________________
૨૨
લલિતવિક્તા ભાગ-૩ પંજિકાઈ -
જિપૂરા .... “સાપનાર્થમિતિ | ઉચિતોમાં ઉપયોગહલવાળું આ છે, એ લલિતવિસ્તરાનું પ્રતીક છે, ઉચિતોમાં=લોકોત્તર કુશલ પરિણામનું કારણ પણું હોવાથી યોગ્ય એવા વૈયાવચ્ચ કરનારા દેવામાં, ઉપયોગ ફલવાળું=પ્રણિધાનના પ્રયોજનવાળું, આ=ચૈત્યવંદન છે, એ અર્થના જ્ઞાપન માટે વૈયાવચ્ચગરાણં સૂત્ર બોલે છે.
સૂત્ર :
वेयावच्चगराणं संतिगराणं सम्मदिद्विसमाहिगराणं
करेमि काउस्सग्गमित्यादि यावद्वोसिरामि। . સૂત્રાર્થ -
વૈયાવચ્ચને કરનારા, શાંતિને કરનારા, સમ્યગ્દષ્ટિ જીવની સમાધિને કરનારાઓ સંબંધી કાર્યોત્સર્ગને હું કહું છું ઈત્યાદિથી માંડીને સિરામિ સુધી બોલે છે. લલિતવિસ્તરા -
व्याख्या-पूर्ववत्: नवरं वैयावृत्त्यकराणां प्रवचनार्थं व्यापृतभावानां यथाऽम्बाकूष्माण्ड्यादीनां, शान्तिकराणां क्षुद्रोपद्रवेषु सम्यग्दृष्टीनां सामान्येनान्येषां समाधिकराणां, स्वपरयोस्तेषामेव स्वरूपमेतदेवैषामिति वृद्धसंप्रदायः, एतेषां संबन्धिनं, सप्तम्यर्थे वा षष्ठी, एतिद्वषयम् एतान् आश्रित्य, करोमि कायोत्सर्गमिति, कायोत्सर्गविस्तरः पूर्ववत् स्तुतिश्च। લલિતવિસ્તરાર્થ :
વ્યાખ્યા પૂર્વની જેમ છે પૂર્વમાં અન્નત્ય સૂત્રની વ્યાખ્યા કરી છે તે પ્રમાણે છે, કેવલ વૈયાવચ્ચને કરનારા=પ્રવચનના પ્રયોજન માટે વ્યાપારવાળા જે પ્રમાણે અંબા-ખાડી આદિ દેવીઓ છે તેઓના સંબંધી કાયોત્સર્ગને હું કરું છું એમ અન્વય છે, ક્ષુદ્ર ઉપદ્રવોમાં શાંતિને કરનારા સામાન્યથી અન્ય એવા સમ્યગ્દષ્ટિઓની સમાધિને કરનારા દેવો સંબંધી કાઉસ્સગ્નને હું કરું છું એમ અન્વય છે.
સમ્યગ્દષ્ટિ જીવોને સમાધિને કરનાર છે તેના વિષયમાં વૃદ્ધ સંપ્રદાય શું છે? તે સ્પષ્ટ કરે છે – ' સ્વપરનું સમાધિકરણપણે તેઓનું જ=સમ્યગ્દષ્ટિ જીવોનું જ, વરૂપ છે એ જ આમનું સમ્યગ્દષ્ટિ દેવોનું સ્વરૂપ છે એ પ્રમાણે વૃદ્ધ સંપ્રદાય છે, અહીં સ્વપરવો પછી સમાધિત્વ શબ્દ હોવાની સંભાવના છે, તે પ્રમાણે અર્થ કરેલ છે. આમના સંબંધી-વૈયાવચ્ચ કરનારા અને સમ્યગ્દષ્ટિઓની સમાધિને કરનારા દેવો સંબંઘી, કાઉસ્સગ્નને હું કરું છું એમ અન્વય છે, અથવા સપ્તમીના અર્થમાં ષષ્ઠી વિભક્તિ છે-વૈયાવચ્ચગરાણ સંતિગરાણું સમ્મિિટ્રકસમાહિગરાણ એ પદોમાં