________________
૧૮.
લલિતવિસ્તરા ભાગ-૩
લલિતવિસ્તરાર્થ :
આ રીતે પ્રણિધાન કરીને=પૂર્વમાં પુખરવરદીવ સૂત્રનું વર્ણન કર્યું એ રીતે ચૈત્યવંદન કરનાર મહાત્મા શ્રતના પારમાર્થિક સ્વરૂપનું પ્રણિધાન કરીને અર્થાત્ ઉપસ્થિત કરીને, એના પૂર્વક ક્રિયા ફલ માટે છે=શ્રુતના સખ્યમ્ સ્વરૂપની સ્મૃતિપૂર્વક શ્રુતની ભક્તિ માટે કરાતી કાઉસ્સગ્ગની ક્રિયા ફલ માટે છે, એથી શ્રુતના જ કાયોત્સર્ગના સંપાદન માટે એક સાધુ અથવા એક શ્રાવક બોલે છે અથવા અનેક સાધુ અથવા અનેક શ્રાવક બોલે છે. શું બોલે છે ? એથી કહે છે –
સુઅસ્સે ભગવઓ કરેમિ કાઉસ્સગ્ગથી વોસિરામિ સુઘી બોલે છે, વ્યાખ્યા=સુઅસ્સ ભગવઓ ઈત્યાદિ સૂત્રની વ્યાખ્યા, પૂર્વની જેમ છે="અરિહંત ચેઇયાણં' સૂત્રની જેમ છે, ફક્ત શ્રતના સામાયિક આદિથી માંડીને ચૌદપૂર્વપર્યંતના પ્રવચનના, સમગ્ર ઐશ્વર્ય આદિ યુક્ત ભગવાન શ્રતના વંદન-પૂજન આદિ નિમિતે હું કાઉસ્સગ્ન કરું છું એમ અન્વય છે.
સિદ્ધપણાને કારણે સમગ્ર ઐશ્વર્ય આદિનો યોગ છે, આનાથી=મૃતથી, વિધિપ્રવૃત પુરુષ ફલથી ઠગાતો નથી જ અને આનાથી=મૃતધર્મથી, સર્વ પ્રવાદો વ્યાપ્ત છે અને વિધિ-પ્રતિષેધ, અનુષ્ઠાન અને પદાર્થના અવિરોધથી વર્તે છે=શ્રુતજ્ઞાન વર્તે છે; કેમ કે સ્વર્ગ અને કેવલજ્ઞાનના અથએ તપ-ધ્યાનાદિ કરવાં જોઈએ, સર્વ જીવો હણવા જોઈએ નહિ, એ પ્રકારનું વચન હોવાથી વિધિ-પ્રતિષેધની અવિરોધથી પ્રાતિ છે, સમિતિ-ગુપ્તિશુદ્ધ ક્રિયા અસપત્નયોગ છે એ પ્રકારનું વચન હોવાથી અનુષ્ઠાનની વિધિ-પ્રતિષેધની સાથે અવિરોધથી પ્રાપ્તિ છે, ઉત્પાદ, વિરમ અને ધ્રોવ્યથી યુક્ત સત્ છે, એક દ્રવ્ય અનંતપર્યાયરૂપ અર્થ છે, એ પ્રકારનું વચન હોવાથી વિધિપ્રતિષેધ અને અનુષ્ઠાનની સાથે અવિરોધથી પદાર્થની પ્રાતિ છે.
કાયોત્સર્ગનો વિસ્તાર પૂર્વની જેમ છે=પૂર્વની બે સ્તુતિઓમાં બતાવ્યું એ પ્રમાણે છે, અને તે પ્રકારે જ સ્તુતિ છે જે પ્રકારે પહેલા બે કાઉસ્સગ્ગમાં સ્તુતિ છે તે પ્રકારે જ સ્તુતિ છે, ફક્ત શ્રતની છે; કેમ કે સમાન જાતીયનું બૃહકપણું છે=જે પ્રકારે મૃતનું પ્રણિધાન પુકારવરદી સૂત્રથી કર્યું તેની સમાન જાતીય જ શ્રતની સ્તુતિ બોલાય તો ભાવના અતિશયરૂપ બૃહકપણું પ્રાપ્ત થાય, તેના જાણનારાઓને=ભાવવૃદ્ધિના પરમાર્થને જાણનારાઓને, આ=સમાન જાતીય સ્તુતિ બોલવાથી ભાવની વૃદ્ધિ થાય છે એ, અનુભવસિદ્ધ છે, અન્યથા=પ્રણિધાન અન્યનું કરીને સ્તુતિ અન્ય પ્રકારની બોલવામાં આવે તો, સમાધિ ચલાયમાન થાય છે એ પ્રગટ છે અને આ વિશ્વ છે–ત્રીજી સ્તુતિ કૃતની બોલવી એ સંપ્રદાયમર્યાદા છે, આ રીતે આનાથી બાધનીય નથી=પુખરવરદી સૂત્રથી પ્રણિધાન કર્યા પછી શ્રુતની સ્તુતિ બોલવામાં આવે એ રીતે સંપ્રદાયથી બાધનીય નથી, એ પ્રમાણે પારવરદી ઈત્યાદિ સૂત્ર વ્યાખ્યાન કરાયું.