________________
૧૯૭
લલિતવિસ્તરા ભાગ-૩
પરસ્પર બાધા વગર સુખપૂર્વક રહેલા છે અને કર્મોના અને શરીરના ઉપદ્રવ વગરના હોવાથી સુખને પામેલા રહે છે અને તેઓની ગતિ લોકના અંત સુધી પૂર્વ આવેધના વશથી દંડાદિથી ચક્રભ્રમણની જેમ છે. જેમ દંડથી ચક્ર ભમે છે, ત્યારપછી દંડને ભમાડ્યા વગર ચક્ર સ્વતઃ ભમે છે, તેમ સંસારઅવસ્થામાં કર્મને વશ તે તે ભવમાં જીવની ગતિ થતી હતી તે ગતિના આવેશથી કર્મ નાશ થાય છે ત્યારે જીવ સ્વતઃ ચક્રભ્રમણની જેમ સિદ્ધ સ્થાનમાં જાય છે, આવા સિદ્ધ ભગવંતોને હું સદા નમસ્કાર કરું છું, જોકે નમસ્કારની ક્રિયા તેમના ગુણના સ્મરણપૂર્વક તેમને અભિમુખ જવાને અનુકૂળ યત્ન સ્વરૂપ છે અને તેવો યત્ન પ્રસ્તુત સૂત્ર બોલનાર સદા કરી શકતા નથી તેથી હું સદા નમસ્કાર કરું છું એ પ્રકારનો વચનપ્રયોગ અયથાર્થ હોવા છતાં પ્રશસ્ત ભાવનું પૂરણ કરનાર હોવાથી ફલવાળો છે; કેમ કે વિવેકપૂર્વક બોલનારને અધ્યવસાય થાય છે કે સિદ્ધ ભગવંતોના સ્મરણપૂર્વક સદા તેને અભિમુખ જતું ચિત્ત પ્રવર્તે તો જ મારું હિત થશે તેવા અભિલાષથી સદા નમસ્કાર કરું છું એમ બોલે છે. જેમ કોઈ સાધુ અભિગ્રહ કરે કે કોઈ મહાત્મા ગ્લાન હશે તો હું તેમની વૈયાવચ્ચ કરીશ, આ પ્રકારનો તેમનો શુદ્ધભાવ હોય અને કોઈ ગ્લાન સાધુ પ્રાપ્ત ન થાય તો ગ્લાનની વૈયાવચ્ચ કરવાનો પ્રસંગ પ્રાપ્ત થાય નહિ તોપણ ગ્લાનની વૈયાવચ્ચ કરવાનો અધ્યવસાય શુભ ભાવનો પૂરક છે, તેથી નિર્જરાની પ્રાપ્તિ થાય છે, તેમ જેઓ દૃઢ પ્રણિધાનપૂર્વક બોલે છે કે હું સદા સર્વ સિદ્ધોને નમસ્કાર કરું છું, છતાં સિદ્ધને નમસ્કારને અનુકૂળ ક્રિયા સતત નહિ થવા છતાં સદા નમસ્કાર કરવાના અધ્યવસાયથી પ્રશસ્ત ભાવ અતિશય થાય છે, તેથી તેને અનુરૂપ નિર્જરા ફળની પ્રાપ્તિ થાય છે. અહીં સર્વ સિદ્ધ કહેવાથી સિદ્ધ આદિ પંદર ભેદોથી સિદ્ધ થયેલા અને સિદ્ધ અવસ્થામાં રહેલા અનંત સિદ્ધોને નમસ્કાર કરવાનો પરિણામ થાય છે.
લલિતવિસ્તરા :
યથોન્-૧. તિત્યસિદ્ધા, ૨. ગતિસ્ત્યસિદ્ધા, રૂ. તિત્યારસિદ્ધા, ૪. અતિત્યસિદ્ધા, ૬. સયંબુદ્ધસિદ્ધા, ૬. પત્તેયબુદ્ધસિદ્ધા, ૭. બુદ્ધવોહિયસિદ્ધા, ૮. થીતિસિદ્ધા, ૧. પુરિસતિ-સિદ્ધા, ૧૦. નપુંસતિસિદ્ધા, ૧૧. સનિ સિદ્ધા, ૧૨. અતિ સિદ્ધા, ૧૩. શિહિતિ સિદ્ધા, ૧૪. સિદ્ધા, . અને સિદ્ધા કૃતિા
तत्र (१) तीर्थं प्राग्व्यावर्णितस्वरूपं तच्चतुर्विधः श्रमणसंघः, तस्मिन्नुत्पन्ने ये सिद्धास्ते तीर्थसिद्धाः । (२) अतीर्थे सिद्धा अतीर्थसिद्धाः तीर्थान्तरसिद्धा इत्यर्थः, श्रूयते च- 'जिणंतरे साहुवोच्छेओ'त्ति तत्रापि जातिस्मरणादिनाऽवाप्तापवर्गमार्गाः सिध्यन्त्येव मरुदेवीप्रभृतयो वा अतीर्थसिद्धाः, तदा तीर्थस्यानुत्पन्नत्वात्। (३) तीर्थकरसिद्धाः तीर्थकरा एव (४) अतीर्थकरसिद्धा अन्ये सामान्यकेवलिनः । (५) स्वयंबुद्धसिद्धाः स्वयंबुद्धाः सन्तो ये सिद्धाः । (६) प्रत्येकबुद्धसिद्धाः प्रत्येकबुद्धाः सन्तो ये સિદ્ધા:।
अथ स्वयंबुद्धप्रत्येकबुद्धसिद्धयोः कः प्रतिविशेषः इति ? उच्यते- बोध्युपधिश्रुतलिङ्गकृतो विशेषः, तथाहि – स्वयं बुद्धा बाह्यप्रत्ययमन्तरेण बुध्यन्ते, प्रत्येकबुद्धास्तु न तद्विरहेण, श्रूयते च- बाह्यवृषभादि