________________
૨૩૯
જયવીયરાય સૂત્ર विधिपरा उचितवृत्तयश्चोक्तलिङ्गा एव, प्रणिधानलिङ्गं तु विशुद्धभावनादिः यथोक्तं, 'विशुद्धभावनासारं, तदर्थापितमानसम्। यथाशक्तिक्रियालिग, प्रणिधानं मुनिर्जगौ।।१।।' इति। स्वल्पकालमपि शोभनमिदं, सकलकल्याणाक्षेपात्। લલિતવિસ્તરાર્થ:
બધા શુભાનુષ્ઠાનનું કારણ આ=પ્રસ્તુત વાચન, અપવર્ગના ફલવાળું જ છે, અનિદાન છે; કેમ કે તેના લક્ષણનો અયોગ છેઃનિદાનના લક્ષણનો અયોગ છે એ પ્રમાણે પૂર્વમાં લોગસ્સ સૂત્રની છઠી ગાથામાં બતાવાયેલું છે, અસંગમાં આસક્ત ચિત્તનો વ્યાપાર આ મહાન છે અને પ્રણિધાન વગર પ્રવૃત્તિ આદિ નથી, એ રીતે=પ્રણિધાનથી પ્રવૃત્તિ આદિ થાય છે એ રીતે, આ= પૂર્વમાં કરેલું યાચન, કર્તવ્ય જ છે, રૂતિ શબ્દ પ્રસ્તુત પ્રાર્થન કેમ કરવું જોઈએ? તે કથનની સમાપ્તિ અર્થક છે, પ્રણિધાન, પ્રવૃત્તિ, વિધ્વજય, સિદ્ધિ, વિનિયોગનો ઉત્તરોતર ભાવ હોવાથી આશયને અનુરૂપ કર્મબંધ છે, એથી ખરેખર ! તેના વિપાકથી=પ્રણિધાનરૂપ યાચના કરવાથી બંધાયેલા કર્મના વિપાકથી, આની અસિદ્ધિ નથી–ઉત્તરોતર શુભ અનુષ્ઠાનની અસિદ્ધિ નથી, આ શુભ કર્મના વિપાકથી ઉત્તરોત્તર શુભ અનુષ્ઠાન થાય છે એ, યુક્તિથી અને આગમથી સિદ્ધ છે, અન્યથા શુભ કર્મના વિપાકથી ઉત્તર-ઉત્તરના શુભ અનુષ્ઠાનની પ્રાપ્તિ થતી ન હોય તો પ્રવૃત્તિ આદિનો અયોગ છે; કેમ કે ઉપયોગનો અભાવ છે. (ઉપાયનો અભાવ છે.) નોંધ:પુસ્તકમાં ૩યોમાવા એ પ્રકારનો પાઠ છે પરંતુ સંદર્ભથી પાયામાવા પાઠ હોવાની સંભાવના છે.
અનધિકારીને આ=પ્રણિધાન, નથી અને આના અધિકારી=પ્રણિધાનના અધિકારી, જે જ વંદનાના કહેવાયા છે=વંદનાના અધિકારી કહેવાયા છે તે જ છે, તે આ પ્રમાણે – આના બહમાનવાળા વિધિમાં તત્પર અને ઉચિત પ્રવૃત્તિવાળા ઉક્ત લિંગવાળા જ છે ધર્મના અધિકારી જે અર્થી-સમર્થ આદિ લિંગવાળા કહ્યા છે તે ઉક્ત લિંગવાળા જ છે, વળી, પ્રણિધાનનું લિંગ વિશુદ્ધ ભાવનાદિ છે, જે પ્રમાણે કહેવાયું છે – મુનિએ વિશુદ્ધ ભાવનાસાર તદ્ અર્થમાં અર્પિત માનસવાળા યથાશક્તિ ક્રિયા લિંગવાળા પ્રણિધાનને કહ્યું છે. સ્વલ્પ કાળવાળું પણ જયવીયરાય સૂત્ર બોલતી વખતે થતા અલ્પ કાળવાળું પણ, આ પ્રણિધાન શોભન છે; કેમ કે સકલ કલ્યાણનો આક્ષેપ છે.
પંજિકા–
'स्वल्पेत्यादि, स्वल्पकालमपि-परिमितमपि कालं, शोभनम् उत्तमार्थहेतुतया, इदं-प्रणिधानम्, कुत इत्याह- सकलकल्याणाक्षेपात्-निखिलाभ्युदयनिःश्रेयसावन्थ्यनिबन्धनत्वात्। પંજિકાર્ય - “જેહિ .. નિન્યનત્વાન્ શ્વેત્યાદિ લલિતવિસ્તરાનું પ્રતીક છે, સ્વલ્પ કાળવાળું