________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Squo]
મારા જીવનપરિવર્તનથી મારાં માતા-પિતા સંતુષ્ટ થયાં હતાં. એ ચાહતાં હતાં કે મારું વિધવાજીવન પવિત્રતાપૂર્વક પસાર થઈ જાય. મારું જીવન અને ભારભૂત ના લાગે. મેં સ્વયં વ્રતો અંગીકાર કર્યા હતાં, તેથી માતા-પિતાની મારા માટેની ચિંતા દૂર થઈ હતી.
એ પછી એક એક વર્ષના અંતરે મારાં માતા-પિતાનું અવસાન થયું. મને અત્યંત દુઃખ થયું. મારું વૈરાગ્ય પ્રબળ બન્યો. મેં મારા બે ભાઈઓ ધનપતિ અને ધનાવહને
કહ્યું:
“હવે મને ચારિત્ર માટે અનુમતિ આપો. હું સાધ્વી બનીને, મારું શેષ જીવન પૂર્ણ કરવા ઈચ્છું છું.”
મોટા ભાઈ ધનપતિએ કહ્યું: “બહેન, માતા-પિતાના અવસાનથી અમે પણ દુઃખી છીએ. તું પણ અમારો ત્યાગ કરીને, ચાલી જઈશ તો અમારું શું થશે? અમારા દુઃખનો પાર નહીં રહે. માટે હમણાં તું ચારિત્રની વાત ના કરીશ. હા, સંસારમાં રહીને તારે જેટલી ઘર્મઆરાધના કરવી હોય એટલી કર. તારી તમામ ઇચ્છાઓ અમે બે ભાઈઓ પૂર્ણ કરીશું.”
ધનાવહે કહ્યું: “બહેન, અત્યારે તું દીક્ષા લઈશ તો એકલી લઈશ... પછી અનુકૂળ સમયે આપણે સહુ સાથે જ દીક્ષા લઈશું!”
બંને ભાઈનો પ્રેમ અને આગ્રહ જોઈને, હું ઘરમાં જ રહી અને જરાય સંકોચ રાખ્યા વિના ધર્મમાર્ગે પૈસા વાપરવા લાગી. મેં જિનપ્રતિમાઓ બનાવડાવી અને જિનપૂજામાં ખૂબ ખર્ચ કરવા લાગી. મારો ખર્ચ જોઈને મારા ભાઈઓ તો પ્રસન્નતા અનુભવતા હતા, પરંતુ મારી બે ભાભીઓને ગમતું ન હતું. તેમનાં મોઢાં ફૂલી જતાં હતાં. મેં વિચાર્યું: “ભાભીઓને મારી પ્રવૃત્તિ ગમે કે ના ગમે, એની સાથે મારે શું લેવાદેવા? મારે તો મારા બે ભાઈઓનો પ્રેમ જોઈએ અને તે છે! તે છતાં હું ભાઈઓના મારા પ્રત્યેના પ્રેમની પરીક્ષા કરું! અને જો એ ભાઈઓ નાપાસ થાય તો પછી ગૃહત્યાગ કરી સાધ્વી બની જાઉં! રાત પડી.
એક પ્રહર સુધી ભાભીઓ સાથે વાર્તાલાપ ચાલતો રહ્યો. પછી જ્યારે ધનપતિએ એના શયનખંડમાં પ્રવેશ કર્યો, તે વખતે મેં ધનપતિની પત્ની ધનશ્રીને, ભાઈ સાંભળે શ્રી સમરાદિત્ય મહાકથા
૧૦૭
For Private And Personal Use Only