________________
૨૬૨
લલિતવિસ્તા ભાગ-૩
પંજિકાર્ચ -
ર્વ=પ્રસ્થા ....... ગતિર્મિ:, “તિ' આ રીતે=પ્રસ્થક દગંતની જેમ, આનાથી જ=જૈનદર્શનથી જ, વિવિગત પૃથભૂત=નીકળેલાં, તે તે દર્શનો પ્રવાદો, તેના અનુસારથી-તેમાં કહેવાયેલો સર્વ દાંતસમૂહ, આ દર્શનમાં=જેવદર્શનમાં, યોજવો, કેવા પ્રકારનો વિશિષ્ટ દષ્ટાંતસમૂહ ? એથી કહે છે – ઊંઘમાં શણગારાયેલાને જાગે ત્યારે શણગારનું દર્શન આદિ દષ્ઠતો યોજવાં, જે પ્રમાણે – સૂતેલા છતાં કોઈક કેસર આદિથી શણગારાયેલાને પ્રબોધમાં=વિદ્રાના અપગમમાં, અન્યથા થયેલા અને સુંદર એવા પોતાનું દર્શન અવલોકન, આશ્ચર્યકારી થાય છે તે પ્રકારે વિચિત્ર ગુણથી અલંકૃત અનાભોગવાળા અપનબંધકને સમ્યગ્દર્શન આદિના લાભકાળમાં પોતાનું વિસ્મયકારી દર્શન થાય છે, ગરિ શબ્દથી સુતામજિત થનારમાં રહેલા પાલિ શબ્દથી, સૂતેલા છતાં તાવ આદિથી સમુદ્રને ઊતરેલા પોતાને બોધમાં પણ=જાગ્રત અવસ્થામાં પણ, તરેલાનું દર્શન આદિ ગ્રાહા છેતરેલાનું દર્શન વિસ્મયકારી થાય તેનું ગ્રહણ છે,
દાણંતિકની સિદ્ધિ માટે કહે છે અપુનબંધકમાં સુપ્તમંડિત પ્રબોધ દર્શન આદિ દાંતની પ્રસ્થક ચાય દ્વારા સિદ્ધિ માટે કહે છે – =જે કારણથી, આ રીતે પ્રસ્થકકતના ન્યાયથી પ્રવર્તમાન અપુનબંધકઆઘભૂમિકાની ધર્મપ્રવૃત્તિમાં પ્રવર્તતો અપુનબંધક, ઈષ્ટ સાધક=પ્રસ્થકતુલ્ય સમ્યક્ત આદિનો સાધક, નથી થતો જ એમ નહિ જ, પરંતુ સાધક જ થાય છે, અપુનબંધકના જ લક્ષણને
છે – ભગ્ન પણ અપુનબંધકને ઉચિત આચાસ્થી કોઈક રીતે ચુત થયેલો પણ, આ યત્નલિંગવાળોઃ ફરી પોતાના ઉચિત આચારોમાં પ્રયત્નવાળો, અપુનબંધક છે=આદિ ધાર્મિક છે. ભાવાર્થ
પૂર્વમાં ચૈત્યવંદનની સિદ્ધિ માટે તેત્રીશ કર્તવ્યો બતાવ્યાં અને તેવાં કર્તવ્યોમાં યત્ન કરનારની સર્વ પ્રવૃત્તિ સુંદર હોય છે તેમ બતાવ્યું અને કહ્યું કે આવા જીવો નિયમથી માર્ગાનુસારી અપુનબંધકાદિ હોય છે. ત્યારપછી અપુનબંધકની પ્રવૃત્તિ આદિથી માંડીને પ્રસ્થક પ્રવૃત્તિ જેવી નૈગમ અનુસાર હોય છે તેમ બતાવ્યું. તેની પ્રવૃત્તિ આદિથી માંડીને તત્ત્વને અભિમુખ કેમ હોય છે તેમાં કહ્યું કે તેનું તત્ત્વ અવિરોધક હૃદય છે, તેથી તેની સર્વ પ્રવૃત્તિમાં સમતભદ્રતા છે. હવે તેઓની પ્રસ્થક ન્યાયથી સમંતભદ્રતા કઈ રીતે છે? તે સ્પષ્ટ કરવા માટે કહે છે –
મોક્ષમાર્ગને કહેનારાં અન્ય દર્શનો છે તે સર્વ જૈનદર્શનમાંથી જ પૃથફ થયેલાં છે; કેમ કે ઋષભદેવ ભગવાને સન્માર્ગનું સ્થાપન કર્યું તેના પૂર્વે લોકમાં મોક્ષ અને મોક્ષમાર્ગ વિષયક કોઈ પ્રવૃત્તિ ન હતી, અને ઋષભદેવ ભગવાને મોક્ષમાર્ગ કહ્યો અને નયોને અવલંબીને દેશના આપી, તેમાંથી તે તે નયને અવલંબીને મોક્ષમાર્ગને કહેનારાં દર્શનો પ્રગટ થયાં, તેથી જૈનદર્શનમાંથી જ તે તે દર્શનો પૃથફ થયાં છે અને તે દર્શનો મોક્ષમાર્ગમાં પ્રસ્થિત જીવ આદ્યભૂમિકામાં કેવો હોય છે તેને બતાવવા માટે સુપ્તમંડિત પ્રબોધદર્શન આદિ