________________
૨૩૫
જયવીયરાય સૂત્ર આદિ સર્વ સંપૂર્ણ થાવ, આટલા કલ્યાણની પ્રાપ્તિમાં અત્યાર સુધી ભવનિર્વેદ આદિની યાચના કરી એટલા કલ્યાણની પ્રાપ્તિમાં, શીધ્ર જ નિયમથી મોક્ષ છે અને અચિંત્યચિંતામણિ એવા ભગવાનના પ્રભાવથી આ=પ્રસ્તુત સૂત્ર દ્વારા ભગવાન પાસે યાચન, ફળે છે=પ્રાપ્ત થાય છે, એ પ્રમાણે બે ગાથાનો અર્થ છે. પંજિકા -
'अतो'हीत्यादि, अतः इष्टफलसिद्धेः, हिः यस्माद्, इच्छाविघाताभावेन अभिलाषभङ्गनिवृत्त्या किमित्याह- सौमनस्य-चित्तप्रसादः, ततः सौमनस्याद्, उपादेयादरः, उपादेये-देवपूजनादौ, आदरः प्रयत्नः, अन्यथापि कस्यचिदयं स्यादित्याशङ्क्याह- न तु-न पुनः, अयम् उपादेयादरः, अन्यत्र जीवनोपायादौ, अनिवृत्तौत्सुक्यस्य-अव्यावृत्ताकाङ्क्षातिरेकस्येति, तदौत्सुक्येन चेतसो विह्वलीकृतत्वात्। પંજિકાર્ય :
ગતો હીત્યાદિ .... વિદ્વત્ની તત્વાન્ | ગોહીત્યાદિ લલિતવિસ્તરાનું પ્રતીક છે, કિજે કારણથી, આનાથી=ઈષ્ટ લસિદ્ધિથી, ઈચ્છાના વિઘાતનો અભાવ હોવાથી અભિલાષના ભંગની નિવૃત્તિ હોવાથી અભિલાષ પૂર્ણ થવાથી, શું એથી કહે છે – સૌમનસ્પ=ચિતનો પ્રસાદ થાય છે, તેના કારણે=સૌમનસ્યને કારણે, ઉપાદેયમાં આદર થાય છે–દેવપૂજનાદિમાં પ્રયત્ન થાય છે, અન્યથા પણ=પોતાની ઈચ્છાઓ પૂર્ણ થયેલી ન હોય તોપણ, કોઈક જીવને આ=દેવપૂજનાદિમાં આદર, થાય એ પ્રકારની આશંકા કરીને કહે છે – આ=ઉપાદેયમાં આદર=જિનપૂજાદિમાં યત્ન, અન્યત્ર જીવનના ઉપાય આદિમાં, અતિવૃત સુક્વવાળા જીવને અવ્યાવૃત આકાંક્ષાના અતિરેકવાળા જીવને, નથી= બાહ્યથી ઉપાદેયમાં યત્ન થાય તો પણ પરમાર્થથી જિનગણમાં ચિતનું યોજન થાય તે રીતે યત્ન થાય નહિ; કેમ કે તેના સુજ્યથી=પોતાને જે સંસારી પદાર્થોની ઈચ્છા છે અને તેની પ્રાપ્તિ થઈ નથી તે વિષયક ઓસ્ક્યથી, ચિત્તનું વિઘલીકૃતપણું છે=ચિત્તનું અસ્થિરપણું છે. ભાવાર્થ :
ભગવાનના ગુણોના સ્મરણપૂર્વક ચૈત્યને વંદન કર્યા પછી ભક્તિથી અત્યંત સંભૂત હૈયાવાળા સાધુ કે શ્રાવક ભગવાન પાસે યાચના કરવા માટે પ્રથમ હે વીતરાગ ! હે જગદ્ગુરુ ! તમે જય પામો, તેમ કહે છે ત્યારે ભગવાન વીતરાગ ત્રણ જગતના ગુરુ છે તેમને ભાવથી આસન્ન કરવા માટે આ પ્રકારનું આમંત્રણ કરે છે, જેમ રાજાને પોતાને અભિમુખ કરવા માટે વ્યવહારમાં હે રાજા !તમે જય પામો, તેમ કહેવાય છે, તેમ વીતરાગ એવા જગદ્ગુરુને પોતાની બુદ્ધિમાં સન્મુખ કરવા માટે આ પ્રમાણે સાધુ કે શ્રાવક બોલે છે, તેથી ઉપયોગપૂર્વક બોલનારા મહાત્માને સાક્ષાત્ બુદ્ધિરૂપી ચક્ષુ સન્મુખ વીતરાગ જગદ્ગુરુ દેખાય છે, ત્યારપછી તેમની પાસે યાચના કરતાં કહે છે – હે ભગવન્!તમારા સામર્થ્યથી મને ભવનિર્વેદ આદિ થાવ અર્થાત્ હું તમારું નિત્ય સ્મરણ કરું છું તેના બળથી તમને અવલંબીને મારામાં તેનું સામર્થ્ય પ્રગટે, જેથી મને