________________
૨૦૪
લલિતવિસ્તરા ભાગ-૩
છે, જોકે કેટલીક અભવ્ય પણ છે, તોપણ સર્વ સ્ત્રીઓ અભવ્ય નથી; કેમ કે સંસારના નિર્વેદપૂર્વક નિર્વાણધર્મનો અદ્વેષ, શુષાદિનું દર્શન છે, ભવ્ય પણ કોઈક દર્શનનો વિરોધી છેઃ સમ્યગ્દર્શનનો વિરોધી છે, જે સિદ્ધ થશે નહિ, તેના નિરાસ માટે કહે છે – દર્શન વિરોધિની નથી=સ્ત્રી સમ્યગ્દર્શન ન થાય તેવી નથી, અહીં દર્શનવિરોધિની શબ્દમાં, દર્શન તત્વાર્થ શ્રદ્ધાનરૂપ સમ્યગ્દર્શન ગ્રહણ કરાય છે, તેની વિરોધિની જ=સમ્યગ્દર્શનની વિરોધિની જ, સ્ત્રી નથી; કેમ કે આસ્તિક્ય આદિનું દર્શન છે સમ્યગ્દર્શનના શમ-સંવેગ આદિ લિંગોનું દર્શન છે.
દર્શન અવિરોધિની પણ અમાનુષી ઈચ્છાતી નથી જ, તેના પ્રતિષેધ માટે કહે છે - સ્ત્રી અમાનુષી નથી; કેમ કે મનુષ્યજાતિમાં સદ્ભાવ છે=ીનો સદ્ભાવ છે. કેમ મનુષ્યજાતિમાં સ્ત્રીનો સદ્ભાવ છે ? તેમાં હેતુ કહે છે – વિશિષ્ટ એવા હાથ-પગ-સાથળ-ગ્રીવા આદિ અવયવના સધિવેશનું દર્શન છે, માનુષી પણ સ્ત્રી અનાર્યમાં ઉત્પત્તિ અનિષ્ટ છેઃઉત્તમધર્મ સાધવા માટે અનિષ્ટ છે, તેના નિરાકરણ માટે કહે છે – અનાર્યમાં ઉત્પત્તિ નથી; કેમ કે આયમાં પણ ઉત્પત્તિ છે. આર્યોમાં પણ કેમ ઉત્પત્તિ છે ? તેમાં હેતુ કહે છે – તે પ્રકારે દર્શન છે=આર્યોમાં પણ સ્ત્રીઓ ઉત્પન્ન થાય છે તે પ્રકારે દર્શન છે, આર્યમાં ઉત્પત્તિ પણ અસંખ્યય વર્ષ આયુષ્યવાળા અધિકૃત સાધના માટે નથી=મુક્તિને સાધવા માટે સમર્થ નથી, એથી એને આશ્રયીને=અસંખ્ય વર્ષ આયુષ્યને આશ્રયીને, કહે છે – સર્વ જ સ્ત્રીઓ અસંખ્યય આયુષ્યવાળી નથી; કેમ કે સંધ્યેય આયુષ્યયુક્ત પણ સ્ત્રીઓનો ભાવ છે અર્થાત્ સભાવ છે. કેમ સંખેય આયુષ્યવાળી સ્ત્રીઓનો સદ્ભાવ છે ? તેમાં હેતુ કહે છે – તે પ્રકારે દર્શન છે=સંખેય આયુષ્યવાળીરૂપે સ્ત્રીઓનું દર્શન છે, સંખેય આયુષ્યવાળી પણ અતિરમતિવાળી પ્રતિષિદ્ધ છે, તેના નિરાકરણની ઈચ્છાથી કહે છે – સ્ત્રી અતિક્રમતિવાળી નથી, સાતમી નરકના આયુષ્યનું કારણ એવા રૌદ્રધ્યાનનો અભાવ હોવાથી સ્ત્રીઓને તેવા રૌદ્રધ્યાનનો અભાવ હોવાથી, તેની જેમ=પ્રકૃષ્ટ રૌદ્રધ્યાનની જેમ, પ્રકૃષ્ટ શુભધ્યાનનો અભાવ છે, એ પ્રમાણે જો પૂર્વપક્ષી કહે તો ગ્રંથકારશ્રી કહે છે –
એમ ન કહેવું, તેની સાથે=પ્રકૃષ્ટ રૌદ્રધ્યાનની સાથે, તેના=પ્રકૃષ્ટ શુભધ્યાનના, પ્રતિબંધનો અભાવ છે=વ્યાપ્તિનો અભાવ છે. કેમ વ્યાપ્તિનો અભાવ છે ? તેમાં હેતુ કહે છે –
તેના ફલની જેમ ઈતરલના સદ્ભાવથી અનિષ્ટનો પ્રસંગ છે, અક્રૂરમતિવાળી પણ રતિની લાલસાવાળી સ્ત્રી અસુંદર જ છે, તેના નિરાકરણ માટે કહે છે – ઉપશાંતમોહવાળી નથી એમ