________________
૧૩
સિદ્ધાણં બુદ્ધાણં સૂત્ર છે ? એ પ્રકારે પૂર્વપક્ષીએ આજથી બે પ્રશ્નો કરેલ છે અને કહે છે – આનાથી શું ? આ બે પ્રશ્નોમાંથી તમારો મત શું છે? જો આપક્ષ છે=વીર ભગવાનને કરાયેલી સ્તુતિ અર્થવાદ છે એ પ્રકારે પ્રથમપક્ષનો સ્વીકાર છે તો ચોક્ત ફલશૂન્યપણું હોવાથી વીર ભગવાનને એક નમસ્કાર કરવાથી સંસારસાગરથી તરવારૂપ યથોક્ત ફલશૂન્યપણું હોવાથી, અને લાંતરના અભાવમાં તેનાથી અન્ય સ્તુતિનો અવિશેષ હોવાથી અહીં જ=વીર ભગવાનને નમસ્કાર કરવાના વિષયમાં જ, યત્નથી સર્યું અને પક્ષની સ્તુતિ પણ અફલ જ નથી એથી આ=વીર ભગવાનની સ્તુતિ જો ફલશૂન્ય હોય તો ચક્ષની સ્તુતિની જેમ પણ ફલ આપનાર નહિ હોવાથી વિચારકે ત્યાં પ્રયત્ન કરવો જોઈએ નહિ એ, પ્રતીત જ છે, હવે ચરમવિકલ્પ છે=ભગવાનને કરાયેલો એક નમસ્કાર સંસારસાગરથી તારે છે એ વચન વિધિવાદરૂપ છે એ પ્રકારનો ચરમ વિકલ્પ છે, એમ સ્વીકારવામાં આવે તો પૂર્વપક્ષી કહે છે, તેનાથી=એક નમસ્કાર કરવાથી સંસારસાગર તરાય છે તેનાથી, સમ્યક્ત=અણુવ્રત-મહાવત આદિ ચારિત્રની પાલનાનું વ્યર્થપણું છે; કેમ કે તેનાથી જ=એક નમસ્કારથી જ, મુક્તિની સિદ્ધિ છે અને સમ્યક્ત આદિ ફલાંતર સાધક ઈચ્છાતા નથી; કેમ કે મોક્ષના ફલપણાથી ઈષ્ટપણું છે=સખ્યત્વે આદિનું ઈષ્ટપણું છે. સમ્યક્ત આદિ કેમ અન્યફલના સાધકરૂપે ઇષ્ટ નથી, મોક્ષફલના સાધકરૂપે ઇષ્ટ છે ? એમાં હેત કહે
સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર મોક્ષમાર્ગ છે એ પ્રકારનું વચન છે. પંજિકા -
'स्तुत्यर्थवाद' इति, स्तुतये स्तुत्यर्थ, अर्थवादः प्रशंसा, स्तुत्यर्थवादः, विप्लावनाद्यर्थमपि अर्थवादः स्यात्, तद्व्यवच्छेदार्थं स्तुतिग्रहणमिति। પંજિકાર્ય :
“તુન્યવાદ' તિ ..... સ્તુતિગ્રહમતિ | તુચર્થવા એ લલિતવિસ્તરાનું પ્રતીક છે, તેનો અર્થ સ્પષ્ટ કરે છે – સ્તુતિ માટે અર્થવાદ=પ્રશંસાવચન, સ્તુતિ અર્થવાદ છે, વિપ્લાવત આદિ માટે પણ= સામેની વ્યક્તિને લાવવા માટે પણ, અર્થવાદ થાય, તેના વ્યવચ્છેદ માટે સ્તુતિનું ગ્રહણ છેઃઅર્થવાદના વિશેષણરૂપે સ્તુતિનું ગ્રહણ છે. ભાવાર્થ
પ્રસ્તુત ગાથામાં કહ્યું કે વિર ભગવાનને કરાયેલો એક નમસ્કાર નર-નારીને સંસારસાગરથી તારે છે અર્થાત્ મોક્ષફળને આપે છે, ત્યાં વિચારકને પ્રશ્ન થાય કે ભગવાનની સ્તુતિ કરવા માટે અર્થવાદ છે કે વિધિવાદ છે ? જેમ વેદમાં કહેવાય છે કે એક પૂર્ણ આહુતિથી સર્વ કામોની પ્રાપ્તિ થાય છે તે વેદવિહિત આહુતિની સ્તુતિ કરવા માટે પ્રશંસાવચન છે, વસ્તુતઃ એક આહુતિથી આહુતિ કરનારનાં બધાં કામોની