં પૈસા આપનારની સંસ્થા ગણાય છે, તે આપણું પ્રાચીન બંધારણમાં નથી. પૈસા આપનાર ભકિતથી, આત્મ કલ્યાણ નિમિત્તે પૈસા અર્પણ કરે છે. પૈસા આપે છે, માટે તે જવાબદાર છે, એમ નથી પણ સંઘની એક વ્યકિત તરીકે સંઘની સંસ્થામાં જવાબદાર છે. આપણે ત્યાં કેઈ નાના કામમાં બહુમતિ હોય છે. વખતે વિશિષ્ટ વ્યકિતની પણ સમ્મતિથી જ કામ કરવું પડે છે. સામાન્ય ધોરણ સર્વ સમ્મતિનું હોય છે અને પ્રસંગ વિશેષમાં શાસનાગ્રણી આચાર્ય અને છેવટે જેનશાસ્ત્રોની સમ્મતિ શરણું રૂપ રહે છે. વળી હાલ પસા આપનાર પેન ને મુરબી બને છે, એટલે માલિકી જે ભાવ આવે છે. તેમજ સંસ્થા પૂજ્ય હેવી જોઈએ, તેને બદલે પિસા આપનાર વ્યકિત સંસ્થાને પૂજ્ય, માન આપવા લાયક બને છે. તેથી તેમાં પૈસા આપનારની ભક્તિ કે સાધર્મિક વાત્સલ્ય નથી રહેતું. સાધર્મિક વાત્સલ્યમાં અરજી કે ઉપરીપણાનો ભાવ કે કાયદેસરપણું ન લેવું જોઈએ. માટે બીજી કેટલીક સંસ્થાઓ જેમ મેંબરોની છે, તેમ આ સંસ્થા માટે ન બનવું જોઈએ આ સંસ્થા શ્રી સંઘની છે, એ તત્વમાં ખામી ન આવવા દેવી. જે આ સંસ્થા શ્રી સંઘની છે, તે પછી બહુમતિથી ઠરાવો કરવા એ કાયદાને ઉપગ ? કારણ કે આ સંઘ એકત્ર ન થયો હોય, ત્યાં સુધી અમુક ઠરાવની બાબ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #84 -------------------------------------------------------------------------- ________________ ર તમાં વાસ્તવિક રીતે બહુમતિ છે કે લઘુમતિ છે તે નિ યજ શી રીતે થાય ? અને થાડા એકઠા થયેલાએમાંથી અહુમતિ પકડી પાડવી એ શી રીતે ન્યાયસર ગણાય માટે શાસનનું હિત ધરાવનારી વ્યકિતએ પછી એક હાય એ હાય કે પાંચ દશ ડાય તે હિત સમજીને જે પ્રમાણે કાર્ય ચલાવ્યે જાય તેજ આખા સધને સમ્મત છે એમ માની લઈને કામ ચલાવવું જોઇએ. આવાં અનેક સૂક્ષ્મ તત્ત્વના વિચાર કરવાના હાય છે. સંસ્થાના બંધારણમાં ઘણીજ ષ્ટિ રાખવી ોઇએ, અને સધ સંસ્થાના સનાતન નિયમે અને તન્ત્યાંથી વિરાધી તવા જાણ્યે અાગ્યે બંધારણમાં ન ઘુસી જાય, તેના પુરેપુરા ખ્યાલ રાખવાની જરૂર છે, નહીંતર બકરું કાઢતાં ઉટ પેસી જશે, એટલી સૂચના કરૂં છું. માટે આ તત્ત્વ બહુ વિચારવા લાયક છે. તેના અદ્ઘિ વિસ્તાર કરતાં માત્ર સંક્ષેપમાંજ સૂચના કરૂં છું. ૧૧ લલચામણાં સાધનાથી, વાતાવરણાથી ન લલચાવું જોઈએ તેમજ ગભરામણાં વાતાવરણથી ગભરાવું પણ નહીં. જમાનાના નામે ભુલાવા ખાઇ સનાતન જૈન તત્ત્વાને ન તજવાં, તેના તરફ્ અણુગમા ન ફેલાય તેને ખ્યાલ રાખવા. ખીજા પશુ ધર્મની પ્રતિષ્ઠાનાં સૂક્ષ્મ તત્ત્વાને ધકકા ન લાગે તે તરફ ખ્યાલ રાખતાં રહેવું જોઇએ. ૧૨ જ્ઞાન કરતાં ચારિત્રને પ્રધાન પ્રશ્ન આપવું જોઇએ, અને જેમ બને તેમ નાની સંખ્યામાં પણ પ્રતિષ્ઠાપાત્ર વ્યક્તિઓ ઉત્પન્ન કરવી જોઇએ. માટે પ્રવેશક ચેાગ્યતામાં ખુદ્ધિ અને સદ્ગુણુ અને તરફ વધારે ધ્યાન આપવું જોઈએ. ગરીબી કે અનાથતા તરફ વિદ્યાર્થીની પસંદગી વખતે ખ્યાલ ન રાખવા જોઈએ. તેને માટે ખુદા કલાસ રાખવા, અથવા તેને માટે બીજી સ ંસ્થાઓને ભલા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #85 -------------------------------------------------------------------------- ________________ ૮૩ મણ કરવી, પરંતુ ચાગ્ય વિદ્યાર્થીઓની જ ભરતી કરવી જોઈએ. પછી તેની પાછળ ખર્ચ કરવામાં પણ આવશ્યક્તાને અનુસરી સંકેાચ ન રાખવા જોઇએ. આવી થાડી વ્યક્તિએ પણ સંસ્થા અને ધર્મનું ભૂષણ બની શકશે. તેમજ અભ્યાસનાં સાધના સાથે લાયક જીવન અને તેવી તાલીમ મળે તેવાં સાધના પણ્ સંસ્થાએ વસાવવાં જોઈએ, એટલે કે–જ્ઞાનાભ્યાસ, ધાર્મિક ક્રિયા, અને ચારિ ત્રમય જીવનની તાલીમ. તથા શારીરિક શક્તિ પણ ખીલવી જોઇએ. તેને માટે અખાડાઓને ઉત્તેજન આપવું એમ મારે। આશય નથી. મારા તે આશય એ પણ છે કે તેને જાહેર ઉત્તેજન તે આપણા તથી નજ મળવું જોઇએ, તેનાં કારણેાની વિગતમાં અહીં નહી ઉતરૂ. અખાડા વિના શરીરને વ્યક્તિગત તાલીમ મળવાની જરૂર છે, પછી તે જાતમહેનતથી, શારીરિક શ્રમથી, કે બીજાં ગમે તે વ્યક્તિગત વ્યાયામનાં સાધનથી હાય તેની વિરુદ્ધ હું નથી. કારણ કે શરીરસંપત્તિ તૂટવી તેા નજ જોઇએ. બ્રહ્મચર્યમાં પણ તેથી સારી મદદ મળે છે. આ રીતે આ સંસ્થાનું ખાસ કાર્ય જૈનધર્મ અને જૈનશાસનનાં અંગાપાંગોને પહાંચી વળવાનું જણાય છે, માટે આ દૃષ્ટિખિદુથી સંસ્થાએ પોતાની આખી કાર્ય પ્રણાલી નક્કી કરીને તેની ક્ષેત્રમર્યાદામાંજ ચાલવું જોઈએ. પેાતાના કાર્ય ક્ષેત્રમાં સમાવેશ પામતા વિષયેા વિષે બીજી સસ્થા બાબત પણ પોતાના અભિપ્રાય જાહેરમાં તે પ્રગટ કરી શકે. મીજી સંસ્થાઓનાં ધાર્મિક કેન્દ્રના સખધમાં જે નીતિ ચાલતી હૈાય તેની સમાલેાચના કરવી, તથા તેમાં ફેરફાર કરાવવેા. અથવા ધાર્મિક પ્રવૃત્તિ અન્યથા રીતે પ્રવર્ત્તતી હાય તા તે અટકાવવા પણ પ્રયત્ન કરવાની ફરજ આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #86 -------------------------------------------------------------------------- ________________ ة સંસ્થાની છે, વિંગેરે વિગેરે સામાન્ય દિશાસૂચક સૂચનાઓ સક્ષેપમાં કરી દેવી અહીં ઉચિત જણાવાથી કરી છે. તે આશા છે કે તે દરેક વિષે વિશેષ ઊહાપેાહ કરીને યથાયાગ્ય જરૂરિયાત પ્રમાણે સંસ્થાના કાર્ય વાહકે ઉપયોગ કરશે એવી આશા સાથે આ પ્રકરણ પુરૂં કરૂં છું. લેખક સાથેના સંબંધ. મારે હાથે આ ચરિત્ર લખાવામાંયે કુદરતનેાજ હાથ મને જણાય છે. કારણ કે વેણીચંદભાઈ સાથેના મારા જુના સંબંધ વચ્ચે તે વખત અને સજોગાનું માટુ અંતર પડી ગયુ હતુ. જે વખતે હું તેમના સંબંધમાં આવેલા તે વખતે મારી ખાલ્યાવસ્થાને લીધે તેમને શી રીતે સમજી શકયા હૈાઉં ? અને ત્યાર પછી તા તેવા સંબધજ નહીં, એટલે તેમને વિષે ખાસ કાંઈ જાણવાના તા પ્રસંગજ કેમ આવે ? આમ છતાં મારા પર તેમના અનન્ય પ્રેમ હતા, એ મને ચાદ છે. જે દિવસે તેમણે મને જોયેલા તેજ દિવસથી મારે માટે તેમના દિલમાં એક વાત્સલ્યભાવ પાષણુ પામતા ગયા હતા. કેટલાક તેના પાછળથી પુરાવા જાણવામાં આવ્યા ત્યારે આશ્ચર્ય થયું. આમ તે વેણીચંદભાઈ અજાતશત્રુ જેવા હતા, એટલે તેમને કૈાઇ ઉપર વાસ્તવિક રીતે દ્વેષ હાય તેવું જાણવામાં આવ્યું નથી. અલખત્ત મતભેદ હાય, વિચારભેદ હાય, તેથી ઘણાની વચ્ચે અંતર પડયું હાય, છતાં તેમાં વૈમનસ્યને સ્થાન હાય એવે અનુભવ નથી. એટલે સામાન્ય રીતે તેઓ જેના પરિચયમાં આવે તેના તરફ તેમની સારી !નષ્ઠા ચને જીભ વલણ તા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #87 -------------------------------------------------------------------------- ________________ ૮૫ રહેજ. કાણુ કે એ તેમની જીંદગીનું કાર્ય હતું, તેમની જીંદગીના ઉદ્દેશ હતા અને એ ઉદ્દેશ જુદા જુદા કાર્યોમાં પરિણત થઇ ફળિત થયેલા આપણે જોઈ શકયા છીએ. છતાં મારા ઉપર વિશેષ સદ્ભાવ હાવાના દાખલા છે. તે ઉપરથી લેખક સાથે સંબંધનું સૂચક આ પ્રકરણ લખવા હું દેારાયા છું. અમે એક વખત સંબંધમાં આવ્યા ને જુદા પડયા એ કરુણુ પ્રસંગ આ સ્થળે વર્ણવીને વાચકોની ખાતરી કરી આપતે, પરંતુ વિસ્તારભયથી હવે આપી શકતા નથી. ત્યાર પછી પણ વેણીચંદભાઈના વાત્સલ્યભાવ જાણવાના અનેક પ્રસ`ગા મળ્યા છે, જે હું અને તેએજ જાણીએ છીએ. હું ઉપર લખી ગયા તેમ વચ્ચે કાળ અને સ ંજોગાનું માટુ અંતર પડવા છતાં જેમ જેમ તેખની કાર્ય પદ્ધતિ વિષે હું વિચાર કરતા ગયા, જેમ જેમ તેમાં કાંઇક ને કાંઇ તેમનું વ્યકિતત્વ વિચારતા ગયા તેમ તેમ તેમના તરફ કાઈ કાઇ ખાખતમાં માનસિક પક્ષપાત પણુ વધતા ગયા. તથા અકસ્માત્ સોગેજ એવા વર્ષમાં પણ એએક માસ છુટાછવાયા તેમના પ્રસ ંગમાં આવવાનું થયું, ત્યારે અમે બન્ને એક મીજાને કાંઇક વધારે પ્રમાશુમાં સમજી શકયા. ત્યાર પછી અમારી વચ્ચે અંતર તેા ઉભું થઇ ગયું. તથા મારી બાહ્ય પ્રવૃત્તિ પણ બીજાને વધારે અંતર હાવાનું કપવાને પુરતી હતી, છતાં એ બધુ અંતર ઓગળી ગયું અને વેણીચ'દભાઈને કેટલેક અંશે સમજી શકનાર મારાજ હાથમાં તેમનું ચરિત્ર લખવાના પ્રસંગ અનાયાસેજ સ્વાભાવિક રીતે આવી પડયે, જે જતા કરવાનું મને જરાયે મન ન થયું, તેને ગમે તેવા અટપટા સંજોગામાં પણ વધાવી લીધા, અને વેણીચંદ્ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #88 -------------------------------------------------------------------------- ________________ ભાઈ તરફ અનુરાગ ધરાવનારા વાચક મહાશયેાની સન્મુખ આ ચરિત્ર આ રૂપમાં યથાશકિત રજી કરી શકાયું છે. નિવેદન અને ઉપસ’હાર આ ચરિત્ર લખવામાં અંગત પરિચય તથા કેટલીક ભુત અને ભાવિ સ ંજોગાની વિચારસરણીએ મદદ આપી છે. તાપણુ માસ્તર દુલ્લભદાસ કાળીદાસે માહિતી મેળવીને સંગ્રહ ન કર્યાં ઢાત તા મારાથી કાંઇ પણ થઈ શકવું અશકયજ હતું. તેમણે જે ચિત્ર ઢાર્યું હતું તેમાં રંગ પુરવા સિવાય મેં વધારે કશું કર્યું નથી, છતાં સંસ્થાએ લેખક તરીકે મને જાહેર કર્યો છે, તેમાં સંચાલકોની ઉદારતાજ હું જોઉં છું. તેઓએ ધારેલા વખતમાં જો કે હું આ કામ પુરૂં કરી શકયેા નથી, તાપણુ તે બાબત તેઓએ ઉદારતાથી સહી લીધી છે. આ ચરિત્ર લખવામાં કયાંય માહિતીદોષને લીધે ભૂલથાપ થઈ હાય તે હકીકત મેળવીને સુધારી લેવા સર્વ વાચકમહાશયાને વિજ્ઞપ્તિ છે. અને કાઇ પણ સ્થળે વેણીચંદભાઇ વિષે ન્યૂનેાક્તિ કે અતિશયક્તિ કાળજી રાખવા છતાં થઈ ગઈ હાય તા છદ્મસ્થતાજન્ય દાષ ગણીને ક્ષતન્ય ગણવે. સાથે સાથે એટલી વિજ્ઞપ્તિ પણ સજ્જન વાચકમહાશયાને કરૂં છું કે-આ ભૂમિકામાં આવેલા ઘણા વિષયા માટે મારી સાથે ચર્ચા કરવાનું મન થશે. કારણ કે તેમાં સૂચિત કરેલા પ્રાસંગિક વિચારા વિષે અનેક વિચારશ્રેણીઓ ઉઠશે. તેના ખુલાસા રૂબરૂ અથવા પત્રવ્યવહારથી મેળવી શકાશે. ભૂમિકાના વિસ્તાર અને તે લખવાની ઉતાવળ તથા અવકાશને અભાવ વિગેરે સોગાથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #89 -------------------------------------------------------------------------- ________________ વિગતવાર સ્પષ્ટીકરણ નથી થયું એમ મને લાગે છે, તથા વાચકોને જણ શાળશે. સંથા લખીને સુરતં જ પ્રેસમાં મોકલેલ લખાણ ફરીથી જોઈ શકાયું નથી એટલે સુધારવા છતાં વાકયરચનાદેશે કે ભાષાદ રહી જવા પામ્યા છે. તેથી કઈ વિચારે અસ્પષ્ટ કે પુનરુકત જણાય તે તે યથાયોગ્ય સુધારી સમજી લેવાની વિજ્ઞપ્તિ છે. જો કે ચરિત્ર લખનારને ધર્મ યથાર્થ વિગત રજુ કરવાનો છે, નહીં કે તેમાં સમાલેક બનવાનો અધિકાર છે. આમ “એક જંગ માને છે. ત્યારે બીજો વર્ગ એમ પણ માને છે કે-ચરિત્ર લખવાને હેતુ અનુકરણીય બાબતે સહી રાખી ભાવિ જગતને ઉપયોગી થાય તે રીતે ચરિત્ર લખાવું જોઈએ. નહીંતર દરેક માણસોનાં ચરિત્રો લખાવાં જોઈએ, પરંતુ તેમ ન કરતાં વિશિષ્ટ વ્યક્તિઓનાં જ ચરિત્ર લખાય છે, તેનું કારણ એ છે કે જગત તેમાંથી કાંઈક અનુકરણ કરે. આમ બને મત ધરાવનારાઓના વર્ગ જગતમાં અત્યારે વિદ્યમાન છે. હું અને મને યાચિત સ્થાને યોગ્ય સમજું છું. અને તે રીતે આ ચારત્ર લખવા છતાં તેમાં ત્રટીઓ તે ઘણું હોવાને સંભવ છે. તે પણ સજજનો ક્ષીરનીરજાયે મને ન્યાય આપશે જ એ આશ્વાસન સાથે વિરમું છું – પાટણ ખેતરપાળને પાડે. ( પ્રભુદાસ અહેચરદાસ પારેખ. ૧૯૮૪ ફાગણ શુદિ ૧૦.ઈ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #90 -------------------------------------------------------------------------- ________________ સ્મારકમાં નીચે મુજબ રકમ પાછળથી ભરાણું છે૫) કવિ “રસિક–ભેગીલાલ ધોળશાજી-અમદાવાદ. ૫) શાહ મીનાજી ખુશાલજી-સુરી. ૧૫) શાહ શવચંદ કચરાભાઈ માંગરેલ. ૨૫). સેવાધર્મ સ્વીકારનાર, તે માગે ગમન કરનારને જીવનમંત્ર. આદર મળે કે ના મળે અમને શી પરવા નથી, ત્યમ ફળ મળે કે ના મળે તે જાણવા ઇચ્છા નથી; કર્તવ્ય કરવા જન્મ આ દિનરાત તેમાં રત રહી, ત્રણમુક્ત વિશ્વથકી થવા કર્તવ્ય કરવું છે સહી. યથાશક્તિ યતનીય શુભે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #91 -------------------------------------------------------------------------- ________________ ॐ अर्हम् ધર્મવીર શેઠ વેણીચંદભાઇ. પ્રકરણ ૧ લું. પ્રાથમિક જીવન. ૧. જાહેર પરિચય— આજે લગભગ છેલ્લા પચ્ચાસ વષૅથી, હિમાલયથી માંડી લંકા, અને સૌરાષ્ટ્રથી માંડી બ્રહ્મદેશ સુધીના હિંદના, તથા હિંદ બહારના જુદા જુદા અનેક પ્રદેશામાં વસતા શ્વે. મૂ॰ જૈન સતાનામાં આ વ્યક્તિને કાણુ નથી આળખતું ? કહેવું જોઇએ *–મુનિ મહારાજાઓ, સાધ્વીજી, વૃદ્ધો, યુવાના, સ્રીએ અને આળકો સુદ્ધાં સર્વ કાઈ “ શા. વેણીચ ંદ સુરચંદ, મેસાણા ” આ નામથી ઘણાયે વખતથી અત્યન્ત પરિચિત થઇ ગયા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #92 -------------------------------------------------------------------------- ________________ દરેક જિનમંદિરમાં ઉપાશ્રયમાં કે ઘરમાં ધાર્મિક બાબતને લગતું એવું એકાદ પુસ્તક તે જરૂર હશે કે જેના ઉપર “શા. વેણચંદ સુરચંદ, મેસાણુ” એટલા અક્ષરે તે હેજ આજે આ ધર્મવીર અને અનન્ય જૈન શાસન સેવક પુરૂષ આ ભૂમિપર જો કે વિદ્યમાન નથી, પરંતુ તેના સત્કૃત્યે જૈન. છે. મૂ. શાસનના ઈતિહાસમાં સુવર્ણાક્ષરે દીર્ધકાળને માટે કેતરાઈ ચૂક્યા છે. તેમના પંચત્વને લીધે, જૈન સંઘમાં એક જાતથી તીવ્ર કમળ લાગણી જે પ્રમાણમાં હાલ ફેલાઈ રહેલી જોવામાં આવે છે, તે ઉપરથી તેમના જીવનનું મહત્વ અને વજન કેટલું હતું? તે જણાઈ આવ્યું છે. આ ઉપરથી આ વ્યક્તિ કોણ? અને તેની કૃતિઓ કઈ કઈ છે? તે વિષે સોપાંગ જાણવાની જિજ્ઞાસાવૃત્તિ જનસમાજમાં ઉત્પન્ન થાય, એ સ્વાભાવિક છે. ૨. ખાસ પરિચય– જે જે મુનિ મહારાજાઓ, આગેવાનો, કાર્યકર્તાઓ, અને સહવાસીઓ વેણચંદભાઈના નિકટ પરિચયમાં આવ્યા છે, તેઓને પાકી ખાત્રી થઈ છે કે-વેણચંદભાઈ એટલે હિંદમાં જ નહીં, પરંતુ બહારના દૂર દૂર પ્રદેશમાં પણ જૈન જગતમાં મહેસાણને પ્રખ્યાતિમાં લાવનાર પુરૂષ. દિન રાતને વિચાર કર્યા વગર સપ્ત પરિશ્રમ ઉઠાવી કાર્ય કરનાર એક કર્મવીર ચતરફ છવાચેલ નિરાશારૂપ અંધકારમાં પણ આશાનું કિરણ પ્રગટાવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #93 -------------------------------------------------------------------------- ________________ '' પ્રકાશ ફેલાવનાર વ્યક્તિ “ ધાર્યું કામ પાર પડવુંજ જોઈએ. ” એવી અડગ આત્મશ્રદ્ધાથી ભરપૂર વીરનર. સારાં કામ માટે શ્રીમતા પાસેથી ગમે તે વખતે જોતજોતામાં નાણાં મેળવી. લેવામાં આશ્ચર્યકારક લબ્ધિ ધરાવનાર સમર્થકા વાહક માન કે અપમાનની દરકાર ન કરનાર, નિરભિમાની અને સાચા જૈન શાસન સેવક. સર્વના એક સરખા વિશ્વાસપાત્ર અને સત્કાર્ય માં હરકેઇના સાચા સલાહકાર અને સાથી. આ કામ કરવા જેવું છે. ” “આ કામની ખાસ જરૂર છે.” “આ કામ અવશ્ય થવું જોઇએ” અને “ અમુક કામ થવાની તે અત્યન્ત આવશ્યકતા છે ” એવી એવી અનેક ભાવનાઓ ધરાવનાર પુરૂષ—તે પણ બુંદીકેાટાની ભાવના જેવી કારી ભાવનાએ નહીં, પરંતુ તેની પાછળ સતત પ્રયત્ન સેવી તનતાડ પરિશ્રમથી તેને સિદ્ધ કરનાર સિદ્ધપુરૂષ, વેણીચ'દભાઇ એટલે નમ્રતા, સાદાઇ, નિ:સ્વાર્થતા, તપ અને ધાર્મિક અનુષ્ઠાનોની જંગમમૂર્ત્તિ. ૩. જન્મસ્થાન, માતાપિતા અને કુટુબ— મ્હેસાણાના શ્રી જૈનસ`ઘમાં, દશાશ્રીમાળી જ્ઞાતિમાં, દેશી કુટુખમાં થઇ ગયેલા દેાશી વીરચંદ જેઠા શ્રીચુત વેણીચંદ્ર ભાઈના પિતામહ (દાદા) થાય. તે મ્હેસાણાથી બે ગાઉ પર આવેલા પાલાવાસ ગામમાં ધવારે( અધ વાસે ) રહી ધંધારાજગાર કરતા હતા. આ ગામ તેમના વડવા અને મુખી પટેલે વસાવ્યું હતું. પગ રસ્તે ભાયણી જતાં મ્હેંસાણેથી વ્હેલ વ્હેલ આ ગામ માવે છે. વીરચંદભાઇને પાંચ પુત્રા હતા. અલાખીદાસ, સુરચંદ, એતીચંદ, હકમચંદ અને કસ્તુરચંદ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #94 -------------------------------------------------------------------------- ________________ સુરચંદભાઈ, તે આપણા વેણચંદભાઈના પિતા. તેમનો ધર્મ પત્નીનું નામ માણેકબાઈ હતું. આ દંપતીને ત્યાં સંવતું, ૧૧૪ ના ચૈત્ર વદ ૫ ને સોમવારને દિવસે શ્રીયુત વેણીચંદભાઈને જન્મ થયો હતે. વેણચંદભાઈને નગીનદાસ, કિશોરભાઈ અને ચકાભાઈ એ ત્રણ ભાઈઓ અને એના બહેન તથા જડી બહેન એ બે મહેને હતી. જે પૈકી કિશોરભાઈ અને ચકાભાઈ વિદ્યમાન છે. ૪. માતા-પિતાને વારસે– પતિ-પત્ની બન્ને સરળ, ધર્મશ્રદ્ધાળુ અને સારી આ સ્થાવાળા તથા ભદ્રકપરિણમી અને સંસ્કારી જી હતાં. અને કહેવું જોઈએ કે-ધર્મને રંગ તેઓના દિલમાં રગેરંગ વ્યાપેલે હતે. ' સુરચંદભાઈમાં સાધર્મિક વાત્સલ્યને ગુણ ખાસ આકર્ષક હતે. શાસ્ત્રમાં ગૃહસ્થના “અભંગ” દ્વાર કહ્યાં છે તેથી કોઈ પણ અતિથિને ગ્યતા પ્રમાણે યથાશકિત સત્કાર કરેજ જોઈએ. એ પ્રથા જૈનકુટુંબમાં ચાલુ જેવી જ છે. છતાં કઈ કઈ વ્યક્તિમાં આ ગુણ ભારે વિશેષ જોવામાં આવે છે. સુરચંદભાઈ તેમાંના એક હતા. કેઈ પણ સાધમિક બંધુને જુએ કે–સુરચ દભાઈ હર્ષઘેલા થઈ જાય, તેમના હૃદયમાં હર્ષ ન માય. બહારગામથી ગમે તે આવે પરંતુ સુરચંદભાઈને ત્યાં તેને સત્કાર થયા વિના નજ રહે. કઈ કઈ વખત તે એવા પ્રસંગ બની જતા હતા કે—ધાર્યા. કરતાં મહેમાનોની સંખ્યા વધી જાય, તે પણ જરાયે અંત:કરણુમાં દુઃખ ન માનતાં સાધમિકેની ભકિત થતી જોઈ અંતઃપ્રમોદ ધારણ કરી રાજી રાજી થતા હતા. માણેકબાઈ પણ તેવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #95 -------------------------------------------------------------------------- ________________ - જ રીતે પતિના પ્રમોદમાં ભાગ લે તેવા હતા, એટલે આ ભકિત વિશેષ લીપી નીકળતી હતી. - વેણચંદભાઈ ઉપર માતાને પ્રેમ વિશેષ જણાતું હતું, કારણ કે વેણચંદભાઈમાં નાનપણથી જ ધર્મને લગતા સંસ્કાર વધારે પ્રમાણમાં જોવામાં આવતા હતા. ધર્મિષ્ઠ માબાપને ધાર્મિક પુત્ર પર વધારે પ્રેમ હોય એ સ્વાભાવિક છે. આ રીતે ધર્મિષ્ઠ માબાપને વારસો અનેક રીતે વેણચંદભાઈમાં ઉતરેલે આપણે જોઈએ છીએ. સાધર્મિક ભક્તિની બાબતમાં પણ તેમનામાં તે ગુણ વારસામાંથીજ ઉતરી આવ્યું હોય એમ ચોક્કસ જણાય છે. - મુંબઈમાં તેમની ઓરડીએ, અને મહેસાણામાં પણ તેમને ઘેર સાધર્મિકભકિત ચાલુ રહ્યા કરતી હતી. ધાર્યા કરતાં સંખ્યા વધી જાય, છતાં વેણચંદભાઈને પ્રમાદ તે સદા વૃદ્ધિ પામતો જ જોવામાં આવ્યો છે. ૫. કસ્તુરચંદભાઈ– આ સ્થળે એક વ્યકિતને ભૂલી શકાય તેમ નથી. તે વ્યક્તિ વેણચંદભાઈના કાકા શા. કસ્તુરચંદ વીરચંદ. મુંબઈના વ્યાપારી જીવનમાં તેઓ જાણીતા છે. તેઓ ધર્મિષ્ઠ હતા, એટલું જ નહીં, પરંતુ સમજુ અને ઉદાર પુરૂષ હતા. એક વખત સંયમ લેવાની પણ તેઓની તૈયારી હતી. સંજોગવશાત્ ચારિત્રાવરણીય કર્મના ઉદયને લીધે તેઓ સંયમ લઈ ન શકયા છતાં અવાર નવાર ધાર્મિક અનુષ્ઠાનમાં તેમના જીવનને ઘણે ભાગ ગ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #96 -------------------------------------------------------------------------- ________________ તેઓ પૂરેપૂરા ઉદાર પુરુષ હતા. તેથી જ મૂડીના પ્રમાણમાં વધારે પડતી રકમ તેમણે સત્કાર્યોમાં ખચી છે. શરૂઆતમાં નાણાંની મદદ આપી મહેસાણા પાઠશાળાને યે પગભર કરવાનું માન એ પુરૂષને ઘટે છે. આત્મારામજી મહારાજના પટ્ટધર શિષ્ય સદ્દગત આચાર્ય શ્રી વિજયકમળ સૂરીશ્વરજી મહારાજના સચોટ ઉપદેશથી જ્ઞાનેતેિજનના કાર્ય માટે તેઓએ પોતાના વ્યાપારમાં બાર આની ભાગ નાંખ્યું હતું. તેમાંથી ત્રણ વર્ષે રૂ. ૧૨૦૦૦) જેટલી સ્કમ ઉત્પન્ન થઈ તે રકમમાંથી એક પાઠશાળા ખેલવામાં આવી. જેમાં પંડિતે રાખવામાં આવે છે. અને ગામે ગામથી વિહાર કરી મહેસાણામાં પધારતા સાધુ-સાધ્વીઓના અભ્યાસ માટે સારી ગોઠવણ કરવામાં આવી છે. જેમાં આજે પણ વ્યાકરણ, ન્યાય, કાવ્ય, કોષવિગેરે શાસ્ત્રોને અભ્યાસ સમદષ્ટિથી કરાવવામાં આવે છે. આ શાળા માટે સગવડતાવાળું પિતાનું એક જ મકાન ત્યાર પછી કસ્તુરચંદભાઈના પત્ની ઝીણબાઇએ ઉપરની રકમમાં રૂ. ૧૯૦૦૦) એગણુશ હજારનો વધારો કરી લગભગ આ રકમ રૂ. ૩૧૦૦૦) એકત્રીસ હજાર સુધી પહોંચાડી છે. - વેણચંદભાઇની પ્રેરણાથી ઝીણબાઈએ બીજા પણ અનેક ખાતામાં સારી રકમને સદ્વ્યય કરેલ છે. આ કસ્તુરચંદ વીરચંદ જૈન વિદ્યાશાળા”ને વહીવટ ટ્રસ્ટીઓ તરફથી મહેસાણું પાઠશાળા ચલાવે છે. આટલી પ્રાંસગિક હકી * જો કે આ મકાન પહેલાં તે, અમદાવાદવાળા શેઠ લાલભાઇના માતુશ્રી ગંગામાની ભલામણથી ઉપાશ્રયે આવતા મહેમાનને ઉતરવા માટે બંધાવેલું હતું, તેજ આ મકાન પાછળથી પિતાની પાઠશાળાને અર્પણ કર્યું. પણ તેમણે અર્પણ કરેલું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #97 -------------------------------------------------------------------------- ________________ ક્ત તરફ વાચકાનું ધ્યાન ખેંચી હવે વેણીચંદભાઈના ખાટ્યજીવનના કંઈક ખ્યાલ આપીશું. ૬. આળજીવન તેમનું ખાળજીવન ઘણુંજ નિર્દેષિ હતું. લુચ્ચાઈ, કપટવૃત્તિ કે તાકાનીપણું શું ? તે વિષે કેમ જાણે તેઓ કંઈ સમજતાજ ન હાય, તેવુ શાંત અને નિર્દોષ તેમનું જીવન હતું. ત્યારે ખીજી તરફ વારસામાં ઉતરી માવેલા ધાર્મિક સંસ્કારા, શુભવાસના, અને સનના સંસ્કારાને આછા પ્રકાશ તેમના ખાળજીવનમાં પણ સ્વાભાવિક રીતેજ ચળકાટ મારતા હતા. મામાપ તરફથી વારસામાં મળેલા ધાર્મિક સૌંસ્કાર ઉપર તેમના બન્ને માશી—અમકુભાઇના તથા ઈદારવાળા કેસરબાઇ– બીજું નામ હૈનકોરબાઇના સહવાસથી સારા એપ ચઢયા હતા. તેવીજ રીતે બન્ને મ્હેના અને માતીચંદભાઈના પત્ની દીવાળીબાઈના ધાર્મિક સ’સ્કારોએ પણ વેણીચંદભાઈના ધાર્મિક સંસ્કારને વધારે દઢ બનાવવામાં મદદ કરી હતી. માળક અવસ્થામાંજ મનુષ્યનું જીવન ઘડાય છે. બાળકમાં જેવા સંસ્કારા પડે છે તેનાં મૂળ ઘણુાજ ઉંડાં અને દઢ હાય છે. વળી આાળકના વધારે સહવાસ મા, હેન, માશી, ફાઇ, × છેલ્લા પંદર વર્ષ થયાં જો કે દીવાળીબાઇ આંખે અખમ થયા હતા, તાપણુ દરરાજ શ્રી જિનેશ્વર ભગવાનના દર્શન કર્યા વિના તેમને ચેન પડતું નહીં. દર વર્ષે સિદ્ધગિરિની યાત્રા કરતા હતા. આંખેા સારી હતી ત્યારે મુંબઇમાં વેણુંીચ ંદભાઈને સારી રીતે સહાય કરતા હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #98 -------------------------------------------------------------------------- ________________ કાકી વિગેરે સ્ત્રી વર્ગ સાથે વધારે હાય છે. તેથી સૌથી પહેલાં સંસ્કારાની સાથી પહેલી શરૂઆત ત્યાંથીજ થાય છે. આ રીતે આપણે જોઇ શકીએ છીએ કે વેણીચંદભાઇની આજીમાજી ધાર્મિક વાતાવરણુ કેટલું જામેલું હતું ? અને લગભગ તેમના કુટુંબના દરેક માણસા દધી હતા, એટલે તેની કેટલી અસર થાય? એ સ્હેજે સમજી શકાય તેમ છે. જેનું વિશાળ અને આકર્ષક પરિણામ આપણે તેમની માટી ઉમ્મરમાં જોઇ શકયા છીએ. આથી ખાલ્યાવસ્થામાંથીજ તેમને પ્રભુપૂજા, સામાયિક, પ્રતિક્રમણ, તીર્થયાત્રા વગેરે ધાર્મિક અનુષ્ઠાના પર ભારે પ્રેમ હતા, જે વિરલાજ માળકમાં જોવામાં આવે. એકાદ બે સાદા અને એધદાયક દાખલા પરથી એ વધારે સ્પષ્ટ સમજાશે. તે અરસામાં ગુજરાતમાં અને ખાસ કરીને કડી પ્રાંતમાં અીણનું વાવેતર વધારે પ્રમાણમાં થતું હતું. અજ઼ીણુના રસ થાડા દિવસ માટીનાં વાસણામાં રહેવા દઇ તેની ગેાટીએ ખાંધી લેવામાં આવતી હતી. આથી પાલાવાસમાં પણ પટેલને ત્યાં અજ઼ીણુની ગોટીઓ ઉપર પ્રમાણે ખાંધી લેવામાં આવતી હતી. છતાં ખાલી થયેલાં માટીનાં વાસણેામાં ઘેાડા ઘણેા રસ આજીમાજીએ ચાંટી રહેતા હતા. તે રસઉદ્યમી વેણીચંદભાઈ ઉખેડી લાવતા હતા, ને તેની ગોટી માંધી, વેચી તેમાંથી પૈસા મેળવતા હતા. જાપાનમાં ખાળકા સીગારેટનાં ખાખાં ભેગા કરી, તેમાંથી તમાકુ કાઢી નવી સીગારેટા મનાવી વેચે છે, તેના જેવા આ પ્રકાર છે. પરંતુ વેણીચંદભાઇની મુખી જુદીજ છે. બાળક ઘણું ભાગે પૈસા તરફ લલચાય છે. આવા નાના નાના ઉદ્યમમાંથી પૈસા મેળવવા તરફ ખાળકની કુતુહુળબુદ્ધિ દ્વારાય છે. પણ તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #99 -------------------------------------------------------------------------- ________________ પૈસાને ઉપગ ઘણે ભાગે ખાવાનું લેવામાં વધારે થાય છે. બાળકને નવા નવી ખાવાની ચીજ સૌથી વધારે પસંદ હોય છે. પરંતુ વેણીચંદભાઈની પસંદગી જુદાજ કાર્ય તરફ વળી હતી. તેઓ તે પૈસાને ઉપયોગ પ્રભુપૂજામાં–પુષ્પાદિ લઈ વિશેષ પ્રકારે પ્રભુપુજા કરવામાં કરતા હતા. બીજો પ્રસંગ સંવત ૧૩૦ ની સાલમાં શા. રાયચંદ વમળશી હા, જ્ઞાનબાઈએ શ્રી સિધ્ધગિરિને સંઘ કાઢયે હતે. આ વખતે વેણચંદભાઈની ઉમ્મર લગભગ ૧૬ વર્ષની ગણાય. આ સંઘમાં મહેસાણાના એક ગૃહસ્થ સાથે વેણ ચંદભાઈ ગયા હતા. તે ગૃહસ્થને સ્વભાવ કાંઈક આકરે હેવાને લીધે કે કેઈ વખત વેણીચંદભાઈને તેમના તરફથી તાડના–તર્જના સહન કરવા પડતા હતા, છતાં કેવળ તીર્થયાત્રાની શુભ ભાવનાથી દોરાઈ–નહીં કે બાળકને સહજ એવી યાત્રા કે મુસાફરી માટેની કુતૂહળવૃત્તિથી દેરાઈને–તેઓ ગયા હતા. અને કહેતા હતા કે ગમે તેમ, પણ યાત્રા તે થાય છે!” ૭. જીવન સંસ્કાર-કેળવણું– વેણીચંદભાઈના જમાનામાં ગામેગામ સ્થાનિક નિશાળ હતી, જેને ગામઠી (પ્રામસ્થા સ્થાનિક) નિશાળ કહેવામાં આવે છે. તેમાંજ આ દેશની પ્રજા વાંચવા, લખવા અને ગણવાનું-ગણિતનું જ્ઞાન મેળવતી હતી. રમત ગમ્મત અને શેરીના વાતાવરણમાં ઉછરેલાં બાળકે સદા માબાપની દેખરેખ નીચે રહી સંસ્કારી અને ખડતલ બનતાં હતાં. કુટુંબની ખાનદાની વારસામાં ઉતરી આવતી હતી અને ઘરની આબરૂ તથા પ્રતિષ્ઠા જાળવવાના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #100 -------------------------------------------------------------------------- ________________ ૧૦ સસ્કાર અચપણમાંથીજ પડતા હૈાવાથી કુસનના સરકાર! કે બીજી નિબળતાએ પેસવાજ પામતી ન્હાતી. ચેડાં એટલે માત્ર બે ત્રણ વર્ષ માંજ વાંચવા, લખવા અને નામાલેખાનું જ્ઞાન મેળવી ખાળક ઝટ છૂટો થઈ ક્રુનિયાદારીના વ્યવહારના અખાડામાં ઉતરી પડતા હતા. તેથી અનેક ઘટનાઓ તથા સુખદુઃખના સંજોગામાંથી પસાર થઈ અનુભવી અને વ્યવહારદક્ષ થઈ જતા હતા. આજની જેમ તે વખતે દશ દશ પંદર પંદર વર્ષ સુધી નશાળમાં ગેાંધાઇ રહેવું પડતું ન્હોતું. પિતાના ધ ંધા, નાત જાતમાં પ્રતિષ્ઠા, મૂડી, ધંધાના અનુભવ, એળખાણ અને લાગવગ: એ વિગેરે અનેક સારાં તત્ત્વે વારસામાં મળતાં હતાં, એટલે એ વિષેની ચિંતાઓ ઉચ્છરતા યુવકાને સંતાપી શકતી ન્હાતી ધ ગુરૂનાં વ્યાખ્યાના અને ઉપદેશેામાંથી મહારના અનુભવ, તથા વિવિધ પ્રકારનું જ્ઞાન મળતાં હતાં. ચારિત્ર અને સતનને માટે તા પ્રજા સાથે ધર્મ ગુરૂએ પેાતેજ આદશ રૂપે હતા. કાંઇ શાસ્ત્ર –અભ્યાસ કરવા હાય તા, તે પણ તેની પાસે કરી શકાતા હતા. ધર્માચરણ સાથે શાસ્ત્રાભ્યાસ હાવાથી સેાનું અને સુગધ મળતા હતા, એટલે જ્ઞાનીઓના જીવનમાં પણ ધાર્મિકતાની સુવાસ ભળતી હતી. આ રીતે તે વખતના લેાકેામાં ધાર્મિક અને વ્યાવહારિક; એ મને જ્ઞાનના સંગીન સયાગ થતા હતા. તેથી વિશેષ જ્ઞાનની કોઈને જરૂર હાય તા, કાશી વિગેરે વિદ્યાના ખાસ સ્થળામાં જઈ સંગીન અભ્યાસ કરી શકાતા હતા. આ રીતની પ્રાચીન શિક્ષણ-એટલે મા પ્રજાના જીવનને સંસ્કારી બનાવવાની કેળવણીની રચના હતી, જેના એક અંગ તરીકે ગામડી નિશાળા લગભગ દરેક મેટા ગામમાં હતી. તેવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #101 -------------------------------------------------------------------------- ________________ એક ગામઠી નિશાળમાં શ્રીયુત વણચંદભાઈ ભણવા બેઠા હતા. એક વખત કેઈ કારણસર મહેતાજી તરફથી માર પડ્યો એટલે ગામઠી શાળા તે તેમણે ડીજ. બાકી રહેલું નામું, ગણિત, લેખાં વિગેરે બીજા પાસેથી શીખી લીધું. સિવાય બીજે અનુભવ-કેળવણી બહારથી જ મેળવ્યા હતા, કારણ કે તેમને જે ગામમાં, જે સમાજમાં જે કુટુંબમાં, અને જે ઘરમાં રહેવાનું હતું, તથા જે જાતને વેપાર વધે તેમના બીજ કુટુંબીઓ કરતા હતા, તે બધાની અસર તેમના ઉપર પડી. હતી. તેથી એક વ્યવહાર નિપુણ માણસમાં જે સંસ્કારની– કેળવણીની તે વખતના સમયને અનુસારે જરૂર હતી, તે સંસ્કારે તેમને મળેલા હતા. ૮. જ્ઞાનાભ્યાસ વિર્ણચંદભાઇને ધર્મને વારસો મળ્યા હતા અને આજુ બાજુના સંસ્કારથી તે મજબૂત થતું જતું હતું, તે આપણે ઉપર જોઈ ગયા. તેથી તેમને ધર્મ ઉપર પૂરી પ્રીતિ હતી, એટલે કે–સમ્યગ દર્શન, જ્ઞાન અને ચારિત્ર ઉપર પૂરી પ્રીતિ હતી. ધર્મ એટલે સમ્યગ દર્શન-જ્ઞાન-ચારિત્ર. જ્ઞાનપર પ્રીતિ હેવાને પ્રત્યક્ષ પુરાવો એજ કે તેઓ ઘણીજ ખંત અને લાગણીથી પરિશ્રમ વેઠીને જ્ઞાનાભ્યાસ કરતા હતા. જ્ઞાનાભ્યાસ કરવા સવારે વહેલા ઉઠતા હતા, કારણ કે તે વખતે મગજ શાંત અને તાજું હોય છે, એટલે અભ્યાસ સારી રીતે થઈ શકે છે. તથા નિર્મળ મન બોધ અને સંસ્કાર જલદી સંપ્રાપ્ત કરી શકે છે. તેઓ વારંવાર પાઠશાળાના વિદ્યાથીઓને કહેતા હતા કે “અભ્યાસ કરતાં ઝોકું ન આવે, માટે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #102 -------------------------------------------------------------------------- ________________ કઈ કઈ વાર હું માથા પરની ચટલીને દેરી વતી બાંધી લઈ અદ્ધર બાંધતે હતો, અને સારી રીતે ઉચ્ચ સ્વરે ગાથાઓ ગોખતે હતે. તમે પણ તેવી રીતે સાવધાનીપૂર્વક અભ્યાસ કરે. આળસને ત્યાગ કરીને જ સારે અભ્યાસ થઈ શકે છે. આળસના ત્યાગ માટે આવા ઉત્કટ પ્રગો કરવા પડે, તે કરોને પણ અભ્યાસ સારે કરે.” આ ઉપરથી તેમને ઉત્સાહ, ખંત અને જ્ઞાનાભ્યાસની તત્પરતા આપણે જોઈ શકીએ છીએ. પ્રતિકમણનાં સૂત્ર, જીવવિચાર, નવ તત્વ, ત્રણ ભાષ્ય, અને કર્મગ્રંથ વિગેરે પ્રકરણેને અભ્યાસ તેમણે કર્યો હતો. આજે અભ્યાસ કરનારાઓની સંખ્યા જોતાં આ અભ્યાસ ઘણેજ નજીવા લાગશે. પરંતુ જે સમયની આપણે વાત કરીએ છીએ, તે વખતે આ અભ્યાસ ઘણે ગણાતું હતું. આટલા અભ્યાસીઓની પણ તે વખતે ઘણી જુજ સંખ્યા હતી. અમદાવાદ જેવા શહેરમાં પાંચ પચ્ચીસ ભાઈઓ કે રાધનપુર, પાટણ કે સુરત વિગેરે જેવામાં પાંચ દશ ભાઈઓ આપણને મળી શકે. જ્યારે આજે કદાચ સેંકડોની સંખ્યામાં મળે, છતાં આજના અભ્યાસીઓ કરત તે વખતના અભ્યાસી. એમાં ખાસ જે વિશેષતા હતી તે આપણે ધ્યાન બહાર રાખવી જોઈએ નહીં. ડું પણ જ્ઞાન તેઓના જીવનમાં જે પરિણામ પામતું હતું, તેના ઉપર પ્રીતિને જે જેસ્સ તેઓમાં વહેતે, તે કદાચ આજના અભ્યાસીઓમાં ભાગ્યે જ મળશે. વળી આજે અભ્યાસ મોટે ભાગે આજીવિકાના સાધન તરીકે ઉપયોગમાં લેવાય છે, માટે તેને આપણે કેળવણી કહીએ છીએ. તે વખતે તે આ જીવિકાના સાધન તરીકેની કેળવણું ઉપર બતાવ્યા પ્રમાણે દરે આ અભ્યાસ આ સંખ્યા હતી. અભ્યાસીઓની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #103 -------------------------------------------------------------------------- ________________ ૧૩ થીજ તેલ છે તેમને સારી તેનું વજન વગર રૂપે કને મળી જતી હતી. ઉપરાંત, માત્ર જ્ઞાનબુદ્ધિથી જ્ઞાનાભ્યાસ કરવામાં આવતું હતું તેથી તેની કિંમત ભારે રહેતી, અને છે માટેજ આપણે તેને અહીં જ્ઞાનાભ્યાસ તરીકે ઓળખાવેલ છે. કેળવણું અને જ્ઞાનાભ્યાસને આ તફાવત વાચકમહાશયે બરાબર જોઈ શકશે. અને એ પણ નક્કી કરી શકશે, કે આજના વિદ્વાન કરતાં વેણચંદભાઈને ઓછો જણાતે અભ્યાસ ભવિધ્યમાં મહેસાણા પાઠશાળા અને જૈન કેળવણું ખાતા વિગેરે રૂપે કેવી રીતે પરિણામ પાપે? તે ઉપરથી તેનું વજન અને મને હત્તા આંકી શકાય છે. તેમને જ્ઞાનાભ્યાસ માત્ર શુદ્ધ જ્ઞાન વૃત્તિથીજ હતું, તેને બીજો પુરાવો એ છે કે-આ રીતે તેમણે આખી જીન્દગી અભ્યાસ કર્યો છે. અમને બરાબર ખ્યાલ છે કે મરણ સુધીમાં જ્યાં સુધી તેમની ઇંદ્રિય વાંચવા-વિચારવાને લાયક કામ કરી શકતી હતી, ત્યાં સુધી તેઓ પોતાના હંમેશના સ્વાધ્યાયના નાના નાના આધ્યાત્મિક તથા પન્ના વગેરે પ્રકરણે અને સ્તવન, સઝાયો વાંચતા-વિચારતા હતા. તેમજ તેને નિત્યપાઠ અને મનન કરતા તેમને જોયા છે. અર્થાત પૌષધ કે સામાયિકમાં હમેશાં કંઈને કંઈ ભણતાજ હોય. એકંદર તેમની આ પ્રવૃત્તિ પણ જીવન સાથે ગુંથાઈ ગયેલી હતી. આ ઉપરથી તેમની જ્ઞાનપિપાસા કેટલી ઉત્કટ અને તીવ્ર હતી? તે બરાબર સમજી શકાશે. આવું જ્ઞાન અ૫ હોય તો પણ તે સીધી રીતે આત્મા ઉપર અસર કરે છે, અને જલ્દી આત્મકલ્યાણ કરે છે, એ નિસંશય છે. ૯ લન અને દામ્પત્ય જીવન - વેણચંદભાઈનું લગ્ન લગભગ પંદર સોળ વર્ષની ઉમ્મરે થયું હતું. તેમના પત્નીનું નામ પરસનબાઈ (પ્રસન્નબાઈ) હતું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #104 -------------------------------------------------------------------------- ________________ ૧૪ પરસનખાઈ ધર્મિષ્ઠ અને તપસ્વી હતા. અવારનવાર કંઇને કંઇ તપ તેમને ચાલુ ડાયજ. તેમને સ્વભાવ ભલે હતા અને પતિની ઈચ્છાને આજ્ઞા ગણી ખરા દીલથી તેમની સેવા કરતા હતા. આય સ્રીઓમાં વારસાથી ઉતરી આવેલા પતિભક્તિ વગેરે પતિવ્રતા સ્ત્રીને છાજતા ગુણ્ણા જે પ્રમાણમાં જોવામાં આવે છે તેવા પ્રમાણમાં ઘણી વખત પુસ્તકાના અભ્યાસ કરનારી સ્ત્રીઓમાં આજ કાલ જોવામાં આવતા નથી. એ ઉપરથી એમ સમજાય છે કે સતનના સંસ્કારી વારસા અને આજીમાજીના સહવનના વાતાવણુ સાથે ગુણૈાની ખિલવણીના જેટલે આધાર છે તેટલા આધાર કેવળ પુસ્તકાના અભ્યાસ ઉપર નથી. અથવા જે અભ્યાસથી સર્તન ન ખીલે તે વાસ્તવિક રીતે અભ્યાસ જ નથી. આજ કાલના યુવાની માફ્ક આ દુપતીનું દાંપત્ય જીવન અસંયમી હાતું. બન્ને સચમ સમજતા હતા, અને જેમ અને તેમ સચમમાં રહીને તીવ્ર આસક્તિ વિના, અપ્રસન્ન ચિત્ત વિષયસેવન કરતા હતા. અને તેને મનોવૃત્તિમાં એ ભાવના સતત જાગ્રુત્ રહેતી હતી કે—ઉદયમાં આવેલાં ભાગાવળીક સૌને કાઇને કોઇ સંજોગામાં ભાગવવાં પડે છે. વાસ્તવિક રીતે તે તે રાગજ છે ભાવરાગ છે. ” તેથી જેમ અને તેમ તેના ત્યાગ તરફજ તેઓનું વલણ રહેતુ હતું. આ વાતની સત્ય સામિતી તેમના જીવનમાંથીજ કેવી રીતે મળે છે, તે આપણે તપાસીયે. જ્યારે પરસનખાઈ ગુજરી ગયા તે વખતે વેણીચ ઢલાઇની ઉમ્મર ૩૩ વર્ષની હતી. તેમના કુટુંબ, સ્થાનિક પરિસ્થિતિ અને રિવાજ પ્રમાણે વેણીશ દભાઇ બીજી વખત લગ્ન કરવા ઇચ્છે તેા કરી શકે તેમ હતું. સગાસબંધીઓ તથા કુટુંબીઓ તે વિષે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #105 -------------------------------------------------------------------------- ________________ ૧૫ હિલચાલ પણ ચલાવી રહ્યા હતા. વેણીચંદભાઇ તે વખતે મુંબઈ રહેતા હતા. તેમના તરફથી સમાચાર આવ્યા કે “મારે માટે કશી હિલચાલ કરશે નહીં, મારે પરણવાનું બંધ છે.”સૌ આયમાં પડયા. પત્નીના મરણથી દુ:ખગર્ભિત વૈરાગ્ય આવી જવાથી વેણચંદભાઈએ પરણવાની ના ન્હાતી પાડી.પરંતુ વિષએને વિષ અને સંયમને અમૃત સમજીને તેમણે ના પાડી હતી. કારણ કે પહેલેથી જ બન્ને પતિ-પત્નીએ ગુપ્ત પણે ચાવજ જીવ માટે ચતુર્થવ્રત-બ્રહ્મચર્યવ્રત ઉચ્ચારી લીધું હતું, જેની લેકેને હવે જ ખબર પડી. આ રીતે તેમની પવિત્ર પત્નીને વેગ સોનામાં સુગંધ મળવા બરાબર હતે. વિષયસેવનનાં સાધને મેળવવામાં કે વધારવામાં સ્ત્રી-પુરૂષની ઉન્નતિ નથી, પણ તેને સંયમ કરવા માંજ ખરી ઉન્નતિ છે. અવનતિને ઉન્નતિ માનવી એ ચેફ જમ છે, ગંભીર અજ્ઞાન છે. આવા ટુંકા ગૃહસ્થજીવનમાં પ્રસન્નબાઈને લગભગ ૩ અથવા ૪ સંતાને થયાં હતાં, પરંતુ તે લાંબે વખત આવી શક્યાં ન્હોતાં. માત્ર એક પુત્રી નામે મેતી બહેન મોટા થયા હતા. તેમનામાં પણ ધાર્મિક સંસ્કારને વારસો માબાપમાંથી ઉતરી આવેલ હતું. આ પુત્રીને મહેસાણામાંજ પરણાવ્યા હતા, પરંતુ કેટલેક વખતે તેઓ અને પાછળથી જમાઈ પણ ગુજરી ગયા. બસ, પછી તે એકલા, કશી પણ ઉપાધિ વગરના-ફક્કડ વેણચંદભાઇ રહ્યા. વાચક બંધુઓ! કુદરતને આમાં શે સંકેત હશે? ૧૦. ધ ધે-રોજગાર– વેણીચંદભાઈનું કુટુંબ વંશપરંપરાથી ધંધા-રોજગાર વણિક હતું. આથી વારસામાં તેમને વાણિજ્યને ધંધે મળેલ હતું. તેથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #106 -------------------------------------------------------------------------- ________________ તેઓ પણ વેપારનો રોજગાર કરી આજીવિકા મેળવતા હતા. પિતાના જમાનાની વ્યાપારી પરિસ્થિતિ પ્રમાણે તેઓ રૂ. સરસવ, એરંડા વગેરેને સટ્ટો અને દલાલી કરતા હતા. મહેસાણમાં તેમની દુકાન હતી, તેમાં ભાગીદારે અને ગુમાસ્તાની સહાયથી વેપાર કરતા હતા. મુંબઈ પણ કેટલાક વખત વ્યાપાર માટે રહેતા હતા. સામાન્ય રીતે મુંબઈમાં તેમનું નામ જાહેર હતું, જેથી શિરનામા વગરના તારે ઘણુ વખત તેમને મળી ગયાના ઘણા દાખલા છે. આ બધી પ્રવૃત્તિ છતાં ધર્મ, અર્થ, અને કામ: એ ત્રિવગને જરા પણ વિષમ ન થવા દેવાની પૂરતી કાળજી તેઓ રાખતા હતા. ઉપરાંત, ધર્મને વિશેષ સ્થાન આપવામાં તેમની વિશેષતા હતી. ગમે તેવા પ્રસંગમાં પૂજા, સામાયિક, પ્રતિક્રમણ, પૌષધ, વગેરે ધાર્મિક અનુષ્ઠાન ચૂક્તા જ નહીં. એટલું જ નહીં પણ કેટલીયે વાર આર્થિક લાભને ભેગ આપીને પણ ધાર્મિક અનુષ્ઠાનમાં ભાગ લીધા વિના રહેતા નહીં, કારણ કે તેઓ ધર્મને જ સર્વસ્વ માનતા હતા ધર્મ તેઓની રગેરગમાં વ્યાપ્ત હતે. ખરેખર, આવી ઉત્કટ ભાવના વિના અનેક પ્રકારની વિચિત્ર ઘટનાવાળા આ પ્રવૃત્તિમય જીવનમાં ધાર્મિક જીવનને સતત હેતે પ્રવાહ ટકી જ ન શકે આપણે લાખ માણસને એવા પણ જોઈએ છીએ કે જેઓ સગવડ, વખત અને સાધનસામગ્રીની અનુકુળતા હોવા છતાં, ધર્મને યાદ પણ ન કરતાં માત્ર એશ-આરામ અને મેજ-મજાહમાં જીવન વિતાડે છે, ત્યારે વાસ્તવિક રીતે તેમની આ પામરતા માટે દયા ઉપજ્યા વિના રહેતી નથી. પામર અને સંસ્કારી પુરૂછે માં આજ મોટે ફેર છે.. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #107 -------------------------------------------------------------------------- ________________ ૧૭ ધાર્મિક આચાર સિવાયના ખીજા પણ કાઈ ધામિક પ્રસ`ગા આવી પડે, ત્યારે પણ ખીજી' બધું છેડીને વેણીચ દભાઇ તેમાંજ મચી પડતા હતા. તેઓ અંત:કરણથી માનતા હતા અને ઘણી વખત કહેતા પણ હતા કે“ધર્મ પહેલા અને વ્યાપાર પછી, ધમ ન સચવાય તેા વેપારમાં લાભ ન મળે.” આવી ભવનાશિની ભાવના તેમના હૃદયમાં હંમેશ જાગતી રહેતી હતી. પરિણામે ધ સંસાધના કરતાં છતાં તેએ પેાતાના ખ મેળવી લેતા હતા. પછી તા રાજગાર ધીમે ધીમે આ કરી નાંખ્યા હતા. જ્યારે કુટુબમાં પાતે એકલા રહ્યા, એટલે પેાતાના પુરતા ખર્ચ કરી શકે તેટલી સગવડ તેમના પાસે થઇ ગઈ હતી. તેમાં સાષ માની પાતાના ખર્ચના બેન્દ્રે પાતા ઉપર રાખીને સતત પરિશ્રમથી અનેક ધાર્મિક ખાતાઓમાં પરોવાઇ જઇ, પેાતાના જી. વનના ઉદ્દેશ સિદ્ધ કરવા મથી રહેતા હતા. આ જમાનામાં વેણીચંદભાઇના આ ખાસ વિશેષતા છે. સ્વાશ્રયના સિદ્ધાંતને જીવનની છેલ્લી ઘડી સુધી તેએ વળગી રહ્યા હતા. તેમાં તેમણે કદી હાનિ પહાંચવાજ દીધી નહી. આ પરથી તેમની નિ:સ્વાર્થવૃત્તિ કેટલી ઉંડી અને સાચી હતી ? તેના આપણને હવે પૂરેપૂરા ખ્યાલ આવે છે. ૧૧. શાસન સેવક તરીકે— સ ંજોગવશાત્ સંસારમાં કેવી કેવી વિચિત્ર ઘટનાઓ અને છે.! અને પછી તે કેવી કેવી રીતે સ`કેલાઇ જાય છે ! ખાળક વેણીચંદભાઈ યુવાન થાય છે ! સંતતિ થાય છે ! અને ધ ંધાને રંગેય ચડે છે ! આમ જાળ પથરાય છે અને પાછી મધી સંકેલાઇ જાય છે! શાસ્ત્રકારી કહે છે કે—ધન, વૈભવ, કુટુંબ કબીલા; એ બધું ૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #108 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ક્ષણિક છે નાશવંત છે, માત્ર ધર્મ એજ એક શાશ્વત, સ્થાયિ અને સત્ય તત્ત્વ છે.” વેણીચ દભાઈ શાસ્ત્રકારના આ વાકયના સાચા અને આબેહૂબ દાખલા પૂરા પાડે છે. ક્ષણિક ષધી વસ્તુ ઉત્પન્ન થઈ કેવી રીતે ચાલી જાય છે ? અને પૂર્વકના ચેાગે વારસામાં મળેલા ધર્મ સંસ્કારાના પ્રવાહ છેવટ સુધી-જીન્દગીના અંત સુધી-કેવી રીતે સતત ચાલ્યા કરે છે? આ બન્ને ઘટનાએ વેણીચંદભાઇના એકજ દાખલામાં આપણે જોઈ શકીએ છીએ. વેણીચ'દભાઈની આ બધી ઘટનામાં કેમ જાણે કુદરતનાજ અધેા ઘાટ હાય ! ચેાગ્ય શાસનસેવક ઉત્પન્ન કરી આપવા માટેજ કેમ જાણે કુદરતે ઈરાદાપૂર્વકજ મધી રચના કરી હાય ! એવે ભાસ થયા વિના રહેતા નથી જુએ. ધાર્મિક ઉત્સાહથી ભર્યો ભર્યા વાતાવરણવાળા મ્હેસાણા જેવા સ્થાનમાં જન્મ થયા, અને તે પણ ધાર્મિક, સ ંસ્કારી, પ્રતિષ્ઠિત અને ખાનદાન કુટુખમાં, જેને પરિણામે સારા સ ંસ્કાર અને ધાર્મિકતાના વારસે મળે છે, અને તે આજુબાજુના તેવાજ સહવાસથી પાષાય છે. અનુકૂળ ધર્મ પત્ની અને સંતતિની પ્રાપ્તિ થાય છે. સ્વતંત્ર અને સ્વાશ્રયી ધંધા-રાજગારના યાગ થાય છે. જેને પરિણામે પેાતાની જરૂરીયાત પુરતા ખચ મેળવી લેવાના સામર્થ્યને લીધે આજીવિકાની માખતમાં જીન્દગી સુધી સ્વાશ્રયી રહી શકાય છે. પછી-વચ્ચેથી સંતતિ અને ધર્મ પત્ની અદૃશ્ય થાય છે. માત્ર એકલા, અટુલા અને ક્રૂડ વેણીચ દભાઇ અવશેષ રહી જાય છે. જો કે આટલી હદ સુધીની ઘટના તા ઘણાના જીવનમાં ખની જાય છે, પરંતુ આથી આગળ વધવાનું તે થાડા– નાજ નશીખમાં હોય છે. ક઼ૌથી કુટુંબની જાળમાં શુ થાવાના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #109 -------------------------------------------------------------------------- ________________ સની લાલચમાંથી બચવું, અને બીને પણ ધંધા-રોજગારની ધમાલમાં પડીને ધન મેળવવાની લાલચમાંથી બચવું, એ ભારે મુશ્કેલ છે. તેમાં પણ આ પ્રવૃત્તિના વાતાવરણમાં વિશેષ મુશ્કેલ છે. ત્યારે વેણચંદભાઈ તેમાંથી બચી જાય છે, એટલું જ નહીં, પણ તેમાંથી બચી જવાની તૈયારી પહેલેથી ચાલુ થઈ જાય છે. જો એ તૈયારી ન હોતે, તે વેણચંદભાઈનું જીવન આ રીતે લખાત કે કેમ? એ સંશય થયા વિના રહેતા નથી. આમ શાસનસેવકને લાયક અનેક સંજોગો તેમનામાં આવી મળે છે. મુક્તભેગી, નિરુપાધિક, બ્રહ્મચારી, ધર્મિષ્ઠ, ખાનદાન, નિઃસ્વાથી, આજીવિકાએ સ્વાશ્રયી, સરળ, સતત પરિશ્રમશીલ, વિશ્વાસુ, લાગવગ ધરાવનાર અને સામાન્ય રીતે દીર્ધાયુષી: એવા એક સેવક જૈનશાસનને નવા જુના વાતાવરણની સંધિમાં મળી જાય છે. શાસ્ત્રમાં કહેલો સિદ્ધપુત્રને મળતા ગૃહસ્થ શાસન સેવકના ઘણુ ગુણે વેણચંદભાઈમાં હતા, એમ કહેવું જોઈએ. એટલે જૈનશાસનસેવકની દષ્ટિથી વેણચંદભાઈ આ કાળે અજોડ છે-એમની જોડી મળવી મુશ્કેલ છે. કદાચ કઈ વિરલ વ્યકિત હશે, પણ તે આપણા જાણવામાં નથી. બસ, અંતે કબૂલ કરવું જ પડે છે કે-વેણચંદભાઈ તે વેણચંદભાઈ જ. આ રીતે તેમના જીવનને પૂર્વાર્ધ સ્વાભાવિક અને સાદી રીતે પૂરે થાય છે. હવે પછી તેમના જીવનને મેટો ભાગ અનેક સત્કાર્યોની પ્રવૃત્તિમાં વ્યતીત થાય છે. તે વ્યક્ત કરવાથી બે તને વિચાર કરવાને આપણને અવકાશ મળશે. એક તે–તેમની કાર્યપ્રણાલી અને તેમાં તેમનું વ્યકિતત્વ, અને બીજું–તેમના અંગત જીવનના કેટલાક પ્રસંગે વિષે પણ સાથે સાથે કેટલુંક વિશેષ જાણવાનું મળશે. જેને માટે જુદા પ્રકરણની જરૂર પડશે.' Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #110 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨ જુ. સત્યવૃત્તિમય જીવન. ૧. પરિસ્થિતિ– વેણીચંદભાઈનું જીવન જ્યારે સત્યવૃત્તિઓ તરફ દોરાય છે, ત્યારે દેશ અને કાળની તથા જનસમાજના વિચાર વાતાવરણની, અંદરની અને બહારની શી શી પરિસ્થિતિ હતી ? આજુબાજુના કેવા સંજોગે વચ્ચે તેમના કાર્યોની શરૂઆત થઈ હતી? તેમના હૃદયમાં અને મન ઉપર કેવા કેવા સંજોગની કેવી કેવી અસર હતી? એ વગેરે તાત્કાલીન પરિસ્થિતિને વિચાર કરવાથી તેમના કાર્યોના પ્રધાન હતુઓ અને ઉદ્દેશે બરાબર સમજી શકાશે. તેથી આ સ્થળે તેને વિચાર કરે અસ્થાને નહીં ગણાય. ૨. બાહ્ય પરિસ્થિતિ– અણહિલપુર પાટણના સર્વોપરિ અભ્યદય પછી અને ખાસ કરીને પરમહંત મહારાજા કુમારપાળ પછીથી પણ ગમે તેવી ઉથલપાથલ થવા છતાં પાટણની આજુબાજુના પ્રદેશની વસ્તિ અનેક પ્રકારે સુખી, સમૃદ્ધ અને વ્યવસ્થિત તંત્રવાળી રહી શકી છે. દરેક કામો અને નાતે જુઓ; કાઈપણ ગામ, શહેર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #111 -------------------------------------------------------------------------- ________________ કે ક જુઓ, ખેડુતે અને વેપારીઓ જુઓ, તે તેમાં જરૂર ઉડે ઉડે એક જાતનું સંગીન સંગઠન જશે. જો કે કામકાજની પદ્ધતિ સાદી હતી, છતાં આ સંગીન સંગઠનને પરિણામે ગુજરાતના મહાજન, જ્ઞાતિઓ અને સ્થાનિક સંઘની વ્યવસ્થા ઉપરથી પ્રજાની સ્થિતિને આપણને ખ્યાલ આવી જાય છે. તે વખતના-ડાહ્યા આગેવાને લોકકલ્યાણ જોઈને જ પગલું ભકરતા હતા, અને દરેક કામમાં દીર્ધદષ્ટિ વાપરતા હતા. પ્રજાનું આરોગ્ય સુદઢ હતું અને લોકો ખાવે પીવે સંતોષી ને સુખી હતા. ધાર્મિક ઉત્સવ અંત:કરણના ઉત્સાહથી પ્રવર્તતા હતા, અને હૃદયને આનંદ આપી પવિત્ર બનાવતા હતા. આમ એકદર ગુજરાતના પ્રજાજનોનું જીવન હેતુ હતું. તેમાં પણ જેનેનું વ્યકિતત્વ, પૈસે ટકે, લાગવગ, સત્તા, ન્યાય, નીતિ, પ્રતિષ્ઠા, લેકકલ્યાણ એમ બધી બાબતમાં લગભગ અચપદે શોભતું આપણે જોઈએ છીએ. આના ઉદાહરણ તરીકે અમદાવાદ, પાટણ, મહેસાણા, વિસનગર, પાલણપુર, રાધનપુર વિગેરે નાના મોટા પુકળ ગામો ટાંકી શકાય. પરંતુ છેલ્લા સે પચાસ વર્ષ થયાં આપણું તે વખતના અને આજના જીવનને મુકાબલે કરી જેમાં ગુજરાતના ચાલુ જીવન ઉપર ઘણું ખરી બાબતમાં મુંબઈની અસર ફરીવળેલી જણાય છે, એ હવે આજે સર્વત્ર વિદિત થઈ ચૂકયું છે, તેથી તેના વિશેષ વિવેચનની આવશ્યકતા નથી. તેમજ મુંબઈમાં અસર કયાંથી આવી? એ વર્ણવવાનું પણ આ સ્થળ નથી. પરંતુ ગુજરાતના જીવન ઉપર મુંબઈની અસર ચાલુ હતી અને છે; તેનાં અનેક કારણે છે, એટલું સમને આગળ વધીશું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #112 -------------------------------------------------------------------------- ________________ ૨૨ તે વખતના ભારતના વાતાવરણમાં લાર્ડ રીપન, મ્યુનિસીપાલિટીઓ, કૉંગ્રેસ, પ્રીરાજશાહ મ્હેતા, ગાખલે, દયાન દસરસ્વતી, દાદાભાઇ વિગેરેની અનેક જાતની પ્રવૃત્તિએ ચાલી રહેલી હતી. ધંધાની ઉથલપાથàા, મુખર્જીનું ધાંધાનું મથક થવું, માટી માટી આસિસ દ્વારા આખા દેશમાં વ્યાપારની પ્રવૃત્તિઓ, નાના માટા ધંધા પડી ભાંગવા અને અનેક રીતે ધંધા રહિત થયેલા લેાકાનું મુંબઈ, મદ્રાસ કલકત્તા, કરાંચી, સીંગાપુર, આફ્રિકા વિગેરે દરેક પ્રદેશામાં પેટને માટે જવુ.... સુખી અને મૂડીની સગવડવાળા લેાકેાને પણ સ્થાનિક વ્યાપાર કરતાં આવા મથામાં મૂડી રાકવાથી વધારે ફાયદા જણાયે, અને પરિણામે અનેક દેશી પેઢીઓની સ્થાપના થવી. જેઓને સ્થાનિક ધંધામાં ફાવટ ન જણાયેલી અને ઉપર કહેલા મુખ્ય મુખ્ય સ્થળામાં પણ જ્યારે કાઇ પણ એઠા ધંધાની પેઢીનું કામકાજ ન ચાલે ત્યારે પણ વેપાર કરીએ છીએ ?' એવી ભાવના ટકાવી રાખનાર સટ્ટાની પ્રવૃત્તિ, અમદાવાદમાં મીલેાની પ્રવૃત્તિ: આ બધી વસ્તુઆએ ગુજરાતના ચાલુ વાતાવરણને ઘણી રીતે હચમચાવી મૂકેલું હશે, એ તા આપણને ચાક્કસ જણાય છે. અને તેમાં પણ સર્વ કરતાં પ્રધાન અને મુખ્યપણે ચાલતી તથા પ્રજાના દિલપર અસર કરી ચૂકેલી કેળવણીનું સર્વવ્યાપક વાતાવરણ જોસભેર ફેલાતું હતું. તેમાંથી શાળાઓ, હાઇસ્કુલા, કાલેજો, વગેરેની સ્થાપનાએ, લાયબ્રેરીએ, અને છાપાંઓની પ્રવૃત્તિએ, મેળાવડા અને સભા સેાસાઇટીએના જલસાઓ, ભણેલા ગણેલા ગ્રેજ્યુએટાનાં ભાષણેા અને તાળીઓના ગડગડાટ: આ મંધી પ્રવૃત્તિઓ ધમધેાકાર બહારના વાતાવરણમાં ચાલ્યા કરતી હતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #113 -------------------------------------------------------------------------- ________________ ૨૩ ૩. અંદરની પરિસ્થિતિ— અસર આ જ વખતે મ્હેસાણામાં શ્રી રવિસાગરજી મહારાજ જેવા ઉત્કટ ચારિત્રશીલ પુરૂષના ત્યાગ અને ઉપદેશની ચાલુ હતી. મ્હેસાણા તેમનાં ક્ષેત્રમાંનું એક મુખ્ય ક્ષેત્ર ગણાતું હતું. તેથી કરીને ચારિત્ર કે જેને જૈનશાસ્ત્રમાં સર્વોત્તમ માનવામાં આવ્યું છે, તેનું વાતાવરણ મ્હેસાણામાં સચાટ હતું. શિવસાગરજી મહારાજ સાથે વેણીચ ંદભાઈનેા પરિચય પણ ખાસ હતા. આને લીધે પણ ધાર્મિક અનુષ્ઠાના અને તે ઉપરના હાર્દિક પ્રેમ વેણીચ ંદભાઈના જીવનમાં સૌથી અગ્રપદે હાય, એ સ્વાભાવિક છે. આજ વખતે ખીજી તરફ શ્રી આત્મારામજી મહારાજની જૈન- જૈનેતર વિદ્વાનામાં ભારે પ્રતિષ્ઠા, અને વાતાવરણ ઉપર તેમની વિદ્વત્તાની અસર હતી. તેમના ગ્રંથા; આર્ય સમાજ, ખ્રિસ્તીઓ વિગેરેની સામે તેમના જવાખે; શાસ્ત્રોનાં પઠનપાઠનની જાગ્રત થયેલી તીવ્ર લાગણો; તેમાં વળી ન્યાયશાસ્ત્રના સારા અભ્યાસી ૫ જાખી શ્રી દાનવિજયજી મહારાજની શાસ્ત્રાભ્યાસ માટે ઉત્કટ ભાવના; મુંબઈમાં યુનિવર્સિટીના શિક્ષણની અસરથી ઉત્પન્ન થયેલા વાતાવરણને લીધે મુંબઈમાં વસતા જૈન માગેવાન ગૃહસ્થામાં પણ શિક્ષણ તરફ્ની ચળવળ, વીરચંદ રાઘવજી ગાંધીનું' અમેરિકા જવું: વિગેરે વિગેરે સ ંજોગોને લીધે ઉત્પન્ન થયેલા વાતાત્રરણની અસર આ સમયમાં શ્રી જૈન સંઘમાં જોસભેર ચાલવા લાગી હતી. અને ખસ, આજ સમયમાં વેણીચંદભાઈ કામ કરનાર તરીકે બહાર પડેછે, અર્થાત્ સ્થાનિક વા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #114 -------------------------------------------------------------------------- ________________ તાવરણની ચાલુ અસર તે જાણે વેણચંદભાઈમાં મૂળથીજ-પાયારૂપે–ભૂમિકા રૂપે હતી જ. તે ઉપરાંત નવા વાતાવરણની અસરમાંથી પૂરેપૂરા બચવું તેમને માટે પણ મુશ્કેલ હતું. એટલે વેણચંદભાઈની કાર્યપ્રણાલી આ બંને વાતાવરણથી મિશ્રિત મનેદશામાંથી જન્મેલી કહી શકાય. કેળવણીના વાતાવરણે શરૂઆતમાં તે વખતના ધર્મપ્રિય સમાજના હદયમાં પણ ધાર્મિક શિક્ષણ આપવું અને પિતપોતાના ધર્મનાં શાસ્ત્રો ભણાવવા” એટલી અસર તે કરી દીધી હતી. તેથી કરીને શ્રીમદ્ આચાર્યશ્રી આત્મારામજી મહારાજ તથા શા. અનુપચંદ મલુકચંદ વગેરે તે વખતના પુરૂષોએ શાસ્ત્રીય અભ્યાસ ઉપર સંગીન ભાર મૂકેલે છે અને પ્રજાને ગમે તેટલે ખર્ચે શાસ્ત્રો ભણાવવાની સચોટ ભળામણે કરેલી છે, જેને પરિણામે મહેસાણા પાઠશાળા, બનારસ પાઠશાળા અને અનેક જૈનશાળાઓ વિગેરેની શરૂઆત થઈ ચૂકી. છતાં, કેળવણુના એ વાતાવરણને પ્રવાહ એટલેથી ન અટક્તાં આગળ જતાં આપણામાં બેકિંગ, કુલ, હેલ, અને છેવટે પિતાની દેખરેખ નીચે શિક્ષણ આપનારી સંસ્થાઓ રૂપે પરિણામ પામતે ગયે. ધંધારોજગારનું, રહેણુકરણનું તથા વિચારવાતાવરણનું ધોરણ બદલાતાં અનેક વિદ્યાથીઓ પણ તેમાં અભ્યાસ કરવાને મળવા લાગ્યા, જે પ્રવાહ આજે પણ હજુ ચાલુ જ છે. ૪. કાર્યકર્તા તરિકે– આવા અનેક તરેહના આદેલથી ભરચક વાતાવરણમાં પિતાની શક્તિ અને સાધને લઈ વેણીચંદભાઈ કાર્યકર્તા તરિકે બહાર પડે છે. તેમના ઉત્સાહનું પુર ચારે તરફ ફરી વળે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #115 -------------------------------------------------------------------------- ________________ તેમના દિલમાં ધર્મ સિવાય બીજી વસ્તુ નથી. તેથી ધર્મને અનુરૂપ કામ કરવા માટેનાં અનેક ખાતાએ તેમની નજરમાં તરી આવે છે. અને એક પછી એક, તે તે કામ ઉપાડી તેમાં જેમ્સ ભેર-સમાના મચી પડે છે. બહારને પ્રવાહ ગમે તે જાતને હતા, પણ જનસમાજના વિચાર અને પ્રવૃત્તિને પ્રવાહ ધર્મના કામો તરફ વાળી દે, એ વેણીચંદભાઈનાં કાર્યોમાં પ્રધાન ઉદ્દેશ જણાય છે. વળી જેનશાસન એ અનાદિ કાળથી ચાલ્યું આવતું એક સંગીન તંત્ર છે. તેમાં જે કે અનેક જાતનાં કાર્યો થયેજ જતાં હતાં. આપણે ભારતની પ્રજાના ઈતિહાસમાં જોઈશું તે વેતામ્બર જે. નનું વ્યક્તિત્વ ધ્યાન ખેંચે તેવું છે, અને તેના વ્યક્તિત્વને ઈતિહાસ ઘણે જુનો છે. તેને માથે જવાબદારીઓ પણ ઘણું જ છે. તેમજ જુદા જુદા ખાતાઓમાં બહળી ઉદારતા કરવાને વારસો પણ જાણે તેને વંશપરંપરાને મળ્યો હોય એવું જણાય છે. અને તે પણ કશા અહિક લાભ કે સ્વાર્થની ઈચ્છાથી નહીં, પણ કેવળ ધર્મબુદ્ધિથી. સમર્પણના ઈરાદાથી જ ધનવ્યયને પ્રવાહ ચાલ્યા જ કરે છે. વસ્તુપાળ અને તેજપાળ એ વિગેરેના ધાર્મિક પ્રવૃત્તિઓમાં અઢળક દ્રવ્યવ્યયના દાખલા જગજાહેર છે. તેઓને તેઓના પૂર્વજોને વારસો મળ્યો હતો, અને ત્યાર પછીની પ્રજાને તેઓને વારસે મળે છે. આ રીતે કવે. જેમાં અનેક ધામિક કામમાં કાયમને માટે ધનને પ્રવાહ ચાલ્યા જ કરે છે. અને તે તે વખતે તેવાજ કાર્યવાહકે પણ તેને મળ્યા જ કરે છે. તેથી પણ જેનશાસનની દષ્ટિએ ચાલતાં અને ચાલુ રાખવા જેવાં અનેક ખાતાંઓ વેણચંદભાઈની નજરમાં આવવા લાગ્યાં હતાં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #116 -------------------------------------------------------------------------- ________________ આ કામ કરતી વખતે તેઓ તેમાં તન મનથી લાગી જતા હતા. હજારે માઈલેની મુસાફરી મહિનાનામહિના સુધી કરતા હતા. ધાર્મિક અનુષ્ઠાન સિવાયની બીજી બધી પ્રવૃત્તિઓને ગૌણ કરી નાંખતા હતા, કહેવું જોઈએ કે શરીરની પણ દરકાર ન રાખતાં બધી શક્તિ તેમાં જ હેમી દેતા હતા. - વેણીચંદભાઈને જેમ સર્વ કેઈ આજે ઓળખે છે, તેમ તે વખતે વેણચંદભાઈ પણ સૌને ઓળખતા થઈ ગયા હતા. આખા દેશભરમાં કણ કણ આગેવાને છે? કેણ કે સુખી છે? કોણ કોણ ઉદાર છે? કેણ કેણુ વિદ્વાન છે? કોણ કામ કરવામાં કુશળ છે? વિગેરેથી બહુજ પરિચિત થઈ ગયા હતા અને તે એટલે સુધી કે તેને કેવો સ્વભાવ છે? કેણ કઈ જાતના વિચાર ધરાવે છે? કયું કામ કેની પાસે કરાવી શકાશે ? કેને કર્યું કામ પસંદ છે? વિગેરે તોથી વેણચંદભાઈ સારી રીતે માહિતગાર થઈ ગયા હતા. કેટલાક કુટુંબમાં તે “વેણચંદ કાકા” બાળકો અને સ્ત્રીઓને પણ ઓળખતા હતા, એટલું જ નહીં પણ તેના સ્વભાવ અને પસંદગીના પણ અભ્યાસી થઈ ગયા હતા. અને તેઓ પાસેથી પણ કામે લઈ શકતા હતા, પિસા મેળવી શક્તા હતા. અર્થાત કહેવું જોઈએ કે સંઘની તાત્કાલીન ચાલુ સ્થિતિથી ઘણી રીતે તેઓ વાકેફ હતા. જે કામ ઉપાડતા તે તુર્તજ શરૂ કરી દેતા હતા, અને જે રીતે ચલાવી શકાય તે રીતે ધમધોકાર ચલાવીને, કામને-પૈસા આપનારની દષ્ટિમાં લાવી દેતા હતા. આથી પાછળથી પણ તેમને તેને માટે પુષ્કળ નાણું મળ્યાં કરતાં હતાં. અને વિશ્વાસથી તેમની જ જવાબદારી ઉપર સોંપવામાં આવતાં હતાં. યદ્યપિ વાતાવરણને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #117 -------------------------------------------------------------------------- ________________ અનુસરીને કમિટી, મેળાવડા, રીપેર્ટ, બંધારણના નિયમો વિગેરે બેઠવણ તેઓ કરતા હતા. જે લકે તેવા પ્રજને ઉઠાવે તેને તે બતાવી. શકાય, માટે તે સામગ્રી પણ રાખતા હતા. પરંતુ પૈસા આપનાર લેકેને ઘણે ભાગ તે એમાંનું કંઈ પૂછતોજ નહીં. વેણીચંદ ભાઈ ઉપર વિશ્વાસ જ એમાં મુખ્ય હતો. અને વેણીચંદભાઈને તે એક હથ્થુ હોય કે અનેક હથ્થુ હોય, તેની સાથે ખાસ લેવા. દેવ હતી. કારણ કે તેમને તે ખરા અંત:કરણથી કામ કરવું, એજ લગની હતી. આમ પૈસા આપનાર અને વેણચંદભાઈનાં મનોમન સાક્ષિ થતાં હતાં. તથા જે લેકે બંધારણેના વિચારોથી ટેવાયેલા હતા, તેમને પણ સંતોષ આપી શકાતે હતો. બીજી રીતેભવિષ્યમાં પણ મિલ્કતો અને કામને જોખમ ન લાગે, એ પણ તેમની દષ્ટિ હતી તે ખરીજ. આમ છતાં વેણચંદભાઈને હમેશ સહેલાઈથી નાણું મળી જતાં હતાં એમ નહોતું, કારણ કે-બધાનાં દિલ એક સરખાં નથી હોતાં. કશું કારણ ન હોય તે પણ “પ્રાણ આપવા અને પૈસા આપવા ” એ કેટલાકને મન સરખું થઈ પડે છે. આ જાતને પણ મનુષ્યસ્વભાવ છે. તે સ્થિતિમાં વેણચંદભાઈજરા એ મુંઝાયા વિના પોતાની મહેનત ચાલુ રાખતા હતા, અને તે એટલે સુધી કે હડહડતા અપમાન કરવામાં આવે તે પણ આ પુરૂષ ડગેજ નહીં, બધુંયે ગળી જાય. ગમે તેવા વિરૂદ્ધ વિચારને હલે માથે આવી પડે, તે પણ મનમાં જ પરિણાવી દે. તેનું તેમને કાંઈ દુઃખજ નહીં, જાણે કાંઈ બન્યું જ નથી. અને પિતાની દલીલો તે ચાલુ રાખે જ જાય. બહુ ગુસ્સે થાય, તે બે ચાર દિવસની ગાબચી મારી જાય, અંતર પાડી દે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #118 -------------------------------------------------------------------------- ________________ ૨૮ પણ પાછા ત્યાંના ત્યાં અડી પડે. આ રીત કદાચ કાઇને હઠીલી લાગશે, પરંતુ તેઓ એળખતા હતા કે આ પૈસા આપી શકે તેમ છે; અને તેમણે આપવા જોઇએ, એવી તેમની સ્થિતિના પ્રમાણુમાં તેમની ફરજ છે. ” છતાં માત્ર લેાભને વશ થઇને ન આપે, તેનીજ પાસેથી આ પ્રમાણે મકકમતાથી પૈસા લેવા પ્રયત્ન કરતા હતા. “ લાભને વશ પડેલા માણસના હાથમાંથી ઝટ પૈસા છૂટતા નથી, એટલે તેના માનાપમાનથી કાર્ય કર્તાએ પીંગળી ન જવું જોઇએ, ઢીલા પડવું ન જોઇએ. જોઇએ. ” એવાજ કાઈ ખ્યાલથી એવું પરિણામ આવ્યાના ઘણા પાસેથી પણ તેમણે નહીં ધારેલી રકમ એ દાખલા સતત પ્રયત્ન કરવાજ પ્રયત્ન કરતા હતા. અને વ્યક્તિઓ છે કે, તેવી મેળવી છે. સાથે માણસ, હાથમાં ખત્તી, ટીપના કાગળીએ કે ચાપડી અને પેન્સીલ લઇ રાતના ખાર ખાર કે મુમ્બે વાગ્યા સુધી પૈસા મેળવવા ફરતા જોવામાં આવતા હતા. અને કાઇ ક્રાઇ વખત તા ગમે તેટલા ઉપવાસેા હાય, તા પણ આ પ્રવૃત્તિ ધમાકાર ચાલતી જ હાય. જ્યાં સુધી ધાર્યું કામ ન થાય ત્યાં સુધી જપીને બેસવાનું યે નહીં, ને બેસવા દેવાનું ચે નહી; ટપાલ પણ નિયમિત લખાવીજ જોઇએ, વખત ન મળે તે ટ્રેઇનને ઉપડવાની વાર હાય તે વખતે જે વખત મળે તેમાં ને કાઇ વખત ચાલતી ટ્રેને પણ નવરા એસવાનું તા નહીંજ. અરે કાઈ કાઇ વખત તા એવા પ્રસગ આવી જતા કે આખા દિવસ ફેરવામાં જાય. ઉપવાસ ન હાય તા ખાવાપીવાના અને ધાર્મિક અનુષ્ઠાનાને માંડ માંડ વખત મેળવતા હાય અને આવશ્યક ટપાલના જવાબ તા આપવા જ જોઇએ. આ સ્થિતિમાં રાત્રે બેસીને ટપાલ લખવા લખાવવાનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #119 -------------------------------------------------------------------------- ________________ કામ ચાલુજ હેય. અને કેટલીક વખત હજામત કરાવવાને પણ વખત મળવું મુશ્કેલ થઈ પડે. તે કરાવવા જાય તે બીજાં કામે માટે વખત લૂંટાતે લાગે. તે વખતે રાત્રે પિતે હાથમાં દીવે પકડી રાખે, હજામ હજામત કર્યું જાય અને કારકુન ટપાલ લખે જાય. આવી ઉત્કટ કામ કરવાની સતત પ્રવૃત્તિ ઉપરથી તેમના હૃદયમાં કેવી લગની હશે? તેના ઉંડાણના પ્રદેશમાં આપણને લઈ જાય છે, અને ભાન કરાવે છે કે–સેવક નામ ધરાવવું સહેલું નથી, પણ તેની પાછળ કેટલી જવાબદારી અને કેટલી તૈયારીની જરૂર પડે છે? ત્યારે ખરા સેવક થઈ શકાય છે! એ જાનને બોધ લેવાને આપણને તેમાંથી પ્રસંગ મળે છે. પોતાના સ્વાર્થના કામ માટે તે અનેક જાતની મહેનત ઉઠાવનારા ઘણું મળી શકે, પણ કેવળ અંગત સ્વાર્થ સાથે બિલકુલ સંબંધ ન ધરાવતાં કાર્યોમાં ઓતપ્રોત પરોવાઈ જવું, એ વિરલાઓ માટે જ હોય છે. વળી તે તે કામને માટે કામ કરી શકે તેવા માણસો મેળવી લઈ ગોઠવી દેવાનું પણ તેમને સુલભ હતું. એક જાય તે બીજાની હાજરી હોય જ. પગાર વિગેરેમાં પુરતી કરકસર, ઉડાઉપણું જરા યે નહી. અને જે માણસ ક્યા કામને લાયક છે, એ ધ્યાનમાં રાખ્યા જ કરે અને આગળ પાછળ ગોઠવણ ચલાવ્યેજ જાય. કામ કરનાર માણસ મનમા ન મળે તે કદાચ કામ ચાલવું બંધ રહે. છતાં તેને નાણાં, મિલકતે બરાબર સચવાઈ રહે, તેની કાળજી સૌથી પહેલાં જ કરતા જણાયા છે. આ ઘણું સલાહે, ટીકાઓ, સૂચનાઓને પ્રવાહ છૂટતો હોય છતાં તેથી એકાએક દેરાઈ ન જતાં, પિતાની ધારણા પ્રમાણે, અને કાર્યક્ષેત્રની પરિસ્થિતિ પ્રમાણે કરવા જેવા ફેરફાર કરે, અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #120 -------------------------------------------------------------------------- ________________ હગાડ કરતા નથી ૩૦ પિતાની ધ્યાનમાં ન બેઠા હોય તે ન પણ કરે. છતાં દરેકનું સાંભળે, દરેક પાસેથી સૂચનાઓ માગે અને પિતાના મનમાં પિતાની શક્તિ પ્રમાણે તુલના પણ કરે. ઠીક લાગે તે અનુમોદના કરે અને અમલમાં મૂકવા જલદી તૈયાર થઈ જાય. અને ઠીક ન લાગે તે તેને સ્પષ્ટ વિરોધ ન કરે. આથી કરીને કેઈને બિનજરૂરી ખોટું લગાડે નહીં. તેવી સ્થિતિમાં મૈન ધરી લે, સાંભળી લે અને ઠીક લાગે તેમ કરે. એકદમ કામની ક્ષેત્રમર્યાદા વધારી દઈ પાછળથી કામ તૂટી પડે, તેવી રીતે એમના કામ માટે ઘણે ભાગે બન્યું નથી. તેથી એમનામાં દીર્ઘ દૃષ્ટિ કેટલે અંશે હતી? એ બરાબર સમજી શકાય છે. કેવળ આરંભે શૂરા જેવો ઘાટ નથી બને, એમ કહીએ તો પણ ચાલે. એક હેડીમાં જેટલું આવે તેટલો ભાર ભયે જઈએ, તે છેવટે એ હોડી ડુબે. તેવી જ રીતે કાર્યવાહકે પણ જેની આવે તેની દરેક સુચનાઓને અમલ કરવા માંડે, તે છેવટે તે કાર્ય ચૂંથાઈ જાય, વેરાઈ જાય, અને પરિણામે નાશ પામે, એવો પણ પ્રસંગ કદાચ આવી જાય. તેથી જેઓને કામ કરવા છે, તેમણે તે વાતને પણ ખ્યાલ રાખવો પડે, અને સૂચનાઓને ટેકે ન મળે તે સામાનું દિલ દુભાય, તેનો પણ વિચાર કરવો પડે, આ બધી વિકટ પરિસ્થિતિ વચ્ચે કામ કરવાનું હોય છે. તેને એ અર્થ નથી કે કઈ પણની સલાહ લેવી જ નહિ. લેવી, પણ તેને તેલ કરી ખાતાની પરિ. સ્થિતિ પ્રમાણે તેને અમલ કરો એમાં જ કાર્યકુશળતા છે. વેણચંદભાઈમાં કાર્યકુશળતા હતી કે નહીં? તેના કંઈ લેખિત પુરાવા આપણને કદાચ નહીં મળે, પરંતુ તેમણે ઉપાડેલાં કામોની પરંપરા, તેના વર–ઓછે અંશે આવેલા પરિણામો, તેને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #121 -------------------------------------------------------------------------- ________________ ૩૧ સ્થાયિ ટકાવ, અને તેમાં નાણાંના સંગ્રહ: એ બધું તેમની કામ કરવા વિષેની આવડતની સ્થિતિ આપણને સમજાવે છે. તેમણે ઉપાડેલાં કામે ઠીક હતાં કે અડીક? તેના કરતાં બીજા સારાં હશે કે કેમ ? અથવા તે ઠીક રીતે ચલાવતા હતા કે કેમ ? એ બધા પ્રશ્ના આ સ્થળે અસ્થાને છે. એ ખામત ભલે ગમે તેટલા મતભેદો હાય, કે ન હૈાય. પરંતુ તેમના જીવન– ચરિત્રને અંગે ક્યા કયા વહીવટમાં તેમણે શે। શે। ભાગ ભજન્યા છે તે જાણવા માટે તેમણે હાથ ધરેલાં કામેાની સંક્ષિપ્ત વિગત અહીં આપવી જરૂરની છે. ૫. ઉપાડેલાં કામેાની પરંપરા વેણીચંદભાઇ કામા કરવા બહાર પડે છે, તે કેમ જાણે એક વટાળિયાની માફક બધે ફરી વળે છે. તેમના જીવનમાં ઉપાડેલાં નાનાં મોટાં કામાનું લિસ્ટ કરવા જઇએ, તેા લગભગ ૭૦૭૫ ની સંખ્યા સુધી પહોંચી જાય છે. જે કામ સ્મરણમાં આવ્યું કે પ્રસંગે જરૂરનું જાયું તે કામ ઉપાડયું જ છે, ને તેને માટે પૈસા આપનાર પણ તેમને તુરતજ મળી જાય. આ કામેાના નીચે પ્રમાણે વર્ગો પાડી શકાય— ૧ પહેલા વર્ગમાં મદિરા અને તીર્થો આવેછે. તેમાં-મંદિ રામાં-ચક્ષુ ટીકા, પૂજાના ઉપકરણેા, દહેરાસરાના છોદ્વાર, કલ્યાણકની આરાધના, કેસર સુખડ, ગલઢુણા વિગેરે ઉ પકરણેા, પ્રતિમાજીના લેપખાતું, ફૂલખાતુ, મ્હેસાણામાં પ્રભુભકિત ખાતુ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #122 -------------------------------------------------------------------------- ________________ તીર્થમાં-(સિદ્ધાચળજીને સૌથી પહેલું સ્થાન હોયજ.) સિદ્ધાચળનું–ફૂલ ધૂપ ખાતું, નિત્ય આંગી ખાતું, આશાતના દૂર કરવા ખાતું. તળાટીની ભકિત, રખેપાની હલચાલ, વિગેરે વિગેરે, આબુ ઉપર આંગીખાતું, ગિર નારજી, તારંગાજી, વિગેરેના જીર્ણોદ્ધારની ટીપ. ૨ બીજા વર્ગમાં-મુનિ મહારાજાઓ અને ચારિત્રધર્મ તથા તપને લગતાં ખાતાઓને સમાવેશ થાય છે. તેમાં–સાધુ સાધ્વીનાં ઉપકરણ ખાતું, સાધુ સાધ્વીના ઔષધોપચાર ખાતું, પુસ્તકો લખાવી આપવાનું ખાતું, પુસ્તકો મંગાવી આપી પૂરા પાડવાનું ખાતું, શ્રાવક શ્રાવિકાનાં ઉપકરણે ખાતું, દીક્ષા લેનારના કુટુંબને સહાયક ખાતું, દીક્ષામોત્સવને લગતું ખાતું, આંબિલ વર્ધમાન તપની ઓળી ખાતું, તપસ્વીઓની વૈયાવચ્ચ ખાતું, ઉપધાન ખાતું, મહે. સાણા ઉપાશ્રય, મુનિ મહારાજાઓને માટે ઉપયોગી ખાતું. ૩ ત્યાર પછી ત્રીજા વર્ગમાં-જ્ઞાનાભ્યાસને લગતાં ખાતાં આવે છે. તેમાં મહેસાણા પાઠશાળા, પુસ્તકે ભેટ આપવાનું ખાતું, છપાવી વેચવા ખાતું, મુંબઈ જ્ઞાનખાતું, સૂકમ પ્રકરણાર્થ બેધ પાઠશાળા ખાતું, આગોદય સમિતિ, બનારસ પાઠશાળા, કેળવણી ખાતું, તેમાં–ઉપદેશક ખાતું, ર્કોલરશીપ ખાતું, ઈ. નામ ખાતું, બહારની જેન શાળાઓને મદદ આપવા ખાતું, રવિસાગરજી જૈન વિદ્યાશાળા, કસ્તુરચંદ વીરચંદ જૈન વિદ્યાશાળા, જેન વિદ્યાર્થીઓને કપડાં ખાતું, જ્ઞાન ખાતુ. ૪ ત્યાર પછી જેન ધર્મને લગતાં બીજા કેટલાંક ખાતાં, જેવાં કે-મહેસાણામાં મેમાનનું રસોડા ખાતું, પાલીતાણામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #123 -------------------------------------------------------------------------- ________________ ૩૩ • પણ રસાડા ખાતુ, ગિરનારજીની તલાટીનું રસાડું, શોશ્વરજીની ભાજનશાળા, આણંદજી કલ્યાણજીને મદદ, કાન્ત્ રન્સને પણ મદદ આપી શકાય તેટલી આપવી, જૈન શ્વે. શ્રાવકાને લગતુ ખાતુ, જેમાંથી સીદાતાઓને મદદ થઇ શકે. વેણીચંદભાઇનાં કામને આટલીજ મર્યાદા નથી. જૈનસઘના ક્ષેત્રથી બહાર પણ તેઓ ગયા છે. ૫ સઘના ક્ષેત્ર બહારનાં કામા તેમાં છપ્પનિયા દુકાળમાં મદદ, વાડીનું અન્નગૃહ, ગરીમ ધર્માદાખાતુ, સાધારણ રીતે પાઠશાળામાં ઔષધો રહેતો હતાં અને રહે છે, જેથી કરીને ગમે તે કેાઈને જોઇતુ હાય તા આપી શકાય. ૬ અને છઠ્ઠા વર્ગમાં–સામાન્ય પ્રાણીની દયાનાં ખાતાંના સમાવેશ થાય છે તેમાં-પાંજરાપોળ અને ખાડાઢારને પણ વેણીચ દભાઇની મદદ હાયજ. કસાઈ પાસેથી પશુએ છેાડાવવાનું જીવયા ખાતુ, માછલાખાતુ, કુતરાના રોટલા અને પારેવાની ચણ ખાતું, વિગેરે વિગેરે. આ રીતે જિનમ ંદિર વિગેરે દન, જ્ઞાન અને ચારિત્ર આરાધન તથા જૈનસ ંઘની વ્યવસ્થાના વિભાગેાથી માંડીને માનવસમાજ અને છેવટે પ્રાણીવના હિંત સુધી તેમનાં કામેાના પ્રવાહ પહોંચે છે. આમાંનાં ઘણાંખરાં ખાતાંના વહીવટ પાઠશાળા સાથે છે, કેટલાંકના વહીવટ શ્રેયસ્કર મંડળના વહીવટમાં છે, કેટલાંકના વહીવટ પાલીતાણાની શાખામાં અને કેટલાંકના વહીવટ મ્હેસાણા સથ્થકથી ચાલે છે. કેટલાંક ખાતાંઓ ખીજા કાર્ય વાહકાએ ઉપાડેલા તેમાં વેણીચંદભાઇની પુરતી મદદ ભળેલી છે, જેમ કે ૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #124 -------------------------------------------------------------------------- ________________ ૩૪ અનારસ પાઠશાળા, આગોદય સમિતિ વિગેરે. કેટલાંક ખાતાઓ શરૂ કરીને બીજી સંસ્થાઓને કે એગ્ય કાર્યવાહકેને સંપી દીધાં છે, જેવાં કે સિદ્ધાચળ ફૂલ ધૂપ, ચક્ષુટીકાગિરનારરસોડું વિગેરે વિગેરે. કેટલાંક ખાતાંઓને એક બીજા ખાતામાં સમાવેશ થઈ શકે તેમ હતું તેને સમાવેશ ઘણું ખરાં મુખ્ય મુખ્ય ખાતાંએમ પોતે જાતે જ કરાવી દીધેલ છે. - આ રીતે જુદાં જુદાં ખાતાંઓમાં તેમના હસ્તક લગભગ રૂપિયા ૨૫ થી ૩૦ લાખ જેટલા મેળવાયા હશે અને ખર્ચાયા હશે. માત્ર નાણાં મેળવી લેવાં એટલું જ વેણચંદભાઈનું કામ હતું એમ નહીં, પરંતુ તે સુરક્ષિત રહી શકે, તેનું સારું વ્યાજ મળે, તેને હિસાબ બરાબર રહે, એ વિગેરે તરફ પણ તેમનું ધ્યાન ઘણું પાકે પાયે રહેલું હતું. એ જનાઓ બરાબર કરી લેવામાં જરા પણ ગફલત ન થાય, તેની પુરેપુરી સાવચેતી રાખતા હતા. આ બધાં ખાતાંઓને વિસ્તારથી નામનિર્દેશ અમે એટલાજ માટે કર્યો છે, કે-જેથી વેણચંદભાઈની પસંદગી કેવી જાતનાં કામોની હતી? અને તેમની શકિતને પ્રવાહ કઇ તરફ વળ્યો હતો? તેને વાચકમહાશયને બરાબર ખ્યાલ આવે. વળી કેટલાક મુખ્ય મુખ્ય કામની વિગતવાર ટુંકધ અત્રે આપવાથી હાલ તે ખાતાઓની સ્થિતિ, તેમજ વેણીચંદભાઈએ કેટલી હદ સુધી કામ કર્યું છે? તેને પણ સાથે સાથે ખ્યાલ આવે. કર્યું કામ, કયારે ઉપાડયું, તેની મળી શકી તે સાલે પણ સાથે સાથે ટાંકવામાં આવી છે. તે ઉપરાંત, તે તે ખાતાંને લગતી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #125 -------------------------------------------------------------------------- ________________ બીજી વિગતે જાણવાની ઇચછાવાળાઓએ તે તે તે ખાતાના રીપાર્ટોજ જોઈ લેવા જોઈએ. આ ખાતાઓમાં કેટલાંક ખાતાં મહેસાણેથી અને કેટલાંક પાલીતાણેથી ચલાવવામાં આવતાં હતાં. કેટલાંક મહેસાણુ પાઠશાળાનાં ખાતાના પેટા ખાતાં છે અને કેટલાક શ્રેયસ્કર મંડળ હસ્તક ચાલતાં ખાતાંઓ છે. વળી કઈ કઈ મહેસાણાનાં કે પાલીતાણાનાં સ્થાનિક છે, અને કેટલાંક સમગ્ર જૈનશાસનને ઉદ્દેશીને છે. કેટલાંક બીજાઓએ શરૂ કરેલાં અને વર્ણચંદભાઈએ તેમાં મદદ કરેલી છે. કેટલાંક ખાતાં ચલાવીને બીજી સંસ્થાને સેંપી દીધેલાં, એવા પણ છે. એ બધી જાતનું વર્ગીકરણ અત્રે આપીશું નહીં, પણ સુજ્ઞ વાચકે લગભગ ખાતાની હકીકત ઉપરથી જ સમજી શકશે. ૬. કેટલાંક ખાસ ખાતાઓ– ૧ ચડ્યુટીકા ખાતું. [સંવત ૧૯૩૪ ની સાલ.]. પ્રતિમાજીને પૂજા કરવાને સ્થાને ટીકા ચોડવામાં આવે છે, તથા દર્શન કરનારાઓને આદ થાય માટે પ્રતિમાજીને અનુરૂપ ચક્ષુઓ ચેડવામાં આવે છે. પરંતુ કેટલેક સ્થળે તેની ખામી જણાતાં, તે દૂર કરવા માટે લીંચવાળા બાળ બ્રહ્મચારી શેઠ હઠીસિંગભાઈ રતનચંદ સાથે તેઓ ગામેગામ ફરવા નીકળી પડ્યા હતા. આ કામમાં તેમણે શારીરિક પરિશ્રમ હદથી જાદે કર્યો છે. એકંદર મજુરની માફક સખ્ત રીતે કામ કર્યું છે. પૂર્વ દેશમાં ઠેઠ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #126 -------------------------------------------------------------------------- ________________ ૩૬ અજિમગંજ સુધી પહોંચ્યા હતા, અને એકંદર લગભગ ૫૦૦ સે ગામની મુસાફરી કરી વળ્યા હતા, તેમજ એક ગામથી. બીજે ગામ જવામાં સામાન જાતે ઉપાડી પગે ચાલીને મુસાફરી કરતા હતા. એમ પણ સાંભળ્યું છે કે લોકેના આગ્રહથી કઈ વખત સાથે મજુર રાખતા હતા, પણ ગામ છેડી થોડે દૂર જાય કે સામાન પતે ઉપાડે અને બીજું ગામ નજીક આવે ત્યારે મજુરને સેંપી દે. અને તે એવી ભાવનાથી કે “પ્રભુની ભકિત કરવાને સામાન છે તેથી જાતે જ ઉપાડ જોઈએ.” થોડા વખતમાં ઘણું કામ કરવાની હશે ખાવાપીવાની પણ બહુ દરકાર રાખતા નહીં. માત્ર ચક્ષુ ટીકા ચાડવાનું જ કામ પતાવતા હતા, એટલું જ નહીં, પરંતુ પ્રતિમાને ઉવટણા કરતા હતા. દેરાસરને (દેવગૃહેશ્વરને) યે સાફ કરી આરિસાભુવન જેવાં બનાવતા હતા, અને બીજી અનેક રીતે આશાતનાઓ દૂર કરતા હતા. આ કામમાં વેણચંદભાઈના લઘુ બંધુ કિશોરભાઈએ પણ છેડે વખત જાતમહેનત લીધી હતી. આ કામમાં ખર્ચ પણ મોટો કર્યો છે. તેને માટે ગામે ગામ ટીપ ચાલુ જ હતી. તેથીજ અમદાવાદના નગરશેઠ પ્રેમાભાઇને અત્યન્ત પ્રેમ તેમણે મેળવ્યું હતું. આ કામથી તેઓ વેણચંદભાઈને પુત્રતુલ્ય ગણતા હતા. આ ખાતાનું કામકાજ તે હવે બંધ છે. તેને બદલે અમદાવાદમાં “જિનબિંબ ચક્ષુસ્થાપક કમિટી” નામનું એક ખાતું અસ્તિત્વ ધરાવે છે. ર જીર્ણોદ્ધાર [ સંવત્ ૧૫૬] જીર્ણ થયેલાં મંદિરને સુધરાવી સારી સ્થિતિમાં મૂકવાં, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #127 -------------------------------------------------------------------------- ________________ એ પણ સૌથી વધારે અગત્યનું છે. તેથી જીર્ણ મંદિરને ઉદ્ધાર થાય તે ઘણું સારૂં” એ ભાવના વેણચંદભાઈના હૃદયમાં ઘણું વખતથી વસેલી હતી. તેની સિદ્ધિ-શ્રી શત્રુંજય, ગિરનાર, આબુ, રાણકપુર, વિગેરે તીર્થસ્થળોમાં તથા મારવાડ, મેવાડ વિગેરે પ્રદેશમાં પણ જિનમંદિરને જિર્ણોદ્ધાર કરાવીને કેટલેક અંશે કરી હતી. જીર્ણોદ્ધાર કરેલાં મંદિરેથી યાત્રાળુઓ અને ભાવિક પુરૂષ દર્શન વિગેરેથી જે લાભ ઉઠાવે, તેથી જીર્ણોદ્ધાર કરનાર-કરાવનારને આત્મિકલાભ થાય, એ દેખીતું જ છે. આ જીર્ણોધ્ધાર ખાતામાં લગભગ આઠથી દશ લાખ રૂપિયા જુદા જુદા ગૃહસ્થા તરફથી તેમના હાથે ખર્ચાયા હશે. માળવા, મેવાડના જીર્ણોદ્ધારમાં આગમેદારક આ. ચાર્ય શ્રી સાગરાનંદસરિ મહારાજને ખાસ ઉપદેશ હતે. અને ગિરનારજીના જીર્ણોદ્ધારમાં આચાર્ય શ્રી વિજયનીતિસૂરિ મહારાજને ખાસ સતત ઉપદેશ સહાયકારક હતે. ઉપરાંત રાધનપુરવાળા સદગત શેઠ મોતીલાલ મૂળજી તથા વેરાવળવાળા શેઠ ગોવિંદજી ખુશાલે પણ કેટલાક પ્રદેશોમાં તેમની સાથે ફરી તે કામમાં મદદ કરી હતી. છેલ્લા દોઢેક વર્ષ થયાં તારંગાજીના જીર્ણોદ્ધારનું કામ ઉપાડયું હતું, પરંતુ માંદગીમાં સપડાતા નિરાશ થઈ તે કામ છોડી દીધું અને એ ખાતાની એકઠી થયેલી રકમ અમદાવાદ શેઠ આણંદજી કલ્યાણજીને સેપી દીધી. ૩ કેસર સુખડ. [સવ-૧૯૬૧] કેસર, સુખડ, બરાસ, બંગલુંછણ વિગેરે પ્રભુભક્તિમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #128 -------------------------------------------------------------------------- ________________ ઉપયોગી થાય તેવા દ્રવ્ય-પદાર્થો જરૂરિયાત હોય ત્યાં ગ્યતા પ્રમાણે આપવા માટે આ ખાતું રાખવામાં આવેલું છે. ૪ લેપખાતું. [ સંવત્ ૧૯૯૦ ] - જે જે સ્થળે પ્રતિમાજીનાં અંગ ઘસાઈ ગયાં હોય કે ખંડિત જેવાં હોય, તેને લીધે કંઈક આકૃતિમાં ફેરફાર પડી ગયું હોય તે સ્થળે સ્થાનિક સંઘની માગણથી કુશળ કારીગરે મોકલી લેષાદિક કરાવી આપી પ્રતિમાજીને મનોહર દર્શનીય બનાવી દેવામાં આ ખાતાને ઉપયોગ થાય છે. પ્રતિમાજીની મને હર દર્શનીયતા ભાવવૃદ્ધિનું કારણ થાય છે, અને ભાવવૃદ્ધિ આધ્યાત્મિક જીવનમાં ખાસ ઉપયોગી છે. જેનજીવન અધ્યાત્મપ્રધાન છે, અને અધ્યાત્મ મોક્ષનું અસાધાર્યું કારણ છે. એમ પરંપરાએ પ્રતિમાજીની મને હર દર્શનીયતા મોક્ષનું અંગ બને છે. આ દષ્ટિથી આ ખાતાની કાયમી ઉપયેગીતા બરાબર સમજાશે. ૫ કલ્યાણક દિવસે ભક્તિ. [સંવત્ ૧૯૭૨.] ભારતીય જૈન ઈતિહાસમાં સર્વોત્કૃષ્ટ મહાન પુરૂષના તપાસ કરીશું તે સૌથી મુખ્યપણે ચોવીશ તીર્થકર ભગવતે જ છે. તેઓ જ આદર્શ પુરૂષે છે, તેઓ સિદ્ધ થયેલા છે, અને તેઓ જ સિદ્ધિનો માર્ગ બતાવનારા છે. આ તીર્થકર ભગવંતેના જીવનના ખાસ મહત્ત્વના–જગદુપકારના પ્રસંગ કલ્યાણક કહેવાય છે. એવાં પાંચ કલ્યાણક થાય છે. ૧ વન, ૨ જન્મ ૩ દીક્ષા–પ્રત્રજ્યા-અભિનિષ્ક્રમણ, ૪ કેવળજ્ઞાનત્પત્તિ, અને ૫ નિર્વાણપ્રાપ્તિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #129 -------------------------------------------------------------------------- ________________ તીર્થકર ભગવંતે સદેવ પૂજનીય છે, પરંતુ તેઓના જીવનના આ મહત્વના પાંચ પ્રસંગેને દિવસે તેઓ સુવિશેષ પૂજનીય છે. કારણ કે આ પાંચ પ્રસંગે વિના તીર્થંકરપણને સંભવજ નથી રહેતે. એટલે આ પાંચ પ્રસંગે જ તીર્થકરોના તીર્થકરપણામાં ખાસ કરીને વધારે મદદગાર છે. માટે તે પ્રસંગેએ સુવિશેષ ભકિત કરવી જોઈએ, એ ભકતો માટે તે અનિવાર્ય થઈ પડે છે. આ રીતે ચોવીશ તીર્થકોનાં મળીને ૧૨૦ એક સો વીશ કલ્યાણુક એક વર્ષમાં થાય છે. દાખલા તરીકે–મહાવીર સ્વામીના કલ્યાણકના પાંચ દિવસે-અષાડ શુદિ દ યવન, ચિત્ર શુદિ ૧૩ જન્મ, કારતક વદી ૧૦ દીક્ષા, વૈશાખ શુદિ ૧૦ કેવળજ્ઞાન, આસો વદ ૦)) નિર્વાણગમન. આ મહાન દિવસેને માટે પ્રાચીન કાળથી જ “કલ્યાણક” એવે આ શબ્દ જાયેલ છે. તે કલ્યાણકના દિવસે ઉજવવાના ભવ્ય અને સર્વોત્તમ પ્રકારો પણ શાસ્ત્રમાં નક્કી કરવામાં આવેલા છે. આ જનાઓને જનસમાજને માટે જે ઉપયોગ છે, તે માનસશાસ્ત્ર અને અધ્યાત્મશાસ્ત્રના સૂમ નિયમો જાણવાથી સમજી શકાય તેવો છે. ઉપરાંત આ ચેાજનામાં પૂર્વ પુરૂષે કેવા સૂક્ષમ તોથી જ્ઞાત હતા? તેને પુરેપુરો ખ્યાલ આવે છે. હાલની જયંતીઓ લગભગ આ જાતની યોજના છે. “જયંતી શબ્દ ઘણે ભાગે વૈદિક ધર્મના ઉત્સવમાં પ્રચલિત હતું અને છે. પરંતુ તેમાં તે ઉજવવાનો પણ પ્રકાર હાલની જેમ તે હતો જ નહીં. આપણામાં હાલ ઉજવવામાં આવતી જયંતીએથી એકંદર શાસનને કયા કયા નુકસાન છે ? તે પ્રસંગોપાત્ત સંક્ષેપમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #130 -------------------------------------------------------------------------- ________________ બતાવવાથી કલ્યાણકભક્તિ વિષેને આ ખાતાની મહત્તાને ખરે ખ્યાલ આવશે. ૧ “જયંતી” શબ્દ, જૈન શાસ્ત્રમાં પ્રસિધ્ધ કે વિહિત શબ્દ નથી. છતાં, જે ઉપયોગી વસ્તુ માટે યેજના કે શબ્દ ન હોય, અને તેની જરૂર હોય, તે બીજેથી શબ્દ કે યેાજના લેવામાં બહુ વાંધા ન લઈએ, પરંતુ અહીં “કલ્યાણક” શબ્દ પ્રસિદ્ધ છે. તે ઉજવવાની યોજના પણ છે. “યંતી” શબ્દને વધારે વજન આપવાથી “કલ્યાણક” શબ્દ ઉપર ઉછરતી પ્રજાના મનમાં પડદે પડતા જાય છે. એ પહેલું નુકસાન થાય છે. ૨ “જયંતી” શબ્દ જૈન સંઘમાં સર્વ સમ્મતિ પૂર્વક સ્વીકૃત નથી, પરંતુ માત્ર અમુક ભાગ તરફથી દેખાદેખીથી યથેચ્છ પ્રવૃત્ત છે. કઈ પણ મુખ્ય સંસ્થાના માત્ર અમુક જ ભાગ તરફથી યથેચ્છ પ્રવૃત્ત કેઈ પણ પ્રવૃત્તિ ભેદકરુપે કામ કરતી હોવાથી પરિણામે કુસંપની પ્રેરક થઈ મુખ્ય સંસ્થાના ઐક્યબળને ઘાતક નિવડે છે. કોઈપણ સામુદાયિક પ્રવૃત્તિ સર્વ સમ્મતિથી સ્વીકૃત હોય, તે તે જ તે કલ્યાણક નિવડે છે. આ તેવી નથી, માટે અકલ્યાણકર-ભેદક છે. એ બીજે દોષ. ૩ જયંતી ઉજવવાની હાલની રીત, કલ્યાણક ઉજવવાની શાસ્ત્રવિહિત રીતથી જુદી છે. અર્થાત્ શાસ્ત્રવિહિત રીત ઉપર પડદો પડતો જાય છે, તથા નવી પ્રજા તે ભૂલતી જાય છે. આ ત્રીજે દોષ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #131 -------------------------------------------------------------------------- ________________ ૪૧ ૪ એકાદ મુખ્ય પુરૂષને વધારે વ્યાપાક રીતે વજન આપવાથી, ખીજાઓ ઉપરથી ધ્યાન ખસી જઈ એકમાં એકી. કરણ થઈ જવાથી, ભવિષ્યમાં—ખીજા ત્રેવીશ તીર્થંકરાને [જો કે શ્રી મહાવીર પ્રભુ આસન્ન ઉપકારી હેાવાથી તેમની જયંતી ઉજવાય છે, તા પણ ] ઉચ્છરતી પ્રજા કેટલેક અંશે ભૂલે એ ખનવા જોગ છે. અથવા જેટલું મહત્ત્વ ભગવાન્ મહાવીર સ્વામીનું છે, તેટલુ જ ખીજાયે તીર્થંકર ભગવંતાનુ છે, એ ખ્યાલ પણ લગભગ ભૂલાવા માંડે છે. તેમાં પણ માત્ર જન્મકલ્યાશુક જ ઉજવી લેવાતું હાવાથી “ પ્રભુજીનાં પાંચે કલ્યાણુકા ઉજવવાની જરૂર છે ” એ વાત તેા એ વર્ગમાંથી જરૂર ભૂલાતી જાય છે. અહીં એક ખુલાસા કરવા જોઈએ કે–ભાદરવા સુદ એકમના દિવસ જન્મકલ્યાણક તરીકે ઉજવવાના નથી પરંતુ તે ઉજવાય છે તેનું કારણ કઇક જુદું છે. ૫ આધુનિક પુરૂષષ કે જેએની સમાન્યતા લગભગ એકતરફી હાય છે, તેની જયંતીની જાહેર ઉજવણીએના ઉત્તેજક વાતાવરણમાં એક વખત પ્રજાનું ધ્યાન રાકી લેવાથી ભૂતકાળના પરમ પૂજ્ય મહાપુરૂષો ઢંકાઈ જાય, કારણ કે એ ઉત્તેજક વાતાવરણ ખલાસ થતાં અને ઠામ ઠામ એક સરખી પ્રવૃત્તિ જોવામાં આવતાં પ્રજા કંટાળે, એટલે પરિણામે જો કે બધી જયંતી ઝાંખી પડી જાય. પરંતુ તેણે એમુક વખત સુધી પાછલી સ્મૃતિને રાકેલી હાવાથી પ્રજા ભૂલી ગઈ હાય, તેા પછી ચાવીશ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #132 -------------------------------------------------------------------------- ________________ તીર્થકરના ૧૨૦ એક સો વીશય કયાણકે પ્રજા પાસે ઉજવાવવાની તે આશા રાખીજ શી રીતે શકાય ? અલબત તે તે પૂજ્ય અને ઉપકારી ગુરુઓની ભક્તિનિમિત્તે તેમના ગુણાનુરાગી શિષ્યો વિગેરે તે તે દિવસે કંઈ પણ વિશિષ્ટ વૈજનાથી ભક્તિ કરે તે ઈચ્છવા જેવું જ છે, પણ તેમાં બે વસ્તુને ખાસ ખ્યાલ રાખવાની જરૂર છે. ૧ તે સમારંભની યોજનાને એટલું બધું જાહેર અને ઉત્કૃષ્ટ સ્વરૂપ ન આપવું જોઈએ કે જેથી કરીને તીર્થકર ભગવંતના કલ્યાણક ઉજવવાના કે જયંતી ઉજવવાના પ્રકાર કરતાં તેમની વધારે ભવ્યતા થઈ જાય, તે રીતે કરવામાં પૂર્વ પુરુષોની આશાતના છે. અને – ૨ બીજું ગુરુમહારાજની તીથિની તીથિએ ભક્તિ કરવાની રીત શાસ્ત્રમાં જે બતાવી છે તે સિવાય બીજી ન હોવી જોઈએ. આટલી મર્યાદા શાસનના હિત ખાતર જાળવવી. જરૂરી લાગે છે. ૬ વળી આધુનિક જયંતીઓમાં કઈ ખાસ વિશિષ્ટ ધાર્મિક અનુષ્ઠાને, કે જેમાં–જવાબદારી વિશેષ હોય, મન, વચન, અને કાયાના સંયમ કેળવવાના હોય, તેવા કોઈ પ્રકારે નથી હોતા. ખરી રીતે જેમની જયંતી ઉજવવાની હોય, તેને આદર્શ યથાશકિત જીવનમાં અમલમાં મૂકવામાં જ તેમની જયંતી અર્થવતી છે. ત્યારે આજે સર્વની જયંતી “ભાષણ” અને માત્ર સભા ગોઠવવાના પ્રકારમાં જ પરિણામ પામે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #133 -------------------------------------------------------------------------- ________________ ૭ જ્યારે એક વખત સમાજને આખે ભાગ મહાપુરૂષનાં કલ્યાણક શાસ્ત્રવિહિત સચોટ રીતથી ઉજવવામાં એક સરખો ભાગ લેતું હતું, તેમાંથી એમાંને અમુક વર્ગ જુદો પડીને, કેવળ ભાષણ વિગેરે સગવડિયા રીતથી ઉજવી લઈ સંતેષ માની બેસે, અને બીજા પ્રકારો તરફ ઉદાસીન રહે, બેદરકાર રહે, અથવા અણગમ ધરાવે, તે એ સ્થિતિમાં પ્રજાનું મબળ એક પગથિયું ઉતરી જાય છે. એ સૂમ દષ્ટિથી વિચારવું જોઈએ. ૮ કેટલીક વખત વસ્તુસ્થિતિના અજ્ઞાનને લીધે આવી સભાઓમાં સારી વસ્તુઓની ટીકા થાય, ભળતા જ વલણની પુષ્ટિ થાય, મુખ્ય પુરૂષના ખાસ ગુણે ઢંકાઈ જાય અથવા ગૌણ ગુણે પ્રધાનપણે વર્ણવાઈ જાય, અને તેથી કેટલાક જમ ફેલાય, તેને લીધે પ્રાસંગિક વાણિયાદો ઉપસ્થિત થાય. એક જ વર્ગમાં પાટીઓ પડી કુસંપના બીજ રોપાય, એ. આ કટેકટીના સમયમાં નહી ચલાવી લેવા જેવી બાબત છે. ગમે તેવી સુંદર જનાઓ મુતવી રાખીને પણ એક સમૂહમાં એકયનો ભંગ ન થવા દે, એ આ સમયમાં મોટામાં મોટી સેવા છે. ઐક્યનો ભંગ થવા દઈને ગમે તેવી સુંદર યોજનાઓ અમલમાં લાવવા છતાં તેને ફાયદે મેળવવાની અને અત્યારે ચાલી રહેલા નુકશાનમાંથી બચવાની આશા રાખવી એ આકાશકુસુમવત્ છે. આ રીતે આ જયંતીની ધૂનવાળા સમયમાં–જેન પ્રજા કલ્યાણકેની યોજના ન ભૂલી જાય, એટલા જ માત્ર એ હેતુથી કલ્યાણુકેની ભક્તિ તરફ વેણુ ચંદભાઈ પ્રજાનું ધ્યાન ખેંચવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #134 -------------------------------------------------------------------------- ________________ લલચાય, તે તેમને માટે સર્વથા ઉચિતજ હતું. અને એમ જણાય છે કે એ વિચારને પરિણામે તેમણે કલ્યાણકના દિવસોની યાદી પ્રજામાં વહેંચી હતી. મહેસાણાનાં જૈન મંદિરમાં ભગવંતનાં કલ્યાણકને દિવસે તે તે મંદિરમાં તે તે ભગવાનની વરક અને પુષ્પાદિથી પૂજા થાય તેવી જના કરી છે. પિતે પણ તે કામમાં રસ પૂર્વક ભાગ લેતા હતા. આ ઉપરથી તેમની પસંદગી કઈ જાતના કામે તરફ હતી? તે હેજે જણાય છે. આધુનિક પ્રકારની જયંતીઓ ગમે તે કંઈક નુકશાન કરે છે, એમ કબૂલ કરવામાં આવે, તે તે નુકશાન આપણને જ થાય છે એમ નથી, પણ ભારતના બીજા આર્ય ધર્મોને પણ થાય છે. ૬. સિદ્ધાચળનું ફૂલ ધૂપ ખાતું. (સંવત-૧૯૬૪ ના અશાડ વદિ ૧૧.) કઈ પણ જેને સંતાનને શ્રી સિદ્ધગિરિ તરફ ભકિત અપૂર્વ હોય છે, તે પછી વેણચંદભાઈ જેવા માટે તે કહેવું જ શું? તેઓને વસવાટજ ઘણે ભાગે સિદ્ધગિરિની છાયામાં જ રહેલો છે, અને તેથી આ તીર્થની ભક્તિને ઉદ્દેશીને જે જે પ્રકારે હાથ લાગતા, તે તે રીતે તેની ભક્તિ કરવા રાતા હતા, અને તેથી આ અને આની પછીનાં બીજાં ત્રણ ખાતાં શરૂ કરેલાં હતાં. દરેક ટુંકમાં દરેક પ્રતિમાજીની દરરોજ ફૂલ અને ધૂપથી પૂજા થાય એ હેતુથી આ ખાતું શરૂ કરેલું છે. હંમેશ એક પ્રતિમાજીને એક, એ પ્રમાણે ગણીને માળી દ્વારા દરેક ટુંકમાં જોઈએ તે પ્રમાણે ફૂલ પહોંચાડવામાં આવે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #135 -------------------------------------------------------------------------- ________________ છે. અને એક માણસ દશાંગ ધૂપથી સુગંધ પ્રસારતા ધૂપષાણુ. સાથે દરેક યુકેમાં ધૂપ કરે છે. અર્થાત્ આ ફંડમાં નાણું ભરનાર તરફથી ઘેરબેઠા ભકિતનિમિત્ત આ ખાતું ચાલે છે. તેના બે ખાતાં છે. અનામત ખાતું અને ચાલુ ખાતું. અનામતનું વ્યાજ ચાલુ ખાતામાં જાય છે, અને તેમાંથી ખર્ચ ચાલે છે. હાલ આ ખાતાની મૂળ રકમ અમદાવાદ શેઠ આણંદજી કલ્યાણજીને સોંપી છે. માત્ર તેનું વ્યાજ ચાલુ ખર્ચ માટે. લેવામાં આવે છે. ૭ સિદ્ધાચળજીનું આગખાતું. (સંવત ૧૯૬૧.) ઉપર આદીશ્વર ભગવાનને તથા ગામમાં હાટે દહેરે કેઈના તરફથી આંગી ન હોય, ત્યારે આ ખાતામાંથી કેસર બરાસ, બાદલ, રૂપાના વરક વિગેરે આંગીને સામાન આપી. મૂળનાયક ભગવાનની આંગી રચાવવામાં આવે છે. ૮ તલાટી ભકિત ખાતું. (સંવત્ ૧૯૭૭) શ્રી ગિરિરાજ સમગ્ર–સોપાંગ પૂજ્ય છે,–“રવામાં તા . માટે તેની સ્પશના કરતા પહેલાં પ્રથમ શ્રી ગિરિરાજની પૂજા કરવામાં આવે છે. ત્યાર પછી જ તેની સમજ સ્પર્શના માટે ઉપર ચડાય છે. તે માટે “તળાટી ભક્તિ ખાતું” નામ રાખી જુદા જુદા ગૃહસ્થની વતી કેસર તથા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #136 -------------------------------------------------------------------------- ________________ રૂપેરી વરગથી કાયમ તળાટીએ પરંપરાગત ગિરી પૂજા કરવાની યેજના ચાલુ રાખવામાં આવી છે. ૯. સિદ્ધાચલજી ઉપર આશાતના ટાળવા ખાતું, (સંવત્ ૧૬૧.) સદગત પન્યાસજી શ્રી મણિવિજયજી મહારાજે એક વખત ઉપદેશ આપે હતું કે–“ગિરિરાજને ક્ષેત્રવિસ્તાર વિશાળ ગણાય, સંભાળ રાખવા છતાં યે આશાતનાને સંભવ રહી જાય. ગિરિરાજ પવિત્રમાં પવિત્ર છે. તેને કાંકરે કાંકરે અનંત સિદ્ધ થયા છે, અર્થાત્ તેના અણુએ અણુ પવિત્ર છે. તેની લેશમાત્ર આશાતના ન થાય તેને માટે પુરેપુરા સાવચેત રહેવું જોઈએ. યાત્રિકે ના વિચારમાં મલીનતા આવે, ભાષામાં દુષિતતા દાખલ થાય, કે કાયાથી આશાતના થાય તે પણ તેની પવિત્રતાના લાભમાં ખામી પહોંચે છે. આશાતના થવાના અનેક પ્રકારે છે, જેવા કે–પ્રક્ષાલનમાં ખામી હોય, બંગલુંછણ કરવામાં ખામી હોય, ઉતાવળથી પખાલ વિગેરે કરવામાં આવે, પ્રતિમાજી ઉપર સૂક્ષ્મ મેલ જામે, કાજે બરાબર ન લેવાય, મંદિરમાં જાળાં બાઝે, આજુબાજુ કે પ્રાણીનાં કલેવરો પડે, આ તીર્થની યાત્રાથી વચિત રહિયેઃ એમ અનેક રીતે આશાતનાને સંભવ છે. તે દૂર કરવા ખાસ સાવચેતી રાખવી જોઈએ, આશાતના ન લાગવા દેવા સાથે યાત્રાની સફળતાને વિશેષ આધાર છે. આ ઉપદેશથી પ્રેરાઈને ગિરિરાજના વાતાવરણને પવિત્ર રાખવાના ઉદ્દેશથી આ ખાતે ખેલવામાં આવ્યું છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #137 -------------------------------------------------------------------------- ________________ ૪૭ ૧૦ શ્રી યશેાવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા-મ્હેસાણા. ( સંવત્–૧૯૫૪, કારતક શુદિ ૩.) વેણીચંદભાઇના સર્વ કાર્યમાં મુખ્ય અને પ્રસિધ્ધ આ ખાતું છે. સંવત્ ૧૯૫૩ ની સાલમાં મુનિમહારાજાઓને વિદ્વાન અનાવવાના વિચાર સ્ફુરાયમાન થયા અને તે દિવસે દિવસે દઢ થતા ગયા, કે- ધર્મ અને શાસનના આધાર વિદ્વાન અને ચારિત્રપાત્ર મુનિમહારાજાએ ઉપર છે, માટે ધર્મના અને શાસનના એ અંગને સ`ગીન બનાવવું જોઇએ.” એ વિચારને ન્યાયશાસ્ત્રના સંગીન અભ્યાસી સદ્ગત શ્રીદાનવિજયજી મહારાજની પ્રેરણાથી પુષ્ટિ મળી એટલે પછી વિચારે મૂત્ત સ્વરૂપ લેવા માંડયું. એક વાત મનમાં બેઠી અને મગજમાં ઘુમવા લાગી, પછી તેા કા ની સિદ્ધિ થવાના પ્રશ્નજ શે! રહે? મસ નાણાંની સગવડ કરતાની સાથેજ એકાદ પંડિત રોકી લઈ સંવત્ ૧૯૫૪ ના કારતક શુદિ ૩ ને દિવસે કામ શરૂ કરી દીધુ. તે વખતેય સ્થાનિક ભાઇઓને ઉત્સાહ સારા હતા. શા. હરગોવિંદદાસ મગનલાલના ખાસ પ્રયત્નથી મ્હેસાણામાં આ સંસ્થાની સ્થાપનાની ખુશાલીમાં ઝડપથી સામગ્રી તૈયાર કરાવી નમુક્કારસહી કરી સાધુમિક્રવાત્સલ્યના ઉત્સવ કરવામાં આવ્યે હતેા. અમે અગાઉ લખી ગયા છીએ કે–મ્હેસાણા પણુ જૈન ધર્મનાં મુખ્ય સ્થળાવાળાં ગામામાંનું એક સારૂ સ્થળ છે. એટલે આ રીતે અભ્યાસની સગવડ થતાં મુનિમહારાજાઓનાં ચામાસાં અવાર નવાર થવાં લાગ્યાં, અને તે હજી સુધી ચાલુજ છે. ત્યાર પછી કાઇ પણ ચામાસુ` ખાલી ગયું હાય તેમ ઘણું ભાગે બન્યું નથી. અને ઉપાશ્રય વિગેરે ક્ષેત્રાનુકૂળતાના તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #138 -------------------------------------------------------------------------- ________________ ४८ પ્રશ્ન જ તે. આજ સુધીમાં મુનિમહારાજાઓ તથા સાધ્વીજીઓએ મળીને લગભગ ૨૦૦)ને આશરે લાભ આપે છે, અને વ્યાકરણ, ન્યાયશાસ્ત્ર, કા, દ્રવ્યાનુયોગના છે અને કર્મગ્રંથાદિક પ્રકરણેને અભ્યાસ કરવાને લાભ આપે છે. પ્રસિધ્ધ વિદ્વાન અને વિવિધ પદવિભૂષિત કઈ કઈ સમર્થ મુનિ મહારાજાએ પણ અત્ર સ્થિતિ કરી ગયા છે. એકાદ વર્ષ પછી વળી ઉદ્દેશને કાંઈક વિસ્તારવામાં આવ્યું. એટલે કે-“જુદે જુદે સ્થળે જૈન પાઠશાળાઓ ખેલાઈ રહી છે, પરંતુ તેમાં યોગ્ય શિક્ષકે તે જોઈશેજ. માટે શ્રાવક ભાઈઓને પણ અભ્યાસ કરવાની સગવડ આપીએ તે ઠીક.” એ ઉદ્દેશથી સંવત્ ૧૫૫ ના માગશર માસથી ગૃહસ્થ વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવાની સગવડ ઉભી કરી, ત્યારથી આજ સુધીમાં લગભગ ૫૦૦) વિદ્યાથીઓએ લાભ લીધે છે, અને તેમાંના ઘણું ખરાએ પોતપોતાની યોગ્યતા, શકિત, સાધન અને સ્થિતિ પ્રમાણે-પંચ પ્રતિક્રમણ ઉપરાંત–જીવવિચાર વગેરે ચાર પ્રકરણે, છ કર્મગ્રંથ, ત્રણ ભાષ્ય, મેટી સંગ્રહણી અને ક્ષેત્રસમાસ તથા સંસ્કૃતમાં ડે. ભાંડારકરની પ્રસિધ્ધ અને સંસ્કૃત પડિયે, સાધારણ કાવ્યું, અને વિશેષ અભ્યાસ કરવાની ઈચ્છાવાળાઓએ સિધહેમલgવૃત્તિ તથા કાવ્ય, પ્રાકૃત વિગેરેને અભ્યાસ કર્યો છે. દેશી નામું તથા અંગ્રેજી પણ ઉપગપુરતું શીખવું હોય, તે તેને માટે પણ સગવડ કરી આપવામાં આવે છે. આ પાઠશાળામાંથી નિકળેલા વિદ્યાથીઓમાંથી જેઓ વ્યાવહારિક લાઈનમાં નથી જોડાયા, તેમાંના ઘણા ખરા મહેસાણા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #139 -------------------------------------------------------------------------- ________________ પાઠશાળામાં અને બહાર જૈનશાળાના માસ્તરે તરીકે, થોડાક ઉપદેશકે, પરીક્ષકે અને સંસ્થાના મેનેજર તરીકે કાઈ શકયા છે. શેઠ મણિભાઈ ગોકળભાઈએ પિતાના કાકાની દિકરી નાથી બહેનના ટ્રસ્ટી તરિકે સંસ્થા માટે સગવડવાળું ભવ્ય મકાન બંધાવી આપ્યું છે. જેમાં આ પાઠશાળાના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, અને વેણચંદભાઇએ ઉપાડેલાં બીજાં ખાતાંઓના વહીવટની ઍફીસ પણ તેમાં જ રાખવામાં આવી છે. આ પાઠશાળામાં વિદ્યાથીઓ પાસેથી કશે ખર્ચ લેવામાં આવતું નથી, એટલે કે ખાનપાન વિગેરે તથા અભ્યાસનાં સાધન મફત પુરાં પાડવામાં આવે છે. તથા વિદ્યાથીઓને ચગ્યતા પ્રમાણે માસીક ખર્ચ માટે ડૅલરશીપ પણ આપવામાં આવે છે. એક તરફ આ પાઠશાળામાં બહારના વિદ્યાર્થીઓની સંખ્યા અભ્યાસ કરવા આવે, મુનિ મહારાજાએ અભ્યાસ કરે, શા. કસ્તુરચંદ વીરચંદની વિદ્યાશાળામાં વિદ્યાથીઓ, મુનિ મહારાજાએ તથા સાધ્વીજીઓને અભ્યાસ ચાલે, આ રીતે મહેસાણાને વેણચંદભાઈએ વિદ્યાના વાતાવરણથી ભરી દીધું હતું. દરેકનું ધ્યાન મહેસાણા પાઠશાળા ખેંચી રહી હતી. આજે ય આ પાઠશાળા પિતાના ઉદ્દેશને અનુસારે યથાશકિત પ્રયત્ન કરી રહી છે. તેનું ફળ પણ સમાજને મળ્યું છે. તેનું ફંડ પણ સારું ગણી શકાય. વેણચંદભાઈનું આ કામ સૌથી વધારે પ્રસિદ્ધ છે, અને વિણચંદભાઈ આ કામથી સૈથી વધારે પ્રસિદ્ધ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #140 -------------------------------------------------------------------------- ________________ ૫૦ ૧૧. બનારસ પાઠશાળા. સદગત જૈનાચાર્ય શ્રી વિજય ધર્મસૂરિજીએ અથાગ પરિશ્રમ વેઠી કાશી સુધી વિહાર કરી આ પાઠશાળા સ્થાપી હતી. એ પાઠશાળાને ઉદ્દેશ જેન પંડિતે તૈયાર કરવાનો તથા મુનિમહારાજાઓને સારા વિદ્વાન બનાવવામાં સગવડ આપવાને હતે. સંસ્થાને મકાન અપાવવામાં વેણચંદભાઈને ખાસ પ્રયત્ન હતું. આ વખતે મહેસાણામાં શ્રી યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠ શાળા ચાલુ હતી છતાં ભેદભાવવિના આ સંસ્થાને મદદ કરવા આચાર્ય મહારાજ સાથે વિહારમાં સાથે ફરી કેટલીક સહાય કરી હતી અને જેમાં પાઠશાળા બેસતી હતી તે, અંગ્રેજી કેડી વાળું મકાન લેવા માટે રૂ. ૨૫૦૦૦) જેવડી મોટી રકમ મહેમ શેઠ વીરચંદ દીપચંદ તથા શેઠ ગોકળભાઈ મૂળચંદ તરફથી સરખે હિસે મેળવી આપી હતી. ૧૨. જન કેળવણું (સમ્યગજ્ઞાનપ્રચાર) ખાતું - (સંવત્ ૧૯૬૦ શ્રાવણ વદ ૩.) આ ખાતું, સર્વ બાજુથી જૈનત્વનું શ્રેય કરવાના ઉદેશથી સ્થપાયેલા “જૈન શ્રેયસ્કર મંડળ” નામના એક વિશાળ ખાતાના અંગનું મુખ્ય ખાતું છે. જેમાં મહેસાણા પાઠશાળા વેણચંદભાઈનાં કામમાં મુખ્ય અને પ્રસિદ્ધ છે, તેમજ આ કેળવણી ખાતું પણ લગભગ તેવુંજ મુખ્ય અને પ્રસિદ્ધ છે. શ્રેયસ્કર મંડળ એ અનેક પિટા ઉદેશને સમાવી દઈ બહાળે ઉદ્દેશ અને વિશાળ કાર્યક્ષેત્ર ધ્યાનમાં રાખીને શાંતમૂર્તિ - Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૧ નિરાજ શ્રી હંસવિજયજી મહારાજના ઉપદેશથી સ્થપાયેલી સંસ્થા છે. અહીં જણાવેલાં બધાં કામમાંનાં ઘણું ખરાં ખાતાંઓ આ શ્રેયસ્કર મંડળના ઉદ્દેશને અનુસરીને તેને અંગ તરીકે ચાલે છે, અને ઘણું ખરાં મહેસાણા પાઠશાળાના વહિવટ સાથે સંબંધ ધરાવે છે. એટલે આ તમામ ખાતાઓને લગતા તમામ વહીવટ બે જાતના ચેપડાઓથી ચાલે છે. એક શ્રેયસ્કર મંડળનો વહીવટ અને બીજો પાઠશાળાને વહીવટ. જૈન કેળવણી ખાતે શ્રેયસ્કર મંડળનું પેટા ખાતે છે છતાં તે વધારે મુખ્ય અને પ્રસિદ્ધ છે, તેમજ, તેના વહીવટને વિસ્તાર વધારે હોવાથી પ્રથમ આ ખાતાને રીપોર્ટ જુદે જ બહાર પાડવામાં આવેલ છે. એટલે મુખ્ય ચોપડા બે જાતના છતાં રીપોર્ટ ત્રણ જાતના બહાર પડેલા છે. ૧ પાઠશાળાને, ૨ શ્રેયસ્કર મંડળને અને ૩ જૈન કેળવણી ખાતાને. , “શ્રેયસ્કર મંડળ” નામ રાખતી વખતે વેણીચંદભાઈએ વાંધો લીધો હતે. તે ઉપરથી તેમના હૃદયમાં રહેલી નમ્રતાનું માપ કાઢી શકાય છે. શ્રેયસ્કર એટલે શ્રેયા કરનાર એ અર્થ થાય છે, પરંતુ “શ્રેયા કરવાનું આપણું ગજું શું? અને ગજા વિના એવું નામ રાખીએ, તે ગર્વ કર્યો ગણાય, માટે નામ તે “શ્રેયઃ ઈચ્છક” એવા ભાવાર્થનું રખાય તે ઠીક અને બની શકે તેટલું શ્રેય કરી બતાવવું, પરંતુ તેનું નામ રાખી ગર્વને સ્થાન ન આપવું જોઈએ.” છતાં બીજા ગૃહસ્થની ઇચ્છાથી નામ તે શ્રેયસ્કર મંડળ” જ કાયમ રહ્યું, પરંતુ વેણચંદભાઈની નમ્રતા અને નિરભિમાનવૃત્તિને ખ્યાલ આપવાને આ દાખલો બસ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #142 -------------------------------------------------------------------------- ________________ પર છે. તથા આર'ભે શૂરાપણું બતાવી માત્ર આડંબર કરવાની વૃત્તિ તેઓમાં ન્હાતી, એ પણુ આથી પુરવાર થાય છે. કેળવણીખાતા દ્વારા નીચે પ્રમાણે કામેા ચાલે છે,— ગામેગામ નવી નવી જૈનશાળાઓ ખાલાવવી, જૈનશાળાએની તપાસ કરાવવી, અભ્યાસીઓની પરીક્ષા લેવરાવવી, ધાર્મિક શિક્ષણની દિશા બતાવવી, સુધારા વધારા સૂચવવા, શિક્ષા, વિદ્યાર્થીઓ અને આગેવાન કાર્ય વાહકાને વખતાવખત સલાહસૂચના આપી તેઓના કામમાં મદદ કરવી અને તેમની ફરજોનું ભાન કરાવવું, મંદ સ્થિતિએ ચાલતી જૈનશાળાઆમાં ચૈતન્ય પ્રેરવું અને ખંધ પડી ગએલી જૈનશાળાઓના પુનરૂઘ્ધાર કરવા, તથા જરૂરિયાત પ્રમાણે માસિક આર્થિક મદદ આપવી, જૈનશાળા આના માસિક હેવાલા મગાવવા, તપાસવા, અને ફાઇલ પર રાખવા, તથા ઉપયેગી સૂચનાઓ કરવી વિગેરે કામા આ ખાતાદ્વારા ચાલે છે. • એટલે ઉપર લખેલાં આ ખાતાનાં કામકાજ ચલાવવા પરીક્ષકા રોકવામાં આવે છે, કે જેઓ ગામા ગામ પ્રવાસ કરે છે. પરીક્ષકે! ગુજરાત, સારાષ્ટ્ર, દક્ષિણુ, મેવાડ, માળવા, મારવાડ, વગેરે પ્રદેશેામાં પ્રવાસ કરે છે, ગામેગામ શાળાઓની પરીક્ષાઆ લે છે, ઇનામેા વ્હેંચાવે છે, મેળાવડાઓ કરી ઉપયાગી વિષયા ઉપર ભાષણા આપે છે. જૈનશાળાઓના શિક્ષણમાં મદદગાર થાય એ હેતુથી શિક્ષણ માળાની ચાર ચાપડીઓ બહાર પાડવામાં આવી છે. ખાળપાથી, પહેલી ચાપડી, ત્રીજી ચાપડી, અને ત્રીજી ચાપડી, તેમાં પ્રથમની આવૃત્તિ ખલાસ થયે નવી આવૃત્તિમાં સૂચનાએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #143 -------------------------------------------------------------------------- ________________ ૫૩ અનુસાર અને ઉપયોગી જણાયા પ્રમાણે પરિવર્તન પણ કરવામાં આવ્યું છે. આજ સુધીમાં લગભગ આ ચોપડીઓની ૩૩૦૦૦) કેપીઓને ઉપગ થયું છે. ને જુદા જુદા ગામની જૈનશાળાઓને લગભગ દરમહિને રૂ. ૨૦૦ જેટલી રકમ મદદ તરીકે પહોંચાડવામાં આવે છે. જેનું લિસ્ટ રીપોર્ટ વાંચવાથી સમજાશે. એકંદર આ ખાતું વારસામાં મળેલા જૈન જ્ઞાનને જ જેમાં સારી રીતે પ્રચાર કરવાના ઉદ્દેશથી સ્થાપેલું છે. ૧૩. સૂક્ષ્મ તત્વ બધિની પાઠશાળા. (સંવત્ ૧૯૬૪ જેઠ શુદિ ૧૦. ) ગિરિરાજની યાત્રા માટે આવેલા ચતુર્વિધ સંઘમાંના અભ્યાસ કરવાની ઈચ્છાવાળાઓને અભ્યાસ કરવાની સગવડ પુરી પાડવા માટે આ પાઠશાળા પાલીતાણામાં શરૂ કરવામાં આવી હતી. કેટલાક યાત્રાળુઓ નવાણું કરે, તેમને તથા મુનિ મહારાજાઓ અને સાધ્વીજીઓને ચાતુમાસ વિગેરેની સ્થિતિ પ્રસંગે, અભ્યાસ કરવાની જરૂરીઆત આ પાઠશાળાથી પુરી પાડવામાં આવતી હતી. ઉપરાંત જૈન તત્ત્વજ્ઞાનના પ્રકરણદિના સૂક્ષમ વિચારો સમજાવીને તેવા જિજ્ઞાસુઓને રહસ્ય સમજવાની સગવડ આપવાને પણ ઈરાદો હતે. આ કામને માટે જામનગરવાળા પ્રજ્ઞાચક્ષુ હંસરાજભાઈને રોકવામાં આવ્યા હતા. તેઓ કર્મગ્રંથ, તથા દ્રવ્યાનુયેગના વિષયને લગતા ગ્રંથે ભણાવતા હતા. હાલ તેઓ જામનગર પિતાને વતન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #144 -------------------------------------------------------------------------- ________________ ૫૪ રહે છે, અને ત્યાં પણ અભ્યાસીઓને પોતાના જ્ઞાનને લાભ આપવાને આત્મભેગ આપે છે, જે અનમેદનને પાત્ર છે. તેમના જામનગર જવા પછી મહેસાણુ પાઠશાળામાં તૈયાર થયેલા એક શિક્ષકને રોકવામાં આવ્યા હતા, પરંતુ હાલ કેટલેક વખત થયા શિક્ષકને અભાવે આ પાઠશાળાનું કામકાજ બંધ છે. આ ખાતે મુખ્યતયા સિદ્ધક્ષેત્રના યાત્રાળુઓને ઉદ્દેશીને ખેલવામાં આવેલું છે, છતાં તેને પ્રધાન ઉદેશ સૂક્ષ્મ બેધવાળા અભ્યાસીઓને મદદ કરી તત્ત્વના સૂક્ષ્મ બેધવાળા અભ્યાસીઓ તૈયાર કરવાને છે. ૧૪. આગમેદય સમિતિ. પવિત્ર આગમ ગ્રંથને છપાવી નાખવા માટે શ્રી સાગરા નંદ સૂરીશ્વરજી મહારાજે અસાધારણ ઉત્સાહ અને પ્રેરણાથી આગમવાના શરૂ કરી હતી. જેમાં જ્ઞાનરુચિવંત સાધુ, સાધ્વી, તથા શ્રાવક, શ્રાવિકા સાંભળવા બેસતા હતા. તે આ ગમોને શુદ્ધ કરી સારા કાગળ ઉપર સારા પ્રેસમાં છપાવવાના તથા વાચનાના કાર્ય માટે એક સમિતિ સ્થાપવામાં આવી હતી. જેનું નામ “ આગમેદય સમિતિ ” રાખવામાં આવ્યું હતું. તેમાં ખર્ચ માટે નાણું મેળવવા તથા બીજી કેટલીક વ્યવસ્થા માટે વેણચંદભાઈ સમિતિમાં કાર્યવાહક તરિકે જોડાઈને કાયા હતા. તે વખતે પણ તેમણે ખરેખર તેમાં ઝંપલાવ્યું જ હતું. આ ખાતામાં પણ હજાર રૂપિયા મેળવી આપ્યા, જેથી ઘણખરા આગમ છપાઈ ગયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #145 -------------------------------------------------------------------------- ________________ પ ૧૫. મુંબઈનુ જ્ઞાનખાતુ, (સંવત્ ૧૯૫૮.) આ ખાતામાંથી ગમે તે સ્થળે મુનિમહારાજાઓને જ્યાંથી મળી શકે ત્યાંથી મેળવી આપીને જ્ઞાનાભ્યાસ માટેના જરૂરી પુસ્તકા પુરા પાડવામાં આવે છે. આ ખાતા તરફથી આજ સુધીમાં હકળ પુસ્તકો પુરા પાડવામાં આવ્યા છે. મુંબઇથી ખહારગામ પુસ્તકા મેાકલવા વિગેરે કામમાં જામનગરવાળા શા. સાલાગર્ચ'દ કપૂરચંદ મદદ કરતા હતા. ૧૬. પુસ્તકો છપાવી પ્રચાર કરવાનુ ખાતુ. ( સંવત્ ૧૯૫૫ માગશર વિદે ૧૩. ) હાલ પુસ્તકા છપાવી જ્ઞાનપ્રચાર કરવાની જે રૂઢિ ચાલુ થઈ છે, તેને અનુસરીને આ ખાતા તરફથી, જૈન ધર્મને લગતાં જુદા જુદા વિષયાના—જેવાં કે-તત્ત્વજ્ઞાન, ક્રિયા–વિધિ, આચાર– વિચાર, સ્તવન–સઝાય, આધ્યાત્મિક, વિગેરે વિષયને લગતા, જૈનશાળાઓમાં અભ્યાસને માટે ઉપયેગમાં આવી શકે તેવાં તથા સ્ત્રીઓને ઉપચેગી થાય તેવાં અનેક જાતનાં પુસ્તકેા છપાવી અલ્પ મૂલ્યે કે ભેટ તરિકે આપીને જ્ઞાનનેા પ્રચાર કરવામાં આવે છે. આજ સુધીમાં ૫૪ જાતનાં પુસ્તકા ખહાર પડયાં છે, તેમાંનાં ઘણાખરાંની અનેક ભાવૃત્તિએ બહાર પડી ચૂકી છે, એટલે આજ સુધીમાં લગભગ લાખા કાપીએ છપાણી છે, અને તેમાંથી લગભગ એકાદ લાખ તેા જનશાળાએ, લાયબ્રેરીએ તથા મુનિ મહારાજા વિગેરેને સેટ તરિકે અપાઈ ચૂકી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #146 -------------------------------------------------------------------------- ________________ પટ્ટ છપાઇ, કાગળા, માઈંડીંગ વગેરે સારા પસંદ કરવામાં આવે છે, અને શુદ્ધિ તરફ પુરતું ધ્યાન અપાયછે. પુસ્તકની મિત્ લગભગ પડતરજ રાખવામાં આવે છે, કારણ કે તેમાંથી કમાણી કરવાના ઉદ્દેશ રાજ્યેાજ નથી. આ પુસ્તકાના પ્રચાર આખા હિંદમાં ગામેાગામ થાય છે, અને કેટલીક કાપીએ જર્મની, ઇટાલી, વિગેરે યુરાપના પ્રદેશેામાં પણ માકલી છે. લેાકેા પણ પુસ્તકો જત્થાબંધ મગાવે છે. આ ખાતું ખાલવામાં સમ્યગ્ જ્ઞાનના પ્રચારના જ પ્રધાન ઉદ્દેશ છે. વેણીચભાઈના હૃદયમાં જ્ઞાનપ્રત્યે કેટલી ભક્તિ હતી? તે આ જ્ઞાનને લગતા છ સાત મોટાં મેટાં ખાતાં ઉપરથી જોઇ શકાય છે. ૧૭. સ્કાલરશિપ ખાતું. ( સંવત્ ૧૯૫૯. ) આ ખાતામાંથી મ્હેસાણા પાઠશાળાના લાયક વિદ્યાથી આને ચૈાગ્યતા પ્રમાણે પ્રમાણમાં વત્તી આચ્છી Ăાલરશિપ અભ્યાસમાં ઉત્તેજન ખાતર આપવામાં આવે છે, જેથી કેટલાક વિદ્યાર્થીઓ ઉત્સાહથ સારા અભ્યાસ કરી શકે છે. ૧૮ વ્હેસાણામાં ઉપાશ્રય. ત્યાગમૂર્ત્તિ શ્રી રવિસાગરજી મહારાજના ઉપદેશથી લગભગ રૂ. દશથી પંદર હજાર એકઠા કરી આ ઉપાશ્રયના મકાનના બાંધકામની શરૂઆત કરવામાં આવી હતી. સ્પૈસાામાંથી પશુ ઘરદીઠ ફાળો ઉઘરાવવામાં આવ્યા હતા. પરિણામે રૂા. ૪૦૦૦૦) ના ખર્ચે શા. ઘેલાભાઇ કરમચંદ, શા. કસ્તુરચ’-વીરચંદ અને શા. સુરચંદ મેાતીચંદ્રની મુખ્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #147 -------------------------------------------------------------------------- ________________ પ૭ સહાયથી ત્રણ માળનું ઉપાશ્રયનું ભવ્ય મકાન સંપૂર્ણ થયું. જે ગામની વચ્ચે વચ્ચે છે અને ગામની શોભામાં એર વધારો કરે છે. ૧૯ દીક્ષિતના કુટુંબને સહાયક ખાતું. ( સંવત્ ૧૯૬૦. ). સંયમધર્મ તરફ વેણચંદભાઈને હાડોહાડ પ્રેમ હતું, અને દીક્ષા લેવાને માટે તે તેઓ દરેક વખતે તૈયાર જ હતા. દીક્ષા નથી લેવાતી તેથી કેટલેક વખત થી વિગેરે વિગઈઓને ત્યાગ કર્યો, અને પછી ઘીને બદલે તેલ ખાતા હતા, જેને પરિણામે તેમની એક આંખ ગઈ. કેટલાક મુનિમહારાજાઓની પ્રેરણાથી નિવિયાતું ઘી ખાવું શરૂ કર્યું હતું, અને “શાસનસેવાના કામમાં તમારા જેવાની જરુર છે, માટે ગૃહસ્થપણામાં રહી ધર્મ આરાધન કરશો તે પણ ઠીક છે, એવી રવિસાગરજી મહારાજ તથા બીજા કેટલાક મુનિમહારાજાઓની સલાહથી તેઓ જે કે દીક્ષા તો ન લઈ શક્યા, પરંતુ તેમનું જીવન લગભગ સાધુજીવનને મળતું જ કહી શકાય. મહિનામાં ૧૫ પૈષધ કરતા હતા અને સાધુપણની ભાવના જાગ્રત રાખતા હતા. જ્યારે હું પોતે દીક્ષા નથી લઈ શકતા–તે જે તે તેને હરકઈ રીતે સહાયક થવું,” એ ઉદ્દેશથી આ ખાતું ખોલવામાં આવ્યું છે. અને તેઓ એમ ચેકકસ માનતા હતા કે-“ચારિત્ર લેવું એ આત્મકલ્યાણને રાજ માર્ગ છે. તેના વિના તરવું મુશ્કેલ છે. માટે ચારિત્ર લઈને કે ચારિત્ર લેનારને હરકઈ રીતે સહાયક થઈને સંયમસ્થાનને સ્પર્શ કરે એ ભવિષ્યમાં ચારિત્ર પ્રાપ્ત કરવાનું ઉત્તમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #148 -------------------------------------------------------------------------- ________________ સાધન છે.” આ ઉદેશ સ્પષ્ટ સમજીને-વિચારીને જ તેમણે આ ખાતું શરૂ કર્યું હતું. જરૂર જણાય ત્યાં દીક્ષિતના કુટુંબને સહાય આપવામાં આ ખાતાને ઉપયોગ કરવામાં આવે છે. ૨૦. ચારિત્રધર્મના ઉપકરણ ખાતું (સંવત્ ૧૯૬૧) આ અને ઉપરનું ખાતું એકજ ખાતાની બે બાજુ હોય તેવાં છે. દીક્ષા લેનારને અથવા બીજા મુનિમહારાજાઓને ચારિત્રનાં ઉપકરણે -જેવાં કે કામળી, વસ્ત્ર, પાત્ર, ઘાના પાટા, દશીઓ, દાંડા વિગેરે જરૂર પડયે આ ખાતામાંથી વહોરાવવામાં આવે છે ૨૧. સાધુ, સાધ્વીજી માટે એષધ ખાતું. (સંવત્ ૧૫૬) આ ખાતાને ઉપયોગ અને ગુરૂભક્તિને હેતુ તેના નામ ઉપરથી જ સમજી શકાય તેમ છે. રર. આંબેલ વર્ધમાન તપ. વર્ધમાન તપમાં એક આંબેલથી સે આંબેલ સુધી ચડવું પડે છે, અને એક એળી પુરી થયે પારણે ઉપવાસ કરવાને હોય છે. એમ કરતાં તે તપ લગભગ ચૌદ વર્ષ પુરે થાય છે. આ તપ કરનારાઓની સગવડ ખાતર પહેલાં પાલીતાણામાં ખાતું ખેલ્યું, તેનું ફંડ લગભગ લાખ રૂપિયા સુધીનું છે. તેને વહીવટ હાલ જામનગરવાળા શા. લાલચંદ લીલાધર કરે છે. પાલીતાણામાં આ ખાતું ખોલાયા પછી–મુંબઈ, અમદાવાદ, ભાવ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #149 -------------------------------------------------------------------------- ________________ નગર, રાધનપુર, મહેસાણું, પાટણ, વિગેરે સ્થળામાં પણ તેવું જ ખાતું ખોલાયું છે. તેમાં પણ વેણચંદભાઈની પ્રેરણું તે હતી જ. મુંબઈમાં ખાતું ખોલાવવામાં મુખ્ય પ્રયત્ન તે તેમને જ હતો, છતાં આ ખાતાના મુખ્ય પ્રેરક અને ખાસ ઉપદેશક સગત આચાર્ય શ્રી વિજ્ય ધર્મસૂરિજીના સુશિષ્ય પં. ભકિત વજયજી મહારાજ ખાસ કરીને છે. ર૩. ગિરિનાર તળેટીએ રસોડું. શ્રી જયંત ગિરિ (ગિરિનાર પર્વત) ચડવા ઉતરવામાં કંઈક કઠિન છે, અને શહેર તળેટીથી વધારે દૂર છે. એટલે યાત્રાળુઓને યાત્રા કરી ઉતર્યા પછી ખાવા પીવાની ખાસ કરીને અડચણ રહે, એ સ્વાભાવિક છે. તેથી કરીને ધારણા પ્રમાણે સહેલાઈથી યાત્રા પણ ન થઈ શકે. આ અગવડ દૂર કરવાનો વિચાર વેણચંદભાઈને આવ્યા કે–ત્યાં રડું શરૂ કરાવી દીધું. તેનું ફેડે ય શરૂ કરી દીધું. જ્યાં કોઈ પણ ન હોય, પરંતુ વેણુચંદભાઈએ ધાર્યું એટલે ત્યાં કામ ઉભું થઈ જ જાય. તેમાં નિષ્ફળતાને એક પણ દાખલ હજુ નોંધાયો નથી. આ કામમાં પણ સફળતા મળી. હાલ તે ત્યાં મેટું ભવ્ય મકાન તૈયાર થઈ ગયું છે, તથા દાળ, ભાત, રોટલી, શાક વિગેરે ગરમ રસોઈથી થાકયા પાક્યા યાત્રાળુઓની ભક્તિ કરવામાં આવે છે. અને યાત્રાળુઓ રાતવાસો પણ ત્યાં જ રહી, બીજે દિવસે યાત્રા કરી શકે છે. આ સગવડથી મુનિમહારાજાઓ અને કેટલાક શ્રાવક ભાઈઓ શ્રી ગિરિનાર તીર્થની પણ નવાણું યાત્રા હવે કરે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #150 -------------------------------------------------------------------------- ________________ આ ખાતામાં કેટલાક ગૃહસ્થા તરફથી ખર્ચને માટે કેટલીક તિથિઓ નેંધી લેવામાં આવી છે. શા. ડાહ્યાલાલ હકમચંદ અને સૌભાગ્યચંદ જસરાજ વિગેરે લાગણીવાળા ભાઈઓની જાતદેખરેખથી આ ખાતે હાલમાં સારા પાયા ઉપર ચાલે છે. આવું જ એક ખાતે શ્રી શંખેશ્વરજી તીર્થમાં ખોલાયું છે, જો કે તેમાં જમનાર પાસેથી થોડે દર લેવાય છે. ર૪. મેમાન ખાતું. મહેસાણામાં ઉપાશ્રયે વંદન કરવા, કે પાઠશાળામાં બહારગામથી કઈ ભાઈઓ આવે, તેમની ભેજન વિગેરેથી સગવડ સાચવવા મહેસાણાના ત્રણ ગૃહસ્થાની આર્થિક મદદથી રૂા. ૫૦૦૦)નું સ્થાયિ ફંડ કરી આ ખાતું ખોલવામાં આવ્યું છે. તેના વ્યાજમાં ખચે ચાલે છે. ૧૯૫૫ માં ઉપાશ્રયના મેમાન ખાતું ચાલતું હતું, તેને આ રીતે સંગીન પાયા ઉપર મૂકયું ર૫. જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક મદદ. (સંવત્ ૧૫૬. ) આ ખાતાને પણ ઉદેશ તેના નામ ઉપરથી સમજી શકાશે કે–તેમાં સામાન્ય સ્થિતિના જૈન ભાઈઓને મદદ આપવાને ઉદ્દેશ રહેલો છે. આ વાત વેણચંદભાઈની ધ્યાન બહાર રહી નથી. ર૬. જૈન દવાખાનું. (સંવત્ ૧૯૫૪ વૈશાખ શુદિ ૧૦.) પાલીતાણામાં યાત્રાળુઓને અને સાધુ સાધ્વીઓને, પિતાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #151 -------------------------------------------------------------------------- ________________ મુકામે દર્દીને તપાસીને નિર્દોષ દવાઓ આપવા માટે એક સારા વૈદ્યને રોકવામાં આવ્યા છે, અને દવાની પણ સગવડ રાખવામાં આવે છે. પેટી સાથે વઘ ધર્મશાળાએ ધર્મશાળાએ ફરે છે, અને દરેકને જરૂરી દવા વિનામૂલ્ય આપે છે. આથી નરમ ગરમ યાત્રાળુઓને-દવાખાનું ખેળવું, ત્યાં બેટી થવું, યાત્રા કરી મેડા વેલા આવ્યા હોય, તેથી દવાખાનાને ટાઈમ ન. જળવાય, વળી યાત્રાળુઓ બપોર પછી સાંજે દવાખાનાને લાભ લઈ શકે, તે વખતે મુનિ મહારાજાઓની ભક્તિ કરવાને અને જમવાને વખત હાય, એ વિગેરે ઘણું મુશ્કેલીઓ પડે. આવી સ્થિતિમાં આ દવાખાનું યાત્રાળુઓને ઘણું જ મદદગાર થઈ પડે છે. ર૭. છપ્પનિયે દુષ્કાળ. ( સંવત્ ૧લ્પદ ) આ દુષ્કાળને ત્રાસ જગજાણીતું છે. એ ત્રાસ જોઈ વેણચંદભાઈનું દિલ પીગળ્યા વિના રહે છે ? તેમણે મહેસાણામાં ખીચડી અને પેંશ રંધાવી ભૂખ્યાઓને સંતોષવા માંડયા. પાટણ વિગેરે સ્થળોમાં પણ છે. બાલાભાઈની સહાયથી સારું ફંડ એકઠું કરી ત્યાં પણ ગરીબોને સહાય કરવી શરૂ કરાવી દીધી હતી. કેટલાક તદન અશક્ત થઈ ગયેલા જાતે ખાઈ શકે તેમ પણ હેતા, તેને પાસે બેસીને જાતે થેંશ ખવરાવતા હતા. તે વખતે તેમની દયાની લાગણી કેવી ઉચ્ચ કેટીની હશે? તે કલ્પી શકાય છે કે? ખ્રીસ્તી મિશનરીઓ ગરીબોની જે સારવાર કરે છે, તે જોઈ ઘણા ભાઈઓ મુગ્ધ બની જાય છે. એ સારવાર મુગ્ધ થઇ જવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #152 -------------------------------------------------------------------------- ________________ જેવી હોય છે. પરંતુ તેમાં ધર્મ પરિવર્તન કરાવવાની સ્વાથી બાજી હોય છે, એ લગભગ હવે જાણીતું થઈ ગયું છે. ત્યારે આ ચરિત્રનાયકની ઉપર જણાવેલી લાગણમાં કયાંયે કશી પણ સ્વાર્થની ગંધ આવે છે ? ભારતવર્ષના પારમાથિ ક કામને વાર લેશ પણ સીધી રીતે કે આડકતરી રીતે સ્વાર્થ સાધવાથી દૂર રહે છે. કેવળ અનુકંપામય લાગણીથી જ પરોપકાર કરવામાં આવે છે. એ તેનું મહત્વ છે, તે ભૂલવું જોઈતું નથી. તે વખતના કડી પ્રાંતના સુબા સાહેબ મે. ખારાવને આ વાતની જાણ થતાં તેમણે વેણચંદભાઈની પ્રશંસા કરી હતી. પ્રશંસા કરવામાં આવે કે ન આવે, પરંતુ ખાસ કરીને કચ્છ, મારવાડ, સૌરાષ્ટ્ર, અને ગુજરાત વિગેરે પ્રદેશમાં જેને સંકટવખતે હજારો વર્ષથી હાર્દિક મદદ કરતા આવ્યા છે. આ વખતે ગુજરાત પર અતિવૃષ્ટિ એ જે સિતમ ગુજાર્યો છે, તે કલ્પનાતીત છે. તેમાં પણ કેઈની રાહ જોયા વિના સૌથી પહેલા ઘણે ભાગે જેન બચ્ચાઓ જ બહાર પડી ગયા છે. પૈસા અને જાતમહેનતઃ એમ બને રીતે ન જોઈ બંધારણસરની સમિતિની રાહ, ન જોઈ હુકમની રાહ, ન જેઈ રીતસરના ફંડની રાહ, જે હાથમાં આવ્યાં તે સાધનથી લેકેના જાનમાલ બચાવવા અને નિરાધાર સ્થિતિમાં આધાર આપવાને બસ જુદી જ પડયા. બીજા કાર્યકર્તાઓમાં ત્યાર પછીજ હીલચાલ શરૂ થઈ. “માણસ પર દયા કરવાને બદલે જેને ઝીણું જીવેને પાળે છે. ” “ પિતાના ક્ષેત્રથી બહાર મદદ આપતા નથી. ” અજ્ઞાનતાથી આવા આક્ષેપ કરનારા ને આશ્ચર્યચક્તિ કરી દીધા. જેનેએ પિતાની સંખ્યાના પ્રમાણે વધુ ફાળો આપે છે, અને તે મુંગે મોઢે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #153 -------------------------------------------------------------------------- ________________ નહીં કે વાહ વાહ કે માનપાન લુંટવા માટે. ખરી રીતે જિનેને આ પહેલી જ વાર શૂરાતન ચડયું છે, એમ નથી, પરંતુ આ તે તેઓને હમેશને ચાલતેજ કમ છે. કેઈપણ જાહેર ફંડમાં જોશે તે જેનેને ફાળે માટે હશે જ, માત્ર તેને બહુ જાહે૨માં લાવવાની ઈચ્છા નહીં તેથી છાપાઓમાં તે વિષેના મેટા હેડીંગે વાંચવા ન મળે, એટલું જ. ઉપરાંત ગામેગામ કેઈપણ મુશ્કેલીને પ્રસંગે મહાજન તરિકે અગ્ર પદે રહેતી આ પ્રજા મેખરે હોય જ છે. માત્ર વ્યવહારદક્ષ એવી આ પ્રજાના મનમાં કાર્યની સફળતાનો વિશ્વાસ બેસે તેજ તેઓ આગળ ચાલે અને બીજાઓ ને પણ દેરવાનું જોખમ ખેડે. જેનેની આવી ઉદારતા અને ઉંડી કલ્યાણની નિઃસ્વાર્થ ભાવના છતાં, આજની જનતા તેની ખરી વસ્તુસ્થિતિથી અજ્ઞાત રહે છે, તેનું કારણ એ છે કેહાલ કેટલાંક વર્ષોથી ગુજરાતના સાક્ષરે, મહારાજા કુમારપાળના સમયના જૈનધર્મના પ્રકાશની પ્રભાને સહન ન કરી શકતા હેવાથી, ઉંડે ઉંડે હદયમાં ઈર્ષાના બીજ પોષી, જૈને અને સ્માર્તાની ચર્ચાઓને ઐતિહાસિક ઝગડાનું કલ્પિતરૂપ આપી, કેમ જાણે એ વારસે તાજો રાખવા માંગતા હોય, એવી રીતે પિતાનાં પુસ્તકેમાં કપિત કલ્પનાઓ કભી, પ્રજામાં એક બીજા વિષે ખોટા ખ્યાલો બેસે અને એક બીજા પ્રત્યે અણગમો ઉત્પન્ન થાય તેવાં લખાણ લખી, સંપની અતિ આવશ્યકતાવાળા આ સમયમાં જરા પણ દીર્ધદષ્ટિ વાપર્યા વિના કુસંપ માટેનાં જે બીજ વાવે છે અને પિષે છે, અને તેથી જે વાતાવરણ ઉત્પન્ન થાય છે, એક બીજાનાં સારાં ત એક બીજા બરાબર જોઈ શકતા નથી, તેનું ખરું કારણ આ છે. બાકી પ્રજા તરિકે દરેકના વ્યવહારે એટલા બધા ઓતપ્રોત છે, અને એક બીજાના હિતસં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #154 -------------------------------------------------------------------------- ________________ ૬૪ બધા એટલા બધા ગુંથાયેલા છે કે એમાં ભેદ પાડવાના પ્રયત્ન કરવા, એ અન્તને અહિતકર છે. તેથી કેટલાક સાક્ષાએ છેલ્લા સા પચ્ચાસ વર્ષોમાં જે વાતાવરણ ઉત્પન્ન કર્યું છે, તેને ખાજુએ રાખીને જો વિચાર કરવામાં આવે તે ગુજરાતમાંના એટલે શું ? અને તેની એક બીજાને કેટલી હુંફ છે? તેના ખ્યાલ આવે. અગાઉના વખતમાં જૈને અને સ્માતે બધાયે પ્રજા તરિ કેના સ` વ્યવહારમાં એક બીજા સાથે ગુંથાયેલા જ હતા અને આજે પણ છે. માત્ર ધર્મસંસ્થાએ જુદી જુદી. અને તેની ચર્ચા આ વિચારા ચાલ્યા કરતા હતા. આથી પ્રજાના વ્યવહારના વાતાવરણમાં ભેદ પડતા નહાતા. ત્યારે આજના સાક્ષરાની અદીર્ઘષ્ટિ અને લેખક તરિકેની થેાડી કીર્ત્તિ રળવાની ભાવનાને રિણામે કાગના વાઘ, ને વાઘના કામ” કરવાથી વ્યવહારમાં એ ભેદ ઉંડે ઉતરતા જાય છે, એ અનિષ્ટ પરિણામ આવતું જાય છે. અને મહારથી એકસપીને ઉપદેશ આપવા પણ તેઓ જ નિકળી પડે છે. આવા વિચિત્ર પ્રકાર આ સમયમાં કેમ ચાલી રહ્યો છે ? તે સમજી શકાતું નથી. આજે સાએ પેાતાતાનું ને પરસ્પરનું કલ્યાણુ વિચારવાની જરૂર છે. આ નહીં સમજી શકનારા સાક્ષરા કદી નહીં થયેલું એવું નુકસાન છેલ્લા સા માં માત્ર નિરીંકુશ કલમના મુખમાંથી ઝરતા વિષના પ્રચારથી કરી શકયા છે. આ ઉપરથી ગુજરાતના યશના બધા યશ જૈના જ લેવા માગે છે, એમ નથી. દરેક પોતપાતાની સામગ્રી જરૂર પડયે આપે છે. તેમાં જેના પણ હાય છે—સૌની સાથે ભળેલા જ હાય છે. માત્ર તેની વ્યવહારબુદ્ધિને, પરિણામે લાલ ભાસવા જોઈએ.. આ સ્થિતિ છે. તેને બદલે તેને ઉતારી પાડવાના પ્રયત્ના કરવા, એ ખરેખર એસવાની ડાળ કાપવા ખાખર છે. જેના જે કરે છે, તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #155 -------------------------------------------------------------------------- ________________ આજ નવું જ છે એમ નથી. પૂર્વના વખતના પણ દાખલા જુએ. હિંદુસ્તાનમાં પૂર્વે એવા ઘણુ બનાવો બની ગયા છે. તે વખતે આજ ૨ તે મદદ કરવામાં આવતી હતી. આશાશાહ, ભામાશાહ, કે વિજયહીરસૂરિજી મહારાજ ન હોતે તે હિંદુવટની આજે શી દશા હેતે? વસ્તુપાળ ન હોતે તો અલ્લાઉદ્દીન કે જેના પંજામાંથી ગુજરાતને એક વખત ઉગારી લઈ હિંદુવટની જે સેવા બુદ્ધિવૈભવથી બજાવી છે, તેની નેંધ ઈતિહાસની ચોપડીઓ લે કે ન લે, પરંતુ તેથી જે ફાયદો થયો છે, તે કયાં જવાને છે? તથા જગડુશાહ વિગેરેનાં ઉદાહરણે પ્રસિદ્ધ જ છે. ૨૮. જીવદયા આ ખાતું પાલીતાણામાં ઘેટાં બકરાં વિગેરે જીવે છેડાવવા માટે ખેલવામાં આવેલું છે. જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે ત્યારે આ ખાતામાંથી તથા જાત્રાળુઓમાં ટીપ કરીને પણ આ કામ ચલાવવામાં આવે છે. રબારીઓના ધર્મગુરૂ સાથે ફરીને રબારીએને સમજાવવામાં, તથા એક મહિનાથી નાના બકરાંને ન છેડી દે તે ઠરાવ કરાવવામાં પણ આ ખાતાને ઉપગ થયો છે. છોડાવેલ બકરાં ઘેટા, છાપરિયાળી પાંજરાપોળમાં મોકલાવી તેને અભયદાન આપવામાં આવે છે. ર૯, માછલાં ખાતું. આ ખાતું તળાવ વિગેરેમાં ઉનાળામાં માછલાં મરી ન જાય માટે તેને પાણીના માટલામાં ભરીને બીજા જળાશયોમાં પહોંચાડવા, અથવા ત્યાંને ત્યાંજ ખાડા દી તેમાં પાણી ભરા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #156 -------------------------------------------------------------------------- ________________ વીને તેનું રક્ષણ કરવા તથા જાળ નાંખી પકડવામાં ન આવે તેને માટે બંદોબસ્ત કરવામાં વપરાય છે. આ ખાતામાં ખાસ જાતમહેનત–આત્મગહરા નથુરામ વજેરામ મહેસાણાવાળાને છે, તેથી તેઓ ધન્યવાદને પાત્ર છે. ૭. માસ્તર વલભદાસ હાવાભાઈ વેણીચંદભાઈ આ રીતે અનેક કામમાં, તેને અંગે મુસાફરીમાં, ફડે કરવામાં, આગેવાને અને કાર્યવાહકેને મળવામાં, ધાર્મિક ક્રિયાઅનુષ્ઠાનેમાં એમ અનેક રીતે રોકાયા રહેતા હતા. માણસ કામ ગમે તેટલાં ઉપાડે પણ જે તેની વ્યવસ્થા બરાબર ન થાય, તે બધાં કામે ચૂંથાઈ જાય છે, ને અનેક જાતની ગેરવ્યવસ્થા ઉભી થવા સંભવ રહે છે. વ્યાપારી માલ ખરીદે જાય પણ તેને મૂકવાને માટે વખારે વિગેરે વ્યવસ્થિત સગવડ ન રાખે તે માલને બગાડ થઈ બેટમાં ઉતરવું પડે એ સ્વાભાવિક છે. તેવી જ હકીકત આવાં ખાતાંઓ ઉપાડવા અને તેની વ્યવસ્થા રાખવાને અગે છે. ઉપર પ્રમાણે વેણચંદભાઈ જાતે બધા ખાતાં સંભાળે, તેને વહીવટ કરે, તે ચલાવે, તેના હિસાબ રાખે, માણસો ઉપર દેખરેખ રાખે, એ બધું એકલે હાથે બનવું અશકય હતું. અલબત્ત માણસો દ્વારા કામ લઈ શકાય છે, છતાં દરેક કામમાં એ એક આવશ્યક વિભાગ હોય છે કે જેમાં એ કામ કાં તે જાતે જ કરવું જોઈએ, અને કાં તો અત્યનત વિશ્વાસુ કે અંગત કે અંગત જેવા માણસને જ તે સેંપી શકાય. આવી એક અંગત જેવી વિશ્વાસ વ્યક્તિ તેમને મળી ગયેલી હતી. જેનું નામ માસ્તર વલ્લભદાસ હાવાભાઈ. રહીશ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #157 -------------------------------------------------------------------------- ________________ વળા. આ સ્થળે વેણચંદભાઈના સત્કાર્યપ્રવૃત્તિઓના પ્રકરણમાં તેમને ઉલલેખ કરવાની જરૂર એટલા જ માટે છે કે-એ પ્રવૃત્તિઆની પાછળથી બરાબર કાળજી પૂર્વક સંભાળ લેવામાં અને તેને વ્યવસ્થિત ચલાવવામાં તેમણે ભારે સંતોષ પૂર્વક કામ કર્યું છે. તેથી તેને કેમ ભૂલી શકાય? આ ભાઈ મહેસાણુ પાઠશાળા શરૂ થઈ ત્યારથી અમુક વખત વિદ્યાર્થી તરીકે અભ્યાસ કરીને પછી નેકરીમાં જોડાયા. યદ્યપિ તે અમુક પગારે નેકરીમાં જોડાયા હતા, પણું પોતે નોકર છે, એમ સમજીને કામ કર્યું નથી, પરંતુ અંગત-ઘરનું સમજીને જરા પણ શક્તિનું ગેપન કર્યા વિના સતત પરિશ્રમ અને કાળજીથી કામ ચલાવ્યું છે. એ રીતે ૨૨ વર્ષ સુધી તેણે એક રીતે સંસ્થાની સેવા બજાવી ગણી શકાય. માત્ર જમવા વિગેરે ખાસ કામ સિવાય ઘેર જવાનું રાખતા નહીં. જરા પણ વખત મળે તે બધી સંસ્થામાં જ ગાળવાના. ઘેર ખાસ અડચણ જેવું હોય, તે ભલામણ કરી દે, પણ કામ છેડીને જવાનું જ નહીં. એટલે દરેક બાબતે તરફ તેમની સતત દેખરેખ, નિરીક્ષણ, અને સાવચેતી ખાસ રહ્યા કરતા હતા. ધાર્મિક અનુષ્ઠાનમાં પણ પિતાનાથી બનતો ભાગ દરેકમાં બરાબર લેતા હતા. દર ચતુર્દશીએ પિષધ અવશ્ય કરતા હતા. ઉપધાન પણ વહન કરેલાં હતાં. ધાર્મિક તથા સંસ્કૃત અભ્યાસ કરેલ હતું. તેમણે પ્રતિક્રમણનાં મૂળ પુસ્તકે તથા તેના અર્થ અને અવચૂરિ, તથા જીવવિચાર, કર્મગ્રંથ, તત્વાર્થ, બ્રહ્મચર્ય વિગેરે પુસ્તકો લખેલાં, તથા કેટલાંક શોધેલાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #158 -------------------------------------------------------------------------- ________________ ૬૮ છે. બીજાં પુસ્તકો છપાવવામાં પણ તેમની ખાસ મદદ હતી સવભાવે ગંભીરને મિતભાષી, તથા પ્રામાણિક અને નિસ્પૃહ. હતા. વર્તનમાં સાદા અને શાંત હતા. ઈનામ અકરામ લેવા તેમને પસંદ હતાં. કેઈ તેવી વાત કરે તે તેમને જરા ગુસ્સે પણ થઈ આવતું હતું. આવી તેમની નિસ્પૃહવૃત્તિથી છેવટે આ સેક્રેટરી તરીકે તેમને નિમવામાં આવ્યા હતા. સંવત ૧૭૫ ની સાલમાં વેણચંદભાઈ સાથે સંસ્થાને કામે મુંબઈ ગયા હતા. ત્યાંથી તેમને સંગ્રહણીને જીવલેણ રોગ લાગુ પડયે. ઘણા ઉપચાર કરવા છતાં ફાયદો થયે જ નહીં. આખરે એકાદ વર્ષમાં સુશીલ પત્ની તથા બે પુત્ર અને ત્રણ પુત્રી મૂકી ગુજરી ગયા. ત્યારપછી સંસ્થાને તેવા માણસની કહે કે વેણચંદભાઈના વિશ્વાસુ અને અંગત સાથીની કહે, ખેટ પડી તે પી જ છે. હજુ તે ખેટ પુરાઈ નથી એમ કહીએ તે ચાલે. તેમની હયાતી સુધી દરેક વહીવટમાં ચિતન્ય પ્રસરતું દરેકના જોવામાં આવેલું હતું. મહેસાણાના સ્થાનિક જેનભાઈઓ અને આગેવાનેને પણ તેમના તરફ પ્રેમભાવ હતા. તેમના ગુજરી ગયા પછી પારી, પ્રભુદાસ જેસિંગભાઈએ છ બાર મહીના સુધી સપ્ત પરિશ્રમ ઉઠાવી કામ કર્યું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #159 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩ જુ. અંગત જીવન, ૧ પ્રકરણ સંબંધઃ વેણીચંદભાઈના પ્રાથમિક જીવન વિષે, તેમ જ સત્મવૃત્તિએમાં પરોવાયેલા જીવન વિષે કેટલુંક વિવેચન ગયા બે પ્રકર માં કરવામાં આવ્યું છે. તે ઉપરથી વાચક મહાશાને તે વ્યક્તિ વિશે કેટલાક ખ્યાલ આવી ગયે હશે. છતાં હજુ એક બાબત રહી જાય છે. જેનો વિચાર આ પ્રકરણમાં કરવામાં આવશે. કેઈપણ વ્યક્તિનું જાહેર જીવન ગમે તેવું ઉન્નત અને ભવ્ય હોય, છતાં દરેકનું અંગત જીવન પણ તેવુંજ ઉન્નત અને ભવ્ય હોય જ, એમ નથી બનતું. કેટલીક વ્યક્તિઓનું અંગત જીવનજ સુંદર અને આદરણીય હોય છે, કેટલાકનું જાહેર જીવન, તે કેટલાકનું અને પ્રકારનું જીવન ભવ્ય અને ઉન્નત હોય છે. આ ત્રણ કેટીમાં વર્ણચંદભાઈને કઈ કટિમાં મૂકવા? તે કામ તે અમે વાચક મહાશયને જ સેંપીશું. પરંતુ તે વિવેક કરવાને તેમના અંગત જીવનની મળે તેટલી વિગતવાર હકીક્ત પુરી પાડવી એ અમારી ફરજ છે, તે હવે બજાવીશું. તેથી આ પ્રકરણમાં તેમની દિનચર્યા, કાર્યપ્રણાલી, સ્વભાવ, ખાસિયત, રહેણુકરણ, ધાર્મિક જીવન, નિયમિતતા, વિગેરે વિગેરે બાબતને લગતું વર્ણન જેમ બને તેમ સંક્ષેપમાં કરવાને ઈરાદે રાખે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #160 -------------------------------------------------------------------------- ________________ હ૦ ૨ સામાન્ય દિનચર્યા– સવારમાં નમકકાર સ્મરણ પૂર્વક વહેલા ઉઠી, પ્રાત: પ્રતિક્રમણ કરી લેતા હતા. પછી દિશા જંગલ જઈ આવી પ્રાત:દશન કરી, એકાસણુદિક વ્રત ન હોય તે દૂધ પી લેતા હતા. પછી, મુનિમહારાજને ગ હોય તે અવશ્ય વ્યાખ્યાન સાંભળવા જતા હતા. ત્યાંથી આવી પ્રભુપૂજામાં સારો સમય ગાળતા હતા. પછી જમી લગભગ બાર-એકે પરવારી સંસ્થામાં આવી તેનાં કામકાજ સંભાળતા હતા. આવેલી ટપાલ વિગેરે વાંચી લઈ, તેને જવા લખવાની સૂચના આપી સામાયિક કરવા બેસી જતા હતા, અને તેમાં પિતાના હંમેશનાં પ્રકરણે, સ્તવને વિગેરેને નિત્ય પાઠ કરતા હતા; છતાં સામાયિક માટેના ટાઈમ અને સંખ્યાની નિયતતા ન્હોતી. સાંજ પડવા આવે એટલે વ્રત ન હોય તે વાળુ કરી, દર્શન કરી, પ્રતિકમણ કરી પાછા ખાસ ટપાલને જવાબ, અથવા સંસ્થાને લગતાં બીજાં કામના કાગળો. લખાવતા હતા. લગભગ દશ વાગ્યાને સુમારે સૂઈ જતા હતા. તેઓ હમેશ બને વખત પ્રતિક્રમણ કરતા હતા; મુસાફરીમાં પણ આ નિયમ ચુકતાજ નહીંગમે ત્યારે મેડી રાત્રે ગાડી પહોંચે. તે તે વખતે પણ પ્રતિક્રમણ કરવાનું ચૂકતા નહીં. કદાચ ગાડીને આવવાની વાર હોય તે પ્રતિક્રમણ કરવા બેસી જાય, ને કઈ વખત ઉલાસમાં ચડી જાય, તો ગાડી આવીને ચાલી પણ જાય, તેનું યે કાંઈ નહીં. જે તે રીતે ઉતરીને ન કરી શકાય તેમ હોય કે-રાત્રે કે સવારે ઉતરવાને વખત મળે તેમ ન હોય, તે પછી સામાયિક ઉચર્યા વિના ગાડીમાં જ ષડાવશ્યક કરી લેતા હતા, પરંતુ પ્રતિક્રમણ કરવાનું ચૂકતા નહીં. અને જે ગુરુ મહારાજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #161 -------------------------------------------------------------------------- ________________ ૭ ને જોગ હોય તે જરૂર તેમની સમક્ષજ ષડાવશ્યક કરતા હતા. અને તે ઉભા ઉભા ને વિધિસર, સગાય, સ્તવન કે વંદિત્તાસૂત્ર તેઓ બહુ જ એકાગ્રતાથી બોલતા હતા. અને જે પદેથી વધારે ઉલ્લાસ આવતે તે પદો વારંવાર તલ્લીન થઈને બેલતા હતા. ૩ જિનપૂજા. પ્રભુપૂજામાં તે-વેણચંદભાઈ જિનમંદિરમાં પ્રવેશ કરે એટલે મૂર્તિમતી ભક્તિદેવી જ ત્યાં સર્વોલ્લાસથી વિલસી રહે, બસ. ત્રણ “નિલપિ” ને તેમને ઉચ્ચાર કેવળ વિધિ સાચવવા પુરતો ન રહે, પરંતુ સર્વ વ્યાપારને તે વખતે નિષેધ જ થઈ જાય, અને પૂજામાં તલ્લીનતા જ થઈ જાય. પોતાની મેળે પ્રક્ષાલન, ગલુંછન વિગેરે કરે; પછી ભાવપૂર્વક વિવિધ દ્રવ્યથી અષ્ટપ્રકારે પૂજા કરે. પૂજાનાં ઉપકરણે અને દ્રવ્યો સુંદર પસંદ કરતા હતા, જેમ ભક્તિમાં વધારે થાય તેવા રાખતા હતા. રકાબી, વાટકી, ( ધપાધાનક) ધૂપધાણું, ફાનસ વિગેરે ઉપકરણે ચાંદીનાં રાખતા હતા. કેસર, બરાસ, સુખડ, ધપ વિગેરે દ્રવ્ય પણ પિતાનાં જ વાપરતા હતા. પ્રભુપૂજામાં પુ તે જ નિયમિત હાવાં જ જોઈએ, અને તે સારામાં સારા અને સુગંધિત હોવાં જોઈએ. ગમે તે ખર્ચ પણ, તે વિના તે ચાલે જ નહી. પુના ઉત્તમ હાર વિશે વધારે પ્રમાણમાં મળે છે ત્યારથી જ તેમનું મન હર્ષથી નાચવા લાગે. અને જે જોઈએ તેટલા ન મળ્યા હોય તે તુરત ગામમાં માળીને ઘેરે ઘેર કે દહેરે દહેરે માણસ મોકલીને જ્યાં માલણે હોય ત્યાંથી જેટલું મળી શકે તેટલી કિંમત ખર્ચને પણ પુપે મેળવવાનો આગ્રહ રાખતા હતા. આ રીતે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #162 -------------------------------------------------------------------------- ________________ વિવિધ પ્રકારે દ્રવ્યપૂજા કરી લઈ ભાવપૂજામાં જ્યારે તલ્લીન થતા હતા ત્યારે ઉચ્ચ સ્વરે જે ઉલ્લાસથી પ્રભુગુણસ્મારક સ્તવને બોલતા હતા, તે ઉલ્લાસ ખરેખર અનુકરણીય થઈ પડતું હતે. અને તે ઉલ્લાસ એટલી બધી હદ ઓળંગતે હતું કે જ્યારે પગે ઘુઘરા બાંધી તેઓ નાચ શરૂ કરી ભક્તિમાં લીન થતા હતા, ત્યારે આજુબાજુના માણસોમાં પણ ભક્તિને રસ જાગ્રત કરી દેતા હતા, અને ક્ષણવાર સાંસારિક વાસના ભૂલાવી દઈ ભક્તિરસ શી ચીજ છે? તેને રસાસ્વાદ ચખાડતા હતા. આમ પ્રભુપૂજામાં કેટલી વખત જાય તેની ગણત્રી જ ન રહે. જમવાનું જમવાને ઠેકાણે રહે ને વેણચંદભાઈ તે ભક્તિરસમાં ડબડૂબા ફૂખ્યા હેય. આથી કુટુંબકબીલાવાળા ભાઈઓને પણ અડચણ તે પડવા માંડી, પરંતુ વેણચંદભાઈને માટે તે બધી જાતની છૂટ જ હોય. તે પણ પિતે “કેઈને પોતાને નિમિત્ત હરકત ન થવી જોઈએ એવું વિચારીને જમવાની ગોઠવણ જુદી કરી લીધી. આ પ્રવૃત્તિશીલ પુરુષ હાથે રસોઈ કરે તે પાલવે નહીં અને કેઈ નેકરિયાત રસેઈઓ રાખે, એથી સંતોષ થાય કે કેમ એ શંકા. પરંતુ આપણે પહેલા જ લખી ગયા કે વેણચંદભાઈના જીવનમાં કુદ્રતને પણ કંઈક હાથ છે. એ પ્રમાણે તેમને મહેસાણામાંથી જ એક ધર્મબહેન મળી ગયા. જેનું નામ પાવલ [પાવલ વણારસી ] બહેન હતું. આ બાઈએ પોતાની વૃદ્ધાવસ્થા છતાં વેણચંદભાઈની ભક્તિમાં કશી ખામી આવવા દીધી નથી. ગમે તેવાં કષ્ટ વેઠીને, વેણચંદભાઈની જમવા કરવાના વખતની અનિયમિતતાથી થતી મુશ્કેલીઓ ગળી જઈને પણ બરાબર બધી જાતની અનુકૂળતા પૂર્વક બધી સેવા બજાવી છે. અને તે કઈ પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #163 -------------------------------------------------------------------------- ________________ પ્રકારના સ્વાર્થ વિના, ખાસ ધર્મબુદ્ધિથી, “આવા ધાર્મિક પુરુઆપની સેવાથી કૃતકૃત્ય થવાશે” એવી શુદ્ધ ધર્મનિષ્ઠાથી પ્રશંસાપાત્ર સેવા કરી છે. તે પણ ઠેઠ વેણીચંદભાઈની જીંદગીના અંત સુધી. આ છેવટની માંદગી વખતે પણ ખૂબ જ સેવા કરી છે. એટલે આ પ્રસંગે વેણચંદભાઈની આ ભલી ધર્મબહેનને ધન્યવાદ આપી આપણે મૂળ વિષય તરફ હવે વળી શું સામાન્ય રીતે તેઓ અષ્ટ પ્રકારી પૂજા તે રોજ કરતા હતા. અને પહેલાં તે એવો જ નિયમ હતો કે “પ્રભુ પૂજા કર્યા વિના દાતણ પણ ન કરવું. ” આ નિયમનું પાલન ખાતર લાંબી મુસાફરીમાં સવારને વખતે જ્યાં જિનમંદિર વિગેરેની સગવડવાળું સ્ટેશન આવે કે તુરત ઉતરી પડે, અને સેવા પૂજા કરી ભોજન લઇ બીજા ટાઈમે આગળ વધતા હતા. પરંતુ પિતાને નિયમ સાચવવામાં જરા પણ ખામી ન આવે, તેની બહુ જ કાળજી રાખતા હતા. સવાર સાંજ જિનદર્શન ચૂકતાજ નહીં, અને બન્ને વખતે ઉલ્લાસ પૂર્વક દશાંગ કે અગરના ધૂપથી ધૂપપૂજા કરતા હતા. હમેશ નૈવેદ્ય મૂકવાનું ચૂકતા જ નહીં. પાઠશાળાના રસોડે પણ ખાસ નિયમ કરીને હમેશ અનુક્રમવાર એક એક જિનમંદિરે નવેદ્ય મુકવાની પદ્ધતિ રખાવી. ૪ મુનિ મહારાજાઓને લાભ. સંયમી વર્ગ તરફ એમને ઘણું જ પૂજ્યભાવ હતા. કેઈપણ વખતે પાઠશાળામાં કે તે પોતે જ્યાં હોય ત્યાં કેઈપણ મુનિ મહારાજ કે સાધ્વીજી મહારાજ આવી ચડે, તે તુરત જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #164 -------------------------------------------------------------------------- ________________ ૭૪ ગમે તેવું હાથપરનું કામ છોડી દઈ વિનયપૂર્વક ઉભા થઈ જઈ હથી ગાંડાઘેલા થઈ વંદન કરે, અને પછી વિનય મહુ માનથી પૂછે—“ સાહેબ ! કેમ પધાર્યા ? શા ખપ છે? ” જે ચીજના ખપ હાય, તે પુરી પાડયે જ છૂટકા. તે અપ મૂલ્યની કે અધિક મૂલ્યની હાય, પ્રાપ્ય હાય કે દુષ્પ્રાપ્ય હાય, પેાતાનાથી શકય હોય કે ખીજી રીતે શકય હાય, પણ તે પુરી પાડવાના પ્રયત્ન કર્યે જ છૂટકા. આવી જ રીતે કાષ્ઠ મુનિમહારાજાએ મહારગામથી “ કાઇ વસ્તુના પેાતાને ખપ છે” એમ જણાવે તે પેાતાને પૂછ્યા વગર પણ પુરી પાડવાની સ ંસ્થાના માણસાને સ્પષ્ટ ભલામણ કરી રાખી હતી. તે સિવાય, આપણે તેમના સત્પ્રવૃત્તિમય જીવનમાં જોઈ ગયા કે મુનિમહારાજાઓને લગતાં ખાતાં રાખીને તમેાને સંયમયાત્રામાં અનુકૂળતા થાય તેવાં સાધના પુરાં પાડવા માટે કૈટલી કાળજી રાખી છે ? આ બધી પ્રવૃત્તિ ઉપરથી પૂજ્ય આચાર્ય મહારાજશ્રી વિજયાન દસૂરિ મહારાજ ( આત્મારામજી મહારાજ ) વેણીચ’દભાઈને સાધુ-સાધ્વીના અમ્મા યિ” કહી ઓળખાવતા હતા. આ રીતે ભગવંતના શાસનના સ્તંભભૂત આ સયતાઝૂની રખેને આશાતના ન થઈ જાય તેને માટે બહુ જ સાવ ચેત રહેતા હતા, એટલું જ નહીં પરંતુ તેમની જેમ બને તેમ ભક્તિ કરવાનું, બહુમાન કરવાનું ચૂકતા નહીં. કાઇ મુનિમહારાજ સાથે કોઇ વિચારમાં મતભેદ પડે તે તેટલાપુરતા તટસ્થ રહે, પરંતુ તેમના પ્રત્યે મુનિ તરીકે તેા અભાવ ન લાવે. અને આવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #165 -------------------------------------------------------------------------- ________________ ૭૫ વૃદ્ધ ઉમ્મર છતાં વૈયાવૃત્ય વિગેરેથી તેઓની ચરણસેવા પણ એટલે સુધી કરે કે તેઓને શારીરિક શ્રમ ઓછો થઈ જાય. આ સિવાય પણ, કોઈ માનમહારાજ કે સાધ્વીજીને શરીરે ગાદિક કારણે અસાતા વતી હોય છે, તેને માટે એષધેપપચારનાં સાધને વિગેરેથી તેની પરિચર્યા કરવામાં જરાયે કચાશ ન રાખે, અને બહારગામ પણ બની શકે ત્યાં સુધી સારવારની જના કરે. દરરોજ બન્ને વખત વહોરવા માટે લાભ દેવા માટે મુનિ મહારાજને વિનંતિ કરવા ઘણી વખત જાતે જાય, ને આગ્રહ કરી તેડી લાવે, અને ઉલ્લાસથી હેરાવે. પણ જે પાત્ર પિતાના હાથમાં આવી ગયું તે પછી બાકી જ ન રાખે ! સુપાત્રદાનની અનુમોદના કરતા જાય અને રાજી રાજી થતા જાય. વિદ્વાન હોય કે સામાન્ય શક્તિવાળા મુનિ મહારાજ હેય પરંતુ જે તેને જોગ હોય તે વ્યાખ્યાન વંચાવે, પોતે સાંભળે અને બીજાને સાંભળવા પ્રેરે. આ રીતે ગુરુમુખથી જિનવાણી સાંભળવાનો આગ્રહ રાખતા હતા. જેમ તેઓને જ્ઞાનપર પ્રીતિ હતી, અને તેની નિશાની તરીકે જાતે ભણતા હતા અને બીજાને ભણવા ગણવામાં મદદગાર થવાય તેવા પ્રકાર જતા હતા, તેમ જ તેમને ચારિત્રધર્મ ઉપર પ્રીતિ હતી, એ તે જગજાહેર છે. પોતાને ચારિત્ર લેવાની ઘણી વાર તીવ્ર ઈચ્છા થઈ આવતી હતી, પરંતુ ઘણું ઘણું મુનિમહારાજાઓના રોકાણથી જ રહ્યા હતા. એક તે વૃદ્ધ ઉમ્મર, અને વળી શાસન સેવાનાં જે ભગીરથ કાર્યો તેમણે ઉપાડયાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #166 -------------------------------------------------------------------------- ________________ ૭૬ હતાં, તેમાં સ્કૂલના ન થાય એ હેતુથી જ માત્ર રોકાણ કરવામાં આવતું હતું. તેપણ વેણચંદભાઈને એટલેથી સંતેષ વળે ખરે કે? દીક્ષા નથી લેવાતી તે ખાતર અમુક વર્ષો સુધી છ વિગઈને ત્યાગ રાખે. પછી પણ ઘીનો ત્યાગ રાખી તેલ વાપરતા હતા. પરંતુ આંખને અડચણ આવવા લાગી અને છેવટે એક આંખ ગઈ પણ ખરી. આખરે કેટલાક મુનિમહારાજાની આજ્ઞાથી નિવિયાતું ઘી વાપરવાનું રાખ્યું હતું. તેમની ભાવના હમેશ એવી રહ્યા કરતી હતી કે-“ દીક્ષા એ ચારિત્ર પાળવાનો ધોરીમાર્ગ છે. ચારિત્ર વિના ત્રણે કાળમાં આત્મકલ્યાણ અસંભવિત છે. જ્યારે એ દિવસ ઉદયમાં આવે ?” આવી ભવનાશિની ભાવના પણ તેમના દિલમાં હમેશ રહા કરતી હતી. તેમની જિંદગી લગભગ હદયના ભાવથી સાધુ જેવી કહી શકાય અને તેમને નિક્ષેપાની દષ્ટિથી દ્રવ્યમુનિ પણ કહેવા ધારિયે તે કહી શકાય, એવી તેમની આત્મપરિણતિ રહેતી હતી. આ સંયમધર્મની વિશેષ વિશેષ પ્રકારે આરાધના કરવાના હેતુથી જ તેઓ મહિનામાં ૧૫ પંદર પૌષધ કરતા હતા. ઉપરાંત, ખાસ મોટા પર્વદિવસો હોય તે તે જુદાજ, અને પૈષધ ન હોય તે દિવસે ખાસ કામ સિવાય દિવસને ઘણે ભાગ સામાયિકમાં જ ગાળતા હતા. તથા ઘણે વખત દિવસે કામ કરી રાત્રે પિષધ લઈ લેતા હતા. વળી “મારાથી દીક્ષા તે લેવાતી નથી, પરંતુ કઈ ભાવિતાત્મા દીક્ષા લે તે તેને મદદ કરવી, તથા તેના સંયમધર્મમાં જેમ વધારે સહાયક થવાય તેમ તે અવશ્ય કરવું જ જોઈએ, જેથી કરી ભવાંતરમાં પણ એ પ્રસંગ પ્રાપ્ત થાય.” આ ઉદ્દેશથી જ તેમણે “દીક્ષા લેનારના કુટુંબીઓને સહાયક ખાતું ” વિગેરે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #167 -------------------------------------------------------------------------- ________________ ખાતાઓ ખોલ્યાં હતાં. આ ખાતાંઓ કેવળ “જે તે જરૂરને લગતા ખાતાં ખેલવાં જોઈએ, એવા માત્ર કાર્યવાહક તરીકેના કર્તવ્ય તરીકે ખેલવામાં હેતાં આવતાં, પરંતુ તેની પાછળ પિતાને આત્મા ભળતું હતું, રંગાતે હતે. અને બને તેટલું જાતથી તે પ્રમાણે વર્તન રાખતા હતા. એટલે અંતરની ઊર્મિમાંથી તે તે ખાતાંએની ચેજના જાગતી હતી, અને ખાતું અસ્તિત્વમાં આવતું હતું. એ સ્પષ્ટપણે ઉપરની હકીકતો ઉપરથી સમજી શકાય છે. અર્થાત્ વેણીચંદભાઈમાં “વરું જોશે પરિચ” હતું. ૫ તપશ્ચર્યા. વેણીચંદભાઈનું તપસ્વી જીવન પણ હેરત પમાડે તેવું છે. જૈન ધર્મના અનુષ્ઠાનેમાં તપને તો પ્રધાન પદ છે” એમ જનેતર પ્રજા પણ સારી રીતે જાણે છે દીલ્હીમાં એક શ્રાવિકા બહેને છમાસિક તપ કર્યો હતો, જેને પરિણામે તે વખતના બાદ શાહ અકબરનું તે તરફ ધ્યાન ખેંચાયું હતું. અને તે એટલેથી ન અટક્તાં તેને જૈન ધર્મ વિષે જાણવાની જિજ્ઞાસા થાય છે. આચાર્ય શ્રી વિજયહીરસૂરીજી મહારાજને બોલાવી તેમની મુલાકાત લે છે, અને પરિણામે તે એટલો બધે રંગાઈ જાય છે કે મુસલમાન સામ્રાજ્યમાં ખાસ કરી કેઈપણ મુસલમાન પવિત્ર જૈન તીર્થસ્થળ અને પર્વતેની આજુબાજુ હિંસા વિગેરે કરી આશાતના ન કરે, અથવા યાત્રા વિગેરેમાં અડચણ ન કરે, અથવા એ સ્થળો જુલમ કરી અન્યાયથી પડાવી ન લે, તે માટે પૂર્વોપરની સ્થિતિ કાયમની સ્વીકારી લઇ, ભવિષ્યના જમાનામાં પણ અડચણ ન આવે, તેવી જાતની પાકી ગોઠવણ કરી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #168 -------------------------------------------------------------------------- ________________ ૭૮ આપે છે, વિગેરે વિગેરે. આ બધી શરૂઆત એક બાઈના મહાતપમાંથી જન્મે છે, અને જે સ્થિતિને વારસે આજે આપણે ભેગવીએ છીએ. તપને આ જાહેર પ્રભાવ હાલ થોડા જ સૈકા પહેલાંને છે, છતાં જૈન સંઘમાં તે તપશ્ચર્યાની પ્રવૃત્તિ પૂર્વોપરથી ચાલતી જ આવે છે. તે પણ તેમાં સ્ત્રીવર્ગને મોટો ભાગ તપશ્ચર્યા કરનાર હોય છે, અને ઘણું દીર્થ એટલે મહિને મહિને અને તેથી પણ ઉપરાંત વખતની તપશ્ચર્યા કરનાર તેજ વર્ગ હોય છે. પ્રમાણમાં ઓછા છતાં પુરુષવર્ગમાં પણ તેવા તપસ્વી પુરુષે દરેક જમાનામાં મળી આવે છે. હમણાં જ બેએક વર્ષ પહેલાં પાટણમાં તપસ્વી મુનિ શ્રી પ્રેમવિજયજી મહારાજે કાળ કર્યો. તેમણે પોતાના જીવનમાં પુષ્કળ તપ કરેલ છે, જેનું એક મોટું લિસ્ટ થાય છે. અને છેવટે ૬૭ ઉપવાસના પારણાને દિવસે તેઓ કાળધર્મ પામી ગયા. આવી જ રીતે વેણચંદભાઈ પણ એક ઉગ્ર તપસ્વી કહી શકાય. તેમણે જિંદગીમાં કરેલી તપશ્ચર્યાનું એક મોટું લિસ્ટ થાય! કેણ એવું લિસ્ટ રાખે ? કયાં તે ઉપરથી ઈનામ લેવાનું હતું? જ્યાં શુદ્ધ આત્મકલ્યાણની ઈચ્છાથી જ તપશ્ચર્યા થતી હેય, તેને દેખાવ કઈ રીતે થઈ શકે ખરો ? વેણચંદભાઈનું જીવન કેવળ તપસ્વી જીવન જ કહી શકાય. વ્રત વિના કોઈ દિવસ પ્રાય: છુટ્ટા તે હોય જ નહીં. ઓછામાં ઓછું બેસણું કે એકાસણું તે હોય જ. તિથિએ ઉપવાસ અથવા છઠ્ઠ અને અઠ્ઠમ તે વખતે વખત ચાલુ જ હેય. દરેક તિથિઓ, જેવી કે-પાંચમ, આઠમ, ચિદશ વિગેરેની શાસ્ત્રોક્ત આરાધનાઓ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #169 -------------------------------------------------------------------------- ________________ ૭૯ તેમણે વિધિપૂર્વક કરી હતી. પર્યુષણા પમાં તે અટ્ઠાઇ અને સાથે ચાસઠ પહારના પાષધ હાય જ. અને વળી પ્રતિક્રમણ તથા દરેક ક્રિયા ઉભા રહીને વિધિપૂર્વક કરવાની જ. ઉપધાન તપ પણ તેમણે કરેલ છે. ઉપરાંત, સંવત્ ૧૯૮૧ ની સાલના ચામાસામાં પાલીતાામાં રહી તેમણે માસક્ષપણ ( એક માસના ઉપવાસ ) કર્યુ હતુ, અને તે ઘણીજ સારી રીતે સમાધિ પૂર્વક પૂર્ણ થયું હતું. અહિં વાચક મહાશયેાને યાદ આપવું જોઈએ કે–જે વખતે પાલીતાણામાં વેણીચ’દભાઈને ઉપરનું ખાસ માસક્ષપણુ ચાલુ હતું તેજ વખતે દિલ્હીમાં ગાંધીજીએ હિંદુ-મુસલ્માનની એકસપી માટે ૨૧ ઉપવાસ કર્યો હતા. સાધારણત: તેમને પથારીવશ રહેવું પડતું હતું, અને ડાકટરોની પુરતી સારવાર અને સભાળ રાખવામાં આવતી હતી, તથા એ તપ, ઐહિક હેતુ માટે હતા. ત્યારે તેજ વખતે વેણીચંદભાઈ માત્ર આત્મકલ્યાણનાજ ઉદ્દેશથી માસક્ષપણુ કરી રહેલા હતા. અને તે પથારીમાં પડયા રહીને નહીં, પરંતુ આવા માટા તપ છતાં ખીજા તપસ્વીઓની વૈયાનૃત્ય અને સારસભાળ માટે નીકળી પડતા હતા. તેમને ઠંડક માટે ચંદન વિગેરે શરીરે ચાપડતા હતા. તથા પાષધ વિગેરે વ્રતધારી તથા તપસ્વીઓનાં પારણાં-ખાનપાન તથા ષષાદિકથી ભક્તિ કરવામ જરા પણ કચાશ રાખતા નહીં. તથા તપસ્વીઓને પારણાં તથા અતરવારણાં પેાતાને સેાડે કરાવવાના આગ્રહ શખતા હતા અને તે પ્રમાણે કરાવતા હતા. સાધારણ રિવાજ પ્રમાણે આવા મોટા તપના પારણા વખતે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #170 -------------------------------------------------------------------------- ________________ ૮૦ તેમનું ઉદાપન કરવામાં આવે છે, અને સગાંસંબંધીઓ, ઈટ મિત્ર, તથા સાધમિક તરફથી તે તપસ્વીને શક્તિ પ્રમાણે રોકડ રકમને ચાંદલે ધરવામાં આવે છે, તથા કેટલાક ભાવિક પુરુષે સારી રકમ પણ આ ચાંદલા નિમિત્ત ધરવાની ઈચ્છા રાખતા હોય છે. આ કો પ્રકાર વેણચંદભાઈએ ચાલવા જ દીધો નહીં. આ ઉપરથી તેમની તપશ્ચર્યા તદ્દન શુદ્ધ, કેવળ નિરાડંબરી અને આત્મકલ્યાણની ભાવનાથી–જેને જૈન પરિભાષામાં નિયાણારહિત અથવા નિશલ્ય તપસ્યા કહેવામાં આવે છે, અને અન્ય પરિભાષામાં નિષ્કામ કહેવામાં આવે છે, તેવી હતી. ખરેખર તેમની તપશ્ચર્યા કેવી નિષ્કામ અને અનન્ય છે? તે આ દાખલા ઉપરથી વાચક મહાશયે બરાબર સમજી શકશે. આ પ્રસંગતેમની તપની લગની કેવી હતી? તે સમજાવે છે. અને તે લગનીના પરિણામરૂપે જ ખાસ કરીને તેમણે કાઢેલાં રસેડાં તથા “આયંબલિ વર્ધમાન તપ” વિગેરે ખાતાંઓને હેતુ સમજાય છે કે-તપધર્મમાં પણ તેમનો આત્મા શુદ્ધ હેતુથી ભળેલો હતા, એટલું જ નહીં પરંતુ બીજા તપસ્વીઓને સગવડ કરી આપવામાં એ હેતુની સિદ્ધિ પરાકાષ્ઠાએ પહોંચશે, એમ તેઓ માનતા હતા. ૬. ધાર્મિક અનુષ્ઠાને. તેઓએ બારવ્રત ઉચ્ચરેલાં હતાં. આ સ્થળે તેમના બારવ્રતની વિગતવાર નેંધ જે કે આપવી જોઈએ, પરંતુ વિસ્તારભયથી અમે તે આપતા નથી. કાયમ કંઈક ને કંઈક વ્રત તે હોય જ. અને વેકસી વિગેરેઅભિગ્રહ ધારણ તે તેઓને કાયમ ચાલુજ હતા. ચૌદ નિયમ પણ ધારતા હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #171 -------------------------------------------------------------------------- ________________ ૮૧ જ પેાતાના જીવનવ્યવહારમાં તેઓ જીવદયા બહુ જ જાળવતા હતા. વાળવા માટે સુંવાળી સાવરણીઓના ઉપયાગ કરતા અને કરાવતા, તથા ટાક રાખી મહારગામ પણુ મોકલતા હતા. પુંજવા [પ્રમાના]માટે તેવી જ રીતે પુંજણી [પ્રમાની]ના સ્ટાક રાખતા હતા.થાળી ધાઇને પીતા હતા,ને પેાતાના વ્યવહારમાં વપરાશનું પાણી અચિત્ત જ વાપરતા હતા, અને તે પણ છુટ્ટી જગ્યામાં.[પાઠશાળામાં અચિત્ત પાણી મોટા પ્રમાણમાં કરાવવામાં આવે છે, જેથી સાધુસાધ્વી તથા મુસાફર યાત્રાળુઓ સારા લાભ લઇ શકે છે]. કદાચ કાઇ નેાકર મિચારી થાકીને કે કંટાળીને કામ અધુરૂં કરે, કે પડતું મૂકે, તેા તેને ઠપકા તા આપે જ, પણ તેના પગાર કાપવા વિગેરે છેવટની હદ સુધી જતા ન્હાતા, તે જીવદયાના આ વિચારથી જ મજુર પાસે ભાર ઉપડાવવામાં પણ દયાને ક્ષતિ પહોંચે છે એમ તેઓ માનતા હતા, અને એ ઉદ્દેશથી ઘણી વખતે જાતે જ ગાંસડા પાટલા ઉપાડી લેતા હતા. ૭ ભાવના. આ રીતે તપ, ક્રિયાનુષ્ઠાન, પૂજા—શક્તિ, સામાયિક, દેવદન, તીયાત્રા, જ્ઞાનાભ્યાસ, ખીજા માટે ધાર્મિક સગવડા પુરી પાડવાની કાળજી અને તેને અંગે અનેક ખાતાં ઉઘાડવાની પ્રવૃત્તિ, તેના વહીવટો, તેના પ્રચાર, આ બધી ધર્મીમય-શુદ્ધ પ્રવૃત્તિઓમાં રહેવા છતાં, હમ્મેશ તેમના મનમાં એમ જ રહ્યા કરતું હતું કે “ અરેરે ! જીવનનું સા ય કાંઈ થતું નથી, ક્ષણ લાખેણી જાય છે. એક ક્ષણ પશુ શ્રી વીતરાગધર્મની આરાધના વિના શુમાવાય જ કેમ ?” એમ ઘણી વાર ખેલતા હતા. re Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #172 -------------------------------------------------------------------------- ________________ આશ્ચર્ય તે જરૂર થાય છે કે-મુદ્રી હાડકાને માણસ દિનરાતની પ્રત્યેક ઘડી આવી રીતે શુભ પ્રવૃત્તિઓમાં વિતાવે છે, તે વખતે તેમની માનસિક શુદ્ધતા કેટલી બધી રહેતી હશે? એક યુવાનને શરમાવે તેવા તેમના ઉત્સાહનું પૂર કેટલું બધું જેસમાં રહેતું હશે ? અને આ ઉત્સાહ તેમના આત્માને શુભ અધ્યવસાયનાં કેટલાં બધાં સ્થાનકે સુધી હડાવી જતો હશે ? તેની તે આપણે કલ્પના જ કરવી રહી. અને વળી “જીવનનું સાર્થકય કંઈ થતું નથી” એવી જાતની વધારે ધર્મ કરવાની તીવ્ર તત્પરતા: આ બધું આપણને વેણચંદભાઈમાં કંઇક અનેરું બળ હતું એમ તો જરૂર સૂચવે છે. એવી વ્યક્તિઓ બહુ વિરલ જ હોય છે. આજકાલના કેટલાક અદીર્ધદશ પરિવર્તકેના ઘણુ ઘણા આક્ષેપ ધાર્મિક અનુષ્ઠાનની પ્રવૃત્તિઓ તરફ થતા આપણે સાંભબીએ છીએપરંતુ વેણચંદભાઈની આ ભાવના તેને સચોટ જવાબ છે. દરેક જમાનામાં આવી વ્યક્તિઓની થેડી ઘણી સંખ્યા પણ તેને સચોટ જવાબ છે. બાકીના શાબ્દિક જવાબની કંઈ વિશેષ કિંમત નથી. કેટલાક એટલે સુધી કહેવાની ધષ્ટતા કરે છે કે આ બધી ધાર્મિક પ્રવૃત્તિઓ જુદા જુદા ખાતામાં પૈસા કઢાવવાના સાધન તરીકે પણ કેમ ન હોય? અલબત્ત ધાર્મિક પ્રવૃત્તિઓને કદાચ દંભ તરીકે પણ ઉપયોગ કોઈ કરે, પરંતુ વેણચંદભાઈની રહેણી કરણ અને પ્રવૃત્તિઓને સૂમ અભ્યાસ કર્યા પછી તેમને માટે એ શંકા કરવી એ કેવળ દૃષ્ટતા જ કહેવાય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #173 -------------------------------------------------------------------------- ________________ ૮૩ કારણ કે ધાર્મિક પ્રવૃત્તિઓને તેઓ હમ્મેશાં પડેલા ન અ રનું અને ખીજી પ્રવૃત્તિએને બીજા નખરનું સ્થાન આપતા હતા, તેના ઘણા પુરાવા મળી શકે છે. કેઈપણુ ખાતામાં કેાઈના તરથી સારી રકમ ભરાવાની આશા હાય કે આશા આપી હાય, અને તેને માટે અમુક વખત કે દિવસ નક્કી કરવામાં આવ્યું હેય, છતાં જો તે દિવસ કે વખત પેાતાના ધાર્મિક કૃત્યો માટેના હાય, તે ત્યાં જવાનું તે વખતે તેા મુલ્તવી જ રહે. પછી અથવા પહેલાં જે થાય તે ખરૂં. આ ખાખત તેઓ ઘણી વખત ખેલતા પણ હતા કે- ધ સાધન ખરામર હાય તાજ એવા સારાં કામા માટેને પ્રયત્ન પણ વધારે સફળ થાય, અન્યથા તેમાં જોઇએ તેવી સફ્ળતા ન મળે. "" ૮. સાદાઇ. આમ આ પુરુષનું અનેક ઘટનાઓથી ભરેલું સૉંગીન જીવન જણાય છે. મલખત્ત આ જમાનાની માફક નાની વાતને મેટી કરી મતાવવાની તેમને ઇચ્છા ન્હાતી. અથવા તેમને જે સંસ્કારાના વારસા મળ્યા હતા તે તેવા નિરાડં ખરી હતા. આ જમાનાના માણસ આટલી બધી પ્રવૃત્તિવાળા હાય, અને અંગત જીવન ભારે ચાકસાઇ ભરેલું જીવે, તે તેને માટે મેટાં મોટાં પુસ્તકા લખાય, અને છાપાંઓમાં તેમની સ્તુતિનાં કોલમના કાલમા આવે, તથા તેના અનેક સ્મારકેા તથા કીર્ત્તિચિહ્નો ઉભાં થઈ જાય. માનપાના તા કદાચ હિસાબ જ ન રહે. પરંતુ આ સાદા અને નિરીહ પુરુષને પાતાને જ તે પસંદ ન્હાતું. પોતાની જાહેરાત કે ગુણાનુવાદથી તે ભાગતા ફરતા હતા. તેમના ફોટા લેવા માટે અનેક વ્યક્તિઓએ અનેક વાર અનેક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #174 -------------------------------------------------------------------------- ________________ ૫૪ જાતના પ્રયત્ના કર્યા છતાં તેમાં કદ્દી કાઈને ફાવવા દીધા નથી. માત્ર છેલ્લામાં છેલ્લે આ પુસ્તકની શરૂઆતમાં આપેલા ફાટા સુરતમાં મહા મુશ્કેલીથી લેવા. તેમના પેાશાક ને દેખાવ ઘણા જ સાદા હતા. એટલું જ નહીં, પરંતુ આહાર અને ભાષા પણ એવી જ સાદી હતી. એકદર બધી રીતભાત સાદી જ હતી. આપણે જાણીએ છીએ કે સામાન્ય રીતે જૈન વે મૂ॰ સંઘમાં વેણીચ ંદભાઇની ખ્યાતિથી કાઇક જ અજાણ્યુ હશે. એટલે ઘણાખરા મનમાં જરૂર માને જ કે “આવે માણુસ ડાળ દમામદાર હશે” પર ંતુ જ્યારે નજરે જુએ ત્યારે આશ્ચર્ય પામે કે “ વેણીચંદ સુરચંદ, તે આ ! ! ! ” * પોશાકમાં ખડી, અ’ગરખું, ખેસ, સાધારણ ધાતિયું', અને માથે પાઘડી અને પગમાં કંતાનના સાદા માજા? આ તેમના પેાશાક હતો. તાપણુ એટલું તેા કહેવું જ પડશે કે-વૈદ્યકીય દ્રષ્ટિથી આહાર-વિહાર–અને નિહારના નિયમા તેઓ સાચવી શકતા નહીં. માત્ર જૈન ધર્મની દ્રષ્ટિથી ભક્ષ્યાભક્ષ્યના વિચાર તથા સંયમની ષ્ટિથી તેઓ આહાર-વિહાર અને નિહારની પ્રવૃત્તિ કરતા હતા. પરંતુ માટે ભાગે તપશ્ચર્યા જ તેમને અનેક ચામાંથી બચાવી લેતી હતી. તથા કામકાજમાં સખ્ત પરિશ્રમથી શરીર કસાયેલ રહેતું હતું, તથા ખારાક ઠીક લઈ શકતા હતા. તાપણુ દૂધના ખારાક એ તેમનું મુખ્ય જીવન હતું. છતાં તેમના શરીરને ઘસારા તા જણાતા જ હતા. અને છેવટના વર્ષીમાં એકાએક - જ્યારે ઘસારા લાગ્યા, છતાં લગભગ ૭૦ વર્ષ જેટલું જીવન ટકવું, એ આવુ ન ગણાય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #175 -------------------------------------------------------------------------- ________________ ૮૫ ૯. સ્વભાવ. તેમના સ્વભાવ ખાસ કરીને કરકસરવાળા હતા. પાતાના ઘરનાં નાણાંના નકામા કે વધારે પડતા વ્યય ન થઈ જાય તેની તે કાળજી સા કેઇ દુનિયામાં રાખે છે, પરંતુ સંસ્થાઓના ખર્ચોમાં પણ તેઓ ખાસ ક્રાળજી રાખતા હતા. મુસાફરીમાં, જવા આવવામાં જ્યારે ને ત્યારે મજુર કર્યા જ છે, ગાડી કે ટ્રામમાં બેઠાજ છે, ભીડ કે અડચણ હાય કે ન હેાય, પણુ થર્ડ કલાસ ઉપરાંત ટીકીટ લીધી જ છે, કે એવું કશું જ નહીં. વાત તે સૂવા બેસવાનું ઘણે ભાગે ઉપાશ્રયે કે પાઠશાળામાં જ રાખતા હતા. ઘર તે હતું પણ ઘરની દરકાર કાને ? શરીરની નહીં, ત્યાં ઘરની કેાને પડી હાય ? તેા પછી બીજી ચીજોની શી દશા છે ? તેની સંભાળની તે વાત જ શી ? પોતાનું શું છે? કયાં છે? ને ક્યાં નથી ? એ યાદ પણુ કાને હાય ? ઠીક છે,સચવાય તેટલી ચીજો સચવાય, ને જાય તેટલી ભલે જાય. કાઈ વળી સાચવે તો સચવાય, નહીંતર થતું હોય તેમ થાય. આ પેાતાની ચીજોને માટે છે. સંસ્થાને માટે તેમ નહી. તે ખાખત જો તેમના જાણવામાં આવે તે જરૂર તેની કાળજી માટે પાકી ભળામણુ કરે. સંસ્થાઓનાં કામમાં તા જરાયે ગલત નહી. શરીરમાં જેટલી શક્તિ હાય તેટલે પરિશ્રમ ઉઠાવીને કામ કરતા હતા. સખ્ત લાંખી લાંબી મુસાફરી કરતા હતા. મેાડી રાત સુધી કામ કરતા હતા. ટપાલ પુષ્કળ આવે તેના લાંખા લાંખા જવાબ લખાવવા, ફ્રેંડને માટે ખાતાના ઉદ્દેશ માળવા, એ ઘણુંખરૂં લાંખા લાંબા કાગળા હતા. તેથી ટપાલનું કામ ઘણું વધી પડતું હતું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat સમજાવી નાણાં લખીને જ કરતા એટલે મેાડી રાત www.umaragyanbhandar.com Page #176 -------------------------------------------------------------------------- ________________ સુધી કામ કર્યે જતા હતા. છતાં તેમને એક સુખ હતું. પડખુંવાળીને સુતા કે નિદ્રા આવી જ છે, અને પિતાના આરામ પુરતી નિદ્રા મળી ગઈ કે પાછા કઈ પ્રવૃત્તિમાં લાગેલા જ હેય. આળસ પ્રમાદ, કે ગપ્પાં સપાં મારવાની વાત જ નહીં. એ ગમે જ નહીં. નકામી વાત નહીં. કેઈની નિંદા કે ચાડીચુગલી નહીં, કેઈના બુરામાં રાજી નહીં. એવું કાંઈ થતું હોય કે કઈક કરતું હોય તે તટસ્થ થઈ જાય. ખાસ કરીને કેઈનાં છિદ્ર જેવાં નહી અને કોઈના મમ પ્રકાશવા નહી. કેઈ નેકર વિગેરે કોઈપણ કામમાં કંઈક ભૂલ કરે, કે કોઈ વિરુદ્ધ વર્તન કરે, તો ક્ષણિક આવેશમાં આવી જાય, પરંતુ ક્રોધનું સ્થાયિ સ્વરૂપ નહીં. બદલે લેવાની કે વેર વાળવાની કિનાર વૃત્તિ નહીં જ. પાછા તેને જ બોલાવે, ક્રોધને માટે પશ્ચાત્તાપ કરે મિચ્છામિ દુક્કડં પણ દે અને વળી તેનાથી જ પાછું કામકાજ લે.મહેમાનેને જમાડવામાં પ્રેમ અને આગ્રહ આખી જીદગી સુધી એકસરખા ટકાવી રાખ્યા હતા. આવી આવી તેમના સ્વભાવની ખાસિયત હતી. ૧૦. આજીવિકાએ સ્વાશ્રયપણું– આટલી બધી પ્રવૃત્તિઓમાં પડેલા છતાં તેમણે આજીવિકાના ખર્ચને બેજે કાયમ પોતાની જાત ઉપર જ રાખ્યો હતો. તે એવા કેઈ લક્ષાધિપતિના સંતાન હેતા કે જેથી મેટી પુંજી હાય, ને તેના વ્યાજમાં આજીવિકા ચલાવે. તે સાધારણ ખાતાપિતા સુખી કુટુંબના સંતાન હતા, એટલું તે ખરું જ. એટલે કે તદ્દન ગરીબ ન જ ગણાય. છતાં આપણે આગળ જણાવી ગયા કે ત્રણ ભાઈઓ વચ્ચે વહેંચાઈને આવેલી વડિલે પાર્જિત મિલકત એ જમાનામાં ભાગમાં કેટલીક હેાય? છતાં જે હશે, તેના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #177 -------------------------------------------------------------------------- ________________ ૭ ઉપર તેમણે ચણતર ચણીને ધારાજગાર કરતાં જે રકમ મેળવેલી, તેમાંથી; તથા તેનું વ્યાજ વગેરે ઉત્પન્ન થાય, તેમાંથી આજીવિકા જીંદગી સુધી ચલાવી છે. જે આ જમાનાની વીરતા છે. આટલી બધી પ્રવૃત્તિઓમાં પડેલ વ્યક્તિને કમાવું એ મુશ્કેલ પડે,એ સ્વાભાવિક હતું.છતાં વખતોવખત કઇંક ને કંઇક વ્યાપાર કે દલાલી જેવા પ્રયત્ન કરીને થાડું ઘણું મેળવતા હતા,અને આજી વિકા ચલાવતા હતા. આ ખામત ઘણા ઈષ્ટીના ધ્યાન મહાર ન્હાતી, પરંતુ વેણીચંદભાઈ આ ભાખતર ઇનું માને તેવા ન્હાતા તેમના વિવેકી ભાઈઓએ “ માસિક સેા રૂપિયા અમારી પાસેથી મંગાવી લેવા”નું કહેલું, પણ તેમણે તે ખાખત ચાકખી ન જ પાડી. પાતાની આ પરિસ્થિતિ જાણી જઇને અમુક કોઇ ગૃહસ્થ ધાર્મિક લાગણીથી દારાઇ પોતાને વિશેષ લાભ અપાવવા ઇચ્છે છે” એવું જો કદાચ તેમના જાણવામાં આવે તે ફરીથી તેની પેઢીપર પગ મૂકવાની વાત જ નહીં. કારણ કે કાષ્ઠની દયા ઉપર જીવવા તરફ તેમને પુરેપુરા અણુગમે હતા. “ તેમના નામ ઉપર એક સારી રકમ પેાતાના તરફથી જમે કરાવવી, કે જેના વ્યાજમાંથી વેણીચંદભાઈનું ખર્ચ નભે,” આ વિચારથી એક શ્રીમાન ગૃહસ્થે વેણીચંદભાઈને તેમ કરવા દેવાના આગ્રહ કર્યો. તે વખતે વેણીચ ંદભાઇએ જે જવાબ આપ્યા તે ખરેખર તેમને છાજતા જ હતો. તે જવામ આ હતો— “ મને પરમાર્થ નાં કામેા કરવા દેવા હાય, તા આ વિચાર આપ છેાડી જ દ્યો, અને મારી બુદ્ધિ બગાડી મને નિરુધમી અનાવવા હાય, તેા ભલે આપ તેમ કરી. ” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #178 -------------------------------------------------------------------------- ________________ પરિણામે તે ગૃહસ્થ મૌન જ રહ્યા. ૧૧ પ્રકરણે પસંહાર– છેવટે આ પ્રકરણમાં વેણચંદભાઈના વ્યક્તિગત જીવન વિષે જે કાંઈ માહિતીઓ મળેલી તેના ઉપરથી ટુંક ટુંક વિવેચન કરવામાં આવેલું છે. તેને ઉપસંહાર કરતાં હર્ષ થાય છે કે–તે અમારી ભાષામાં ન કરતાં એક પ્રસિદ્ધ અને વિદ્વાન જૈનાચાર્યના જ શબ્દોમાં કરવાથી કુંદનમાં જડેલા હીરાની માફક તે વધારે શોભી ઉઠશે. પુસ્તકનું નામ “કન્યા વિક્રય નિષેધ” છે. તેમાં અર્પણ પત્રિકા નીચે પ્રમાણે છે, જે અક્ષરશઃ આપવામાં આવે છે– મહેસાણા નિવાસી જૈન ધર્મ સંઘ સેવામાં અપચેલ સુશ્રાવક શેઠ વેણીચંદ સુરચંદને અર્પણ પત્રિકા. વિક્રમ સં. ૧૯૫૩-૫૪ ની મારી ગૃહસ્થદશામાં તમારે પરિચય થયે. તમને ગુરૂ મહારાજ શ્રી રવિસાગરજી મહારાજે ઉપકાર કર્યો. તમારી ધર્મ પત્ની મરણ પામ્યા બાદ તમારું લક્ષ્ય ધર્મ ઉપર વિશેષ લાગ્યું અને વિ. સં. ૧૯૫૪ ના કારતક માસમાં ગુરૂ મહારાજ શ્રી રવિસાગરજી મહારાજના પ્રમુખપદેથી શ્રી પંજાબી મુનિ દાનવિજયજીએ જૈન પાઠશાળા સ્થાપવાને ઉપદેશ આપે, તે તમેએ ઝીલી લીધો અને મહેસાણાના સંઘે ગુરૂ મહારાજના આદેશથી જૈન સંસ્કૃત પાઠશાળા સ્થાપના કરી. એ પાઠશાળામાં મુનિરાજ શ્રી કપૂર વિજયજી અને મારું આજેલ ગામથી ભણવા માટે આવવાનું થયું. પાઠશાળામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #179 -------------------------------------------------------------------------- ________________ નવ વષા કુવરજી કરવા મંડળ ધાર્મિક કેળવણીની સાથે ઈંગ્લીશ ભાષાનું જ્ઞાન આપવા માટે મેં મારા વિચારે જણાવ્યા. તમારે અને મારે તે સંબંધી મતભેદથી વૈમનસ્ય ઉત્પન્ન થયું તે પણ તે અમુક વિચારભેદ હોવાથી પરસ્પર ધર્મરાગમાં ખામી પડી નહિ. તમેએ અવીસ વર્ષથી કર્મયોગીની પેઠે જૈન ધર્મ અને જૈન સંઘની સેવા વગેરે જેન ધાર્મિક કાર્યો કરવામાં નિષ્કામે જીવન હેમ્યું છે. તમે પરસ્ત્રીત્યાગી, બાર વ્રતધારી શ્રાવક છે. સનાતન પ્રાચીન પરંપરાગમ દષ્ટિવાળા જુના વિચારવાળા છે તથા સાધુઓના ગુણાનુરાગી છે. જેની પાઠશાળાઓ સ્થાપવામાં, જેન ધાર્મિક કેળવણું વધારવામાં અમદાવાદવાળા શેઠ હીરાચંદ કક્કલભાઈ તથા ભાવનગરવાળા શેઠ કુંવરજી આણંદજીની પેઠે તમેએ ઉત્તમ આત્મભોગ આપે છે. જૈન શ્રેયસ્કર મંડળ સ્થાપીને તેમાં તમેએ સારે આગેવાનીભર્યો ભાગ લીધે છે. તમે મહેસાણા જૈન સંસ્કૃત પાઠશાળાને સત્યાવીસ વર્ષથી ચલાવી રહ્યા છે, તથા તપ કરવામાં તમે એક માસના તપ સુધી આગળ વધી ગયા છે, તથા જ્યાં ત્યાં ધાર્મિક કાર્યો કરવામાં અહંકારને દેશવટે આપીને કેવળ સાદાઈથી પ્રવર્તીને સાદાઈનું આદર્શજીવન ગાળે છે. તથા સર્વ સાધુ સાધ્વીઓની સેવાભકિત કરવારૂપ વ્યવહારધર્મમાં ગુતાન બની ગયા છે. આત્માથી છે, જૈન કેમની ઉન્નતિ કરવા જ્યાં ત્યાં તમારી લગની જોવામાં આવે છે. કન્યા વિક્રય દેષ નિષેધ તથા બાળ લગ્ન નિષેધ કરવામાં તમારી પ્રવૃત્તિ છે. તેમજ જેન કોમની સેવામાં તમાએ હજારે અપમાને સહ્યાં છે અને હજી ઉત્સાહથી જૈન ધર્મની સેવા કરે છે. મારે અને તમારે સત્યાવીસ વર્ષથી પરિચય છે તેથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #180 -------------------------------------------------------------------------- ________________ હું તમને એક કર્મોગી શ્રાવક તરિકે ઓળખી શકયો છું અને તેથી સામાન્ય વિચારમાં મતભેદ પરસ્પર હોવા છતાં તમારા અનેક સંસ્થાના પશે તમારા ગુણને પ્રકાશિત કરી ગુણાનુરાગ વૃદ્ધથશે તમને આ પુસ્તક અર્પણ કરું છું. ઈત્યે ૩૪ અર્ણ મહાવીર શાન્તિ: રૂ વિ. સં. ૧૯૭૧ માઘ શુદિ ૧. મુ મધુપુરી (મહુડી). લે. બુદ્ધિસાગર સૂરિ તાલુક-વિજાપુર, દેશ-ગુજરાત, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #181 -------------------------------------------------------------------------- ________________ ૯૧ પ્રકરણ ૪ થું. અંતિમ અવસ્થા અને વ્યવસ્થા. ૧ શરીર-શૈથિલ્ય – વેણચંદભાઈ કઈ ભારે વિદ્વાન, મહાન પદવીધર મુનિ મહારાજ, મોટા હોદ્દેદાર અધિકારી, મહાન શ્રીમાન ગૃહસ્થ, મહાન યોગી કે મોટી લાગવગ ધરાવનાર પુરુષ ન હોવા છતાં, એ બધાને આશ્ચર્ય પમાડે તેવાં કામે માત્ર નિખાલસ વૃત્તિ, આત્મબળ, મને બળ, અડગ શ્રદ્ધા અને સતત દઢ પ્રયત્નને પરિણામે કરી શકયા છે. તે ખાતર તેમણે પોતાની આખી ઈદગી એટલે કે તન અને મન બને, કશી પણ પરવા કર્યા વગર ખૂબ ખર્ચા છે. જેનો વિચાર કરતાં પણ આપણને પરિશ્રમ પડે છે. આ રીતે સાર્થક થયેલાં તન અને મન પણ છેવટે તે થાકે જ ને? કારણ કે તે પણ ક્ષણિક જ છે, નાશ પામવાના સ્વભાવવાળાં છે. તેમ છતાં તેમાંથી સ્થાયી લાભ ઉઠાવી લે એ વેણચંદભાઈ જેવા પુરુષનું કામ છે. આખરે શરીર થાક્યું, અને તે સંવત ૧૮૨ ની સાલમાં પર્યુષણા પછી તે ખરેખર થાક્યું, જીર્ણ તાવ રહેવા લાગ્યા, ઉધરસ વધારે વધારે જોર પકડતી ગઈ, ખેરાક ઘટતે ગયે, અશક્તિ વધતી ગઈ, મગજમાં શૂન્યતા આવતી ગઈ, ને શબ્દોમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #182 -------------------------------------------------------------------------- ________________ ખલના શરૂ થઈ. ઉંચા પ્રકારના દેશી ઔષધે લીધાં, પણ તેથી શું? તેણે કાંઈ કાર ન કર્યો, તે નજ કર્યો. બસ, શરીરનું શિથિલ્ય ચાલુજ રહ્યું. ૨ આત્મ-પરિણુતિઃ છતાં પણ પોતાના ધાર્મિક અનુષ્ઠાને તેમણે છોડ્યાં હતાં, કારણ કે-તે તેમનાં પ્રથમ કહે કે બીજાં કહે, પણ પ્રાણ હતાં. તે છોડયાં કેમ છૂટે ? દશ ન, પૂજા, સામાયિક, પાષધ, પ્રતિક્રમણ અને છેવટે પિતાનાં નિત્યનાં પ્રકરણે વિગેરેનું વાંચન, મનન વિગેરે એકેએક પ્રવૃત્તિ ચાલુ રાખી જ હતી. છેવટે બીજાની મદદથી પણ તેમાં જ્યાં સુધી શરીરે અલ્પ પણ શકિત આપવાની હા પાડી, ત્યાં સુધી તન અને મનની શક્તિ લગાવી. ઉપરાંત, સારી સારી ભાવના પિષક બીજા પણ ગ્રંથ બીજા પાસે વંચાવીને સાંભળતા હતા. બસ એ પ્રવૃત્તિ. અથવા શાંતિથી પડ્યા રહેવું. કશો બકવાદ નહીં, બીજાને પોતાની સેવાને ત્રાસ ન થાય, તેવું સંકુચિત વર્તન અને માત્ર શાંતિ. હાયવોય, કે આર્તા-વૈદ્ર ધ્યાન નહીં. કદાચ કઈ વખત વેદના વધારે જણાય તે “ઓ! ભગવાન !” એટલેજ માત્ર શબ્દચાર થાય. છતાં પાટણને પ્રસિદ્ધ સંઘ યાત્રા કરી પાછા વળી મહેસાણા આવતા સંઘવીજીનું સન્માન કરવા હાર લઈ વૈશાખ શુદિ બીજ ને દીવસે ઉભા રહેલા જોવામાં આવ્યા હતા. કે તબિયત જેવા આવે, “સારું છે એટલે જ સેપચાર જવાબ આપતા હતા. શરીરની આવી શિથિલતાથી સાધારણ રીતે પિતાને માલુમ પડી ગયું હતું કે “હવે આ માંદગીમાંથી બચવું મુશ્કેલ છે.” એટલે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #183 -------------------------------------------------------------------------- ________________ ૯૩ પેાતાના આત્મહિતમાં ઉપયાગી થાય તેવીજ પ્રવૃત્તિ કેવળ રાખતા હતા. અર્થાત્ પોતાનું સઘળું લક્ષ્ય “ આત્મહિત કેમ થાય? ” તે તરફ દોરેલું હતું. અને જ્યારે છેવટની સ્થિતિના દિવસે પસાર થતા હતા તે વખતે પથારીમાં પડયા પડયા પણુ સ્વય' માનસિક પ્રતિક્રમણ કરી લેતા હતા, એમ વાંદણા દેવા વિગેરે અંગચેષ્ટા પરથી જણાતું હતું. અને નમાાર મંત્રનું સ્મરણ ખરાખર ચાલુજ હતું,તે પણ આંગળીના વેઢા ઉપર ફરતા અ ંગુઠાની ચેષ્ટા પરથી જાણી શકાતું હતું.જીવનભરના સંસ્કારાનું આ પરિણામ, ૩ વ્યવસ્થા: અને છેવટે સંવત્ ૧૯૮૩ ના ચૈત્ર માસમાં પેાતાના ભત્રીજા શા. અમલદાસ નગીનદાસને-કે જે મ્હેસાણા પાઠશાળાના વહીવટમાં પેાતાની સાથેના જોડીદાર સેક્રેટરી હતા તેમને—પાઠશાળાના તેમજ શ્રેયસ્કર મંડળના મુખ્ય સેક્રેટરી નીમી પેાતાના હાદાનુ કુલ કામકાજ, વહીવટ, અને સત્તા સોંપી દઇ પાત ફાગ થયા. ભાઈ અમલદાસ ધધાને કારણે ઘણી વખત મુંબઈ રહેતા હેાવાથી તેમની વતી પાઠશાળા તેમજ મડળનાં કામકાજ માટે વેણીચંદભાઇના ભાઇ કિશારદાસ સુરચંદને સ્થાનિક કાર્યોં. વાહક તરીકે નીમ્યા. વળી સ ંવત્ ૧૯૮૩ ના જેઠ વદ ૩ ને દિવસે મુંબઇ, અમદાવાદ વિગેરે સ્થળેથી પાઠશાળા તથા મંડળના ટ્રસ્ટીએ વિગેરે કાર્યવાહકો ખાસ તખિયત જોવાને માટે આવ્યા. તેમાં નીચેના ગૃહસ્થા ખાસ હતા. શેઠ નગીનદાસ કરમચંદ પાટણ, શેઠ શિવલાલ હરિલાલ સત્યવાદી અમદાવાદ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #184 -------------------------------------------------------------------------- ________________ ૯૪ શેઠ ગેવિંદજીભાઈ ખુશાલચંદ વેરાવળ. શેઠ પ્રેમજીભાઈ નાગરદાસ માંગરોળ. શેઠ મેહનલાલ લલુભાઈ અમદાવાદ, શેઠ હીરાભાઇ મંછુભાઈ સુરત. (સગત) શેઠ સેમચંદ ઉત્તમચંદ માંગરે. શેઠ શવચંદ કચરાભાઈ માંગરેલી. તેઓએ પાઠશાળાને વહીવટ તથા નાણાંપ્રકરણ તપાસ્યાં અને સંતોષ જાહેર કર્યો. સંસ્થાનું બંધારણ, ટ્રસ્ટડીડ, ચાલુ વહીવટના હિસાબ ઓડીટ કરાવવા, રીપોર્ટ તપાસરાવવો અને તે છપાવ વિગેરે માટે ફરી એકવાર મીટીંગ બોલાવવી. વિગેરે કરાવે કર્યા. વદિ ચોથની સાંજે આવેલા ગૃહસ્થ વિદાય થયા, ત્યારે તે વખતે સાને પોતે જાતે જ પાઠશાળા, મંડળ વિગેરે તમામ ખાતાને લગતી ઉચિત ભલામણ કરી. ઉપરાંત, મુંબઈ ગેડીજીના દેરાસરની પેઢીના ટ્રસ્ટી શેઠ હીરાભાઈ ઝવેરીને તારંગાજીના છદ્ધાર માટે રૂ. ૧૫૦૦૦) મંજુર કરાવવા આગ્રહ પૂર્વક ભળામણ કરી, જેને પરિણામે જવાબમાં રૂ. ૧૦૦૦૦) સુધી તે ચોકકસ મંજુર કરાવી આપવાની ખાત્રી આપી. તેથી તેમને ઘણે જ સંતોષ થશે. ' વળી દરેક ગુહ રૂબરૂ આવી ગયા, તથા સંસ્થાની ભાવિ સુરક્ષિતતા માટે પ્રબંધ પણ સાથે સાથે થઈ ગયે, એમ સમજીને તેઓ તદન નિશ્ચિંત અને ખુશી થયા. કે જે તેમના જીવનમાં છેવટની શાંતિ માટે ઘણું અગત્યની બાબત હતી. તેની રીતસર ગોઠવણ થઈ જવાથી જ તેઓ નિશ્ચિત રહી શકે તેમ હતું. તે બરાબર ઠીકઠાક થઈ ગયું. એવો તેમને સંતોષ થયે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #185 -------------------------------------------------------------------------- ________________ ૪. ભાઈ બબલદાસ અને કિશોરદાસભાઈ આ બે વ્યક્તિઓને આ સ્થળે યત્કિંચિત પરિચય આપવો અસ્થાને નહીં ગણાય. બહુ ઉંડે ઉતરીને વિચાર કરતાં આ બે વ્યક્તિઓની કાર્યવાહક તરીકે તત્કાળ યોજના કરી લેવામાં આવેણીચંદભાઈની ખુબ વ્યવહારૂ અને દીર્ધદષ્ટિ માલમ પડે છે. બબલદાસ મહેસાણાના વતની છે. પિતાના ભાઈ નગીનદાસના પુત્ર છે. સુખી છે. મુંબઈમાં વેપારધંધે ચલાવે છે. વેણીચંદભાઈ તરફ તેમને પૂજ્ય ભાવ હતે. વેણીચંદભાઈને પણ તેમના પર પ્રેમ અને વિશ્વાસ હતા. તથા મહેસાણાના અગ્રગણ્ય ગ્રહસ્થામાં પણ તેની ગણના કરી શકાય. કિશોરભાઈ સ્થાનિક રહે છે. પાઠશાળામાં ઘણું વખતથી જતા આવતા, પાઠશાળાના ઘણાખરા વહીવટથી માહીતગાર થયેલા, તથા વેણીચંદભાઇની હાજરી વખતે પણ કેટલીક બાબતમાં તટસ્થ ભાવે સંસ્થાના કામમાં રસ લેતા હતા. એટલે આજુબાજુની પરિસ્થિતિ સંજોગો વિગેરેથી ઘણી રીતે માહિતગાર છે. વેણીચંદભાઈનું આખું કુટુંબ લગભગ ધર્મિષ્ઠ અને સશીળ છે. એટલે આ બે ભાઈઓના સંબંધમાં તે સંબંધી ફરીફરીને લખવું, એ પુનરુક્તિ જેવું છે.વળી કિશોરદાસભાઈ તે લગભગ વેણીચંદભાઈ જેવા જ ધર્મિષ્ઠ છે, એમ કહીએ તે ચાલે. સિદ્ધાચળજી ઉપર તેમને ઘણું જ ભકિત છે. એકાસણાં કરીને અને રેજ એકજ યાત્રા કરીને તેમણે અગ્યાર વખત નવ્વાણું યાત્રા કરી છે. ત્રણ ચાર માસમાં તેમણે સિદ્ધગિરિમાં કર્યો છે. તથા અસાડ ચોમાસાથી માંડીને પર્યુષણ સુધી ૨-૩ વખત પાલીતાણ રહ્યા છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #186 -------------------------------------------------------------------------- ________________ યાત્રાઓ પગે ચાલીને જ કરી છે. આખી જીદંગીમાં કદી ડાળીમાં બેઠાજ નથી.તેઓએ સિધ્ધાચળ તથા ગિરિનારજીના જીર્ણોદ્ધારમાં પણ સારી દેખરેખ રાખી કામ ચલાવ્યું હતું. તથા સિધ્ધગિરિ ઉપર પૂજાપખાલ બરાબર થાય છે કે નહિ તેની પુરેપુરી કાળજી રાખતા હતા. તેમનાં ધર્મપત્ની મતીબાઈ પણ લગભગ તેવાજ ધર્મપ્રિય છે. અને શ્રી તારંગાજી તીર્થ પર સંવત ૧૯૮૨ ના કાગણ માસમાં શ્રી વિજયસિદ્ધિ સૂરીશ્વરજી પાસે ચતુર્થ વ્રત ઉશ્ચર્યું છે. ઉપધાન વહેલાં છે. આંબલની ઓળી ઘણાં વર્ષ કરી છે, અને જ્ઞાનપંચમી આરાધેલી છે. ૫. જેઠ વદિ ૭. સવારે પિતે કંઈક સ્વસ્થ જણાયા, એટલે કુટુંબીઓને બોલાવરાવ્યા. સ હાજર થયા. ભાઈ બબલદાસને પાઠશાળાનું કામ બરાબર ચલાવવા ભલામણ કરી. તે વાત તેમણે ખરા દિલથી સ્વીકારી. વેણચંદભાઈએ સંતેષ જાહેર કરી, ફરી કહ્યું-બેલું, તેવું પાળજે.” કિશોરદાસભાઈને કહ્યું-પાઠશાળામાં બરાબર છવ ઘાલજો. નાસતા ભાગતા ફરશો નહિ.” પછી સાએ તેમની પાછળ સારે માર્ગે ખર્ચવાનીચે પ્રમાણે રકમ જાહેર કરીરૂ. ૩૦૧) શાહ કસ્તુરચંદ વીરચંદ હા.તેમની દીકરી બહેન સમું રૂા. ર૦૧) શાહ બબલદાસ નગીનદાસ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #187 -------------------------------------------------------------------------- ________________ s રૂ. ૨૦૧) શાહ ચકાભાઈ સુરચંદ (વેણીચંદભાઈના નાના ભાઈ) હા ભાઈ વાડીલાલ. રૂ. ૧૦૧) શાહ મગનલાલ દીપચંદ માણતાવાળા. રૂા. ૫૦) શાહ કિશોરદાસ સુરચંદ. રૂા. ૧૦) શાહ અંબાલાલ મોતીચંદ. રૂા. ૮૬૪ - એટલે “ આ રકમ પાઠશાળામાં રાખી, તેને સારે માગે વ્યય કરજેએમ અનુમોદના પૂર્વક ભલામણ કરી. ૬. આખરે– આખરે જેઠ વદી ૯ ને ગુરૂવારનો દિવસ આવી પહેર્યો. તે દિવસે સવારથી જ શરીર બગડવા માંડયું. દશ વાગ્યા પછી તે છેક બગડયું, અને વ્યાધિઓથી ઘેરાઈ ગયું. છતાં શાંતિ, સમતા, સમાધિ જરાયે ઓછા થયા ન્હોતા. - કુટુંબીજને પાસે જ હતા અને નમસ્કાર મંત્ર, ચાર શરણ, તથા સ્મરણે વિગેરે અખલિતપણે સંભળાવવાનું ચાલુજ હતું.ગામમાંથી લેકે મેટી સંખ્યામાં જોવા આવવા લાગ્યા, અને દિલગીર થતા ગયા. આખરે સમય ગંભીર બન્ય. છેવટે, સાંજના ૭ ને રૂ૫ મિનિટે આ પુણ્યાત્માએ ૬૯ ગણેતર વર્ષની ઉમ્મરે આ નશ્વર દેહને ત્યાગ કરી શાશ્વત્ કીર્દિ પ્રાપ્ત કરી. આ વખતે પણ ચિલ્લામાં ખાસ કરીને કશો ફેરફાર ન થયે. “કેમ જાણે સોડ તાણી સુખપૂર્વક શાંતિમાં સૂતા હેય!” આ પ્રમાણે ભારત વર્ષને જેન દીપક ગુલ થયે! જેના શાસનરૂપ ગગનમાંથી એક ચમકતે તારો અસ્ત થયે !! પરે સ ૩૫ મિનિટ ની ઉમર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #188 -------------------------------------------------------------------------- ________________ છે. લોક લાગણી– બીજે દિવસે મહેસાણાને સમસ્ત જૈન સંઘ, તથા જેનેતર બંધુઓ વિગેરે મેટી સંખ્યામાં લેકે તેમની સમશાન યાત્રામાં સામેલ થયા. સોના મુખ પર શોકની છાયા હતી. સૌને તે વખતે તેમની મહત્તા સમજાઈ હતી અને તેમની ખોટ સાલતી હતી. તે દિવસે તેમના કુટુંબિયા તરફથી ગરીબેને ઘઉં તથા ચણા વહેંચવામાં આવ્યા હતા અને કુતરાઓને સુખડી, પશુએને ઘાસ અને પારેવાને ચણ નાંખવામાં આવી હતી. મહેસાશાના સંઘ તરફથી વ્યાપાર રોજગાર બંધ રખાવી શોકદર્શક પાખી પાળવામાં આવી હતી. રાત્રે ઉપાશ્રયના મકાનમાં સદ્ગતને શોક પ્રદર્શિત કરવા સ્ત્રી-પુરુષની મોટી સભા મળી હતી. તે વખતે પટવા કેશવલાલ લલુભાઈ તથા માસ્તર દુર્લભદાસ કાળીદાસે તેમના જીવનના જુદા જુદા પ્રસંગ પર વિગતવાર વિવેચન કરી તેમનું વ્યક્તિત્વ બરાબર સમજાવ્યું હતું. અને તેજ વખતે માસ્તર દુર્લભદાસ કાળીદાસે તેમની ચાદગીરી કાયમ રાખવા એક સ્મૃતિ ચિહ્ન તરીકે સ્મારક ખેલવાની દરખાસ્ત રજુ કરી હતી. જેને સભા તરફથી ટેકે મળતાં નીચે પ્રમાણે રકમો તેજ વખતે ભરાયેલી જાહેર કરવામાં આવી હતી. રૂા. ર૦૧) શા. જયંતીલાલ કેસરીચંદ રૂ. ૧૦૧) પરી ઉત્તમલાલ ત્રિકમલાલ. રૂા. ૧૦૧) શા કસ્તુરચંદ વીરચંદ. રૂા. ર૫) શાહ કેસરીચંદ મણિલાલ ની કું, ૩. ૪૨૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #189 -------------------------------------------------------------------------- ________________ દ - ત્યાર પછી પણ આ ફંડ ચાલુ રાખવામાં આવ્યું, જેને ઉદ્દેશ તથા રકમોનું લિસ્ટ પરિશિષ્ટમાં વાચકે જોઈ શકશે. તેમના અવસાનના સમાચાર મળ્યા પછી બહારના પ્રદેશમાં જે લોક-લાગણી ફેલાઈ રહી, અને તેને લીધે તારો તથા કાગળ આવ્યા, શક પ્રદર્શક સભાઓ થઈ, તથા પત્રકારોએ ફેટ આપી છે અને હેવાલ છૂટથી પ્રકટ કર્યા, એ વિગેરે વિસ્તારથી પરિશિષ્ટમાં વાંચવાથી વાચક મહાશયને તેમના તરફની લાગણી વિષે કેટલાક ખ્યાલ આવશે. ઉપસંહાર. વહાલા વાચક બંધુઓ! હવે આપણે જુદા પડશું. આ ધર્મવીરની ધર્મવીરતા જેટલે અંશે આપણે દિલમાં ઉત્પન્ન થાય તેટલે અંશે આ ચરિત્ર વાંચવા અને લખવાની સાર્થકતા છે. સમય ઘણેજ બારીક છે. આવા પુરુષો કેઈક વખતેજ ઉત્પન્ન થાય છે. પોતાના જીવનને સાર્થક કરવાનું બહુજ ઓચ્છાના ભાગ્યમાં હોય છે. સારા સંજોગોમાં જન્મ જ મુશ્કેલ છે. એમ થાય, છતાં સારા વિચારે આવવા એથી યે મુશ્કેલ છે. વિચારેયે થાય, પરંતુ તેને અમલ કરો ઘણેજ મુશ્કેલ છે, અને તે પણ આખી જીદંગી સુધી એક સરખાજ ઉત્સાહથી વળગી રહી, તેની પાછળ મા જ રહેવાનું. આટલી હદ સુધી પહોંચનારી વ્યક્તિઓ ઘણું જ શેડી હોય છે. આમાંની એક અગ્રગણ્ય વ્યક્તિ તરીકે વેણીચંદભાઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ તમને જણાશે. તેમણે પોતાનું જીવન કેવી રીતે સફળ કર્યું? તે જ એક મહાન બોધ જે આમાંથી લેવામાં આવે તે આપણું બન્નેનો પ્રયત્ન સફળ છે. આજે તેઓ આપણી સામે નથી. તેમના આત્માની શી ગતિ થઈ હશે ? તે તે તેમનાં કૃત્યેજ હસ્તામલકવત્ પુરવાર કરે તેમ છે. તે પછી “તેમના આત્માને સદ્ગતિ મેળો ” એવું ઈચ્છવાને યશ પ્રાપ્ત કરવાની લાલચમાં અમારે શા માટે પડવું શ્રીયુત વર્ણચંદભાઈથી હડી જાય એ, અથવા તે તેમના જે જ એ ઓછામાં ઓછે એક ઉત્તમ સેવક શ્રી જૈન શાસનને સદાકાળ મળતું રહે, કે જેણે પિતાના વખતના દ્રવ્ય ક્ષેત્ર કાળાદિકના સંજોગેને ધ્યાનમાં લઈ સનાતન આહંતી મર્યાદાને પેતાના જીવનનું ધ્યેય બનાવેલું હોય, પછી ભલે તે ત્યાગી કે સંસારી હોય, ભુક્તભેગી કે બ્રહ્મચારી હોય, તવંગર કે ગરીબ હોય, સાક્ષર કે નિરક્ષર હય, સ્ત્રી કે પુરુષ હોય. અને તેને જન્મ સફળ છે. ” એટલી આશા સાથે વિરમીશું. ૩૪ શાંતિ ! શાંતિઃ!! શાંતિઃ !!! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧ પરિશિષ્ટ. ૧. દિલગીરીના તારે. ૧ વહોરા અમરચંદ જસરાજ–ભાવનગર, ૨ દેશી કુંવરજી આણંદજી– કે ૩ શાહ ડાહ્યાલાલ હકમચંદ–જુનાગઢ. ૪ શેઠ જમનાભાઈ ભગુભાઈ– અમદાવાદ, તેમને આત્મા અખંડ શાંતિમાં રહે.” ૫ રાજા વિજયસિંહ, નવકુમારસિહ, જયકુમારસિંહ દુધેરિયા-અજિમગજ. તેમના કુટુંબ પ્રત્યે અંતકરણની દિલસોજી દર્શાવીએ છીએ.” ૬ શેઠ દામોદર નાનજી, એ. સેક્રેટરી, ઘી મરચંટ એસે સીયેશન–મુંબઈ. પ્રભુ સદગતના આત્માને શાંતિ આપે, આજે મૂડી (ઘી) બજાર બંધ રાખવામાં આવ્યું છે.” ૭ જેન કેન્ફરન્સ–મુંબઈ. સદ્ગતના આત્માને અખંડ શાંતિ ઇચ્છીએ છીએ.” ૨. શોકદર્શક સભાઓ ૧ ચીંચપલ્લી જન સંઘ-મુંબઈ તા ૨૫-૬-ર૭. - હેવાલ મોકલનાર શેઠ ભગવાનદાસ મીઠાભાઈ એન્ડ બ્રધર્સ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #192 -------------------------------------------------------------------------- ________________ ૨ શેઠ વનમાળી બહેચરભાઈના પ્રમુખપણું નીચે પાલી તાણુ. તા. ૨૫-૬-૨૭. ૩ શ્રી યશોવિજયજી જૈન ગુરૂકુળ તરફથી ગુરૂકુળ મંડળના. સુપ્રી શંકરલાલ ડાહ્યાભાઈ વિગેરે. પાલીતાણું તા. ર૭-૬-૨૭. ૪ તેજ ગુરૂકુળની વ્યવસ્થાપક કમિટી, હા. . સેકેટરીઓ ફકીરચંદ કેશરીચંદ ભાણુભાઈ અને લલ્લુભાઈ કરમચંદ દલાલ-મુંબઈ, તા. ૨૭-ર૭. ૫ જૈન સંઘ હા. કેશવલાલ પુંજાભાઈ ખેરવા. તેમના માનમાં બજાર બંધ રાખે. જેઠ વદ-૧૩ બપોરે આચાર્યશ્રી વિજય મેઘ સુરીશ્વરજી તથા વૃદ્ધ મુનિરાજશ્રી. મેતીવિજયજી વિગેરેની હાજરીમાં દેહરાસરમાં પંચ કલ્યાણકની પૂજા ભણાવવામાં આવી. આખો દિવસ ધર્મધ્યાનમાં ગાળ્યો.” ૬ પં. કનકવિજયજી મહારાજના નેતૃત્વ નીચે જનરલ સભા-ઝીંઝુવાડા, જેઠ વદિ ૧૩. ૭ શાહ પોપટલાલ રૂપચંદના પ્રમુખપણું નીચે મુરબાડ, તા. ૨–૬–૨૭ તેમના અંતરાત્માને અખંડ શાંતિ પ્રાપ્ત થાઓ, એવી પ્રાર્થના શાસન દેવતા પ્રત્યે અત્રેના સંઘ તરફથી ઉભા થઈને કરવામાં આવી હતી.” ૮ શ્રી વેરાવળ નિવાસી શેઠ ગોવિંદજીભાઈ ખુશાલના પ્રમુ આપણું નીચે ૧ જેન એસેસીયેશન ઓફ ઈન્ડિયા, ર જીવદયા મંડળી, ૩ થશે. જે. ગુરૂકુળ, ૪ જૈન સ્વયં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩ સેવક મંડળ, ૫ વર્ધમાન તપ આયંબિલખાતું અને ૬ માળવા મેવાડ જીર્ણોદ્ધાર કમિટીએ સર્વની સંયુક્ત સભા, મુંબઈ-માંગરોળ જૈનસભાના હોલમાં તા. ૩–૭-૨૭ ના રોજ મળી હતી. ૯ શ્રી હંસવિજયજી જૈન ફી લાઇબ્રેરી–વડેદર. તા. ૪-૭-ર૭. કાર્યવાહકોની મીટીંગ હા. એ. સેક્રેટરી શાહ લાલભાઈ મોતીલાલ. ૧૦ શ્રી જૈન મૂર્તિપૂજક લાઈબ્રેરી–મંચેર (જીલે પૂના) તા. ૮-૭–૨૭. ઍ સેક્રેટરી રાજમલ માનમલ. ૧૧ યશવૃદ્ધિ જેનબાલાશ્રમને અંગે ચાલતી યશવૃદ્ધિ વિવેચક સભા–મહુવા અશાહ શુદિ ૪. પાનાચંદ તારાચંદ ગાંધીના પ્રમુખપણ નીચે. જૈન” તા. ૧૦-૭–૨૭ ઉપરથી. ૧૨ મુનિરાજ શ્રી કાન્તિવિજયજીના નેતૃત્વ નીચે–લાંઘભુજ (મહેસાણા). , " જેન” તા. ૧૦-૭-ર૭ ઉપરથી. ૧૩ પં. શ્રી મતિસાગરજીના નેતૃત્વ નીચે જનરલ સભા. પાલનપુર, જેઠ વદિ ૧૪. “જૈન”તા. ૧૦-૭-ર૭ ઉપરથી. ૧૪ છઠિઓરડા જૈન સંઘ તા. ૨૫-૬-૨૭ ના રોજ પાખી પાળી મહેમના આત્માને શાંતિ મળવાની પ્રાર્થના કરી હતી. વીરશાસન તા. ૮-૭-ર૭ ઉપરથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ ૧૫ જૈન શ્વેતાંબર સહકાર સમિતિ અમદાવાદ. વીરશાસન” તા. ર૭-૬-૨૭. ઝવેરી ભેગીલાલ ધળશાજી ( કવિ રસિક) ના પ્રમુખપણ નીચે. “વીરશાસન તા. ૮-૭-૨૭ ઉપરથી. ૧૬ “મુંબઈમાં તૈયાર તથા વાયદાનું ખાંડ બજાર બંધ રાખવામાં આવ્યું. ” “વેપાર સમાચાર ” તા. ૨૫-૬-૨૭ ઉપરથી. ૩ દિલસેજીના પત્રો – ૧ ભાવનગરથી શાહ કપૂરચંદ ઠાકરશી લખે છે કે – જન્મ મરણ તે હમેશાં થયા જ કરે છે પણ મહાપુરૂષના મરણ માટે શેક કરવા જેવું હોય છે. તદૃન-નિ:સ્વાર્થ પણે ઘરના રોટલા ખાઈ આત્મભોગ આપી પારમાર્થિક કાર્ય કરનાર નરરત્ન જનમાં જે કોઈ હોય તે તેમાં પેલો નંબર વેણીચંદભાઈને જ ગણાતું. વળી પત્થરને પણ પીંગળાવી મદદ મેળવનાર પણ જિન કેમમાં વિરલા પુરૂમાં પેલી પંક્તિમાં વેણચંદભાઈ જ હતા. આવા પુરૂષથી સમાજને ઘણું જ ખેટ ગઈ છે. એવા પુરૂષ મળવા મુશ્કેલ છે. પારમાર્થિક કાર્ય માટેની એમની ધગશ, ઉત્સાહ અને આગ્રહ પ્રશંસાપાત્ર હતા, તેમજ પોતાની નિયમિત ધર્મકિયા, વ્રત, જપ, તપ, યાત્રા, પ્રતિક્રમણ, પોસહ તે ચુકવાજ નહીં. તેમજ દરેક ઉપર સ્નેહભાવ પણ પૂર્ણ, મિલનસાર, કદરદાન પણ હતા. સાદાઈ પણ તેટલી જ. માન અપમાનની અપેક્ષા નહીં. વિશ્વાસુ પણ પુરા. વિધિની બળવત્તા પાસે મનુષ્યને ઈલાજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫ નહીં. તેમણે હયાતીમાં જ બધી ખાતાઓની વ્યવસ્થા કરી નાંખી એ બહુ સારૂ કર્યું. એમના નિમેલા બંધુઓ પણ પારમાર્થિક ભાવનાવાળા જ હતા અને છે. તેથી સમાજને વેણચંદભાઈની ખેટ જણાવા નહીં દે એમ આપણે ઈચ્છીશું. વેણચંદભાઈથી મહેસાણા ઉજળું હતું એવુંજ ઉજળું હમેશાં રહે અને રખાય તેમ કરવાનું સૈનું કામ છે. જેથી દેવતાની ગતિમાંથી પણ જોતાં જોતાં વેણચંદભાઈને આનંદ થાય. એમના આત્માને અખંડ શાંતિ રહો એજ પ્રાર્થના. ધર્મશ્રવણાદિ કાર્ય તથા અધ્યવસાય સારા હતા. તેથી સંતોષ છે. એમને પગલે ચાલી, એમનાં કામો, નામે અખંડ જ્યવતા રહે એમ કરવાનું કર્તવ્ય છે.” ૨ મુંબઈથી શેઠ મણિલાલ ગેકળભાઇ લખે છે કે વેણચંદભાઈના સ્વર્ગવાસની ખબર વાંચી બહુ જ દિલગીર થયે છું. જનકમમાં તેમની મોટી ખોટ પડી છે.” ૩ અમદાવાદથી શેઠ કસ્તુરભાઈ લાલભાઈ— તેમના જેવા ધર્મવીર માણસો ભાગ્યે જ મળી આવે છે અને તેમના જવાથી ધર્મનાં કાર્યોમાં ભારે ખોટ પડી છે.” ૪ મુંબઇથી ભાંખરિયા બ્રધર્સ–– “વિ. આજ રોજ સવારે નવ વાગે ધર્મવીર શેઠ વેણચંદભાઈના સ્વર્ગવાસને તાર મળે. વાંચી હૃદયને પારાવાર દુ:ખ ઉત્પન્ન થયું છે. તેઓશ્રી ગયા, પરંતુ તેમણે જેનકેમ પ્રત્યે કરેલાં કાર્યો કે જે પોતે પિતાની વયેવૃદ્ધ સ્થિતિ છતાં કરેલાં તે અમર છે. જૈન કેમે ખરેખર એક હીરો ગુમાવ્યું છે. એવા પુરૂષની બેટ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ પુરાવી મુશ્કેલ છે. સ્વભાવે શાંત, માયાળુ તથા સત્યવાદી હતા. મહેસાણામાં તેઓએ પાઠશાળા સ્થપાવી એ મહેસાણાવાસીઓને એક અતિ માન ધરાવવા જેવું કામ કરી બતાવ્યું છે. એવાં એવાં અનેક શુભ કાર્યો તેમણે કરી આ દેહના અંત સમય સુધી જીવન કૃતાર્થ કર્યું છે. તેમણે પ્રેરેલાં, આદરેલાં, બતાવેલાં, કહેલાં જે જે કાર્યો છે, તે તમામને વધુ બળ મળે અને સદ્ગતના આત્માને શાંન્તિને માર્ગ નજીકમાં મળે, તેમ ઈચ્છીએ છીએ.” ૫. પાલીતાણુથી સિદ્ધક્ષેત્ર જૈન શ્રાવિકાશ્રમ “મમ શેઠ ઘણાજ ધર્મચુસ્ત, કેમની દાઝવાળા હતા. તેમણે જૈન સમાજ માટે ધાર્મિક કાર્યો કરી અવર્ણનીય સેવા બજાવી છે. ” ૬ જામનગરથી શેઠ સાંકળચંદ નારણુજી તથા વહેરા પપટલાલ ધારશીભાઈ જેન કોમે એક બાહોશ માણસ,ધર્મવૃત્તિવાળો અને ઉત્સાહી નર ગુમાવ્યું છે તેની ખોટ પુરી પાડી શકે તેવા માણસે નથી. જેનડેમમાંથી એક નરરત્ન ગુમ થયું છે.” ૭ મુંબઇથી આગમાદય સમિતિ “જૈનમમાં એક ઘણી ખોટ પડી છે.” ૮ બેટાદ જૈન પાઠશાળા અત્રેની પાઠશાળા ઉપર તેમની ઘણી જ લાગણી હતી. તેમને ઉપકાર કઈ રીતે ભૂલાય તેમ નથી. તેમના અભાવે આ સંસ્થાને ઘણું જ ખોટ આવી પડી છે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૦૭ ૯ મુંબઈથી શેઠ મોતીલાલ મૂળજી તરફથી . મરનાર ધર્મચુસ્ત, પરાકારી અને સાદા હતા. તેમની . ખોટ ન પુરાય તેવી છે.” ૧૦ અમદાવાદથી શેઠ સારાભાઇ ડાહ્યાભાઈ– મારે તે પુરી સલાહ લેવાનું ઠેકાણું હતું. તે મને પણ હેટી ખોટ પડી છે. તેઓ સાહેબ તે પિતાને ભવ જીતી ગયા છે.” ૧૧ ડેઈ જન યુવક મંડળ– સદ્ગતની જૈનધર્મ અને શાસન પ્રત્યેની ભક્તિ, જ્ઞાન, પ્રેમ અને સજજન સુશ્રષા અવર્ણનીય હતી. જૈન કેમે એક સાચો શાસન સેવક અને નિડર સુપુત્ર ગુમાવ્યા છે !” ૧૨ અમદાવાદથી મુનિરાજ શ્રી કનકવિજયજી– એક ધમાં માણસની હેટી ખામી પડી. પિતે તે પિતાને ભવ સફળ કર્યો પણ પાંચમા આરામાં તેવા થાવા વિરલા છે.” ૧૩ સુરતથી મુનિરાજશ્રી ચિત્તવિજયજી– સમાજે એક ધર્મશ્રદ્ધાળુ અને ધમ પુરૂષ ગુમાવ્યું છે. તેઓએ પોતાના જીવનને ભેગ આપી અનેક સુયોગ્ય સંસ્થાઓ ઉત્પન્ન કરી તેને સિંચી હતી.” ૧૪ મહુવાથી યશવૃદ્ધિ જૈન બાલાશ્રમ તેઓશ્રી સ્વભાવે શાંત, મિલનસાર, પરોપકારપરાયણ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ ધર્મનિષ્ઠ, ક્રિયાપાત્ર અને તપશ્ચર્યા તથા દૈનિક કૃત્યો-પૂજા, પ્રતિક્રમણ આદિમાં હમેશાં ઉત્સાહવન્ત રહેતા.” ૧૫ તખતગઢથી પચાસજી શ્રી મેતવિજયજી મહારાજ અત્યંત દિલગીરી છે કે આવા ધમી પુરૂષને વિયેગ થયે. જે જે પિતાની ઉમ્મરમાં ધર્મના કાર્યો તેમણે સંસ્થાઓ, તપશ્ચર્યા આદિ કાર્યો કર્યા છે. તેવા અત્યારના સમયમાં જોતાં બીજાથી બનવા મુશ્કેલ છે. વેણચંદભાઈને ધર્મસ્નેહ ઘણે યાદ આવે છે. આવા માલવા દેશમાં મંદિરની ખરાબ સ્થિતિ તેએના પ્રયાસથી જ સુધરી છે, અને હજી પણ જીર્ણોદ્ધારનું કામ ચાલ્યા જ કરે છે, એ સર્વે તેમને જ ઉપકાર છે. એમના ગુણેનું કેટલું વર્ણન થઈ શકે? પ્રથમ બાલાભાઈ દલસુખની જે ખાદ પડી હતી, તે વેણચંદભાઈની હયાતીમાં માલમ પડી નહીં હતી. તે હવે તેમની પાછળ કેઈપણ ભાગ્યવાન પુરૂષે જાગે અને તેમણે ચલાવેલાં ખાતાઓને સારી રીતે ઉત્તેજન મળે તેવી અને મારી ભલામણ છેતેમની પાછલ ધર્મસાધન કરશો.” ૧૬ રામપુરાથી રત્નસાગરજી જૈન વિદ્યાશાળા આપણી કોમે એક ધર્મચુસ્ત, નિરભિમાની, કાર્યદક્ષ અને પરેપકાર તથા વિદ્યાવૃદ્ધિમાં જીવન અર્પણ કરેલ નરરત્નને ગુમાવેલ છે. ” ૧૭ વિજાપુરથી આચાર્ય શ્રી અજિતસાગર સૂરિજી– "तीत्थयरा गणहारी, सुरवइणो चक्की केसवा रामा । कालेन संहरिया, अवर जणाणं तु का वत्ता ? ॥१॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૦૯ તીર્થકર, ગણધર, સુરેન્દ્ર, ચક્રવર્તી, વાસુદેવ, પ્રતિવાસુદેવ અને બલદેવ વિગેરે સમર્થ પુરૂષને કરાશકાળે કવલિત કર્યા છે, તે અન્ય પામર મનુષ્યની તે વાત જ શી?” “કારશ્ય ફિ -જમે તેનું મૃત્યુ તે નિ છે જ.” પરંતુ જીવતી જીન્દગીમાં મરી જાણવું તે જ ઉત્તમ મૃત્યુ ગણાય. તેજ જીવન્મુક્ત. કષાયના ઉપર કાબુ મેળવી તે તેમણે પ્રાપ્ત કર્યું હતું. શ્રીયુત કર્મવીર વેણચંદભાઈના સુમરણથી અમને આનંદ અને દિલગીરી બન્ને એકી સાથે થયાં છે. ' કારણ–તેઓ શ્રીયુત ચાલુજમાનામાં ગણતા આયુષ્ય પ્રમાણે સારું આયુષ્ય ભેગવીને, તે પણ ધર્મધ્યાન પરાયણતાપૂર્વક પરેપકારનાં કાર્યમાં તત્પર બનીને, શ્રદ્ધા, વિવેક અને ક્રિયાયુક્ત તપમાં મશગુલ બનીને, જેમાં જાહેર થઈને શાન્તિપૂર્વક સમાધિ મરણે મર્યા. તે જાણીને આનંદ છે. પરંતુ તેમના જેવા કર્મવીરના અવસાનથી હવે [ મહેસાણું] પાઠશાળા, તીર્થપૂજા, સંઘનુ વાત્સલ્ય અને સેવા, તથા જીર્ણોદ્ધાર, આગમેદય સમિતિ, ઔષધાલય,જેન વીશી () અને તીર્થમાં સ્થાપેલી વીશીઓ (?) જેવાં ખાતાને માન અપમાનને સમાન ગણું પ્રામાણિકપણે પોષનારની એક મોટી ખામી પડી છે, તેથી દિલગીરી થાય છે. તેમના અમર આત્માને શાંતિ પ્રાપ્ત થાઓ. તેમના કુટુંબને ભલામણ કરવામાં આવે છે કે તેમની પાછળ રડવા કુટવા ને શેક કરવાને બદલે મહેમને ધાર્મિક પ્રવૃત્તિ પ્રિય હતી તે ધાર્મિક કાર્યમાં સમય વ્યતીત કરે, તેમ જ તેમના અધુરાં રહેલાં કાર્યો પૂર્ણ કરવામાં સહાયક થાય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ જીવન્મુક્ત અને કર્મયોગીઓનું મૃત્યુ મહોત્સવ તુલ્ય હોય છે. જૈન સમાજે હમણાં હમણું અનેક નરરત્ન ગુમાવ્યા. શાસન દેવ ! જેનસમાજની નિઃસ્વાર્થ ભાવે સેવા કરનાર સાચા સેવકે પ્રગટાવે.” ૧૮ કલકત્તાથી રાયકુમારસિંહજી મુકિમ___“ ये बडे सजन पुर्ष थे, और अपने जैन धर्ममें बडी श्रद्धा रखते थे. ऐसे पुर्ष बहोत कम होते है. ऐसे पुर्षों के चले जानेसे धर्मविषयके प्रचारमें हानि हो जाती है. ईश्वर इन्हे शुभ गति दे." ૧૯ અમદાવાદથી શેઠ આણંદજી કલ્યાણજી– તેઓ આ પેઢીના સ્થાનિક પ્રતિનિધિ હતા, તેથી આ પેઢીએ એક હિતસ્વ ગુમાવ્યા છે તે એક મોટી ખોટ પડી છે.” ૨૦ વિરમગામથી પંન્યાસ શ્રી કુમુદવિજયજી મહારાજ. ધર્મકાર્યને એક ભડવીર પુરૂષ ગયો. તેમના કાળધર્મથી તમે પરિવારને લાગી આવ્યું હશે, પણ કાળ પાસે કેઈને ઉપાય નથી. તેમણે પિતાની જીંદગી એકસરખી ધર્મકાર્યમાં વહેવડાવી, અનેક ધર્મકાર્યો તેમના શુભહસ્તે થયા, તે જોતાં ખરે. ખર તે જીવતાજ છે. મુંબઈ સમાચારમાં ફટા સહિત તેમનાં કેટલાક કાર્યોનું ટુંક વર્ણન વાંચવામાં આવ્યું, પરંતુ તેમના જીવનના કાર્યો વિસ્તારથી લખાય તે આ જમાનાને બહુ જરૂરનું છે.” ૨૧ જયપુરથી ગુલાબચંદજી – "वह धर्मात्मा थे,जीनका जीना मरना अनुकरणीय है. हमको Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧ अलबत्ता उनके देव होजानेसे हमारे बहुत धर्मकार्यों में धक्का लगा. परमात्मासे प्रार्थना है कि उनकी आत्माको परमानंद मिले." રર અમદાવાદથી શેઠ કસ્તુરભાઈ મણિભાઈ— ભાવિ આગળ મનુષ્યને કંઈ ઇલાજ નથી. સર્વને Eिarसे आप.” ર૩ મુંબઈથી બાબુ સાહેબ જીવણલાલ પનાલાલજી પરમ કૃપાળુ પરમાત્મા એમના અમર આત્માને શાંતિ साये मेवी प्रार्थना छ. " ૨૪ આબુ-દેલવાડાથી રાજકુમારસિંહજી મુકિમ– "स्वर्गीय धर्मबीर महानुभाव शेठ बेनीचंदभाइ,ये महा उपयोगी धर्मकार्य करके अपना शुभ नाम अमर कर गए. पुन्य बन्ध करके जीवन सफल करा. मगर समाजमेंसे १ रनकी कमी हो गइ, इसका दिलको बडा खेद होता है. इनकी बेमारी पढकर दिल हुआ की-आकर असे पुरुषसे दर्श-फर्श करें.लेकिन वर्तमानपत्रमें उनके देहान्तका समाचार पढकर वडा रंज हुआ.अच्छे पुरुषोंका अभाव होताजाता है, ये कालधर्मका प्रभाव है. और सिवा शंतोषके और कोई उपाय : [य] नहीं चलता.आप कृपाकरके उनके सकुटुम्बको धैर्य दिलायेगा. और उनहीवत् धर्मकार्यमें तत्पर होनेको भलामन करयेगा. और ज्यादा क्या लिखा जावे ?" ૨૫ વડેદરેથી વીર ધર્મ ઉપાસક જન યુવક મંડળ “भारत वर्षा धर्मनिष्ठ, समय सने सायाधर्म Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧૨ પ્રેમી સુપ્રસિદ્ધ સમાજસેવક શેઠ વેણીચંદ્ર સુરચંદના સ્વર્ગગમનથી ભારતવર્ષના શ્રી જૈનસથે એક અણુમેલું રત્ન ગુમાવ્યું. છે. તેમના આત્માને શાંતિ મળે! એજ પ્રાધીએ છીએ. ૨૬ અમદાવાદથી પન્યાસજી શ્રી શાંતિવિજયજી— તે “ શાસનમાં આવા મિષ્ઠ માણુસની એક ખાટ પડી છે. ઘણા ખતિલા અને ઉત્સાહી હતા 1” ૨૭ આજોવાથી આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજ— “અંતે સર્વ કાઇને એ માર્ગે પ્રયાણ કરવાનું છે, એમ વિચારી તેઓના સુકૃત્યોની અનુમેાદના કરતાં આનંદ પામતાં, તેઓનું અનુકરણ કરનાર કાઈ ભાગ્યવાન જૈનસંઘમાંથી નિકળી આવી સદ્ગતની શ્રી જૈનસમાજને પડેલી ખેાટ પુરી પાડે, અને સદ્ગતને ભૂલાવી આપે! એજ ઇચ્છીએ છીએ. ” ૨૮ ઉદયપુરથી આચાર્ય શ્રી સાગરાનન્દ સૂરીશ્વરજી મહારાજ. “ ધર્મિષ્ઠ મનુષ્ય ધર્મમય જીંદગી ગુજાર? આરાધના પૂર્વક મરણને ઉત્સવ ગણીને સ્વીકારે છે. તે સ્થાને પાછળના મનુષ્ય શેાક કરવા તે ઠીક ન કહેવાય, પણ તેનું અનુકરણ કરવું, અને તેનાં કાર્યનિ વધારે દીપાવવા પ્રયત્ન કરવા, તેજ મરનારની સાચી સેવા ને ભક્તિ કહેવાય. ” ર૯ પાટણથી મુનિરાજ શ્રી મેાહનવિજયજી મહારાજ વિશેષ–લખવાને અતિ દિલગીરી થાય છે કે મહાભાગ્યસાલી, ધર્મ ધુર ંધર, ક્રિયાના ચુસ્ત હિમાયતી તથા જ્ઞાનના પુરણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩ શખી શ્રીમાન વેણચંદભાઈના સ્વર્ગગમનની વાત સાંભળી અમે પુરણ દિલગીરીમાં છીએ. સદગત વેણીચંદભાઈના અવસનથી જેનલેકેએ એક મહાન ચળકતે હીરે ગુમાવ્યા છે. એમના અંતરઆત્માને પુરણ શાન્તિ મળે, એમ ઇચ્છીએ છીએ. ગરીબના બેલી પુરણ શ્રદ્ધાવાના અભાવથી જૈનોએ ન સહન થાય એ વીરનર ગુમાવ્યું છે. એમના અભાવથી અમારા આત્માને પૂર્ણ ક્ષેભ થયે, પરંતુ ભાવિ-ભાવ આગળ જેર કેઇનું નથી. મુનિ ઉપર પ્રેમપૂર્વક ભક્તિના નમુનાને કાળે કળીએ કર્યો, એ જ અધ:પતનની નિશાની છે. પછવાડે તેમના પગલે ચાલી નામદારની ઉજવલ કીર્તિ વધારે, એજ ઈચ્છું છું. એમનું જીવન ઈતરના અભ્યાસ માટે હતું. અમે બાર માસ લગભગ રહ્યા, જીવનને અભ્યાસ ન કરી શકયા. ધન્ય છે વેણુચંદભાઈને કે જેણે પછવાડે જેનકેમને શોકગ્રસ્ત કરી દીધી. ભીખાભાઈ તથા પ્રભુદાસને ધર્મલાભ. વિદ્યાર્થીવર્ગ તથા એફિસરોએ ધર્મલાભ પૂર્વક જાણવાનું જે સદગતના પગલે ચાલી જાહોજલાલી વધે તેમ કરશે. ક્ષણભંગુર જીવનને ભરોસે નથી, એમ ધારી વિશેષ શેકને તજી કાર્યપરાયણ બને.” ૩૦ વઢવાણુકેપથી પચાસજી શ્રીભક્તિવિજયજી મહારાજ થોડા દિવસ પહેલાં વેણચંદભાઈના કાળધર્મ પામ્યાના સમાચાર અને સંઘના ઉપર આવેલ તાર ઉપરથી જાણ લારે દિલગીરી થઈ છે. ખરેખર જોન કેમે એક અમૂલ્ય હીરે ગુમાવ્યું છે. એવા નરરત્ન જેમકેમને મળવા બહુ દુર્લભ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #204 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ જે કે કેડ–માર વેલા કે મોડા સર્વને જવું છે, તેમાં લેશમાત્ર ફેર નથી. જગતમાં જ્યાં વસ્તુની અનિત્યતા, ક્ષણભંગુરતા હોય ત્યાં વસ્તુ કેવી રીતે ટકી શકે? પરંતુ આવા અમૂલ્ય નરરત્નોની બેટ પુરી પડતી નથી તે જેનકે મને બહુ લાગી આવે તેવું થયું છે. જો કે પિતે તે પિતાનું ઈષ્ટ કાર્ય બરાબર સાધી ગયા છે. તેઓએ શાસનની સેવા કરવામાં, પરઉપકાર કરવામાં, સ્વકલ્યાણ કરવામાં ખામી રાખી નથી, જેથી તેઓને લેશમાત્ર પ્રાય: દુખ જેવું નથી. ફક્ત દુઃખ આપણને થાય તે સ્વાભાવિક છે. પરંતુ કાળની ગહનતા સમજી શાંતિમાં ઝીલવું અને તેઓનાં શુભ કાર્યમાં મદદગાર બની કાર્યો પાર પાડવાં, તેજ આપણું ખરું કર્તવ્ય છે. ” ૩૧ માંડળથી શાહ રતિલાલ મફાભાઈ “જગતના ગઢ ભાવિને જાણવા કેણ સમર્થ છે? જેઠ વદિ ૯ ને કારમે દીવસ ખરેખર આપણે માટે દુઃખદાયી લખાયે હશે કે જે દિવસ આપણે પૂજ્ય માનવંતા શેઠશ્રી સાહેબ વેણચંદભાઈ સુરચંદભાઈ આપણી વચ્ચેથી વિદાય થયા છે. શેઠ તે ગયા. હજારેને રડાવતા ગયા, લાખોના દિલને દુઃખ દેતા ગયા, પણ તે તે તેમનું જીવન સફળ કરી યશ: કીતિ વરતા ગયા. અને છતાં શેઠ હજુ આપણી સમક્ષ અહેનિશ ખડાજ રહેવાના. જ્યાં સુધી તેમની સ્થાપિત પાઠશાળાઓ, મંડળે, સંસ્થાએ તેમની અખંડ કીર્તિના સ્તંભ રૂપ ઉભી છે ને જ્યાં સુધી તેમના અવશે રહેશે ત્યાં સુધી એ કીર્તિસ્તંભેના એકેએક પડેલા પત્થરમાંથી પણ એજ ગુંજારવ સદા નીકળતા રહેશે કે શેઠશ્રી વેણચંદભાઈ અમર રહો ! અમર રહે ! એ અમર માનવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫ તે આ જગતમાં પોતાનું કર્તવ્ય કરી ગયે, પણ આપણે તેમના નામે શું કર્તવ્ય કરીએ? જ્યારે આપણે તેમના જ રસ્તે તેમના મહાન કાર્યક્ષેત્રમાં ઝંપલાવીએ તેજ આપણે તેમના પ્રત્યેનું ત્રણ અદા કરી શકીએ પણ છે એવો કે વીર? જે સતત દિલની ધગશથી પિતાના શાસનને માટે કાર્ય કર્યજ જાય. તેનું કેવું મને બળને દઢ ધર્મશ્રદ્ધા કે ગમે તેવી આફતની કે શારીરિક બિમારીઓની પરંપરા વર્તતી છતાં નથી મૂકયું પોતાનું ધાર્મિક કર્તવ્ય કે નથી મૂકયે આચાર વિચાર. ધાર્મિક ક્રિયાકાંડની દુનીયામાં એક અવિચળ પહાડ જે દઢ અને છતાં તેનું હૃદય પુષ્પ જેવું કોમળ. પિતાના ધર્મબંધુઓના બાળકના અભ્યાસ માટેને કે અગાધ પ્રેમ ને પ્રયત્ન ! ધાર્મિક ફંડ એકઠું કરવાની ને પિસા કઢાવવાની તેની અજબ શક્તિ ખરેખર કેઈને આશ્ચર્ય મુગ્ધ કરે તેવી હતી. હજારો અપમાને ને સંકટ વેઠી વેઠીને ગામડે ગામડે ફરીને, ઘેરે ઘેર ભટકીને પૈસા એકઠા કરવાની શક્તિ ને ધગશ પોતાના ધર્મ પ્રત્યેને કેટલો પ્રેમ વ્યક્ત કરે છે? તેના હદયના માપ આપણે સામાન્ય માનવી શું કાઢી શકીએ? પણ તે તે મહાન હતા. ધર્મને એક સિતારો હતો. પરમાત્મા એવા એક ધર્મપિતાના સ્વર્ગવાસના વિયેગનું દુઃખ સહન કરવા જેટલું બળ ને ચિતન્ય આપણને અપે, એવી માગણ શુભ દિલથી કરતા રહીએ. છેવટે અંતરની પ્રબળ ઈચ્છા છે કે શાસનનાયકે તેમના ભસ્મ દેહમાંથી હજારે શેઠ ઉત્પન્ન કરે ને જૈન ધર્મની વિજયપતાકા રોમેર જગમાં ફેલાવે.” ૩૨ સુરતથી શેઠ ચુનીલાલ છગનચંદ– - “સંવત્ ૧૪૭ની સાલમાં સુરતમાં પરમ ઉપકારી શ્રી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #206 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ રત્નસાગરજી મહારાજના ઉપદેશથી સમવસરણની અપુર્વ રચનાના મહોત્સવ પ્રસંગે પ્રથમ જેઓને અમારા પિતાશ્રીએ એક ધર્મિષ્ઠ નરરત્ન તરીકે હમારે ઘેરનેતર્યા હતા અને અમને પિતાને પરિચય કરાવ્યો હતે; સંવત ૧૯૪૭ ની સાલથી જેમની સાથે પરસ્પર આવવા જવાને સંબંધ વધી ૧૯૫૭ માં શાતમૂર્તિ તપસ્વીજી મુનિરાજ મહારાજશ્રી (હાલ આચાર્યશ્રીસૂરીશ્વરજી) સિદ્ધિવિજયજીની પંન્યાસ પદવીના અનુપમ મહોત્સવ પ્રસંગે ગાઢ સંબંધ થયેક ૧૯૬૦ના આસો મહીને સિદ્ધગિરિ જેવા ઉત્તમ સ્થળે અતિ ઉપયોગી શ્રી. જે. એ. મંડળની સ્થાપના વખતે જેમની સાથે સ્વર્ગસ્થ શેઠ અનુપચંદ મલકચંદની સેબતમાં પંદર દિવસ નરંતર સહવાસમાં રહેવાને જંગ બન્યો હતો ત્યારથી માંડીને અધિક ગાઢ પરિચયમાં આવેલા તે અદ્યાપિ પર્યત એ મહાપુરૂષને માટે એમના ઉપરા ઉપરી ચિરંકાલ સ્થાયી પ્રશંસનીય ધર્મકાર્યોને લીધે–જેવા કે શત્રુંજય ઉપરને જીર્ણોદ્ધાર તથા ફૂલખાતું, શ્રીરાણકપુરજીને જીર્ણોદ્ધાર, શ્રીમતી આગોદય સમિતિનું સર્વેત્તમ કામ (આગદ્ધારક આચાર્યશ્રી સાગરાનંદસૂરીશ્વરજીની પ્રેરણાથી) એ આદિ અનેક ધર્મકાર્યોમાં જ આખી જીંદગી અર્પણ કરનાર અદ્વિતીય ધર્મપરાયણ મહાત્મા માટે અખંડ અવિચલ ધર્મપ્રેમ બની રહ્યો છે, તેમના સ્વર્ગવાસ માટે સારી જૈન આલમને ગમગીની થાય તે મારા જેવા પરિચિત મિત્રને સ્વાભાવિક ખેદ થાય એમાં શું આશ્ચય? આ મહાપુરૂષનું આખું જન્મચરિત્ર અવશ્ય લખાશે–બલકે લખાયું પણ હશે તે વંચાશે ત્યારે તેમના સમગ્ર કાર્યોની યથાયોગ્ય ગણના દુનીયા કરી શકશે. મારા નમ્ર મત પ્રમાણે આ ભરતખંડના ચારે દિશામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૧૭ એક ખુણાથી બીજા ખુણા સુધી દરેક ગામ અને શહેરમાં જેમ સ્વદેશી બંધુઓની ખરી દાઝ જાણનાર અને પ્રથમ પંક્તિના ઉદ્ધારક સ્ટેટસમેન. સ્વ. નામદાર દાદાભાઈ નવરોજજીનું નામ સને ૧૮૮૪ થી ઘરગતું થઈ પડયું છે. જેમ માન અપમાનની દરકાર વગર નિ:સ્વાર્થ અપ્રતિમ દેશ સેવા બજાવનાર અને એ દેશસેવાની જ ચિંતામાં ટુંકી જીંદગી ભેગવી સ્વર્ગગમન કરી જનાર ઉત્તમ પોલીટીશ્યન ઓનરેબલ મી. ગોખલેનું નામ દરેક હિંદી પૂજ્ય ભાવનાથી સંભારે છે, તેમ આ નરરત્ન ધર્મબંધુ શેઠ વેણચંદ સુરચંદનું નામ અખિલ ભરતખંડની જૈન આલમમાં દરેકે દરેક ઘેર નાના મોટા અરધા સકાથી સ્મરણ કરી રહ્યા છે. કેઈ ગામ કે શહેરમાં એવો એક પણ શ્રીમંત નહિ નીકળી શકે કે જેનું ઘર વેણચંદભાઈએ પાવન નહિ કર્યું હોય. કોઈ સ્થળે અપમાન અવગણના પણ પ્રથમ પામ્યા હશે પણ તેજ ઘરમાંથી એની ધારેલી રકમ ખંતથી અને ધીરજથી તેને સમજાવીને લીધા વિના પાછા ફર્યા નહિ હોય. પૈસા ભરાવી લાવવાની કળાકુશળતા તે વેણીચંદભાઈની જ, એ જગજાહેર વાત છે. જે માણસ સો રૂપિયા આપવાની ઈચ્છાવાળે ન હોય તેની પાસેથી હજાર રૂપિયા કઢાવી લાવવાની તાકાત તે એજ પુરૂષમાં હતી. સુરતમાં એક અવસરે શ્રી આગમેદય સમિતિના કામની ટીપ ભરાવવા મને સાથે લઈ નીકળેલા તે વખતે એક ધર્મિષ્ઠ વિધવા બેન જે રૂપીઆ પચાસથી કાંઈપણ અધિક આપવાની સાફ ના પાડતા હતા, તેની પાસે એક કલાક બેસી રૂ. ૭૫૦) ભરાવીને ઊઠયા હતા. આવા સેંકડો દાખલા પ્રસિદ્ધ છે. મારો થોડો અનુભવ છતાં એટલું તે હું માનું છું કે-શરૂથી આખર સુધીમાં ધર્માદા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ કામ માટે જુદા જુદા ફંડા મળી એમણે દશ લાખ રૂપિયાથી વધારે એકઠા કરી સામિ`કાનાં નાણાં સારાં કાર્યમાં વપરાવ્યાં હશે. આ છેલ્લા પચાસ વર્ષમાં થઈ ગયેલા તમામ મુનિરાજે તેમ જ સાધ્વીજીએ-હરકાઇ ગચ્છના, ગમે તે સંઘાડાના, સુપ્રસિદ્ધ યા અપ્રસિધ્ધ-માંથી એવી કાઇક જ વ્યક્તિ જવલ્લેજ નીકળશે કે જેમને વેણીચંદભાઇની મુલાકાત એક વખત પણ નહિ થઇ હાય. આવા ગુણી જનના તેમ જ પરોપકાર બુદ્ધિવાળાના તમામ ક્ષુણ્ણાનું વર્ણન કરવા હું કેવળ અસમર્થ છું. છેવટે-શાસન દેવતાએ પ્રત્યે એટલી જ પ્રાર્થના છે કે આ ધમ ચુસ્ત મહાત્માના આત્માને જે ગતિમાં ગયા હૈાય ત્યાં શાન્તિ આપે અને જૈનકામમાં નવા વેણીચંદભાઇ ઉત્પન્ન થાય. તેમના સગા સ્નેહીઓને, મુખ્યત્વે કરીને ભાઇશ્રી કીશેારભાઇને વિનંતિ છે કે તેમના વિરહના કાંઇ પણ સંતાપ ન ધરતાં તેમની પાછળ તેમણે કરેલા ધર્મકૃત્યોને વારંવાર સ્મરણમાં લાવી તેવી ધર્માંકરણીઓમાં સદા ઉદ્યમવંત રહેા. તથાસ્તુ. માસ્તર દુલ ભદાસ કાલિદાસ મેનેજરથી માંડીને પાઠશાળાના તમામ માણસા-મુનીમ, શિક્ષકા, વિદ્યાર્થીઓ વગેરે તેમના વખતમાં જે કાળજી પૂર્ણાંક તાતાને ચાગ્ય કવ્ય ખજાવી રહ્યા હતા તેઓ સવે પોતપાતાને સોંપાયેલાં કાર્યાં મશગુલ રહી અધિક નામના પાઠશાળાની કરા. ઋણુમુક્ત થવાના એ સરસ અને સ્ફુલે માર્ગ છે.” ૩૩ પીનાંગથી શાહ નગીનદાસ કાલિદાસ–– વેણીચ‘દભાઇના સ્વર્ગવાસના સમાચાર જૈન’ માં વાંચીને અતિ ખેદ થયા. પાઠશાળા અને જૈનસમાજે એક હીરા ગુમાવ્યે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯ જે આખી દુનિયા શેાધતાં જડે તેમ નથી, જૈનેતરો ઘણી વખત આવા પ્રસ ંગે લખે છે કે ‘જેની અહીં જરૂર છે તેની ઇશ્વરના દરબારમાં પણ જરૂર રહે છે. ’ તે વાસ્તવિક લાગે છે. ખરૂં પૂછે તા વેણીચંદભાઈ તા પોતાના આત્માનું કલ્યાણ કરી હવે તેનું ફળ ભોગવવા ઇષ્ટ સ્થાને ગયા, પણ આપણેા જૈનસમાજનેા–વેણીચંદભાઈની સેવા મેળવવાના લેાભજ આપણને દુ:ખી બનાવે છે, એમ કહીએ તા અયાગ્ય ન ગણાય. અસ્તુ. તેમના આત્માને શાંતિ મળી જ છે, એમ હૃદયમાં ખાત્રી હોય છતાં તેમના સદ્ગત આત્માને શાંતિ મળે.’ એમ ઇચ્છવાની અગર કહેવાની જરૂર છે?” ૩૪ ભુજપુર (કચ્છ)થી મુનિરાજ શ્રી કીર્ત્તિવિજયજી મહારાજ— પાઠશાળાના ઉઘાત કરનાર તથા અનેક ધર્મોઢાં ખાતાં ચલાવી જૈનધર્માંના ફેલાવેા કરનાર, તન, મન, ધન અર્પણુ કરી સારી જીંદગી જેણે ધર્મજીવનમાં ગુમાવી લાખા રૂપિયા જૈન કેામ પાસેથી સટ સહન કરી તથા તિરસ્કારનાં વચનાના માર સહન કરીને, પ્રતિવાદીઓની નિદાના વચનાની અવગણના કરી, અનેક ધર્મકાર્ય કરી, ઘણાં ખાતાં ચલાવી જૈન ધર્મને પ્રકાશિત કરી, અત્રે પણ જેણે જશ તથા નામના પ્રસિદ્ધ કરી છે, તેવા ધમ દીવા આજે આલવાઈ જવાથી ઘણુંાજ ખેદ તથા જૈન કામમાં મેટી ખેાટ પડી છે. મારા તેમની સાથે ૨૫ વર્ષના જીના પરિચય હતા. વેશીચંદભાઇને કોઇ યાદ ન કરે તેવાં ધર્માંદાં કાર્યો કરી, તેમને દીપાવી, તમે પણ તેમના કુળમાં દીવા સમાન મનશે, એવા મારા આશીર્વાદ છે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #210 -------------------------------------------------------------------------- ________________ રૂમ લંડનથી (મહુવા નિવાસી) શાહ મેહનલાલ - ખેલદાસ જૈન પત્રથી શેઠ વેણીચંદભાઈના દેવલેક થયાના સમા ચાર જાણીને દિલગીર તેઓશ્રીનાં કાર્યો એક એકથી વધે તેવાં હતાં. ધાર્મિક શિક્ષણના માટે માસ્તરે તૈયાર કરવા તેએ અથાગ પરિશ્રમ લેતા, અને તેઓનું કાર્ય કેટલેક દરજજે ફતેહમંદ ઉતર્યું. બનારસ પાઠશાળા માટે તેઓ મહેનત કરતા હતા. તે વખતે તેમની સાથે કાર્ય કરવા મને લાભ મળ્યું હતું, તેથી બહુ આનંદ થ. પાલીતાણા તથા બીજા તીર્થો માટે તેઓ ખંતથી કામ કરતા અને સંસારમાં રહી સાધુ અંદગી ગુજારતા હતા. તેમના કાયો અનેક છે, જેટલી પ્રશંસા કરીએ તેટલી ઓછી. પરમાત્મા તેમના પવિત્ર આત્મામે સદા શાંતિ બક્ષે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #211 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat બાકીના પત્રને સંક્ષિપ્ત નેંધ. ૩૬ શેઠ જાદવજી જેરામ, રંગુન. ૪૭ શાહ પોપટલાલ રૂપચંદ–મુરબાડે. ૩૭ શાહ રામજી પ્રેમજી વગેરે મહાજન ૪૮ સૂર્યપ્રકાશ પ્રિન્ટીંગ પ્રેસ-અમદાવાદ. સમસ્ત-જસપુરા. ૪ બાઈ બબુબાઈ–પૂનાસિટી. ૩૮ પટવાચિમનલાલ જેસિંગભાઈ–મુંબઈ. ૫૦ શાહ સરૂપચંદ વસ્તાચંદ-સાદરા. ૩૯ શાહ અમથાલાલ ચુનીલાલ-મુંબઈ. ૫૧ શાહ દીપચંદ પ્રભુદાસ-ઉમરાળા. ૪૦ શાહ રાયચંદ મોતીચંદની કંપની– પર જૈન પાઠશાળા અને લાઈબ્રેરી-વેજ | લપુર (ભરચ). ૪૦-૧ શાહ નેમચંદ પીતાંબરદાસ-મિયાગામ. ૫૩ શેઠ સાંકળચંદ નારણજી-જામનગર. ૪૦-૨ શાહ ડાહ્યાલાલ હકમચંદ-જુનાગઢ. ૫૪ શાહ ઉકાભાઈ કરશન-પાલીતાણું. ૪૧ શાહ વીરચંદ મેઘજી તથા પ્રભુદાસ ૫૫ જૈન સંઘ સમસ્ત-દાઠા. બહેચરદાસ–પાટણ. ૫૬ જેન મંડળ તથા પાઠશાળા–ગુંદા. ૪૨ શાહ જેસિંગભાઈઝવેરચંદની વિધવા પ૭ શિક્ષિકા જલુબાઈ-ધ્રાંગધરા. બાઈ ચંપાબાઈ-પાટણ ૫૮ શાહ કેશવલાલ મનસુખરામ, તંત્રી, ૪૩ શાહ મેહનલાલ લીલાચંદ–અમદાવાદ, વીરશાસન” પત્રઅમદાવાદ. ૪૪ શાહ શિવનાથ લંબાજી-પૂનાસિટી. ૫૯ રા. અનાડી પાગલ-જસવંતપુર. ૪૫ શેઠ નગીનદાસ જીવાણુજી નવસારી. ૬૦ જૈન પાઠશાળા-વઢવાણ શહેર, જ શેઠ સુમેસ્મલજી સુરાણુ-બિકાનેર. ૬૧ શાહ અમરચંદ બહેચરદાસ-મુંબઈ ૧૨૧ www.umaragyanbhandar.com Page #212 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com કર શાહ પુરૂષાત્તમ નથુભાઈ-મુંબઈ. ૬૩ ખાઈન્ડર કીરભાઇ જેઠાભાઇ—અમદાવાદ. ૬૪ શાહ ગુલાબચંદ જીવણ-પાલીતાણા. ૬પ સંઘવી શિવલાલ ઝવેરચદ–મહુવા. ૬૬ શેઠ નાનચંદ મૂળચંદ–પાલીતાણા. ૧૭ શાહ કસ્તુરચંદ હેમચંદ્ય-પાલીતાણા. ૬૮ શેઠ ડાહ્યાભાઈ ઘેલાભાઈ–મુંબઈ. ૬૯ શાહ ભગવાનદાસ હરખચંદ–વઢવાણુ કૅમ્પ. ૭૦ માદી હરખચંદ્ર માતી-પાલીતાણા. ૭૧ શેઠ રણછેાડદાસ શેષકરણ-સુખઇજૈન કામે એક હીરા ખાયા. એવા ખીજો હીરા પેદા થાય, એમ પરમાત્મા પાસે પ્રાર્થના છે. જૈન કામને ૪૦ વર્ષ થયા એક અમીનું ઝાડ હતું તે સૂકાઈ ગયું છે. અમારા તે મુરબ્બી પિતા તુલ્ય હતા.’ "" ૭૨ શેઠ પ્રેમજી નાગરદાસ સુખઇ. ૭૩ શેઠ ઋષભદેવજી કેશરીમલજી શ્રીસ ધ રતલામ. ઈ. ૭૪ વ્હારા જગજીવન અમરચંદ-ભાવનગર. “ભૂત્તિ માન્ સાધુ પુરૂષ હતા. દ્વાર અને ધાર્મિક કેળવણી એ એ કામ તા તેમને જીવસાટે હતાં. જરૂર તેમનું નિરભિમાન અને ધર્મ શ્રદ્ધા આદરણીય હતાં. મહૂમની ખેાટ ન પૂરી શકાય તેવી લાગે છે.” ૭૫ શેઠે સોમચંદ આતમચં—મુંબઇ. ૭૬ શેઠ રાયચંદ કચરાભાઇ—સુમઇ. ૭૭ શેઠ અનુપચંદ મલુકચંદ હા. ચુનીભાઇ-ભરૂચ. ૭૮ શાહ કુંવરજી આણુ જી-ભાવનગર “એવા ગુણીયલ, ધ ચુસ્ત અને પ્ર યત્નશીલ પુરૂષ નવા નિપજતા દેખાતા નથી. તેમની ખામી ન પૂરી શકાય તેવી પડી છે. ” ૧૨૨ Page #213 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૭૯ શેઠ શિવલાલ હરિલાલ સત્યવાદી–અમ- દાવાદ. તેમણે પાપકારનાં ઘણાં કામ કરી પિતાના આત્માને અમર કરેલ છે. તેમની ખોટ કઈ રીતે પુરી કરી શકાય તેમ નથી.” ૮૦ શેઠ અંબાલાલ લલુભાઈ–મુંબઈ. ૮૧ ઝવેરી હરીભાઈ મંછુભાઈ સુરત. ૨ શેઠ નગીનદાસ કરમચંદ-મુંબઈ. તે પુરૂષે જે કામ કરેલું છે તેવું હાલમાં બીજાથી નહિ થાય.” ૮૩ શાહ હીરાચંદ કક્કલ-અમદાવાદ ૮૪ દેશાઈ લખમીચંદ ભવાન–બેટાદ, ૮૫ શાહ હરજીવન લાલચંદ–રાણપુર. ૮૬ શાહ ઝવેરચંદ ગોપાળજી-સુરત. ૮૭ શેઠ આણંદજી કલ્યાણજી-વઢવાણ કૅપ. ૮૮.શાહ ચંદુલાલ ભુદરદાસ–વઢવાણ પ. ૮૯ શાહ મગનલાલ દીપચંદભાણસા. ૯૦ જેન કન્યાશાળા-ખંભાત. ૯૧ શાહ રૂગનાથ કેવળદાસ–પાટડી. ૯૨ ગોડીજી મહારાજના દહેરાસરની પેઢી -મુંબઇ. ૯ શાહ જેઠાલાલ ત્રિકમજી–જામનગર. ૯૪ શાહ મણિલાલ ગોપાળદાસ-જોટાણું. ૫ શાહ હીરાચંદ દેવચંદ–અમદાવાદ ૯૬ શાહ ગુલાબચંદ નગીનદાસ-અમદાવાદ ૭ પારી. રવચંદ વજેચંદ તથા છેટાલાલ-મુંબઈ. ખાંડ બજાર કાંટા તથા સેદા બને બંધ રાખી પાખી પાળી છે.” - ૯૮ શાહ રતિલાલ હીરાલાલ-ખેડા. ૯ શાહ છગનલાલ કસ્તુરચંદ–મુંબઈ. ૧૦૦ શાહ લાલભાઈ મગનલાલ-વડેદરા. ૧૦૧ શાહ વાડીલાલ જેઠાભાઈ-અમદાવાદ, ૧૦૨ ઝવેરી હલાલ મગનલાલ–અમદાવાદ ૧૦૩ શાહ હાથીભાઈ મૂળચંદ-માણસા. www.umaragyanbhandar.com Page #214 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૧૦૪ શાહ કેવળચંદ ત્રિવનદાસ– અમદાવાદ. ૧૦૫ કપાસી ખીમચંદ જીવન તથા વીરચંદ જીવન-જાહીતાણા. ૧૦૬ શાહ લાગુ કમલન–અલીતાણા. ૧૭ શાહ લાલચંદ ગણેશમૂહલાજા. ૧૦૮ શેઠ જીવતલાલ પરતાપસી-મુંબઈ. “મમ રતન વેણીચંદભાઈના વર્ગવાસથી જેન કેમે એક હીરે ગુમા વેલ છે.” ૧૦૯ શાહ મણિલાલ સુંદરજી-વઢવાણ શહેર. ૧૧૦ શેઠ કેશવજી ઝુંઝાભાઈ–તળાજા. ૧૧ શાહ ઉમે માછ સુરજમલજી-વિજ્યા નઝમ. www.umaragyanbhandar.com Page #215 -------------------------------------------------------------------------- ________________ રિપ ક, પત્રકારોએ લીધેલી નેધ– ૧ સાંજ વર્તમાન-મુંબઈ, તા. ૨૪-૬-૨૭. મહેસાણુને ખબરપત્રી જણાવે છે કે અત્રેના રહીશ ધર્મવીર શેઠ વેણીચંદ સુરચંદ ગયા જેઠ વદ ૯ ને ગુરૂવાર તા. ૧૩ મી જુન ૧૯ર૭ ના દીને સાંજે મરણ પામ્યા છે. મને પરમાથેનાં કાર્યો કરવામાં પોતાની શકિતને ઘણે ઉપયોગ કર્યો હતા. મહેમને જન્મ સંવત્ ૧૧૪ ના ચૈત્ર વદ ૫ ને સોમવારે થયે હતેા. મહું પોતે રૂ, સરસવ તથા એરંડાને વેપાર કરતા હતા અને વેપારી જીવન ચલાવતા છતાં ધર્મને પ્રથમ માન આપતા હતા. તેમણે મહેસાણામાં પુરૂષો માટે ઉપાશ્રય બંધાવવામાં પહેલવહેલે ભાગ લીધો હતો. આંબેલ વર્ધમાન તપનું પ્રથમ ખાતે પાલીતાણામાં ખેલ્યું હતું. છપનિયાના દુકાળીયાઓની ખાન પાન વસ્ત્ર વગેરેથી જાતે જ સેવા કરી હતી. પાલીતાણામાં શ્રી સિદ્ધાચળ ગિરિરાજ ગિરનારજી વગેરે તીર્થ સ્થળોએ બે ત્રણ લાખ રૂપીઆ ખરચાવીને જીર્ણોધાર કરાવેલ હતા. છેલ્લું કામ તારંગાજીના જીર્ણોધારનું ઉપાડ્યું હતું. બનારસ પાઠશાળાને શેઠ વીરચંદ દીપચંદ અને ગોકળભાઈ મૂળચંદ પાસેથી રૂ.૨૫૦૦૦) મેળવાવી, મકાનની સગવડ કરી આપી હતી. શ્રી ગિરનાર તળાટીએ યાત્રાળુઓને રાહત આપવા પ્રબંધ કર્યો હતે. મહેસાણામાં જેન ધાર્મિક શિક્ષકો તૈયાર કરવા માટે મહાન પાઠશાળા ચાલુ કરી હતી કે જેને આજે ૩૦ વર્ષ થવા આવ્યા છે. આ ઉપરાંત તેમણે ઘણાં પરમાથી કાર્યો કીધાં હતાં. જેન શાસનની સેવા કરવાની તેમની ભાવના તીવ્ર હતી. હીંદુસ્તાનમાં આવા પુરૂષની જેડી મળવી મુશ્કેલ છે. તેમના મરણથી જેને કેમે એક અમૂલ્ય હીરો ગુમાવ્યું છે. પ્રભુ મરનારના આત્માને શાંતિ અર્પે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #216 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ ૨ વેપાર સમાચાર-ભાવનગર તા. ૨૫-૬-૨૭. તે “ મર્હુમ શેઠ વેણીચંદભાઇ વયેાવૃદ્ધ હતા. તેમણે આખી જીંદગી ધર્મોનાં કામ પાછળ કાઢી છે. તેમના હસ્તક જૈન કામની ઘણી ધાર્મિક સંસ્થા ચાલી રહી છે. તેના નિભાવ અર્થે તેમણે જાત મહેનતથી ફરી ક્રીને લાખા રૂપિયા મેળવ્યા હતા. તદ્દન સાદા અને શરીરે સુકલકડી જેવા હતા, પરંતુ તેમની ધર્મની દાઝ અને સેવાના વિચારો નવ યુવાનને ચૈતન્ય આપે તેવા હતા. અમે માનીએ છીએ કે રા. વેણીચંદભાઇના દેહ છૂટયા છે, પરંતુ તેમના અમર આત્મા તા સેવાનાં ક્ષેત્રાની દિવાલમાં ઉત્સાહ રૅડી રહ્યા છે. સમાજસેવકા એ ઉત્સાહને વધાવી એમનાં આરંભેલાં કામાને ગતિ આપે તેમ ઇચ્છી મહુમના આત્માની શાંતિ ઈચ્છીએ છીએ. ” ૩ જૈન-ભાવનગર તા. ૨૬-૬-૨૭. આ “નરી સરળતા અને નરી ભકિતાની જ મૂર્ત્તિ સમા ભાઈ વેણીચંદ સુરચંદને જૈન સમાજમાં કાણુ નહી આળખતું હોય ? ઘણા રાહદારીઓ અને પ્રવાસીઓ અજાણ્યે તેમની પાસે થઈને ચાલ્યા ગયા હશે, અને જ્યારે તેમને કાઈએ કહ્યું હશે કે “ પેલા સુકલકડી જેવા, નીચું જોઈને ચાલ્યા જાય છે—એજ આપણા જાણીતા જૈન ભકતાત્મા શ્રીયુત વેણીચંદભાઇ ત્યારે એ રાહદારીના આશ્ચર્યના પાર નહીં રહ્યો હાય ! તપ કુશ શરીર, જ્ઞાન, ધ્યાન, તીર્થ અને ભકિતમાં જ અહેાનિશ રાચતા તેમના મનાવ્યાપાર, એ વેણીચંદભાઇની સૌથી જુદી તરી આવતી વિશિષ્ટતા હતી. એમની ખીજી ખુબી એ હતી કે ભારે ગજા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ,, www.umaragyanbhandar.com Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭ ઉપરવટના કામ ઉપાડવા છતાં બની શકે એટલે એ છે ઘંઘાટ કર. શ્રેયસ્કર મંડળ, મહેસાણાની સંસ્કૃત પાઠશાળા, ઠેર ઠેર તીર્થ સંબંધી મરામત અને સુધારણા, આગમેદયને અનુમોદન વિગેરે કાર્યોમાં તલ્લીન રહેવા છતાં તેમણે ભાષા આપીને કે લેખ લખાવીને વાહવાહ લુંટવાને મેહ તે કદિપણ ન્હોતે રાખે. પ્રામાણિક્તા, ચીવટ અને તાલાવેલી તો એક માત્ર વેણીચંદભાઈને જ વર્યા હતાં, એમ ખુશીથી કહી શકાય. વેણચંદભાઈનું નામ જ એક સરકારી સિક્કા જેવું ગણાતું. વેણચંદભાઈ અમુક સ્થળે પાઠશાળા સ્થાપે છે, અમુક સ્થળે જીર્ણોદ્ધાર કરાવે છે, અમુક સ્થળે તપશ્ચર્યા કરાવે છે, એટલું જાણ્યા પછી એ ખાતાઓને કેણ, કેવી રીતની સહાય આપે છે એ જાણવાપણુંજ ન હોય. તેમને અણધારી મદદે આવી મળતી, એટલું જ નહીં પણ તેમણે ધાર્યું હોય ત્યાંથી તેટલી મદદ મેળવવાની પણ તાકાત કેળવી હતી. ધાર્મિક દૈનિક કૃત્યોની નિયમિતતા, તિથિઓએ યોગ્ય વ્રત, તપ આદરવાની સતત જાગૃતિ અને પિતાના હાથથી ધર્મ કે દેવદ્રવ્યની એક પાઈને પણ દુરુપગ ન થવા પામે તે સંબંધી અપાર ચિંતા, એ સ્વ. વેણચંદભાઈની લાક્ષણિક વિશિષ્ટતાઓ હતી. આવા એક ભદ્રિક આત્માના સ્વર્ગવાસથી કોને દુઃખ ન થાય ? વેણીચંદભાઈની સાથે શ્રધ્ધા અને ભક્તિને એ રંગ પણ અદશ્ય થાય છે. આ નવે જમાને કેઈ નવા વેણચંદભાઈને જન્માવે એ આશા પણ અસ્થાને જ ગણાય. વેણચંદભાઈની સાથે જુના યુગને કેટલીક મેહક પ્રકાશ પણ આજે એલવાય છે. કહે છે કે છેલ્લા કેટલાક દિવસે થયાં તેમને દેહ વધુ ને વધુ દુર્બળ બનતું જતું હતું. લગભગ ૭૦ વર્ષની તિથિ. ની એક પાઠ 1 જાગૃતિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #218 -------------------------------------------------------------------------- ________________ ૧૮ આસપાસ તેઓ પહેચી ચુક્યા હતા, પરંતુ પોતાના હસ્તકના કઈ પણ ખાતાને વિષે લેશ માત્ર અવ્યવસ્થા ન થવા પામે તેની તેઓ કાળજી રાખતા અને અંતિમ દિવસોમાં તેઓ પોતે જ તત્સંબંધી ચગ્ય વ્યવસ્થા કરતા ગયા છે. જેમનું આખું જીવન કેવળ પ્રભુભક્તિ, સાધુસેવા અને તીર્થ પર્યટનમાં જ પસાર થયું હોય, તેમને તે મૃત્યુ પછી પણ અનંત શાંતિ જ મળે એ નિર્વિવાદ છે. અમને ખાત્રી છે કે એ ભકતાત્મા જ્યાં હશે ત્યાં શાંતિ સમાધિ જ વર્તી રહેશે. માત્ર સમાજને તેમના સ્વર્ગ ગમનથી એક હાનિ વેઠવી પડશે, એ વિચાર દુઃખદાયક થઈ પડે છે. તેમના જ શિષ્ય અને અનુરાગીઓમાંથી કોઈક બહાર આવે અને સ્વર્ગસ્થ અધુરૂં રાખેલું કામ પાર પાડે, એમ આ તકે ઈચ્છવાનું અમને પ્રાપ્ત થાય છે.” ૪ મુંબઈ સમાચાર- તા. ર૭૬–૨૭. સદ્ગતને ફેટે આપ્યો છે ને લખ્યું છે કે– આ સંત પુરુષે આ ફાની દુનિયાને ત્યાગ કરી જેઠ વદિ ૯ને વાર ગુરૂ તા. ૨૩-૬-૨૭ની સાંજે હસતે મુખે સમાધિમાં દેહ છોડ. એવા પુરુષની ખોટ પુરાવી મુશ્કેલ છે. શક્તિને એટલે બધો ઉપયોગ કર્યો છે કે જેના પરિણામે ગનિષ્ઠ, ધર્મધુરંધર, શાસ્ત્રવિશારદ, કવિરાજ શ્રી બુદ્ધિસાગર સૂરિજીએ સ્વકૃત “કન્યા વિક્રય નિષેધ” પુસ્તકમાં તેમના કાર્યોની પિછાણ કરાવવા તેમને અર્પણ-પત્રિકા આપી છે. પ્રભુ તેમના આત્માને અત્યંત શાંતિ આપે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૨૯ ૫ સયાજી વિજય-વડોદરા, તા. ૩૦-૭. ધર્મનિષ્ઠ જૈન દાનવીરનું () મરણ. મહેસાણાના જાણીતા દાનવીર () જૈન વેપારી શ્રીમાન ધર્મનિષ્ઠ શેઠ વેણચંદ સુરચંદ ગયા ગુરૂવારે ૭૦ વર્ષની વૃદ્ધ વયે વિદેહ થતાં તેમના મરણથી ગુજરાતની જૈન કેમે એક આદર્શ તપાવી અને પરમાર્થ પરાયણ દાનવીર ધર્મનિષ્ઠ નરરત્ન ગુમાવ્યું છે. જે કે મમ શેઠ ૭૦ વર્ષના–જુના જમાનાના-હતા છતાં તેઓએ વેપાર અને ધર્મને પિતાના જીવનમાં સુયાગ કરી યુવાન વેપારી પ્રજાને જીવનનું શ્રેષ્ઠ અને અનુકરણીય ઉદાહરણ પુરું પાડયું છે. મહેમની ધર્મસેવાઓ અગણિત અને અમૂલ્ય છતાં નિરભિમાની અને અબોલ હતી. તેમનું નામ ઉચ્ચ ચારિત્ર, પ્રામાણિકતા અને વિશ્વાસના સિકકા સમાન હતું. તેમણે પોતાની અને પોતાના હસ્તક ચાલતી અનેક ખાનગી અને જાહેર ધર્માદા સંસ્થાઓને વહીવટ એટલી સંભાળપૂર્વક અને ચકખ રાખેલ છે કે હાલની જાહેર સંસ્થાઓ, જાહેર પ્રવૃત્તિઓ અને જાહેર ફંડના ચાલકોને તે ધડે લેવા ગ્ય થઈ પડશે. મહુંમના પ્રભુમય આત્માને અનંત શાંતિ ઈચ્છી જૈન તથા અન્ય ગુજરાતી યુવાને સ્વર્ગસ્થને પૂજ્ય પગલે ચાલે, એવું પ્રાથએ છીએ.” ૬ “વીરશાસન'–અમદાવાદ, તા. ૧-૭-૨૭. (સદગતના ફોટા સાથે તેમના જીવનને સંક્ષિપ્ત હેવાલ આપવામાં આવ્યા છે. આવા હેવાલે “જૈન” અને “મુંબઈ સમાચાર” માં પણ કંઈક રૂપાંતર સાથે આવ્યા છે.) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #220 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ ધર્મવીર શેઠ વેણચંદભાઈ આદર્શ જીવનના ધારક, ધર્મવીર અને આત્મભેગી નરરત્ન વેણચંદભાઈ મહેસાણાના વતની હતા. સુરચંદભાઈ અને માણેકબાઈ એમનાં પિતામાતાનાં નામ. ઉભય દંપતી ધમિક અને સાધર્મિકની ભક્તિ કરવામાં અતિ પ્રેમવાળાં. એમને ત્યાં સંવત ૧૯૧૪ ના ચિત્ર વદ ૫ ને સોમવારના શુભ દિવસે આ પુરૂષને જન્મ થયો. તેમનું બાળજીવન નિર્દોષ અને શુભ વાસના–ધમ સંસ્કારથી વાસિત હતું. ગામઠી નિશાળમાં ગુજરાતી અભ્યાસ બહુ અલ્પ કરે. ધાર્મિક અભ્યાસ પરિશ્રમપૂર્વક કર્મગ્રંથાદિ પ્રકરણે વગેરેને સારી કરે. ધર્મશ્રદ્ધા દઢ હતી. ધર્મક્રિયા ઉપર અતિ પ્રેમ હતો. ન્હાનપણથી જ સામાયિક, દર્શન, પૂજા, પ્રતિ કમણાદિ કરતા. પંદર સેળ વર્ષની વયે તેમનું લગ્ન થયું. પરસનબાઈ એ તેમનાં પત્નીનું નામ. વૃક્ષને છાયાની જેમ પતિને દરેક કાર્યમાં અનુકૂળ રહી સહાય કરનાર ભદ્રક પરિણામી તે બાઈ હતાં. લગ્ન થયા છતાં વર્ણચંદભાઈને સંસાર ઉપર આસક્તિ ન હતી. તેમને સંસારસંબંધ બહુ અ૯પ હતે. ૩, ૪ છોકરાં થયેલાં તે બધાં અલ્પ આયુષ્યવાળાં હતાં. એક પુત્રી (મોતીબાઈ) હેાટી થયેલી તેને પરણાવેલી પણ તે પણ ડું આયુષ્ય ભોગવી ગુજરી ગઈ. તેઓને વ્યાપાર રૂ, સરસવ, તથા એરંડાના સટ્ટાને તથા દલાલીને હતે. વ્યાપારીજીવન ચલાવતાં છતાં ધર્મને પહેલે નંબરે માન આપતા હતા. ધર્મ પહેલો અને વ્યાપાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #221 -------------------------------------------------------------------------- ________________ ૧૩૧ પછી, ધર્માંસાધન થાય તાજ વ્યાપારમાં લાભ મળે, એમ તેમને શ્રદ્ધા હતી. ધીમે ધીમે વ્યાપારીજીવન ઘટતું ગયું અને પારમાર્થિક જીવન વધતું ચાલ્યું. જૈન શાસનની સેવા કરવાની ભાવના જાગ્રત થઈ અને વધવા માંડી. તેમની સ્વયંસેવા અદ્વિતીય હતી. હિંદુસ્તાનમાં આ પુરૂષની જોડી મળવી મુશ્કેલ છે, અથવા જોડી નથી એમ કહીએ તેા ચાલે. પરમાર્થિ પુરૂષા પ્રાય: સ્થળે સ્થળે હશે, પણ તેઓ એક કે એ કામ કરી શકતા હેશે. પણ આ પુરૂષને જુદે જુદે સમયે જે જે ભાવનાઓ ઉત્પન્ન થતી ગઈ તે તે ભાવનાઓ પ્રમાણે તેએ કામાના આરંભ કરતા ગયા. જેના નામનિર્દેશ નીચે મુજબ છે. તે વાંચવાથી તે પુરુષની આત્મશક્તિ તથા ભાવનાઓના યથાર્થ ખ્યાલ આવશે. પેાતાની આર્થિક સ્થિતિ સાધારણ હતી. ૧ મ્હેસાણામાં પુરૂષ માટે ઉપાશ્રય બંધાવવામાં પ્રથમ પરિશ્રમ લીધેા. ૨ ગામેગામ પશ્રિમ વેઠી પાટલાં ઉપાડી પ્રવાસ કરી જિનપ્રતિમાને લીંચવાળા હઠીસંગભાઇની સહાય સાથે ચક્ષુ ટીકા ચ્હાડવાનું કામ કર્યું. ૩ આયંબિલ વર્ધમાન તપનું પ્રથમ ખાતું પાલીતાણામાં ખાલ્યું. ખાદ તેનાં અનુકરણ મુંબઇ, અમદાવાદ, ભાવનગર વગેરે ગામામાં થયાં. ૫. ભક્તિવિજયજી ( સમીવાળા ) મહારાજ પણ આ ખામતમાં ખાસ પ્રયત્ન કરે છે. ૪ છપ્પનિયા દુષ્કાળ વખતે મ્હેસાણામાં દુષ્ટાળિયાઓની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #222 -------------------------------------------------------------------------- ________________ ૧૩૧ ખાનપાન, વસ્ર વગેરેથી જાતે સેવા કરી, જાટણમાં પણ તેની હીલચાલ ચાલુ કરાવી. તે બાબતમાં મે॰ સુબાસાહેબ ખાસેરાવભાઈ તરફથી પ્રશ'સાપત્ર મળ્યું. ૫ પાલીતાણામાં શ્રી સિધ્ધાચલ ગિરિરાજ ઉપર તથા ગિરનારજી, આજી, રાણકપુર વગેરે તીર્થ સ્થળે બે થી ત્રણ લાખ રૂપિયા ખરચાવી જીર્ણોદ્ધાર કરાવેલા. માળવા મેવાડના જશે.દ્વાર માટે પણ તેમના પરિશ્રમ હતા. આ કામમાં રાધનપુરવાળા સદ્ગત શેઠ મેાતીલાલ મૂળજી તથા વેરાવળવાળા શેઠ ગોવિંદજીભાઈ ખુશાલચંદના પણ પ્રયત્ન હતા. વળી શ્રી સાગરાન દસૂરીશ્વરજી મહારાજ સાહેબના પણ ખાસ ઉપદેશ હતા. વિજયનીતિસૂરીશ્વરજી મહારાજ પશુ આ કામમાં ઘણા પ્રયત્ન કરે છે. છેલ્લું કામ તાર’ગાજીના છીદ્ધારનું ઉપાડેલું ત્યાં દે અટકયા. ૬ બનારસ પાઠશાળાને શેઠ વીરચંદ દ્વીપચ'દ અને ગાકળભાઈ મૂળચંદભાઇ પાસેથી ૫૦૦૦) રૂા. મેળવાવી મકાનની સગવડ કરી આપી. ૭ આગમાદ્ધારક સાગરાન સુરીશ્વરજીની ઇચ્છા પ્રમાણે આગમાદય સમિતિને માગમા છપાવવા માટે મા અપાવી. ૮ ગિરનારજીની તળાટીમાં ભાજનશાળા ( રસાડ ) ખેાલાવી થાકયા પાક્યા યાત્રાળુઓને રાહત મળવા પ્રશ્ન ધ કર્યાં. હું મ્હેસાણામાં જૈન ધાર્મિક શિક્ષકો તૈયાર કરનારી તથા સાધુ સાધ્વીને ભણવાની સગવડ આપનારી મહાન્ પાઠશાળા ( Religious Training College ) ચાલુ કરી. આજે તેને ૩૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #223 -------------------------------------------------------------------------- ________________ વર્ષ થવા આવ્યાં. તેમાંથી ગામેગામની શાળાઓને ઘણું સુચોગ્ય શિક્ષકો પુરા પાડવા. ૧૦ ગામેગામની શાળાઓની પરીક્ષા લઈ સુધારા વધારા કરાવવા જૈન કેળવણી ખાતે શરૂ કર્યું. પરીક્ષકે મેકલાય છે. માસિક ન્હાની હેટી રકમની મદદ કરાય છે. ઉપરાંત– ૧૧ મેમાનની ભકિત કરવાનું ખાતું. ૧૨ દિક્ષા તેની પાછળના કુટુંબીઓને સહાય કરવાનું ખાતું. ૧૩ સંયમીઓને ઘા, પાટા, કામળ વગેરે ઉપકરણની સગવડ આપનાર ખાતું ૧૪ શ્રી તીર્થકરનાં પાંચે કલ્યાણકોના દિવસે તેમની ભક્તિ કરવાનું ખાતું. ૧૫ ગામેગામથી સાધુ સાધ્વીઓ પુસ્તકે મંગાવે તે પુરૂં પાડનારું ખાતું. ૧૬ જીર્ણ થએલાં પ્રતિમાજીઓને લેપ કરાવવાનું ખાતું. ૧૭ સાધુ સાધ્વીઓને એસડની સગવડ આપનારું ખાતું. ૧૮ પુસ્તકો છપાવી અલ્પ મૂલ્ય કે વિના મૂલ્ય ભેટ આપનારું ખાતું. ૧૯ પાલીતાણામાં સાધુ સાધ્વીઓ વગેરેને ધાર્મિક સૂક્ષમ બેધ મળવા માટે અભ્યાસની સગવડ આપનારી પાઠશાળા. ૨૦ પાલીતાણામાં ગિરિરાજ ઉપર દરેક પ્રભુની ફૂલધૂપથી ભકિત કરનાર ખાતું. ૨૧ પાલીતાણામાં યાત્રાળુઓને ધર્મશાળે બેઠાં વૈદ્ય તથા ઔષધની સગવડ આપનાર ખાતું વગેરે ન્હાનાં મહેટાં ખાતાંઓ તેમણે ખેલ્યાં. પારમાર્થિક કાર્યોની આટલી બધી પ્રવૃત્તિ છતાં તેઓની દૈનિક ધર્મ સંબંધી કરણ ચાલુ હતી, તેમાં ખામી આવવા દેતા નહિ. તેમણે તપશ્ચર્યાઓ મહીનાના ઉપવાસ સુધી કરેલી છે. ઘણા વરસોથી પર્યુષણમાં અઈઓ કરતા હતા અને આઠ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #224 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ દિવસ દરેકે દરેક ક્રિયા ઉભા ઉભા કરતા હતા. રાત દિવસ સમ્ર પરિશ્રમ કરનાર હતા. સત્ર નિરાશા છવાયઢી હેાય છતાં પેાત તે આશાવાદી જ હતા. અમુક કામ ન બની શકે એમ તેમને ક્યારે પણ, સ્વપ્ને પણ ખ્યાલ આવ્યે નથી. માનઅપમાનની પરવા ન્હાતી. જીવન તદ્ન સાદું હતું. આત્મશ્રદ્ધા અડગ હતી. દરેક કામ થઈજ શકે એવા આત્મવિશ્વાસ હતા. શ્રીમતા પાસેથી જોઇતાં નાણાં મેળવવાની આશ્ચર્યકારક લબ્ધિને ધરાવતા હતા. ભાવના પ્રમાણે કાર્યની સિદ્ધિ કરનાર સિદ્ધ પુરૂષ હતા. માંદગીને બિછાને પડયા પછી પણ ધર્માંને વિસાર્યા નથી. પુસ્તકા વંચાવ્યા કરતા હતા. કાઇ તખિયત જોવા આવે તે ‘સારૂં છે’ એટલેાજ જવાબ આપતા હતા, અને સમાધિમાં તથા શાન્તિમાં રહેતા હતા. સ્વપત્ની ગુજરી ગયા ત્યારે તેમની ૩૨ વર્ષની વય હતી. તે અગાઉ ચતુર્થ વ્રત ( બ્રહ્મચર્ય ) સ્વીકારી લીધેલું. દીક્ષા લેવા માટે સક્ષ માધાએ રાખેલી પણ કેટલાંક કારણેાને લીધે તે કાર્ય પાર પાડી શકયા નહાતા. તેજ પત્ર તા. ૮૭–૨૭ના અંકમાં લખ્યું છે કે— ધર્મિષ્ઠ આત્મા વેણીચંદભાઈના થયેલા સ્વર્ગવાસથી એક માટી ખેાટ આપણુને ભાગવવી પડી છે. તેમનું આખુ એ જીવન ધાર્મિક કાર્યાંમાં ફાળા આપવામાં વ્યતીત થયેલું છે. મ્હેસાણાની પાઠશાળાના તેઓ આત્મા હતા, અગાધ પરિશ્રમથી તેઓએ ઘણાં ધાર્મિ ક કાર્યો પાર પાડેલાં છે. આવા એક ધર્મવીર આત્માની પડેલી ખાટ પુરાવી મુશ્કેલ છે. તેમના સદ્દગત આત્મા શાન્તિ પામે ૭ સુધાષા-અમદાવાદ, તા. ૧૪૭–૨૭. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #225 -------------------------------------------------------------------------- ________________ ૧૩૫ શ્રી વેણીચંદભાઈના અવસાનની નેંધ લેતાં અમને ખરે. ખર દુઃખની લાગણું થાય છે. જે સમાજ આજે મોજશોખમાં ફસાયેલો હે જાહેર કાર્યમાં સેવા કરવા સેવકો ન આપી શકે તે સમાજમાંથી શ્રી વેણચંદભાઈ જેવા સાદા, વિદ્વાન, પ્રામા ણિક અને ચીવટથી કાર્ય કરનાર મુંગા સેવક ઉપડી જાય તે સમાજની દશા શી? તેમની પ્રામાણિકતા અને કાર્ય કરવાની ચીવટ તેમનાં ગમે તે કાર્યોનું નિરીક્ષણ કરીએ ત્યાં નજરે પડે છે. પછી તે જૈન શ્રેયસ્કરમંડળ હોય કે શ્રી જૈન આગમેદય સમિતિ હોય. જૈન સમાજની હાલ તે દુર્દશાજ નજરે પડે છે કેમકે તેમાં નવા સેવકે સેવા ઉપાડી લેવાને તૈયાર થવાને બદલે તેવા કેટલાક ગણ્યાગાંઠયા પણ જે સાચા અને ઠરેલ સેવકે છે તેમાં છેલ્લા કેટલાંક વર્ષથી ઘસારોજ થતે રહ્યો છે. આ ઘસા અટકાવવા નવા સેવકે પુરા પાડવા માટે, જે પ્રકારનું વાતાવરણ અને સાસુકૂળ જીવન જોઈએ તે આજના સંગમાં હયાત નથી, અને તેજ કારણથી શ્રી વેણચંદભાઈના સ્વર્ગગમનથી અમને વિશેષ દિલગીરી થાય છે.” ૮ શ્રી આત્માનન્દ પ્રકાશ-ભાવનગર, આષાઢ માસના અંકમાં નીચે મુજબ નોંધ લ્ય છે – જાણતા જૈન ભકત નરરત્ન વેણચંદભાઈ સુરચંદ ગયા માસની વદિ ૯ ના રોજ કેટલાક માસની બિમારી ભેગવી ૭૦ વર્ષની વૃદ્ધ વયે સ્વર્ગવાસ પામ્યા છે જે માટે અમે દિલગીર થયા છીએ. જ્ઞાન, ધ્યાન, તીર્થ અને ધર્મની સેવામાં જ આખું જીવન તેમણે વ્યતીત કર્યું હતું. કેઈ ધાર્મિક કાર્ય શરૂ કરવું હોય અને જેમાં પૈસાની જરૂર હોય તેવાં કાર્ય વેણીચંદભાઈને જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #226 -------------------------------------------------------------------------- ________________ સંપાતાં. જ્યાં જ્યાં તેઓ તે માટે જાય ત્યાં તેઓ માગે તેટલું મેળવી શકે એટલું જ નહિ પણ કેણ કેવી રીતની સહાય આપે છે એ પૂછવા કે જાણવાપણું જ ન હોય તેવી યુકિત પણ તેમણે કેળવી હતી. મહેસાણા શ્રેયસ્કર મંડળ અને પાઠશાળા, તીર્થને જીર્ણોધ્ધાર, આગમેદયની સહાય વગેરે અનેક કાર્યો તેમના સતત પ્રયત્ન રૂપે જ હતા. સ્વભાવે સરળ, સાદા, શાંત, પ્રામાણિક, ભદ્રિક અને દેવગુરૂ ધર્મની ખરી સેવા કરનાર એક નરવીરના સ્વર્ગવાસથી જૈન સમાજમાં એક ખરેખરા લાયક પુરૂષની ખોટ પડી છે. તેમની જગ્યા પુરે તેવી વ્યકિત હાલ તે દેખાતી નથી. પિતાના હસ્તકનાં ખાતાંઓની, પાછળ અવ્યવસ્થા થવા ન પામે તે માટે અંતિમ વખતે એગ્ય વ્યવસ્થા કરવાનું પણ તેઓ ભૂલ્યા નથી. છેવટે તેઓના પવિત્ર આત્માને અખંડ શાંતિ પ્રાપ્ત થવા સાથે તેમનાં અધુરાં રહેલાં કાર્યો પાર પડે તેવા તેમના શિષ્ય કે રાગીએ કે વખાણનારાઓ બહાર આવે તેમ પરમાત્મા પ્રત્યે પ્રાર્થના કરીએ છીએ.” ૮ “ગુજરાતી” તા. ૩-૭–૭. મહેસાણાના ધર્માભિમાની જેન શેઠ વેણીચંદ સુરચંદનું મરણ તા. ર૩ મીની સાંજે થયું છે. મહૂમ ઘણાજ ધર્માભિમાની હતા અને એમના પ્રયાસેજ મહેસાણામાં ઉપાશ્રય બંધાયો હતે. જૈન લેકેને તેઓ ઘણું મદદ કરતા અને ધર્મ એજ સર્વસ્વ છે એમ માનતા હતા. તેમના મરણથી જેન કોમને ઘણું બેટ ગઈ છે. ” ૧૦ શ્રી જનધર્મ પ્રશ–ભાવનગર, શ્રાવણ માસના અંકમાં નીચે મુજબ નેંધ લે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #227 -------------------------------------------------------------------------- ________________ ૧૩૭ શ્રી મહેસાણાની યશવિજય પાઠશાળાના સંસ્થાપક તથા શ્રી જૈન શ્રેયસ્કર મંડળના આત્મા જેવા ધર્મબંધુ વેણચંદભાઈ ગયા જેઠ વ. ૯ મે લગભગ ૭૦ વર્ષની વયે સ્વર્ગવાસી થયા છે. એમની જીંદગીમાં એમણે અનેક સત્કાર્યો કર્યાં છે. દેવગુરૂભક્તિનાં કાર્યોમાં આગેવાની કરી છે. ધાર્મિક કેળવણી માટે આશ્રયસ્થાન સ્થાપવાને અગ્રણી બન્યા છે. ક્રિયામાને પુષ્ટિ આપી છે. કોઈ પણ કાર્ય તેમણે હાથ ધર્યું તે તેને પુરા પ્રયાસ થી પાર ઉતાર્યું છે. દ્રવ્ય મેળવવા માટે તેમનામાં કેઈ અપૂર્વ શક્તિ હતી. તેમણે જેમની પાસે માગણી કરી તેની પાસેથી પાછા વળ્યા નથી એટલું જ નહિ પણ ધારી રકમ મેળવી છે. તથા બનારસની પાઠશાળા સ્થાપવામાં, બનારસ ધર્મશાળા સ્થાપવામાં, સિદ્ધાચળને અંગે અનેક પ્રકારના કાર્યમાં તેમણે પૂર્ણ પ્રયાસ કર્યો છે. જેના પુસ્તકે નાનાં મોટાં સુમારે ૧૦૦ લગભગ પ્રકટ કર્યો હશે. એઓ ધર્મકામમાં સતત ઉદ્યમી હતા. એમણે કરેલાં અનેક કાર્યોની નેંધ અન્યત્ર પ્રકટ થયેલ હોવાથી અમે અહીં કરેલ નથી. આગમેદય સમિતિમાં પણ તેમણે સારી સહાય આપી છે. આવા એક અપૂર્વ શક્તિસંપન્ન અને ધર્મચુસ્ત, તપસ્વી તેમજ ક્રિયાપરાયણ, જુના વિચારના છતાં શાસનેન્નતિના દરેક કાર્યોમાં નવા વિચારવાળા સાથે ઉભા રહેનાર આવા પુણ્યશાળીના અભાવને પ્રસંગે દિલગીરી થાય એ સ્વાભાવિક છે. પરંતુ આ સંબંધમાં એક બધુ કહે છે કે–“આવા મનુષ્ય કે જેમણે જિંદગીને બહાળો ભાગ ધાર્મિક ક્રિયામાં, દેવગુરૂની ભક્તિમાં, કેમની સેવામાં અને પરોપકારનાં કાર્યમાં ગાજે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #228 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ છે તેવા મનુષ્યના અભાવના પ્રસંગે દિલગીર શા માટે થવું? તેમણે તે અહીં પણ આરાણું છે અને આગામી ભવમાં પણ આરાધવાના છે. તેમના તે ત્રણે ભવ સુધર્યા છે. બાકી જેમ જન્મવું સ્વાભાવિક છે તેમ મરણ પણ સ્વાભાવિક છે. અને આવા મનુષ્ય તે અહીંથી ઉપલા કલાસમાં ચડ્યા છે, તે તેમનાં આત્માને શાંતિ ઈચ્છો પણ દિલગીર થવું એગ્ય નથી. અલબત્ત અહીં શાસનમાં એવા મનુષ્યની ખામી પડી અને તે પુરાવી મુશ્કેલ છે એ વાત સત્ય છે અને હવેના પ્રવૃત્તિપરાયણ અને સ્વાર્થ જમાનામાં એવા પરમાર્થ પરાયણ મનુષ્ય નીકળવા મુકેલ છે, એ પણ સત્ય વાત છે અને તેને માટે ખેદ થાય એ સ્વાભાવિક છે. બાકી એવા મનુષ્યનું મૃત્યુ “જય જય નંદા, જય જય નંદા” શબ્દથી વધાવી લેવા યોગ્ય જ છે.” આ બંધનું લખવું અમને ઘણે ભાગે વાસ્તવિક લાગે છે તેથી તે હકીકત રેશન કરીને જ આ ટુંક નેધ સમાપ્ત કરવામાં આવે છે.” અંતિમ વક્તવ્ય ઉપર મુજબ દિલસોજીના તારે તથા કાગળ આવ્યા અને સભાઓ ભરાણ તેના હેવાલ છે. તેમજ પત્રકારોએ નોંધ લીધી, તેની હકીકત છે. ભારતવષય જેનભાઈઓ એમના વ્યક્તિત્વને માટે કેવા અભિપ્રાયો દર્શાવે છે? એમના પ્રત્યે હદયગત કેટલું માન છે? કેટલી, ભક્તિભરેલી લાગશું છે? કે હદયનો નિષ્પક્ષપાત ગુણાનુરાગ છે અને વિશ્વાસ–પ્રામાણિક્તા, જવલંત સેવાભાવ, નિઃસ્પૃહતા, અવિશ્રાંત પરિશ્રમ અને ધર્મને સાચે જંગ, તેને લીધે પ્રગટેલી દ્રવ્ય મેળવવાની અદ્ભુત લબ્ધિ-તથા ધારેલું કામ થઈ જ શકે” એવી–ધાર્યા પ્રમાણે કામ પાર પાડવાની આત્મશક્તિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #229 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ વગેરે અસાધારણ ગુણે માટે જેને જનતા કેવા ઉચ્ચ વિચારમત ધરાવે છે, તે આથી સ્પષ્ટ-દીવા જેવું સમજી શકાય છે. એટલે એ બાબતમાં સમાચબાની સમાલોચના કરવાની અને જરૂર વિચારતા નથી, પણ એમનું જીવન વાંચી વિચારી, એમને સેવામાર્ગ યથાશ ત અંગીકાર કરી, એ છે કે વત્તે અંશે એમના જેવા આત્માગી નરે, સાચા સમાજસેવકે પ્રગટે, એમ અંતઃકરણથી ઇચ્છીએ છીએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #230 -------------------------------------------------------------------------- ________________ ૫ સ્મારક, આ ઉદેશ. ૧ શ્રીસુત વેણીચંદભાઈનું જીવનચરિત્ર છપાવવામાં ખૂટતી રકમ આપવી. ૨ તેમની ઓઈલ પેઈન્ટીંગ છબી કરાવી ઓફિસરૂમમાં મૂકવી અને ફૈટ એન્લાર્જ કરાવી અધ્યયનહોલમાં મૂકો. ૩ શેષ રકમના વ્યાજમાંથી પાઠશાળાના વિદ્યાથીઓને વાર્ષિક ઈનામ આપવું અને સ્વર્ગસ્થની મરણતિથિએ આંગીપૂજા કરાવવામાં ખૂટતી રકમ આપવી. ૪ વ્યાજની રકમમાં અવકાશ હોય તે તેમાંથી ઑલરશિપ આદિની જનાવટે બહારગામની શાળાઓ વગેરેને પણ લાભ આપ. ૧ ભરાયેલી રકમની નધિ, ૨૦૧) શાહ જયંતીલાલ કેસરીચંદ–અહેસાણુ. ૧૨૫) શેઠ જમનાભાઈ ભગુભાઈ–અમદાવાદ, ૧૦૧) શેઠ કસ્તુરચંદ વીરચંદ–હેસાણું. ૧૦૧) પારી. ઉત્તમલાલ ત્રિકમલાલ , ૧૦૧) શેઠ શિવલાલ હરિલાલ સત્યવાદી–અમદાવાદ, ૧૦૧) શેઠ નગીનદાસ કરમચંદ-પાટણ. ૧૦૦) શેઠ લાલભાઈ દલપતભાઈ–અમદાવાદ. ૫૧) શાહ રણછોડદાસ શેષકરણ-પોરબંદર. ૫૧) શેઠ જેસિંગભાઈ ઝવેરચંદ, હા. બહેન ચંપાબાઈ-પાટણ, ૫૧) શેઠ ઘેલાભાઈ કરમચંદ–અહેસાણું, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #231 -------------------------------------------------------------------------- ________________ ૧૪૧ ૫૧) શેઠ પોપટલાલ રૂપચંદ-મુરબાડ. ૫૧) શેઠ મોતીલાલ મૂળજી-રાધનપુર ૫૧) શેઠ રમણલાલ સારાભાઈ ડાહ્યાભાઈ–અમદાવાદ ૫૧) પારીક રવચંદ વજેચંદ–મહેસાણુ. ૫૧) પટેલ મૂળચંદભાઈ ત્રિકમલાલ, “સૂર્યપ્રકાશ પ્રિ. પ્રેસના માલિક–અમદાવાદ, ૫૧) શેઠ હેમચંદ અમરચંદ– માંગરોળ. ૫૧) શેઠ કલ્યાણજી ખુશાલચંદ–વેરાવળ. ૪૧) શેઠ પ્રેમજી નાગરદાસ–માંગરોળ ૩૧) શેઠ સેમચંદ ઓતમચંદ , ૩૧) પારી પ્રભુદાસ જેસિંગભાઈ–મહેસાણ. ૨૫) શાહ કેસરીચંદ મણિલાલની કુંડ , ૨૫) ઝવેરી હીરાભાઈ મંછુભાઈ સુરત. ૨૫) શાહ રાયચંદ ઉગરચંદ–ધરાઈ ૨૫) શેઠ જીવતલાલ પ્રતાપશી–રાધનપુર. ૨૫) શેઠ આણંદજી પુરૂષોત્તમ–ભાવનગર. ૨૫) શેઠ મેહનલાલ લલુભાઈ-અમદાવાદ. ૨૫) શાહ નગીનદાસ જીવણજી–નવસારી. ૨૫) શાહ ચુનીલાલ ખુશાલચંદ–અમદાવાદ, ૨૫) શેઠ સરૂપચંદ લલુભાઈ–મહેસાણું. ૨૫) ડો. બાલાભાઇ મગનલાલ-વડોદરા. ૨૧) હારા કિશોરભાઈ હાથીભાઈ–વીસનગર, ૨૧) શાહ કિરદાસ સુરચંદ–અહેસાણુ. ૨૧) શાહ સરૂપચંદ હાથીભાઈ–કીનેલી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #232 -------------------------------------------------------------------------- ________________ ૧૪ર ૨૧) શાહ દલછારામ હાથીભાઈ–કીનેલી, ૨૧) શેઠ સારાભાઈ મગનલાલ મહી–સુંબઈ. ૨૧) શેઠ સુમેરમલ સુરાણા–બિકાનેર. ૧૬) શ્રી મહેસાણા પાઠશાળાનું “વિનીત વિદ્યાર્થીમંડળ.” ૧૫) શાહ નેમચંદ પીતાંબરદાસ–મિયાગામ. ૧૫) વહારા અમરચંદ જસરાજ-ભાવનગર. ૧૫) શાહ રાયચંદ મેતીચંદ ઝવેરી–સુંબઈ. ૧૫) શાહ ચુનીલાલ કમળશી–હળવદ. વહેરા પોપટલાલ ધારશીભાઈ–જામનગર, ૧૫) વડેચા ઘેલચંદ મગનલાલ–સમી. ૧૧) શાહ મનસુખલાલ મણિલાલ–મુંબઈ. ૧૧) વકાલ રવચંદ આલમચંદ–ચાણસ્મા. ૧૧) શેઠ છેટાલાલ પ્રેમજી–માંગરોળ. ૧૧) શાહ ચુનીલાલ છગનચંદ–સુરત. ૧૧) જજ સાહેબ સુરચંદ પુરૂષોત્તમદાસ બદામી–સુરત ૧૧) દેશાઈ લખમીચંદ ભવાન-બોટાદ. શાહ મણિલાલ ગુલાબચંદ-કીનેલી. શાહ મોહનલાલ ખેડદાસ–મહુવા. શાહ ઉમેદ ગમાન–પીપળગાવ બસવંત. ૧૦) શાહ સુરજમલ ઉમેદમલ– ભાણંદ. શાહ ભીખાભાઈ હાથીભાઈ –મહેસાણ. ૯) શાહ ડાહ્યાલાલ હકમચંદજીનાગઢ. પંડિત એફ. કે. લાલન-જામનગર, ૭) ડે. મગનલાલ લીલાચંદ-નંદાસણ ૭) શાહ સરૂપચંદ વસ્તાચંદ–પાટણ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #233 -------------------------------------------------------------------------- ________________ ૧૪૩ ૫) શાહ હીરાચંદ કકલભાઈ–અમદાવાદ. માસ્તર દુલભદાસ કાળીદાસ મહેતા–વંથળા રિક] ૫) શાહ રૂગનાથ કેવળદાસ–પાટડી. ૫) વહાર કેશવલાલ ત્રિકમલાલ–અહેસાણું. ૫) પંડિત ભગવાનદાસ હરખચંદ અમદાવાદ. ૫) માસ્તર હીરાચંદ દેવચંદ ૫) માસ્તર કેવળચંદ ત્રિવનદાસ , ૫) શાહ કપૂરચંદ ઠાકરશી-વળા. માસ્તર ભગવાનદાસ મીઠાભાઈ–રાજકેટ. ૫) શાહ મણિલાલ ગોપાળદાસ ટાણું. ૫) માસ્તર ચંદુલાલ ન્હાનચંદનસિનોર. ૫) વકીલ કેશવલાલ પ્રેમચંદ મોદી–અમદાવાદ. વકીલ નંદલાલ લલ્લુભાઈ–વડોદરા. ૫) શાહ મણિલાલ ખુશાલચંદ–પાલનપુર પ) શાહ શિવનાથ લંબાજી–પૂના સિટી ૫) શાહ મનસુખલાલ છગનલાલ–કીનેલી. શાહ ભીખુભાઈ ગુલાબચંદ ) શાહ મોતીચંદ છગનલાલ–સુરબાડ. પંડિત પ્રભુદાસ બહેચરદાસ-પાટણ માસ્તર વીરચંદ મેઘજી–પાળિયાદ. શાહ કેદરલાલ પુરૂષોત્તમ-ઇડર. શાહ કેશવલાલ પુંજાભાઈ–મેરવા. ૫) માસ્તર પુંજાભાઈ નારૂભાઈ–ત્રાપજ. ૫) શાહ અમૃતલાલ પુરૂત્તમ-થરા. ૨૧૯૨ દદ દદદ દષ્ટ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #234 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #235 -------------------------------------------------------------------------- ________________ ettstttttttttttttttttttttttttttttt + ૧૧ANA૧/ status, statt ૧ Awwwwww ધર્મવીર શેઠ વેણીચંદભાઈ. (પઘાત્મક જીવન.) ttttttttttttttttttttttttttttttttttttttttttttt રચયિતાકવિ “રસિક” ઉકે ઝવેરી ભેગીલાલ ઘોળશાજી ttst..,,, 101k31619 the غلطیطلبدلیل دیدیگیڈکیٹیگریٹیگریگیڈیٹیگریگیڈیلیگیلگیگیلی Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #236 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના. શેઠ વેણીચંદ સુરચંદના નામથી આપણી જૈન સમાજમાં કાષ્ઠ પશુ માણુસ ભાગ્યેજ અજાણ્યા હશે ! એ શ્રાદ્ધગુણસંપન્ન શ્રષ્ટીએ આ કાળમાં જે શાસનસેવા મજાવી છે. તે અવર્ણનીય છે, અને તેનેજ લઈને તે મહાપુરૂષની સ્તુતિ કરવાની મને ઉત્કંઠા થઇ, તે દેવગુરૂના પસાયથી પાર પડી છે. શ્રી વીતરાગ પ્રભુના શાસનમાં પૂર્વ કાળમાં મહાન્ પુરૂષા થઈ ગયા છે, કે જેમના જીવનવૃત્તાન્તા આપણા તે સમયના મહાન કવિઓના પ્રયત્નની પ્રસાદી રૂપે અત્યારે આપણા જોવામાં આવે છે. જગદુપગારી પ્રભુ મહાવીરના ધસિદ્ધાંતા પ્રથમ ત માગધી ભાષામાંજ રચાયેલા, પરંતુ કેટલેાક સમય વીત્યા બાદ માગધી ભાષા કરના સંસ્કૃત ભાષાના પ્રચાર વધી જતાં, તેના અભ્યાસીઓને તે સિદ્ધાંતાના અભ્યાસ અનુકૂળ થાય તેટલા માટે, આપણા શાસ્ત્રજ્ઞ ગીતાર્થાએ કેટલાક ગ્રંથા સંસ્કૃત ભાષામાં પણ રચ્યા છે. અને ત્યાર બાદ સંસ્કૃત ભાષાના અભ્યાસીએ પણુ આછા થઇ જવાથી, તેમજ ગુર્જર ભાષાના પ્રચાર વધી જવાથી આપણા મહર્ષી કવિઓએ સંસ્કૃત ભાષામાં ગુંથાએલાં કેટલાંક ચરિત્રાને ગુર્જર ભાષામાં ગુંથ્યાં છે, કે જેને આપણે અત્યારે રાસના નામથી ઓળખી શકીએ છીએ. આ દરેક ભાષામાં પણ ઘણાખરા ગ્રંથ તેા કાવ્યશૈલીએ જ રચાયેલા છે, પરન્તુ છેલ્લા પચાસેક વર્ષ થી પદ્યાત્મક શૈલીએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #237 -------------------------------------------------------------------------- ________________ ૧૪૭ ઘણાંજ એાછાં પુસ્તકે રચાતાં હોય એવું દેખાઈ આવે છે. કારણ કે જેમ તેના રચનાશ ઓછા દેખાય છે તેમ તેના વાંચનારા અને રસ લેનારા પણ જુજ પ્રમાણુમાંજ માલુમ પડે છે, એટલે પદ્ય કરતાં ગદ્યના વાંચનારા અત્યારે વધારે માલુમ પડે છે, અને તેનેજ લઈને હાલના ગ્રંથકારો પણ પોતાનાં ઘણાં પુસ્તક ગલમાં જ લખી બહાર પાડે છે. - જો કે એ પણ ઠીક છે, પણ પદ્યાત્મક રચનામાં એક અપૂર્વ ખૂબી તો એ સમાયેલી છે કે જે વિષય આપણે ગદ્યમાં લખતાં પાનાંનાં પાનાં ભરવાં પડે તેજ વિષયને પદ્યમાં રચતાં જુજ પાનામાં સમાવી શકાય. વળી કાવ્યશૈલીમાં એક બીજે પણ અજબ ગુણ રહેલો છે. મધુર સ્વરથી ગાનાર માણસ કવિતા અગર લોક બુલંદ અવાજે ગાઈ શકે છે, અને તે પ્રમાણે ધાર્મિક વિષયને ગાતાં, તે ગાનાર અને બીજા સાંભળનાર માણસે નિશ્ચય કર્મની નિજેરા કરે છે, અને એજ હેતુથી આપણું પૂજ્ય પૂર્વાચાર્યોએ પદ્યાત્મક શિલીએ ઘણા ગ્રંથ રચ્યા છે. શ્રી દેવગુરૂની કૃપાથી અને શાસનદેવતાની સહાયથી મને પણ એ પદ્યાત્મક શૈલીએ પુસ્તકે રચવાની કળા કોઈ અંશે પ્રાપ્ત થઈ, અને તેના પરિણામે મેં કેટલાંક ટૂંકાં ટુંકા ચરિત્ર, પદ, સ્તવનો, મુંહળીઓ અને પૂજા વગેરે રચીને શાસનસેવામાં સમર્યા છે, જેને સુજ્ઞ જનેએ બહુ સંતોષ સાથે સત્કારેલાં છે. આ પછી સહુથી છેલે આપણી સમાજને સિતારો—શેઠ વેણચંદ સુરચંદનું અવસાન થતાં એ મહાપુરૂષ માટે ગદ્યમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #238 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ લખાયેલ ગ્રંથની અ'દર મૂકવ! સારૂં થાડીઘણી પદ્યાત્મક રચનાની મારી પાસે માગણી થઈ. ઉકત મહાપુરૂષનાં ગુણુગાનની ચૈાજના કરવાનું મારા જેવા એક પામરના હાથમાં આવે, એ મારા સદ્ભાગ્યની નિશાની સિવાય ખીજી શું કહી શકાય ? છતાં પણ આ અવશ્ય કરવા લાયક કાર્યને હું તે વિસરી ગયો હતા, પરંતુ મારા ધ સ્નેહી બધુ ભાઈ શ્રી દુર્લભદાસ કાલિદાસ મ્હેતાએ, શ્રી મ્હેસાણા જૈન શ્રેયસ્કર મડળ તરફથી, મને એક પત્ર લખી, મારી તે વિસ્મૃતિને દૂર કરી, એ મહાન્ ઉપગારી શાસનસેવક શેઠ' વેણીચંદભાઇનું જીવનચરિત્ર રચવા માટે મને પ્રેરણા કરી છે જેથી એ શ્રી જૈન શ્રેયસ્કર મંડળના હું ખરા અંત:કરણપૂર્વક ઉપકાર માનુ છું અને હમ્મેશાં · આવા ધર્મવીર નરપુંગવેાના જીવનસૂત્રેા ગુંથવાની શક્તિ અને સજીદ્ધિની મને પ્રાપ્તિ થાય, એ ઇચ્છા સાથે વિરમુ છું. અસ્તુ ! લિ. વિ રસિક– ઝવેરી ભાગીલાલ ધોળશાજી —અમદાવાદવાળા, h Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ! www.umaragyanbhandar.com Page #239 -------------------------------------------------------------------------- ________________ ॐ श्रीपार्श्वनाथाय नमः ધર્માનુરાગી શેઠ વેણીચંદ સુરચંદનું [પઘાત્મક ] જીવન ચરિત્ર, - મંગલાચરણ. દેહરા શાસનનાયક જિનપતિ, શ્રી મહાવીર જિણું, અવસર્પિણી ચાવીસમા, શ્રી સર્વજ્ઞ દિણંદ. સંઘ ચતુર્વિધ સ્થાપિ, ભવિજનને હિત કાજ; તે શ્રી ચરમ તીરથપતિ, અર્જ સુણે મહારાજ. ૨ તુજ શાસનને સેવતાં, શ્રાવક મુનિ ગણ ખાસ; ગત કાળે બહુ જન વર્યા, અજરામર શિવલાસ. ૩ એમ અનાગત કાળમાં, તુજ આણું શિર ધાર; પુણ્યવાન કેઈ પામશે, ભવસમુદ્રને પાર. સાંપ્રત કાળે પણ બહુ, ધર્મક્રિયા કરનાર, શ્રાવક ને સાધુ વસે, જિનશાસન-શણગાર. તેમાં એક ગૃહસ્થ જે, વેણચંદ અભિધાન; શાસનસેવા બહુ કરી, તનમનથી એક તાન. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #240 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ એ ધમી નરનું રચું, ઉત્તમ હિતકર ખ્યાન; પ્રાથુ " શ્રી ભગવંતને, સહાય કરો ભગવાન. ઢાળ ૧ લી. ७ સુમતિનાથ ગુણશું મિલીજી—એ દેશી. જાંબુદ્રીપ ભરત વિષેજી, ગુર્જર દેશ ઉદાર; જિનમદિરથી જિયાં દીસેજી, ગ્રામ નગર મનેાહાર— સુણુ સજ્જન સતા ગુણિયલ ચરિત્ર ઉદાર. એ ગુજરમાં સાહુ તુજી, મહેસાણા જીભ ગ્રામ; ધી શ્રાવક્ર જિહાં વસેજી, તેહમાં સૂરશશી નામ. સુણુ. ૨ એ શ્રાવક ગુણુસેહરાજી, જિનવચને ધરો રાગ; જિન શાસન સેવા શુભ કરવા, જસ મન પ્રેમ અથાગ સુછુ. ૩ તસ ગૃહનારી માણેકબાઈ, નિજ પતિ રૂચિ અનુસાર; ધર્મ –ક્રિયા–રાગી અનેજી, પૂર્વ જનમ સંસ્કાર. સુષુ. ૪ વેદ શશી નિધિ ચંદ્ર' સૉંવત્સર, ચૈત્ર માસ સુવિલાસ; કુષ્ણુ પંચમી શુભ દિનેજી, ચંદ્રવાર` સુપ્રકાશ. તસ કૂખે એક અવતર્યોજી, ખાળક ગુણુ–ભંડાર; જસ તાલે નર સાંપડેછ, વિરલા ઈચ્છુ સંસાર, માતપિતાએ સ્થાપિર્યું, વેણીચંદ અભિષાન; પંચ વર્ષની વયથકીજી, શાસન પર બહુ માન. વ્યવહારિક વિદ્યા ભણીજી, કીધા ધર્મ અભ્યાસ; કગ્રંથ આદિ ભણ્યાજી, તન મન ખતે ખાસ. સુષુ. * સુર. ૧. ૧૯૧૪. ૨. સામવાર. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat સુણુ. સુણ. સુણુ, www.umaragyanbhandar.com Page #241 -------------------------------------------------------------------------- ________________ ૧૫૧ જનની રૂખે અવતરીજી, કીધી શક્તિ અપાર; વીતશગ પ્રભુ દેવનીજી, વળી નિગ્રંથની સાર. તેમ સાધર્મી મનીજી, ચિંતી હિત મનમાંય; અનુકંપા સહું જીવતણીજી, શક્તિ જિહાંલગી જાય. ધન્ય પુરૂષ એ મન ધરેજી, આ નરભવ ગુણખાણુ; ાતમ હિત સાધન ભણીજી, નિશદિન રસિક સુજાણુ. સુશુ. ૧૧ સુશુ. ૧૦ દોહરા. એ નરપુંગવ પરવડા, ધર્મકળાનું ધામ; શાસનસેવા શી કરી, તે સુણજો અભિરામ. સાળ વર્ષની વય થતાં, માતપિતા ધરી રાગ; લગ્ન કરે નિજ સુતતણું, દુષ્કર એ જગ ત્યાગ. વડિલતા માગ્રહ થકી, પરણ્યા એ મહાભાગ; પણ સંસારવિલાસમાં, નિશદિન ધરે વિરાગ. પ્રસન્નબાઈ નામની, તસ ગૃહિણી ગુણવાન; પતિમતિ-અનુસારે ધરે, ધ–પ્રતિ બહુમાન. દંપતી એકજ દિલનાં, સુશીલ સ્વભાવી હાય; ત્યાં ઇચ્છિત આરાધતાં, ખાધ ન લાગે કાય. સુશે. ઢાળ ૨ જી સાંભળજો મુનિ સચમરાગે—એ દેશી. વેણીચ‘દને માતપિતાએ, પરણાવ્યા ધરી પ્યારરે; માહરાયને આધીન એ બેઉ, સેવે જીજ સંસારરે. વેણી, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૧ 3 ૫ ૧ www.umaragyanbhandar.com Page #242 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ “ ધર્મી છતાં પણ કેઇક માનવ, કવિપાકે નડિયાર, ઉપશમશ્રણ ચઢીને ફી પણ, મિથ્યાત્વે જઇ પડિયારે, વેણી. સર્વ ગુણાલય શ્રી જિનનાયક, વીતરાગ વડભાગીરે; વેણી. પ એ સમ કેાઈ જગતના જીવા, નહિ સ ંપૂરણ ત્યાગીરે. વેણી. ૩ પણ ક્રમસર જે અંશે અ ંશે, સેવે સયમ ભાવેરે; એક દિવસ તે પૂર્ણ ત્યાગથી, નિર્મળ આપ બનાવેરે.” વેણી. ૪ એમ ભાવના ભાવી પાતે, તપ જપ ક્રિયા વિલાસેરે; આવશ્યક દાય ટકનું કરતા, ભાવ ધરી ઉદાસેરે. અહેનિશ અષ્ટપ્રકારી પૂજા, શ્રી જિનરાજની કરતારે; પતિથિએ કાયમ પૈાષધ, પ્રેમ ધરી આચરતારે. દેવગુરૂની ભક્તિ કરતા, ધરતા વ્રત પચખાણુરે; સમય મળે સામાયિક લઈને, શાસ્ત્ર ભણે ગુણખાણુરે વેણી. ૭ એ નિત્ય નિયમ ચૂકયા વિષ્ણુ ખીજા', કામ કર્યા બહુ ભારીરે; આજ સમે એ આત્મ-રસિકનાં, કાર્ય તણી બલિહારીરે, વેણી, ૮ વેણી. ૬ દોહરા. અત્રીસ વર્ષની વય થતાં, વેણીચંદની નાર; પુત્રી એક વછેડીને, ગઇ પરલેાક–મઝાર. ચાક્ષુ' વ્રત તવ ઉચ્ચરે, તજી સંસાર-વિકાર; દેશથી વ્રતને સેવતાં, મહાવ્રત ઇચ્છે સાર. ભવસાગર તરવા ભણી, સયમ અનુપમ નાવ; પુણ્યશાળી નર સહજમાં, પામે એ શુભ દાવ. જગ-વ્યવહારે પુત્રીને, પરણા નરૂપાય; પણુ આયુ પુરણુ થત, તે પશુ પરભવ જાય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #243 -------------------------------------------------------------------------- ________________ ૧૫૩ સ્વજનાદિક ઉપાધિથી, મુકત થયા તે વાર; શાસનસેવા આદરી, તે સુણજો અધિકાર. ઢાળ ૩ જી. ત્રીજે ભવ વર સ્થાનક તપ કરી–એ દેશી. વેણુંચંદ ગ્રહવાસે રહેતા, સંયમી જીવન ગુજારે, વ્રત પચખાણ વળી જિનપૂજા, આવશ્યક દેય વારરે, ભવિકા– એ નર અજબ સુહા ગુણીજનને મન ભાયેરે, ભવિકા – એ નર. ૧ આપ ઉદર-નર્વાહને અર્થે, અલ્પ કરે વ્યાપાર; પણ કઈ શાસનસેવા મળતાં, થાય પ્રથમ તૈયારરે, ભવિકા – એ નર અજબ૦ ૨ આત્મ ઉદયકર ધર્મ અનુપમ, સર્વ સ્થળે સુખદાતા તાસ પસાથે સર્વ ફળીભૂત, એમ એ મનમાં ધ્યાતારે,” ભવિકા એ નર અજબ ૩ પ્રથમ ઉપાશ્રય એક બનાવ્ય, મહેસાણા નિજ ગ્રામ, ત્યારપછી જિન ચક્ષુ ટીકાનું, કામ કર્યું બહુ ઠામેરે, ભવિકા એ નર અજબ૦ ૪ ત્યારપછી સિદ્ધક્ષેત્ર–મુકામે, વદ્ધમાન તપ ખાતું, પરમ પુણ્ય-સાધન એ સ્થાપ્યું, શિવપુર પંથનું ભાતુર, ભવિકા એ નર અજબ૦ ૫ ધનમાલિક ધન–ખર્ચ કરે પણ, તન મન સહાય ન હવે, તે કેઈ કાર્ય પુરણ નવ થાવે, લાખ બદલ શત વેરે, ભવિકા–એ નર અજબ૦ ૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #244 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ વેણીચંદ તન મન દઈ મંડયા, એ સઘળાં શુભ કામે, ધર્મપસાથે જે જે કીધું, તે સહમાં યશ પામેર, ભવિકા-એ નર અજબ૦ ૭ છપ્પનિયા દુષ્કાળ વખત પણ, જનસેવા બહુ કીધી; પાટણ મહેસાણે દીન જનને, સહાય ભલી રીત દીધીરે, ભવિકાએ નર અજબ૦ ૮ એ તનતોડ પ્રયત્ન નિહાળી, સ્થાનિક હાકેમ આપે માનપત્ર એ ધર્મરસિકને, અગ્રગણ્ય કરી સ્થાપેરે, ભવિકાએ નર અજબ૦ ૯ દેહરા. ત્યારપછી એ શ્રેષ્ઠીએ, તીર્થતણા ઉદ્ધાર; આબુ રાણકપુર અને સિદ્ધાચળ ગિરનાર. જીર્ણમંદિરો તે સ્થળે, સમરાવ્યાં ધરી ખંત; દ્રવ્ય ઘણું ખરચાવિયું, સમજાવી ધનવંત. માળવને મેવાડને, જીર્ણોદ્ધાર વિચાર, એમાં પણ હિમ્મત કરી, યત્ન કર્યો હદપાર. સાથે સહાયક બહુ હતા, શ્રાવક ને અણગાર; પણ એ કાર્ય પ્રથમ પદે, વેણીચંદ કરનાર. તીરથ તારંગાતણું, ઝાલ્યું અંતિમ કામ; પણ ત્યાં આયુ ખૂટતાં, ચાલ્યા સ્વર્ગ–મુકામ. ઢાળ ૪ થી. હરે પ્રભુ શ્રી સીમંધર દેવ શાસન-સ્વામીરે—એ દેશી. કાંઈ પુણ્યવાન નર એહ લબ્ધિધારીરે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #245 -------------------------------------------------------------------------- ________________ કરે પૂર્ણ ધાર્યું જે કામ તસ બલિહારીરે, જે ધર્મપ્રેમી ધનવાનને ખરચાવે રે, ભલભલા કુપણુશિરદાર શેઠ ભીંજવે રે કાંઈ. ૧ વળી કાશી બનારસ માંદ્ય શાળાસરૂરે, રૂપિયા પચવીસ હજાર લાવ્યા વાર, દઈ આગમસમિતિ ધ્યાન મદદ અપાવીરે, ગુરૂ આનંદસાગર હસ પૂર્ણ કાર્વર. કાંઈ. ૨ ગિરનાર ગિરિ પર જેહ યાત્રા જાવેરે, તે શ્રમિત યાત્રુને કાજ સવડ કરાવે રે, તિહાં સ્થાપી તલાટીમાંઢા ભોજનશાળારે, એ સરસ પ્રબંધે સહાય દે ધનવાળારે. કાંઈ૩ મહેસાણે સ્થાપી એક શિક્ષણશાળારે, જસ તુલ્ય અવર નથી એક કાર્ય વિશાળા, એમ કીધાં બહુ બહુ કામ જનહિતકારી, જે ગણતાં નાવે પાર લઘુમતિ મારીરે. કાંઈ૪ એ કરતાં સઘળાં કામ પણ નવ ચૂકે છે, જિનપૂજા તપ જપ ખાસ કદીય ન મૂકેરે, દેય પડિકમણાં અહોનિશ એ નર કરતારે, ફુરસદમાં પણ જિન ધ્યાન રસિક સમરતારે. કાંઈ પ દોહરા, કાળ અનતે વહી ગયે, જશે અને તે એમ પણ જારી આ જગતમાં, રહે ન કે નર ક્ષેમ. ૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #246 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ ઊગ્યે સુરજ આથમે, ખીલ્યાં પુષ્પ કરમાય; તિમ જનમે નિશ્ચય મરે, હાય રંક કે રાય. નરભવ–નૈકા પામીને, તરે સંસાર અગાધ; તે નરભવ પાપે ખરે, બાકી ફિક ઉપાય. અંત સમય ઉપયોગમાં, આવે જેહ ખચીત; વેણીચંદ પુણ્યાતમા, સાધે એ નિજ હિત. વૃદ્ધ વયે એ શેઠજી, જો કે પડયા બિમાર, પણ સમભાવે ભાવતા, આ સંસાર અસાર. ઢાળ ૫ મી. કર્મ ન છૂટે પ્રાણિયાએ દેશી. પુદ્ગલસગીરે આતમા, સમજ સમજ મનમાંહ્ય ભવ ભવ સુખ બહુ જોગવ્યાં, પણ કેમ તૃપ્તિ ન થાય? પુત્ર ૧ પચેંદ્રિના વિષયમાં, આપ બ લયલીન, લેષ્મ પડી જેમ મક્ષિકા, પ્રાણ ખુવે થઈ દીન. ૫૦ ૨ એક એક ઈહિને વશ પડયા, તે નિજ દેહ ગુમાય; અલિ મૃગ મીન પતંગિયે, વળી ગજરાજ ગણાય. પુ. ૩ ધન્ય ધન્ય તે નર જગતમાં, છડે વિષય કષાય; શાલિભદ્ર સરિખાએ જ કર્યું, અણુસણ ધ્યાન લગાય. ૫૦ ૪ આ ધન આ તન પારકું, પળ પળમાં પલટાય; નિજ ગુણ ત્રિપદી વિચારતાં, નરભવ સફળ સહાય. ૫૦ ૫ એમ બહુ ભાવના ભાવતા, ધરતા ધર્મનું ધ્યાન, જેઠ વદિ નવમી દિને, શેઠ લહે અવસાન. ૫૦ ૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #247 -------------------------------------------------------------------------- ________________ ૧૫૭ ગુણગ્રાહી જનમન વસ્યા, એ નર અજબ અપાર; રસિક સ્મરણ કરતાં વડે, નયણે આંસુની ધાર. દોહરા. આજ સમે એ પુરૂષની, ખાટ નહીં પુરાય; સજ્જન એમ વિચારતાં, શાક વિષે લીન થાય. ઢાળ ૬ કી. સમાધિ ગુણમય ચારિત્રપદ ભલુંજીએ દેશી. શાસનપ્રેમી એ નર કિહાં ગયેાજી ? ધર્મના ધારી શ્રાવક જેરે; શ્રી જિન ધર્મ દઢ મતિ રાખીનેજી, નિશદિન કરતા ભક્તિ તેહરે. ધર્મનું શિક્ષણ દેવા કારણેજી, શાળાઓ સ્થાપી ગામેગામરે; કમ પ્રથાદિ પ્રણ શીખિયાજી, કન્યા શ્રી માળક નર બહુ ઠારે. જનને ઉપયેગી સાધન ખડુ કર્યાછ, જીરણુ તી તણા ઉદ્ધારરે; કાય` સ'ભારે એ નર સાંભરેજી, નયનાથી વહતી અશ્રુધારરે. દૃશ્યમ કાળે એ નર દુલહેાજી, પરહિતનાં જેણે કીધાં કામરું; ૩૦ ૭ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૧ શાસન. ૧. શાસન. ૨ શાસન. ૩. www.umaragyanbhandar.com Page #248 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ ઉત્તમ શ્રાવકધર્મને સેવતાંજી, નિર્મળ કીધો આતમરામરે. શાસન, ૪ વિષમ સ્થિતિ છે આ સંસારની જી, વિરલા નર પામે એને પારરે, દુષ્કર્મવેગે પામર કંઈ પડયાજી, નિષ્ફળ તેને નરઅવતારરે. શાસન. ૫ પુષ્પવિનાશે વાસ ટળે નહિ, હવે જિમ ચાળ મજીઠને રંગરે, ઉત્તમ નરના ગુણ એમજ રહે છે, સજજન હૃદયે સદા અભંગરે. શાસન. ૬ પુરવ કાળે કંઈક મરી ગયા, કે ન સંભારે અધુના નામરે; આતમરામી પર ઉપકારીનાજી, કાયમ રસિક કરે ગુણગ્રામરે. દેહરે. વેણચંદ ગુણવંતનું ઉત્તમ સરસ ચરિત્ર, ગાતાં સાંભળતાં હવે, જન મન ભાવ પવિત્ર. રામવિજય ગુરૂ ગુણનિધિ, જિનઆગમના જાણ; તાસ કુપાએ આ રચ્યું, રસિક ખ્યાન ગુણખાણ. શાસન. ૭ ઈતિ શ્રી કવિ રસિક વિરચિત ધર્માનુરાગી શેઠ વેણીચંદ સુરચંદનું પઘાત્મક જીવન ચરિત્ર સમાપ્ત. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #249 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક વાંચનાર પ્રેમીને ધ્યાનમાં રાખવા લાયક અગત્યની સૂચના. ૧ પુસ્તકને ઘૂંક લગાડવું નહિ. ૨ પુસ્તકને અશુદ્ધ વાંચવું નહિ. ૩ પુસ્તકને પાસે રાખી વાછુટ કરવી નહિ. ૪ પુસ્તકને પગ લગાડ નહિ. ૫ પુસ્તકને પટકવું નહિ. ૬ પુસ્તકને પાસે રાખી ભેજન કરવું નહિ. ૭ પુસ્તકને પાસે રાખી પેશાબ કરે નહિ. પુસ્તકને પાસે રાખી ઝાડ કરે નહિ. ૯ પુસ્તકને અક્ષર થંકથી ભૂસકે નહિ. ૧૦ પુસ્તક ઉપર બેસવું કે સૂવું નહિ. ૧૧ પુસ્તકનો અગ્નિથી નાશ કરે નહિ. પુસ્તકનો પાણીથી નાશ કરવા નહિ. પુસ્તકનો ફાડીને કે બીજા કેઈ પણ પ્રકારે નાશ કરવા નહિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #250 -------------------------------------------------------------------------- ________________ કેવી રીતે વાંચવું? 1 આંખે ખેંચવી પડે એવા અજવાળામાં કદી વાંચવું નહિ. 2 વાંચતી વખતે તમારું માથું હમેશાં સીધું રાખવું. 3. આ વાત કદી ભૂલતા નહિ કે તમારી આંખની કિંમત કોઈ પણ ચેપ કરતાં વધારે છે અને તમારી આંખપરજ તમારા રક્ષણ તથા ફતેહને મુખ્ય આધાર છે. ૪:વાંચતી વખતે તમારી પડી આંખેથી શુમારે ચૌદ ઈંચ દૂર રાખવી. 5 વાંચતી વખતે કદી પણ પ્રકાશ તરફ મોં રાખવું નહિ પરંતુ અજવાળું તમાર પાછલી બાજુથી અથવા તે તમારા ડાબા ખભા તરફ થઈને પુસ્તકપર આવે એવી રીતે વાંચવું. 6 થોડી થોડી વારને અંતરે ચેપડીની બહાર જરા વાર જેતા રહીને અથવા આંખે બિલકુલ બંધ કરતા રહીને તેને આરામ આપો. 7 પડી ઉપર સૂર્યનાં કિરણ પડતાં હોય એવી રીતે કદી પણ વાંચવું નહિ. 8 સ્વચ્છ પાણીથી સવારે અને સાંજે તમારી આંખે સાફ કરવી અને ઠંડુ પાણું બાવડે તેના પર ખૂબ છાંટવું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com