________________
૧૪૪
લલિતવિસ્તરા ભાગ-૩
કલ્પનાનું વયર્થ છેકઅતીન્દ્રિય અર્થદર્શી પુરુષને સ્વીકારીને ફરી અપરુષેય વચનની કલ્પનાનું વિયર્થ છે, =જે કારણથી, તે=અપૌરુષેય વચનની કલ્પના, અતીન્દ્રિય અર્થદર્શી પુરુષને નહિ
સ્વીકારનારની જ સફલ છે, જે પ્રમાણે કહેવાયું છે – અતીન્દ્રિય અર્થોના સાક્ષાત્ દ્રણ વિદ્યમાન નથી, નિત્ય એવા વચનથી જ જે જુએ છે તે જુએ છે અતીન્દ્રિય પદાર્થોને જુએ છે. એ=શું? તે યદુથી કહે છે – અપૌરુષેય વચન અસાર છે–પરિકલ્થ છે. ભાવાર્થ:
પૂર્વમાં અઢી દ્વીપમાં રહેલા તીર્થકરોને હું નમસ્કાર કરું છું એમ કહ્યું, ત્યાં કોઈને શંકા થાય કે શ્રુતજ્ઞાનની સ્તુતિ પ્રસ્તુત છે, તેથી શ્રુતજ્ઞાનને નમસ્કાર કરવો જોઈએ તેના બદલે પ્રસ્તુત સૂત્રમાં તીર્થકરોને નમસ્કાર કરું છું તેમ કેમ કહ્યું? તેથી કહે છે – શ્રુતજ્ઞાન તીર્થકરોથી પ્રભવ પામે છે, તેથી તીર્થંકરો શ્રુતજ્ઞાનના પિતા છે, માટે શ્રુતજ્ઞાનની સ્તુતિ કરતાં પૂર્વે શ્રુતજ્ઞાનના ઉત્પાદક તીર્થકરોને નમસ્કાર કરાય છે. વળી, શ્રુતજ્ઞાનની સ્તુતિ કરતાં પૂર્વે તેના ઉત્પાદક તીર્થકરોને નમસ્કાર કરું છું એમ કહ્યું એનાથી સર્વથા અપૌરુષેય વચનનો નિરાસ થાય છે.
તેથી એ ફલિત થાય કે કથંચિત્ અપૌરુષેય વચન છે, પરંતુ એકાંત અપૌરુષેય વચન નથી, જેમ વચનના પુદ્ગલો જગતમાં વિદ્યમાન હતા, તે પુદ્ગલો ભાષાવર્ગણારૂપે પુરુષના પ્રયત્નથી થયા નથી તે અપેક્ષાએ તે વચનના પુદ્ગલો અપૌરુષેય છે અને ઉપન્નઇ વા, વિગમેઇ વા, ધુવેઇ વા એ પ્રકારના વચનપ્રયોગથી શ્રુતજ્ઞાનનું ભગવાને પ્રકાશન કર્યું તે અપેક્ષાએ તે શ્રુતજ્ઞાનનાં વચનો પૌરુષેય છે અને જેઓ વેદવચનને સર્વથા અપૌરુષેય માને છે તેઓ અર્થના જ્ઞાનના કારણભૂત શબ્દરૂપ પ્રકાશન પ્રકારથી પણ આગમને અપૌરુષેય સ્વીકારે છે, તેથી તે આગમ વચન કહેનાર કોઈ પુરુષ નથી તેમ માને છે તેનું નિરાકરણ થાય છે; કેમ કે આગમ વચન કહેનારા તીર્થકરો છે તેઓને હું નમસ્કાર કરું છું તેમ કહેવાથી તીર્થકરો દ્વારા આગમો કહેવાયાં છે, માટે સર્વથા અપૌરુષેય વચનરૂપ આગમ નથી તેમ સિદ્ધ થાય છે. વળી, અન્ય ગ્રંથના બળથી પણ અપૌરુષેય વચન નથી તેનું સમર્થન કરે છે – ધર્મસાર પ્રકરણમાં કોનું વચન પ્રમાણ છે એની પરીક્ષા કરાયેલ છે, તેના કથનમાં કહેવાયું છે કે અપૌરુષેય વચન સંભવતું નથી, જેમ વંધ્યાનો પુત્ર, ગધેડાનું શિંગડું, તેના તુલ્ય અપૌરુષેય વચન અસત્ છે, તેથી વિદ્વાનોની સભામાં કહેવું ઉચિત નથી અર્થાત્ કોઈ પુરુષથી ન કરાયું હોય એવું અપૌરુષેય વેદવચન જ પ્રમાણ છે તેમ કહેવું ઉચિત નથી; કેમ કે “અપૌરુષેય વચન' એ પ્રકારના કથનમાં અપૌરુષેય વિશેષણ છે અને વચન વિશેષ્ય છે અને વચનનું સ્વરૂપ જ પુરુષથી કહેવાયેલું એ અર્થને બતાવે છે, તેથી અપૌરુષેય વચન પ્રમાણ છે એમ કહેવું યુક્તિયુક્ત નથી, એ કથનને જ ગ્રંથકારશ્રી સ્પષ્ટ કરે છે –
ઉક્તિ વચન છે અર્થાતું બોલવાની ક્રિયા એ વચન છે, એથી પુરુષની બોલવાની ક્રિયા સ્વરૂપ જ વચન છે અને અપૌરુષેય વચન કહેવાથી બોલવાની ક્રિયાના અભાવવાળું વચન છે તેમ પ્રાપ્ત થાય. તે કઈ રીતે કહી શકાય ? અર્થાત્ કહી શકાય નહિ, જેમ કોઈ કહે કે મારી માતા વંધ્યા છે, ત્યાં મારી માતા કહેવાથી જ તે