Book Title: Lalit Vistara Part 03
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 267
________________ ૨૪૬ લલિતવિસ્તરા ભાગ-૩ લલિતવિસ્તરા : न हि समग्रसुखभाक् तदङ्गहीनो भवति, तद्वैकल्येऽपि तद्भावेऽहेतुकत्वप्रसङ्गात्। न चैतदेवं भवतीति योगाचार्यदर्शनम्, 'सेयं भवजलधिनौः प्रशान्तवाहिते ति परैरपि गीयते, 'अस्य अज्ञातज्ञापनफलः सदुपदेशो हृदयानन्दकारी परिणमत्येकान्तेन, ज्ञाते त्वखण्डनमेव भावतः, अनाभोगतोऽपि मार्गगमनमेव सदन्धन्यायेन' इत्यध्यात्मचिन्तकाः। तदेवंविधशुभफलप्रणिधानपर्यन्तं चैत्यवन्दनम्, तदनु आचार्यादीनभिवन्द्य यथोचितं करोति कुर्वन्ति वा कुग्रहविरहेण। લલિતવિસ્તરાર્થ - કિજે કારણથી, તેના અંગથી હીન=ભોગસુખના અંગથી હીન, સમગ્ર સુખને ભોગવનારો થતો નથી; કેમ કે તેના વેકલ્યમાં પણ=ભોગસુખના અંગના વૈકલ્યમાં પણ, તેના સભાવમાં=સમગ્ર સુખના સભાવમાં, અહેતુકત્વનો પ્રસંગ છે=ભોગના અંગોને ભોગના અહેતુક સ્વીકારવાનો પ્રસંગ છે, અને આ=પ્રણિધાન, આવું થતું નથી=કલ્યાણના સર્વ અંગોનું કારણ ન બને એવું થતું નથી, એ પ્રમાણે યોગાચાર્યને દર્શન છે-એ પ્રમાણે યોગાચાર્યોને દેખાય છે, તે આ=પ્રણિધાન, ભવસમુદ્રમાં નાવ છે, પ્રશાંતવાહિતા છે એ પ્રમાણે બીજા વડે પણ કહેવાય છે, આને=પ્રણિધાન કરનારા મહાત્માને, અજ્ઞાતના જ્ઞાપનના ફલવાળો હૃદયના આનંદને કરનારો સદુપદેશ એકાંતથી પરિણમન પામે છે, જ્ઞાત થયે છતેaઉપદેશ દ્વારા ઉત્તર ઉત્તરના યોગમાર્ગમાં જવાને અનુકૂળ માર્ગ જ્ઞાત થયે છતે, ભાવથી અખંડન જ છે દ્રવ્યથી કવચિદ્ર બાહ્ય અંગની વિકલતા હોય તોપણ ભાવથી તે ઉપદેશ અનુસાર ઉત્તર-ઉત્તરના યોગમાર્ગમાં અલના વગર પ્રવર્તે જ છે, અનાભોગથી પણ=સદુપદેશની અપ્રાતિને કારણે ઉત્તર ઉત્તરના ભાવ માટેના યત્નવિષયક અનાભોગથી પણ, સદંઘન્યાયથી માર્ગગમન જ છે, એ પ્રકારે અધ્યાત્મચિંતકો કહે છે, તે આવા પ્રકારના શુભ ફ્લના પ્રણિધાનના પર્યતવાળું ચૈત્યવંદન છે= પ્રસ્તુત સૂત્રમાં બતાવ્યું એવા પ્રકારના શુભ ફલવાળું પ્રણિધાન છે અંતમાં જેને એવું ચૈત્યવંદન છે, ત્યારપછી=ચૈત્યવંદન કર્યા પછી, આચાર્યાદિને વંદન કરીને ચૈત્યવંદન કરનાર મહાત્મા એક હોય તો એક અને અનેક હોય તો અનેક કુગ્રહના વિરહથી યથાઉચિત કૃત્યને કરે છે. પંજિકા - इदमेव व्यतिरेकतः प्रतिवस्तूपन्यासेनाह न-नैव, हिः यस्मात्, समग्रसुखभाक् संपूर्णवैषयिकशर्मसेवकः, तदङ्गहीनः तस्य-समग्रसुखस्य, अगानि-हेतवो वयोवैचक्षण्यदाक्षिण्यविभवौदार्यसौभाग्यादयः, तैः, हीनो-रहितो, भवति। विपक्षे बाधकमाहतवैकल्येऽपि तदङ्गाभावेऽपि, तद्भावे-समग्रसुखभावे, अहेतुकत्वप्रसङ्गात्-निर्हेतुकत्वप्राप्तेरिति,

Loading...

Page Navigation
1 ... 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292