________________
૧૯૭
પુષ્પરવરદી સૂત્ર પંજિકા -
'सिद्धत्वेने ति, सिद्धत्वेन फलाव्यभिचारप्रतिष्ठितत्वत्रिकोटिपरिशुद्धिभेदेन, इदमेव 'न ह्यतो विधिप्रवृत्त' इत्यादिना वाक्यत्रयेण यथाक्रमं भावयति; सुगमं चैतत् नवरं 'विधिप्रतिषेधानुष्ठानपदार्थाविरोधेन च' इति, विधिप्रतिषेधयोः, कषरूपयोः, अनुष्ठानस्य छेदरूपस्य, पदार्थस्य च तापविषयस्य, अविरोधेन-पूर्वापराबाधया, वर्त्तते, 'च'कार उक्तसमुच्चयार्थः।
अमुमेवाविरोधं त्रिकोटिपरिशुद्धिलक्षणं द्वाभ्यां वचनाभ्यां दर्शयति'स्वर्ग'त्यादिना; सुगमं चैतत्, किन्तु स्वर्गार्थिना तपोदेवतापूजनादि, केवलार्थिना तु ध्यानाध्ययनादि कर्त्तव्यम्, ‘असपत्नो योगः' इति, 'असपत्नः' परस्पराविरोधी, स्वस्वकालानुष्ठानाद्, योगः स्वाध्यायादिसमाचारः। 'ऐतिह्यं चैतदिति-संप्रदायश्चायं यदुत तृतीया स्तुतिः श्रुतस्येति।
॥ इति श्रीमुनिचन्द्रसूरिविरचितायां ललितविस्तरापञ्जिकायां श्रुतस्तवः समाप्तः।। પંજિકાર્ય :
સિદ્ધત્વેને"તિ સ્તુતિઃ શ્રુતીતિ . સિદ્ધાર્વજ એ લલિતવિસ્તરાનું પ્રતીક છે, તેનો અર્થ કરે છે – ફલ અવ્યભિચાર પ્રતિષ્ઠિતત્વ ત્રિકોટિપરિશુદ્ધિના ભેદથી સિદ્ધપણું હોવાને કારણે શ્રતધર્મને સમગ્ર ઐશ્વર્યાદિનો યોગ છે એમ અવય છે, આને જ ન હતો વિથિકવૃત્ત: ઈત્યાદિ વાક્યત્રયથી યથાક્રમ ભાવન કરે છે અને આ સુગમ છે=આનાથી વિધિપ્રવૃત પુરુષ ફ્લથી ઠગાતો નથી એમ લલિતવિસ્તરામાં કહ્યું એ સુગમ છે, ફક્ત વિધિ-પ્રતિષેધ, અનુષ્ઠાન અને પદાર્થના અવિરોધથી એ પ્રકારના લલિતવિસ્તરાના વચનનો અર્થ કરે છે – કષરૂપ વિધિપ્રતિષેધના, છેદરૂપ અનુષ્ઠાનના અને તાપવિષયવાળા પદાર્થના અવિરોધથી=પૂર્વાપર અબાધાથી કષ-છેદ-તાપમાં પરસ્પર બાધા ન થાય તે પ્રકારથી, વર્તે છે=ભુતધર્મ વર્તે છે, શબ્દ ઉક્તના સમુચ્ચય અર્થવાળો છે.
આ જ ત્રિકોટિપરિશુદ્ધિરૂપ અવિરોધને સ્વ ઈત્યાદિ બે વચનો દ્વારા બતાવે છે – અને આ સુગમ છે=બે વચનોનો અર્થ સુગમ છે, પરંતુ સ્વર્ગના અર્થીએ તપ-દેવતાપૂજનાદિ કરવાં જોઈએ, વળી, કેવળજ્ઞાનના અર્થીએ ધ્યાન-અધ્યયન આદિ કરવાં જોઈએ, અસપત્નો સો એ લલિતવિસ્તરાનું પ્રતીક છે, અસપત્ન=સ્વ-સ્વ કાલના અનુષ્ઠાનથી પરસ્પર અવિરોધી યોગ સ્વાધ્યાય સમાચાર છે અને આ તિત્વ છે એનો અર્થ કરે છે – અને આ સંપ્રદાય છે, તે વડુતથી સ્પષ્ટ કરે છે – ત્રીજી સ્તુતિ શ્રુતની છે.
એ પ્રમાણે શ્રી મુનિચંદ્રસૂરિવિરચિત લલિતવિસ્તરાની પંજિકામાં શ્રુતસ્તવ સમાપ્ત થયો. ભાવાર્થ
પૂર્વમાં પુખરવરદી સૂત્રનો અર્થ કર્યો એ પ્રકારે સૂત્રના અર્થનું જે મહાત્મા સૂત્ર બોલીને સ્મરણ કરે છે તેનાથી શ્રુતના માહાભ્યથી રંજિત થયેલું ચિત્ત શ્રુતની ભક્તિ કરવાના પ્રણિધાનવાળું બને છે અને એ પ્રકારે