________________
૧૮૪
લલિતવિસ્તરા ભાગ-૩
તેવા મિથ્યાષ્ટિને કોઈક નિમિત્તે ભગવાનના શ્રતની પ્રાપ્તિ થાય તે કેવી છે ? તેથી કહે છે –
મિથ્યાષ્ટિને ભાવકૃતનું કારણ બને એવા પ્રકારની દ્રવ્યશ્રતની પ્રાપ્તિ છે અને એવા મંદ મિથ્યાદૃષ્ટિ જીવોને ધર્મબીજનું આધાન આદિ દ્રવ્યશ્રુતથી થાય છે, વળી, તે દ્રવ્યશ્રુતની પ્રાપ્તિ આદર આદિ લિંગવાળી અને અનાભોગવાળી છે, તેથી એ પ્રાપ્ત થાય કે મંદ મિથ્યાદૃષ્ટિ જીવોને ભગવાનના વચનાનુસાર શ્રુતઅધ્યયન આદિ ઉચિત ક્રિયાઓ કરવામાં પ્રીતિ વર્તે છે, છતાં શ્રુતના પારમાર્થિક તાત્પર્યને સ્પર્શી શકે એવા ઉપયોગથી રહિત તેઓની શ્રુતની પ્રાપ્તિ છે.
અહીં પ્રશ્ન થાય કે જેમ મિશ્રાદષ્ટિ જીવને શ્રુતના પારમાર્થિક તાત્પર્યમાં ઉપયોગ નથી તેમ મહામિથ્યાદૃષ્ટિને પણ શ્રુતના પારમાર્થિક તાત્પર્યમાં ઉપયોગ નથી, તેથી મહામિથ્યાદૃષ્ટિ અને મિથ્યાદૃષ્ટિ બંનેમાં અનાભોગ સમાન છે, તેથી મહામિથ્યાષ્ટિમાં અને મિથ્યાદૃષ્ટિમાં શું ભેદ છે ? એથી કહે છે –
મહામિથ્યાદૃષ્ટિ જીવોને અસ્થાનમાં જ અભિનિવેશ હોય છે; કેમ કે ગાઢ મિથ્યાત્વ અવસ્થામાં જીવને સંગજન્ય સુખ જ સુખ દેખાય છે, અસંગ અવસ્થામાં સુખ દેખાતું નથી, પરંતુ અસંગ અવસ્થા નિસાર છે તેમ જણાય છે, તેથી પ્રતિકૂળ સંગમાં દુઃખ અને અનુકૂળ સંગમાં સુખ એ પ્રકારની સ્થિરબુદ્ધિ વર્તે છે, તેથી અનુકૂળ સંયોગજન્ય સુખના અર્થી એવા મહામિથ્યાદૃષ્ટિ જીવો ક્વચિત્ માન-ખ્યાતિ માટે કે ક્વચિત્ દેવોમાં દેખાતા સુખ માટે પરલોક અર્થે શ્રુતઅધ્યયન આદિ કરે, પરંતુ કષાયજન્ય ક્લેશના ઉચ્છેદ માટે તેઓને ક્યારેય લેશ પણ આગ્રહ થતો નથી, જ્યારે મિથ્યાદૃષ્ટિ જીવોને અસ્થાનમાં જ અભિનિવેશ નથી, પરંતુ સ્થાનમાં પણ અભિનિવેશ છે, આથી જ મંદ મિથ્યાત્વને કારણે કષાયોની અલ્પતામાં પણ તેઓને કંઈક સુખ જણાય છે અને ક્યારેક ભૌતિક સુખોમાં પણ સુખબુદ્ધિ થાય છે, પરંતુ ભૌતિક સુખો આત્માની વિકૃતિ જ છે તેવી સ્થિરબુદ્ધિ થઈ નથી, તેથી વિકારી સુખમાં પણ સુખબુદ્ધિ કરે છે અને કંઈક વિવેકને કારણે જિનવચનાનુસાર તત્ત્વમાં પણ અભિનિવેશ કરે છે, જેનાથી મિથ્યાદૃષ્ટિ જીવોને પણ યોગબીજો આદિના ક્રમથી ગુણસ્થાનકની વૃદ્ધિ થાય છે, કેમ કે તેમાં ભાવકૃતની પ્રાપ્તિની યોગ્યતા છે. કેમ તેઓમાં ભાવશ્રુતની પ્રાપ્તિની યોગ્યતા છે? આથી કહે છે –
અસ્થાનમાં અભિનિવેશ જ તેઓને નથી=જેમ મહામિથ્યાદષ્ટિ જીવોને અસ્થાનમાં અભિનિવેશ જ એકાંતથી છે તેવો અભિનિવેશ મિથ્યાદૃષ્ટિ જીવોને એકાંતથી નથી, આથી જ સ્થાનમાં અભિનિવેશને કારણે બીજાધાન આદિની પ્રાપ્તિ થાય છે અને મિથ્યાષ્ટિમાં રહેલું ભવ્યત્વ આવા લક્ષણવાળું છે=અસ્થાનમાં અને સ્થાનમાં અભિનિવેશ સ્વભાવવાળું છે અને મહામિથ્યાષ્ટિનું સ્વરૂપ અસ્થાનમાં જ અભિનિવેશ સ્વભાવવાળું છે, એથી મહામિથ્યાદૃષ્ટિ અને મિથ્યાદૃષ્ટિનો ભેદ છે.
મહામિદૃષ્ટિને દ્રવ્યશ્રુતની પ્રાપ્તિ પણ સંભવતી નથી તે સ્પષ્ટ કરવા માટે કહે છે – એકાંત મહામિથ્યાદષ્ટિ એવા અભવ્ય જીવોએ પણ અનેક વખત શ્રતની પ્રાપ્તિ કરી છે.
અહીં પ્રશ્ન થાય કે અભવ્યોને પણ અનેક વખત શ્રતની પ્રાપ્તિ થઈ છે તે કેમ નક્કી થાય ? એથી કહે