________________
પુષ્પરવરદી સૂત્ર
૧૮૩ થાય ? એથી કહે છે – તે દ્રવ્યચુતની પ્રાપ્તિ, આદર આદિ લિંગવાળી અનાભોગવાળી છે આદર કરણમાં પ્રીતિ છે ઈત્યાદિ લિંગવાળી સમ્યમ્ શ્રુતના અર્થતા ઉપયોગ રહિત શ્રુતની પ્રાપ્તિ છે.
નનુથી શંકા કરે છે – મિથ્યાદષ્ટિનો અને મહામિથ્યાદૃષ્ટિનો અનાભોગ આદિ અવિશેષ હોવાથી કયો પ્રતિવિશેષ છે ?=શું ભેદ છે ? એથી કહે છે – વળી, આને મિથ્યાદૃષ્ટિ, અસ્થાનમાં જ= મોક્ષપદપ્રતિપંથી જ ભાવમાં, અભિનિવેશ નથી=મોક્ષપથના પ્રતિપંથી એવા સંગના પરિણામમાં જ આગ્રહ નથી; કેમ કે સ્થાન અભિનિવેશનો પણ તેને ભાવ છે=મોક્ષને અનુકૂળ એવા કષાયોના ઉચ્છેદના અભિનિવેશનો પણ તેને ભાવ છે, કયા કારણથી આ પ્રમાણે છે?=મિથ્યાદષ્ટિને સ્થાન અને અસ્થાન બંનેમાં અભિનિવેશનો ભાવ છે એ પ્રમાણે કયા કારણથી છે ? એથી કહે છે – ભવ્યત્વનો યોગ હોવાથી=ભાવકૃતના યોગ્યત્વનો સદ્દભાવ હોવાથી મિથ્યાદષ્ટિને સ્થાનમાં પણ અભિનિવેશનો ભાવ છે એમ અત્રય છે, અસ્થાનમાં અભિનિવેશ જ નથી; કેમ કે તેનો ભાવ છે= સ્થાનમાં અભિનિવેશનો સદ્ભાવ છે, આ જ હેતુના સ્વરૂપને કહે છે–મિથ્યાદષ્ટિમાં રહેલા ભવ્યત્વરૂપ હેતુના સ્વરૂપને કહે છે – વળી, તે આવા લક્ષણવાળું છે=તે ભવ્યત્વ અસ્થાનમાં અને સ્થાનમાં અભિનિવેશ સ્વભાવવાળું છે, એથી આ બેનો=મહામિથ્યાદષ્ટિ અને મિથ્યાદષ્ટિ બેનો, વિશેષ જાણવો.
મહામિથ્યાદષ્ટિને આની પ્રાપ્તિ પણ=ભવ્યત્વની પ્રાપ્તિ પણ, અસંભવિની છે, તેના ફલની ચિંતા કથાથી હોય=મહામિથ્યાદષ્ટિને શ્રતના પારમાર્થિક ફલની સંભાવના કયાથી હોય ? અર્થાત હોય નહિ, એથી કહે છે – અને આ શ્રુત, અભવ્યો વડે પણ અનેક વખત પ્રાપ્ત કરાયું છે=એકાંત મહામિથ્યાદષ્ટિ વડે પણ અનેક વખત પ્રાપ્ત કરાયું છે, અન્ય મિથ્યાદૃષ્ટિઓ વડે શું? કાર ઉક્તના સમુચ્ચયમાં છે, કયા કારણથી ? એથી કહે છે કયા કારણથી અભવ્યો વડે પણ અનેક વખત આ શ્રત પ્રાપ્ત કરાયું છે ? એથી હેતુ કહે છે – વચનનું પ્રામાય છે=સર્વ જીવોને અવંતી વખત રૈવેયકના ઉપપાતના કથનનું પ્રામાણ્ય છે, આ રીતે તો=અભવ્યોને શ્રતની પ્રાપ્તિ દ્વારા રૈવેયકની પ્રાપ્તિ થાય છે એ રીતે તો, તેનું ફલ પણ=શ્રતનું ફલ પણ, તેઓને થશે, એથી કહે છે – તેનાથી= શ્રતની પ્રાપ્તિથી, કંઈ ફલ તથી જ અભવ્યોને કંઈ ફલ નથી જ, લલિતવિસ્તરામાં વિશ્વ પછી પત્ન શબ્દ અધ્યાહાર છે એથી પમિતિ અને કહેલ છે, કયા કારણથી ? એથી કહે છેઃઅભવ્યને શ્રુતની પ્રાપ્તિથી કંઈ કુલ નથી એ પ્રમાણે કયા કારણથી છે ? એથી હેતુ કહે છે – પ્રસ્તુત ફલના લેશની પણ=પ્રકૃત એવા શ્રુતના યથાવત્ બોધરૂપ ફલાંશની પણ, અસિદ્ધિ છે=અપ્રાપ્તિ છે. સંપૂર્ણ ફલની પ્રાપ્તિ તો દૂર રહો; કેમ કે તેની સિદ્ધિમાં=પ્રકૃત શ્રુતના યથાવત્ બોધરૂપ ફલાંશની સિદ્ધિમાં, અલ્પકાલથી જ સર્વને મુક્તિની પ્રાપ્તિનો પ્રસંગ થાય=બધા જીવોને મુક્તિની પ્રાપ્તિનો પ્રસંગ પ્રાપ્ત થાય. ભાવાર્થ :
પૂર્વમાં કહ્યું કે મહામિથ્યાષ્ટિ જીવને શ્રુતઅધ્યયનથી પણ યથાર્થ બોધ થતો નથી, તેથી તેની શ્રતની પ્રાપ્તિ પરમાર્થથી અપ્રાપ્તિ જ છે, ત્યાં પ્રશ્ન થાય કે જેઓનું મિથ્યાત્વ ઉત્કટ નથી, પરંતુ કંઈક મંદ થયું છે