SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૫ જયવીયરાય સૂત્ર આદિ સર્વ સંપૂર્ણ થાવ, આટલા કલ્યાણની પ્રાપ્તિમાં અત્યાર સુધી ભવનિર્વેદ આદિની યાચના કરી એટલા કલ્યાણની પ્રાપ્તિમાં, શીધ્ર જ નિયમથી મોક્ષ છે અને અચિંત્યચિંતામણિ એવા ભગવાનના પ્રભાવથી આ=પ્રસ્તુત સૂત્ર દ્વારા ભગવાન પાસે યાચન, ફળે છે=પ્રાપ્ત થાય છે, એ પ્રમાણે બે ગાથાનો અર્થ છે. પંજિકા - 'अतो'हीत्यादि, अतः इष्टफलसिद्धेः, हिः यस्माद्, इच्छाविघाताभावेन अभिलाषभङ्गनिवृत्त्या किमित्याह- सौमनस्य-चित्तप्रसादः, ततः सौमनस्याद्, उपादेयादरः, उपादेये-देवपूजनादौ, आदरः प्रयत्नः, अन्यथापि कस्यचिदयं स्यादित्याशङ्क्याह- न तु-न पुनः, अयम् उपादेयादरः, अन्यत्र जीवनोपायादौ, अनिवृत्तौत्सुक्यस्य-अव्यावृत्ताकाङ्क्षातिरेकस्येति, तदौत्सुक्येन चेतसो विह्वलीकृतत्वात्। પંજિકાર્ય : ગતો હીત્યાદિ .... વિદ્વત્ની તત્વાન્ | ગોહીત્યાદિ લલિતવિસ્તરાનું પ્રતીક છે, કિજે કારણથી, આનાથી=ઈષ્ટ લસિદ્ધિથી, ઈચ્છાના વિઘાતનો અભાવ હોવાથી અભિલાષના ભંગની નિવૃત્તિ હોવાથી અભિલાષ પૂર્ણ થવાથી, શું એથી કહે છે – સૌમનસ્પ=ચિતનો પ્રસાદ થાય છે, તેના કારણે=સૌમનસ્યને કારણે, ઉપાદેયમાં આદર થાય છે–દેવપૂજનાદિમાં પ્રયત્ન થાય છે, અન્યથા પણ=પોતાની ઈચ્છાઓ પૂર્ણ થયેલી ન હોય તોપણ, કોઈક જીવને આ=દેવપૂજનાદિમાં આદર, થાય એ પ્રકારની આશંકા કરીને કહે છે – આ=ઉપાદેયમાં આદર=જિનપૂજાદિમાં યત્ન, અન્યત્ર જીવનના ઉપાય આદિમાં, અતિવૃત સુક્વવાળા જીવને અવ્યાવૃત આકાંક્ષાના અતિરેકવાળા જીવને, નથી= બાહ્યથી ઉપાદેયમાં યત્ન થાય તો પણ પરમાર્થથી જિનગણમાં ચિતનું યોજન થાય તે રીતે યત્ન થાય નહિ; કેમ કે તેના સુજ્યથી=પોતાને જે સંસારી પદાર્થોની ઈચ્છા છે અને તેની પ્રાપ્તિ થઈ નથી તે વિષયક ઓસ્ક્યથી, ચિત્તનું વિઘલીકૃતપણું છે=ચિત્તનું અસ્થિરપણું છે. ભાવાર્થ : ભગવાનના ગુણોના સ્મરણપૂર્વક ચૈત્યને વંદન કર્યા પછી ભક્તિથી અત્યંત સંભૂત હૈયાવાળા સાધુ કે શ્રાવક ભગવાન પાસે યાચના કરવા માટે પ્રથમ હે વીતરાગ ! હે જગદ્ગુરુ ! તમે જય પામો, તેમ કહે છે ત્યારે ભગવાન વીતરાગ ત્રણ જગતના ગુરુ છે તેમને ભાવથી આસન્ન કરવા માટે આ પ્રકારનું આમંત્રણ કરે છે, જેમ રાજાને પોતાને અભિમુખ કરવા માટે વ્યવહારમાં હે રાજા !તમે જય પામો, તેમ કહેવાય છે, તેમ વીતરાગ એવા જગદ્ગુરુને પોતાની બુદ્ધિમાં સન્મુખ કરવા માટે આ પ્રમાણે સાધુ કે શ્રાવક બોલે છે, તેથી ઉપયોગપૂર્વક બોલનારા મહાત્માને સાક્ષાત્ બુદ્ધિરૂપી ચક્ષુ સન્મુખ વીતરાગ જગદ્ગુરુ દેખાય છે, ત્યારપછી તેમની પાસે યાચના કરતાં કહે છે – હે ભગવન્!તમારા સામર્થ્યથી મને ભવનિર્વેદ આદિ થાવ અર્થાત્ હું તમારું નિત્ય સ્મરણ કરું છું તેના બળથી તમને અવલંબીને મારામાં તેનું સામર્થ્ય પ્રગટે, જેથી મને
SR No.022465
Book TitleLalit Vistara Part 03
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages292
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy