Book Title: Lalit Vistara Part 03
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 271
________________ લલિતવિસ્તરા ભાગ-૩ ૨૫૦ साधुविशेषः ११. श्रोतव्यं विधिना धर्मशास्त्रं १२. भावनीयं महायत्नेन १३. प्रवर्तितव्यं विधानतः १४. अवलम्बनीयं धैर्यं १५. पर्यालोचनीया आयतिः १६. अवलोकनीयो मुत्युः १७. भवितव्यं परलोकप्रधानेन १८. सेवितव्यो गुरुजनः १९. कर्त्तव्यं योगपटदर्शनं २०. स्थापनीयं तद्रूपादि चेतसि २१. निरूपयितव्या धारणा २२. परिहर्त्तव्यो विक्षेपमार्गः २३. यतितव्यं योगसिद्धौ २४. कारयितव्या भगवत्प्रतिमाः २५. लेखनीयं भुवनेश्वरवचनं २६. कर्त्तव्यो मङ्गलजापः २७. प्रतिपत्तव्यं चतुःशरणं २८. गर्हितव्यानि दुष्कृतानि २९. अनुमोदनीयं कुशलं ३०. पूजनीया मन्त्रदेवताः ३१. श्रोतव्यानि सच्चेष्टितानि ३२. भावनीयमौदावें ३३. वर्तितव्यमुत्तमज्ञातेन। લલિતવિસ્તરાર્થ આની સિદ્ધિ માટે પ્રણિધાન અંતવાળા ચૈત્યવંદનની સિદ્ધિ માટે, યત્ન કરવો જોઈએ. શેમાં યત્ન કરવો જોઈએ ? તે બતાવતાં કહે છે – આદિ કર્મમાં યત્ન કરવો જોઈએ, અકલ્યાણમિત્રના યોગનો ત્યાગ કરવો જોઈએ, કલ્યાણમિત્રોને સેવવા જોઈએ, ઉચિત સ્થિતિનું ઉલ્લંઘન કરવું જોઈએ નહિ=પોતાની ભૂમિકા પ્રમાણે જે ઉચિત કૃત્ય હોય તેનું ઉલ્લંઘન કરવું જોઈએ નહિ, લોકમાર્ગની અપેક્ષા રાખવી જોઈએ, ગુરુના સમુદાયને માન આપવું જોઈએ, એમના પરતંત્રપણાથી થવું જોઈએ, દાનાદિમાં પ્રવર્તવું જોઈએ, ભગવાનની ઉદારપૂજા કરવી જોઈએ, સાધવિશેષ નિરૂપણ કરવું જોઈએ=સુંદર પુરુષોનું અનુસરણ કરવું જોઈએ, વિધિથી ધર્મશાસ્ત્ર સાંભળવાં જોઈએ, મહાયત્નથી ભાવન કરવું જોઈએ=ધર્મશાસ્ત્રથી થયેલા બોધને મહાયત્નથી ભાવન કરવો જોઈએ, વિધાનથી પ્રવર્તવું જોઈએ=બોઘ થયા પછી સ્વભૂમિકા અનુસાર ઉચિત કૃત્યમાં પ્રવર્તવું જોઈએ, ઘેર્યનું અવલંબન કરવું જોઈએ=ગુણવૃદ્ધિમાં કષ્ટસાધ્યતા જાણીને ઘેર્ય રહિત થવું જોઈએ નહિ, પરંતુ ઘેર્યનું અવલંબન લઈને ચત્ન કરવો જોઈએ, ભવિષ્યનું પર્યાલોચન કરવું જોઈએ અર્થાત્ જો હું પ્રમાદ કરીશ તો ભવિષ્યમાં મારું અહિત થશે, તેથી ભવિષ્યનો વિચાર કરીને પિતાનુકૂળ પ્રવૃત્તિ કરવી જોઈએ, મૃત્યુનું અવલોકન કરવું જોઈએ=પ્રતિક્ષણ મૃત્યુ નજીક નજીક થાય છે અને ક્યારે મૃત્યુ થશે તે નિર્ણાત નથી તેનું અવલોકન કરવું જોઈએ, જેથી અપ્રમાદની વૃદ્ધિ થાય, પરલોક પ્રધાનરૂપે થવું જોઈએ=માત્ર વર્તમાનભવની વિચારણા કરીને અને પરલોકને ગૌણ કરીને પ્રયત્ન કરવો જોઈએ નહિ, પરંતુ પરલોકમાં હિત થાય તેની પ્રધાનતાથી જીવન જીવવું જોઈએ, ગુરુજનનીeગુણસંપન્ન જીવોની સેવા કરવી જોઈએ, યોગપટનું દર્શન કરવું જોઈએ=અપુનબંધકથી યોગનિરોધ અવસ્થા સુધીના અંતરંગ પરિણામરૂપ અને તેને અનુરૂપ ઉચિત બાહ્ય કૃત્યરૂપ યોગપટ તેનું સૂક્ષ્મબુદ્ધિથી અવલોકન કરવું જોઈએ, તેના રૂપાદિ ચિત્તમાં સ્થાપન કરવા જોઈએ=યોગપટનું જે દર્શન કર્યું તેમાં વર્તતા ભાવોના સ્વરૂપને ચિત્તમાં સ્થાપન કરવું જોઈએ, ધારણા કરવી જોઈએ યોગમાર્ગના જે જે

Loading...

Page Navigation
1 ... 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292