________________
૨૦૦
લલિતવિસ્તરા ભાગ-૩
સૂત્રાર્થ -
જે દેવના પણ દેવ છે, જેને દેવેં અંજલીપૂર્વક નમસ્કાર કરે છે, દેવેંના દૈવથી પૂજાયેલા તે મહાવીર સ્વામીને હું મસ્તકથી વંદન કરું છું. I લલિતવિસ્તરા :
अस्य व्याख्या-यो भगवान् वर्द्धमानः, देवानामपि-भवनवास्यादीनां, देवः पूज्यत्वात्, तथा चाह- यं देवाः प्राञ्जलयो नमस्यन्ति-विनयरचितकरपुटाः सन्तः प्रणमन्ति, तं देवदेवमहितं देवदेवाः-शक्रादयः, तैर्महितः पूजितः, सिरसा उत्तमाङ्गेनेत्यादरप्रदर्शनार्थमाह, वन्दे, कं? महावीरं ईर गतिप्रेरणयोरित्यस्य विपूर्वस्य विशेषेण ईरयति कर्म गमयति, याति चेह शिवमिति वीरः, महांश्चासौ वीरश्च महावीरः। उक्तं च'विदारयति यत्कर्म तपसा च विराजते । तपोवीर्येण युक्तश्च, तस्माद् वीर इति स्मृतः ।।१।।' तम् ।।२।। લલિતવિસ્તરાઈ -
આની વ્યાખ્યા=ગાથાની વ્યાખ્યા – જે ભગવાન વર્ધમાન સ્વામી દેવોના પણ=ભવનવાસી આદિના પણ, દેવ છે; કેમ કે પૂજ્યપણું છે દેવોથી પણ વીર ભગવાનનું પૂજ્યપણું છે, અને તે રીતે કહે છે=ભગવાન દેવોને પણ પૂજ્ય છે તે રીતે કહે છે. જેને પ્રાંજલીવાળા દેવો નમસ્કાર કરે છે=વિનયથી રચિત કરપુટવાળા છતાં પ્રણામ કરે છે, દેવદેવથી મહિત એવા તેમને–દેવોના દેવ શક્ર આદિ તેઓથી મહિત અર્થાત્ પૂજિત એવા તેમને, મસ્તકથી–ઉત્તમાંગથી, એ પ્રકારે આદર દેખાડવા માટે કહે છે, હું વંદન કરું છું, કોને મહાવીર સ્વામીને, મહાવીર શબ્દની વ્યુત્પત્તિ કરે છે – { ધાતુ ગતિ અને પ્રેરણા અર્થમાં છે, આનો લવ પૂર્વક ર ધાતુનો, વિશેષથી ગતિ કરે છેઃ કર્મનો નાશ કરે છે એ ગતિ અર્થમાં છે. હવે પ્રેરણા અર્થવાળા ર ધાતુનો અર્થ કરે છે –
અને અહીં=જગતમાં, શિવને પ્રાપ્ત કરે છે એ વીર, મહાન એવા આ વીર મહાવીર અને કહેવાયું છે – જે કારણથી કર્મને વિદારણ કરે છે અને તપથી શોભે છે અને તપ-વીર્યથી યુક્ત છે, તે કારણથી વીર એ પ્રમાણે કહેવાયા છે. તેમને હું વંદન કરું છું એમ અન્વય છે. ||રા. ભાવાર્થ :
સિદ્ધોને નમસ્કાર કર્યા પછી સિદ્ધ અવસ્થાની પ્રાપ્તિમાં પ્રબળ કારણભૂત માર્ગને બતાવનારા આસન્ન ઉપકારી પરમગુરુને નમસ્કાર કરે છે, તેનાથી ભગવાનનું વચન સમ્યફ પરિણમન પામે, જેથી શીધ્ર સિદ્ધ અવસ્થાની પ્રાપ્તિ થાય.