Book Title: Lalit Vistara Part 03
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 255
________________ ૨૩૪ લલિતવિસ્તરા ભાગ-૩ તત્ત્વથી અયત્નપણું છે=સ્થૂલથી ધર્મની આચરણા હોવા છતાં મોક્ષને અનુકૂળ ધર્મની નિષ્પત્તિના અકારણરૂપ યત્ન હોવાથી અયત્નપણું છે, નિર્જીવ યિાતુલ્ય આ છે=ધર્મનો યત્ન છે, અને માર્ગાનુસારિતા મને પ્રાપ્ત થાવ એમ અન્વય છે=અસગ્રહના વિજયથી તત્ત્વ અનુસારિતા એ પ્રકારનો અર્થ છે=તત્ત્વને જોવાને અનુકૂળ જે બુદ્ધિ છે તેમાં અસદ્ આગ્રહ બાધક છે તેના વિજયથી તત્ત્વ અનુસારિતા માર્ગાનુસારિતા છે અને ઈષ્ટ ફલની સિદ્ધિ=અવિરોધી ફલની નિષ્પત્તિ=આત્મકલ્યાણમાં વિઘ્ન ન કરે તેવા અને આત્મકલ્યાણમાં સહાયક થાય તેવા અનુકૂળ સંયોગરૂપ ફલની નિષ્પત્તિ ઇષ્ટ ફ્લસિદ્ધિ છે, =િજે કારણથી, આનાથી ઇચ્છાના વિઘાતનો અભાવ થવાને કારણે સૌમનસ્ય છે=પોતાને જે ઈચ્છા હતી તેવા ઇષ્ટ ફળની સિદ્ધિ થવાથી ઈચ્છાના વિઘાતનો અભાવ થાય છે તેથી ચિત્ત અવ્યાકુળતારૂપ સૌમનસ્યને પ્રાપ્ત કરે છે, તેથી ઉપાદેયમાં આદર થાય છે=યત્ન થાય છે, વળી, આ=ઉપાદેયમાં આદર, અન્યત્ર=જીવનના ઉપાય આદિમાં, અનિવૃત્ત ઓત્સુક્યવાળા જીવને નથી=ઉપાદેયમાં યત્ન થતો નથી, એથી આ પણ=જીવનના ઉપાયભૂત ઈષ્ટ ફલની સિદ્ધિ પણ, ભગવાનના પ્રભાવથી ઇચ્છાય છે એ પ્રમાણે વિદ્વાનજનનો વાદ છે, અને લોકવિરુદ્ધનો ત્યાગ=લોકના સંક્લેશના કરણથી તેના અનર્થના યોજનને કારણે અર્થાત્ લોકોમાં અનર્થના યોજનને કારણે આ મોટું અપાય સ્થાન છે અર્થાત્ લોકવિરુદ્ધ આચરણ એ મોટા અનર્થનું કારણ છે માટે લોકવિરુદ્ધનો ત્યાગ કરવો જોઈએ એમ અન્વય છે, અને ગુરુજનની પૂજા=માતા-પિતા આદિની પૂજા એ પ્રકારનો ભાવ છે, અને પરાર્થકરણ= જીવોના પ્રયોજનનું કરણ, આ=પરાર્થકરણ એ, જીવલોકનો સાર પૌરુષ ચિહ્ન છે, આટલું લૌકિક સૌંદર્ય હોતે છતે=ભવનિર્વેદથી માંડીને પરાર્થકરણની માંગણી કરી એટલું લૌકિક સૌંદર્ય હોતે છતે, લોકોત્તર ધર્મનો અધિકારી થાય છે=લૌકિક સૌંદર્યની પ્રાપ્તિ દ્વારા જીવ લોકોત્તર ધર્મનો અધિકારી થાય છે, આથી કહે છે=લોકોત્તર ધર્મની પ્રાપ્તિ માટે કહે છે · શુભ ગુરુનો યોગ=વિશિષ્ટ ચારિત્રયુક્ત આચાર્યનો સંબંધ=પરમગુરુના વચનાનુસાર સ્વયં મોક્ષમાર્ગમાં પ્રસ્થિત હોય અને યોગ્ય જીવોને મોક્ષમાર્ગમાં પ્રવર્તાવે એવા વિશિષ્ટ ચારિત્રયુક્ત આચાર્યનો સંબંધ, અન્યથા=લૌકિક સૌંદર્યની પ્રાપ્તિ થયા વગર શુભગુરુનો યોગ થાય તો, અપાંતરાલમાં=રોગનાશને અનુકૂળ યત્નનો પ્રારંભ કરવાના યત્નની મધ્યમાં, દોષવાળાને પથ્યના લાભ તુલ્ય=શરીરમાં દોષવાળા પુરુષને પથ્ય અન્નનો લાભ થાય તેના જેવો, આ=શુભગુરુનો યોગ છે, એથી અયોગ જ છે અને તેમના વચનની સેવા=યથાઉદિત એવા ગુરુના વચનની સેવા=પૂર્વમાં જેવા પ્રકારના શુભગુરુ કહ્યા તેવા શુભગુરુના વચનની સેવા, મને તમારા પ્રસાદથી પ્રાપ્ત થાવ એમ અન્વય છે. - કેમ તેમના વચનની સેવા મને પ્રાપ્ત થાવ ? એથી કહે છે આ=શુભગુરુ, ક્યારેય અહિતને કહે નહિ, એથી તેમના વચનની સેવા મને પ્રાપ્ત થાવ એમ કૃતિનું યોજન છે, એક વખત નહિ, વળી, અલ્પકાળ નહિ એથી કહે છે જ્યાં સુધી ભવ છે ત્યાં સુધી અખંડ=જ્યાં સુધી જન્મ છે અથવા જ્યાં સુધી સંસાર છે ત્યાં સુધી મને સંપૂર્ણ, થાવ=ભવનિર્વેદ =

Loading...

Page Navigation
1 ... 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292