________________
૧૧
પુષ્પરવરદી સૂત્ર પ્રવૃત્તિ કરીને વિરતિ આવારક કષાયોના નાશ માટે પ્રવૃત્તિ કરે છે અને પુનઃ પુનઃ પ્રવૃત્તિના બળથી ક્રમસર ઉપર ઉપરની ભૂમિકામાં જવામાં બાધક વિઘ્નોનો જય કરે છે અને વિધ્વજય કર્યા પછી ફરી ફરી દઢ પ્રયત્ન કરીને તે તે ગુણોને પ્રકૃતિરૂપે પ્રાપ્ત કરે છે તે સિદ્ધિરૂપ છે અને પ્રાપ્ત થયેલા ગુણોનો ઉચિત વિનિયોગ કરીને ગુણવૃદ્ધિ માટે સતત યત્ન કરે છે અને જેઓ વિવેકપૂર્વક શ્રુત ભણતા નથી તેઓનું શ્રુતના અર્થનું જ્ઞાનમાત્ર તે પ્રકારે પ્રવૃત્તિ આદિનું કારણ બનતું નથી, એથી નક્કી થાય છે કે તેઓને શ્રુતઅધ્યયનથી પણ પરમાર્થની પ્રાપ્તિ થઈ નથી; કેમ કે વિવેકનો અભાવ છે.
વળી, જેઓ વિવેકપૂર્વક શ્રુતઅધ્યયન કરે છે તેઓને જેમ પ્રવૃત્તિ આદિ સલિંગની પ્રાપ્તિ છે તેમ બોધના ભાવની વૃદ્ધિની પણ પ્રાપ્તિ છે. જે રીતે કાવ્યના ભાવને જાણનાર પુરુષ જેમ જેમ નવાં નવાં કાવ્યો ભણે તેમ તેમ કાવ્યોના સૂક્ષ્મ-સૂક્ષ્મતર રહસ્યને પ્રાપ્ત કરે છે, તે રીતે જેઓ વિવેકપૂર્વક નવું નવું શ્રુત જેમ જેમ ગ્રહણ કરે છે તેમ તેમ સૂત્રના સૂક્ષ્મ-સૂક્ષ્મતર રહસ્યને પ્રાપ્ત કરે છે. વળી, જેઓ મહામિથ્યાદૃષ્ટિ છે તેઓ શ્રુત ભણીને અંતરંગ શત્રુઓના નાશમાં પ્રવૃત્તિ આદિ કરતા નથી તેમ શ્રુતના સૂક્ષ્મ-સૂક્ષ્મતર વિશેષવિશેષતર બોધના ભાવની વૃદ્ધિ કરતા નથી, આથી જ મહામિથ્યાદૃષ્ટિને અધ્યયન આદિરૂપ શ્રતની પ્રાપ્તિ થઈ છે તે સ્પષ્ટ અપ્રાપ્તિરૂપ જ છે; કેમ કે શ્રુતપ્રાપ્તિ દ્વારા પોતાના આત્માના હિતના ઉપાયનો તેઓને યથાવત્ બોધ થતો નથી, જેમ કોઈ અતિ નિર્ભાગ્યવાળો પુરુષ કોઈક રીતે ચિંતામણિ રત્ન પ્રાપ્ત કરે, પરંતુ આ ચિંતામણિ રત્ન વિધિપૂર્વક આરાધવાથી સર્વ ઇચ્છાઓને પૂર્ણ કરે છે તેવું જ્ઞાન નહિ હોવાથી ચિંતામણિના ફળને પ્રાપ્ત કરતો નથી, આથી જ તેવો ભાગ્યહીન અયોગ્ય જીવ સામાન્ય ધનના મૂલ્યથી તે ચિંતામણિને આપી દે છે, પરંતુ ચિંતામણિના વાસ્તવિક ફળને પ્રાપ્ત કરતો નથી, તેમ મહામિથ્યાદૃષ્ટિ પણ શ્રુતની પ્રાપ્તિ કરીને તુચ્છ એવા આલોકનાં ખ્યાતિ આદિને પ્રાપ્ત કરે છે, પરંતુ શ્રતના પરમાર્થનો બોધ નહિ હોવાથી શ્રુતના વચનનું અવલંબન લઈને અંતરંગ શત્રુના ઉચ્છેદમાં યત્ન કરતો નથી, તેથી અંતરંગ શત્રુજન્ય દુઃખની પરંપરાથી તે પુરુષ આત્માનું રક્ષણ કરી શકતો નથી. લલિતવિસ્તરા -
मिथ्यादृष्टेस्तु भवेद् द्रव्यप्राप्तिः; साऽदरादिलिगा अनाभोगवती; न त्वस्यास्थान एवाभिनिवेशः, भव्यत्वयोगात्; तच्चैवलक्षणम्।
प्राप्तं चैतदभव्यैरप्यसकृत, वचनप्रामाण्यात्, न च ततः किञ्चित्, प्रस्तुतफललेशस्याप्यसिद्धेः, परिभावनीयमेतदागमज्ञैर्वचनानुसारेणेति, एवमन्येषामपि सूत्राणामर्थो वेदितव्य इति दिग्मात्रप्रदर्शनमेतत्। લલિતવિસ્તરાર્થ:- - - -
વળી, મિથ્યાદષ્ટિને દ્રવ્યપ્રાપ્તિ થાય=મિથ્યાદષ્ટિ જીવ શ્રુતઅધ્યયન કરે તોપણ મિથ્યાત મંદ હોવાથી ભાવસૃતનું કારણ બને તેવા દ્રવ્યશ્રતની પ્રાપ્તિ થાય, તે=દ્રવ્યશ્રુતની પ્રાપ્તિ, આદર આદિ લિંગવાળી અનાભોગવાળી છે, વળી, આને મિથ્યાદષ્ટિને, અસ્થાનમાં જ અભિનિવેશ