Book Title: Uttaradhyayan Sutram Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
શાસ્ત્રોદ્ધારનું ભગીરથ કાર્ય
જૈન શાસ્ત્રોદ્ધાર સમિતિ માસ પૂજ્ય શ્રી ઘાસીલાલજી મહારાજ શાસ્ત્ર ઉપર સાસ્કૃત ટીકા લખી રહ્યા છે તેમજ તેના અનુવાદ ગુજરાતી તેમજ હિંદી ભાષામાં સાથે થાય છે અને આ રીતે એક શાસ્ત્ર ચાર ભાષામાં પ્રગટ થાય છે આવા શા લગભગ ૧૮ થી ૨૦ પ્રગટ થઈ ગયા છે અને ૨૫ લગભગ આગમ સસ્કૃત ટીકા સહિત લખાઈ ગયા છે એક બત્રીશીના સ પૂર્ણ પુસ્તકો લગભગ ૫૦-૬૦ જેટલી સંખ્યામાં થશે અને શદ્વાર સમિતિ તે સંપૂર્ણ બત્રીશી માત્ર ૨૫૧ રૂપિયા ભરનારને ઘેર બેઠા પહોચાડે છે કે જેની કિંમત આશરે ૮૦૦ થી ૯૦૦ લગભગની થાય
આટલી સસ્તી કિંમતે આગમ બત્રીશી ઘેર ઘેર પહોંચાડવાનું કાર્ય કેઈએ પણ આજ સુધી કર્યું હોય તે આ પ્રથમ જ છે આ પહેલા એક પ્રયાસ પૂજ્ય શ્રી અમુલખપીજી મહારાજે આગમો ઉપર હિંદી અનુવાદ કરેલ અને જેને શેઠ સુખદેવ સહાય જવાલાપ્રસાદે છપાવીને દરેક જગ્યાએ મફત પહેચાડેલ પણ તે વખતે બધુ ય કામ સસ્તુ હતું જયારે અત્યારે તે કાગળના ભાવ ૧૦ ગણું વધી ગયા છે તેમજ છપાઈ વગેરેના ભાવ પણ વધ્યા છે તે ઉપરાત આ શા સ કૃત ટીકા સાથે પ્રગટ થાય છે એટલે આ સૂત્રની બત્રીશીની કિંમત એક હજારની આકીએ તે પણ ઓછી છે માટે આવી સુંદર તક કેઈ પણ સઘ કે સંસ્થા જતી ન કરે એવી જૈન સમાજને અમારી વિનતી છે પાચ વરસ પછી આ બત્રીશી હજાર રૂપિયા દેતા પણ નહિ મળે એ સહુએ ખાસ ધ્યાન રાખવા જેવું છે
આ ઉપરાત આ ભગીરથ કામ સમિતિ અને પૂજ્ય શ્રી જે ઉત્સાહથી કરી રહેલ છે તેને પૂર્ણ સહકાર સાથે સહાયતા આપવી પણ જરૂરી છે આ કામ આપણુ જ છે એમ દરેક સાધુ સાધ્વીઓ પણ સમજે અને દરેક સ છે પણ સમજે
તત્રી જૈન જ્યોતિ” તા ૨૦-૧૨-૫૯