________________
લલિતવિસ્તાર ભાગ-૩ વૈભવ છે, અન્ય વૈભવ નથી એ પ્રકારની બુદ્ધિ શ્રાવકને હોય છે એમ શાસ્ત્રવચન છે, તે કારણથી=સાધુને દ્રવ્યસ્તવ ઉચિત નથી અને શ્રાવક શક્તિ અનુસાર કરે છે જે તે કારણથી, આ બે નિમિતે કાઉસ્સગ્ન કરનાર પૂજન અને સત્કાર નિમિત્તે કાઉસ્સગ્ગ કરનાર, કોણ છેઃ પૂજન અને સત્કાર નિમિતે કાઉસગ્ગ સાધુ અને શ્રાવકમાંથી કોણ કરે છે અર્થાત્ કઈ કરે એ ઉચિત નથી, તિ શબ્દ શંકાની સમાપ્તિમાં છે.
તેનો ઉત્તર આપે છે – સામાન્યથી સાધુ અને શ્રાવક બંને પણ=પૂજન અને સત્કાર નિમિત્તે બંને પણ કાઉસ્સગ્ન કરે છે. કેમ સાધુ પૂજન, સત્કાર નિમિત્તે કાઉસ્સગ્ન કરે છે ? તેથી કહે છે –
સાધુને સ્વકરણને આશ્રયીને સ્વયં દ્રવ્યસ્તવ કરણને આશ્રયીને, દ્રવ્યસ્તવનો નિષેધ છે, પરંતુ સામાન્યથી નિષેધ નથી=કરણ-કરાવણ-અનુમોદન ત્રણેને આશ્રયીને નિષેધ નથી; કેમ કે તેની અનુમતિનો ભાવ છે=સાધુને દ્રવ્યસ્તવની અનુમોદનાનો સદ્ભાવ છે, અને ભગવાનના પૂજા-સત્કારને જોઈને સાધુને પ્રમોદ થાય છે. કેવા પ્રકારનો પ્રમોદ થાય છે ? એથી કહે છે –
સુંદર શોભન આ છે=પૂજન-સત્કાર છે, અવિરતિવાળા જીવોના જન્મનું ફલ આટલું છે, એ પ્રકારના વચનના લિંગથી ગમ્ય સાધુનો પ્રમોદ છે, તેની અનુમતિ=દ્રવ્યસ્તવની અનુમતિ, આ છે=પ્રમોદ છે.
અને ઉપદેશના દાનથી કારણની આપત્તિ છે= સાધુને દ્રવ્યસ્તવના કરાવણની પ્રાપ્તિ છે, અને ભગવાનના પૂજા-સત્કાર વિષયક સદુપદેશને આપે છે=સાધુ આપે છે, જિનની પૂજા કરવી જોઈએ, ખરેખર ધનનું અન્ય શુભતર સ્થાન નથી, એ પ્રકારના વચનના સંદર્ભથી સાધુ સદુપદેશ આપે છે એમ અન્વય છે, તે કારણથી આ સદુપદેશ, કારણ છે=દ્રવ્યસ્તવનું કરાવણ છે, અને તે દ્રવ્યસ્તવનું કરાવણ, દોષાંતરની નિવૃત્તિ દ્વારા અનવઘ છે, આમાં દ્રવ્યસ્તવના ઉપદેશમાં, આ પ્રયોજક અંશ છે મોટા દોષથી નિવૃત્તિરૂપ પ્રવર્તક અંશ છે; કેમ કે તે પ્રકારના ભાવથી=દોષાંતરની નિવૃત્તિના ભાવથી, પ્રવૃત્તિ છે દ્રવ્યસ્તવની પ્રવૃત્તિ છે.
અહીં પ્રશ્ન થાય કે અન્ય પ્રવૃત્તિ દ્વારા પણ સાવઘ પ્રવૃત્તિની નિવૃત્તિ થશે, તેના નિરાકરણ માટે હેતુ કહે
છે
–
ઉપાયાંતરનો અભાવ છે દ્રવ્યસ્તવને છોડીને અન્ય ઉપાયથી મોટા દોષથી નિવૃત્તિનો અભાવ છે. પંજિકા -
ननु यावज्जीवमुज्झितसर्बसावद्यस्य साधोः कथं सावधप्रवृत्तेर्द्रव्यस्तवस्योपदेशनेन कारणं युज्यते? इत्याशङ्क्याह