________________
સિદ્ધાણં બુદ્ધાણં સૂત્ર
નહિ=કામના સેવનના પરિણામના ઉપશમવાળી નથી એમ નહિ, કેટલીક સ્ત્રીઓ ઉપશાંતમોહવાળી પણ સંભવે છે; કેમ કે તે પ્રકારે દર્શન છે=કેટલીક સ્ત્રીઓમાં કામના વિકારો શાંત થયેલા દેખાય છે, ઉપશાંતમોહવાળી પણ અશુદ્ધ આચારવાળી ગર્ભિત છે=કામના વિકાર શાંત થયેલા હોય છતાં સંયમના અન્ય આચારો અશુદ્ધ સેવતી હોય એવી સ્ત્રીઓ મોક્ષ સાધવા માટે નિંદિત છે અર્થાત્ અસમર્થ છે, તેના પ્રતિક્ષેપ માટે=સ્ત્રીઓમાં મોક્ષને અનુકૂળ શુદ્ધ આચારોનો અભાવ છે તેના પ્રતિષેધ માટે, કહે છે શુદ્ધ આચારવાળી નથી એમ નહિ, કેટલીક શુદ્ધ આચારવાળી પણ છે; કેમ કે ઔચિત્યથી પરના અપકારકરણનું વર્જન આદિ આચારોનું દર્શન છે, શુદ્ધ આચારવાળી પણ સ્ત્રી અશુદ્ધ શરીરવાળી અસાધ્વી છે, તેના અપનોદન માટે કહે છે=સ્ત્રીઓને અશુદ્ધ શરીર છે તેના નિરાકરણ માટે કહે છે અશુદ્ધ શરીરવાળી નથી, કેટલીક શુદ્ધ શરીરવાળી પણ છે; પૂર્વના કર્મના અનુવેધથી કક્ષા-સ્તન આદિ ભાગોમાં સંસંજનાદિ અશુદ્ધિનું અદર્શન છે=દુર્ગંધવાળા પરસેવા આદિ અશુદ્ધિનું અદર્શન છે, શુદ્ધ શરીરવાળી પણ વ્યવસાય વર્જિત=મોક્ષને અનુકૂળ પ્રયત્નથી વર્જિત, નિંદિત જ છે=મોક્ષ માટે અસમર્થ જ છે, તેના નિરાસ માટે કહે છે સ્ત્રી વ્યવસાય વર્જિત નથી, કેટલીક પરલોક વ્યવસાયવાળી છે; કેમ કે શાસ્ત્રથી તેની પ્રવૃત્તિનું દર્શન છે, વ્યવસાયવાળી પણ=મોહનાશને અનુકૂળ વ્યવસાયવાળી પણ, અપૂર્વકરણની વિરોધિની એવી સ્ત્રી વિરોધિની જ છે=મોક્ષપ્રાપ્તિ માટે અસમર્થ જ છે, તેના પ્રતિષેધ માટે કહે છે સ્ત્રી અપૂર્વકરણની વિરોધિની નથી; કેમ કે અપૂર્વકરણના સંભવનું સ્ત્રીજાતિમાં પણ પ્રતિપાદિતપણું છે, અપૂર્વકરણવાળી પણ સ્ત્રી નવા ગુણસ્થાનક રહિત ઇષ્ટસિદ્ધિ માટે નથી=નવા ગુણસ્થાનની પ્રાપ્તિથી રહિત હોવાથી ઇષ્ટસિદ્ધિ માટે નથી, એથી ઇષ્ટસિદ્ધિ માટે કહે છે સ્ત્રી નવા ગુણસ્થાનથી રહિત નથી=પ્રાપ્ત થયેલા ગુણસ્થાનકથી નવા ગુણસ્થાનની પ્રાપ્તિથી રહિત નથી; કેમ કે તેના સંભવનું=નવા ગુણસ્થાનકના સંભવનું, તેણીને=સ્ત્રીને, પ્રતિપાદિતપણું છે, નવા ગુણસ્થાનથી યુક્ત પણ લબ્ધિને અયોગ્ય એવી સ્ત્રી અધિકૃત વિધિનું અકારણ છે= કોઈ સ્ત્રી પોતાનામાં વિધમાન ગુણસ્થાનક કરતાં નવા ગુણસ્થાનકને પ્રાપ્ત કરે તોપણ સ્ત્રીઓને આમર્યાદિ લબ્ધિઓ થતી નથી, તેથી અધિકૃત એવી કેવલજ્ઞાન લબ્ધિ માટે સ્ત્રી અકારણ છે, એ પ્રકારની શંકાના નિરાકરણ માટે કહે છે આમર્ષ આદિ લબ્ધિને અયોગ્ય નથી; કેમ કે કાલઔચિત્યથી હમણાં પણ લબ્ધિઓનું દર્શન છે=સ્ત્રીઓમાં વર્તમાનકાળને અનુરૂપ વિશિષ્ટ શક્તિઓરૂપ લબ્ધિઓનું દર્શન છે.
–
-
-
૨૦૫
કેમ દ્વાદશાંગનો પ્રતિષેધ છે ?=જો સ્ત્રીઓને લબ્ધિ થઈ શકે તેમ છે તો શ્રુતલબ્ધિરૂપ દ્વાદશાંગ ભણવાનોં પ્રતિષેધ કેમ છે ? તેનો ઉત્તર આપતાં કહે છે તથાવિધ વિગ્રહ હોતે છતે તેનાથી દોષ હોવાને કારણે=સ્ત્રીઓનું શરીર તેવા પ્રકારનું હોવાને કારણે તે શરીરથી દ્વાદશાંગી ભણાવામાં દોષની પ્રાપ્તિ હોવાથી સ્ત્રીઓને દ્વાદશાંગી ભણવાનો નિષેધ છે એમ અન્વય છે, વળી, શ્રેણિની પરિણતિમાં ક્ષપકશ્રેણિની પરિણતિમાં, કાલગર્ભની જેમ ભાવથી ભાવ=દ્વાદશાંગીનો
—