________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાતભર મારી ભાભી રોતી રહી.અપરંપાર માનસિક વ્યથામાં તેણે રાત વિતાવી. એક ક્ષણ પણ એને નિદ્રા ના આવી. - પ્રભાતે મેં એને જોઈ. તેની આંખો સૂજી ગઈ હતી, લાલ થઈ ગઈ હતી. એના મુખ પર ગ્લાનિ છવાયેલી હતી. તેનું શરીર પણ શિથિલ દેખાતું હતું. મારા પેટમાં ફાળ પડી. શું મારા ભાઈએ મારી વાત સાંભળીને, ભાભીને મારી હશે? લાવ, ભાભીને જ પૂછું. મેં ભાભીને પૂછ્યું: 'ભાભી, શું થયું? તમારું મુખ કેમ કરમાયેલું છે? અને તમે રડો છો શા માટે ?'
“બહેન, મને મારા અપરાઘની ખબર નથી. મારા પતિ મારા પર ગુસ્સે થયા છે. મને કહ્યું: “મારા ઘરમાંથી ચાલી જા. તારે જ્યાં જવું હોય ત્યાં જા.”
મેં વિચાર્યું: “આ તો રજનું ગજ થઈ ગયું. મારી ધારણા બહાર ભાઈએ ભાભીને દુઃખ આપ્યું હતું. મેં ભાભીને આશ્વાસન આપતાં કહ્યું:
ભાભી, તમે ચિંતા ના કરો. હું મારા ભાઈને સમજાવીશ. ધીરજ રાખો. હું તમારો પક્ષ લઈને, મારા ભાઈનો ગુસ્સો દૂર કરીશ.”
ધનશ્રી મારા પગમાં પડી ગઈ. તેણે કહ્યું: “બહેન, હું તમારો ઉપકાર ક્યારેય પણ નહીં ભૂલું.” ભાભી એના ગૃહકાર્યમાં લાગી ગઈ. હું ભાઈ ધનપતિ પાસે ગઈ. મેં
કહ્યું ઃ
‘ભાઈ, આ બધું શું છે? ભાભીને ઘર છોડીને જવાની હૈ આજ્ઞા કરી?” હા, મેં એને ઘર છોડીને જવાનું કહ્યું છે.” શા માટે?
જેનું શીલ ન હોય, જે દુરશીલા હોય, તેવી પત્ની માટે ના જોઈએ. બહેન, શીલભ્રષ્ટ સ્ત્રી સંતતિનો નાશ કરે છે.' જ લોકનિંદા થાય છે, કલંક લાગે છે.
કુળને મલિન કરે છે. * પતિને ક્યારેક મારી નાખે છે.
આ લોક અને પરલોક બગાડનારી એ સ્ત્રી હોય છે, માટે મારે એ ના જોઈએ.” મેં કહ્યું. પરંતુ તેં કેવી રીતે જાણ્યું કે ધનશ્રી શીલભ્રષ્ટ છે?'
એમાં જાણવા જેવું શું છે? બહેન, તમે જ એને સાડી સાચવવાનો ઉપદેશ નહોતો આપ્યો, ગઈ રાત્રિના સમયે?”
શ્રી સમરાદિત્ય મહાકથા
૧006
For Private And Personal Use Only