________________
૧૬૮
લલિતવિસ્તરા ભાગ-૩ નથી શંકા કરે છે – કેવી રીતે આ નિયમ છે? શું નિયમ છે ? તે કુતથી બતાવે છે – આ પ્રણિધાત=જ્ઞાનવૃદ્ધિનું પ્રણિધાન, અનાશંસાભાવનું બીજ છે? એથી કહે છે – યથોદિત કૃતધર્મની વૃદ્ધિ થવાથી=સર્વજ્ઞએ કહેલ શ્રતધર્મનો પ્રકર્ષ થવાથી, અનાશંસારૂપ મોક્ષ જે કારણથી થાય છે, એથી પ્રસ્તુત પ્રણિધાન અનાશંસાભાવનું બીજ છે એમ અવય છે, લલિતવિસ્તરામાં મોક્ષ પછી મતિ શબ્દ અધ્યાહાર છે, અહીં પણ યથોદિત શ્રતધર્મની વૃદ્ધિથી મોક્ષ થાય છે એમાં પણ કેવી રીતે એકાંત છે? એથી કહે છે – કૃતધર્મની વૃદ્ધિનું મોક્ષ પ્રત્યે અવંધ્ય હેતુભાવથી સિદ્ધપણું હોવાને કારણે યથોદિત શ્રતધર્મની વૃદ્ધિ એકાંતે મોક્ષનું કારણ છે એમ અવથ છે.
આને જ ભાવન કરે છે=ભુતધર્મની વૃદ્ધિ મોક્ષ પ્રત્યે અવંધ્ય હેતુ છે એને જ ભાવન કરે છે – આ લમાં=મોક્ષરૂપ ફ્લમાંવ્યભિચાર=વિસંવાદ, નથી જ ફલાંતરભાવથી અથવા નિષ્ફળપણાથી શ્રતધર્મની વૃદ્ધિનો વ્યભિચાર નથી જ=જેઓ સમ્યફ શ્રતધર્મની વૃદ્ધિ કરે તેઓને મોક્ષ સિવાય અન્ય ફલ થાય અથવા શ્રતધર્મની વૃદ્ધિ નિષ્ફલ થાય તેવો વિસંવાદ નથી, આવા જ=કૃતધર્મના જ, અસંગત્યની સિદ્ધિને માટે કહે છે – અને અસંગથી=રાગ-દ્વેષ-મોહરૂપ સંગના અભાવથી, આ=મોક્ષફલ, સંવેદન કરાય છે=સર્વ જ મુમુક્ષ વડે પ્રતીત કરાય છે, આ રીતે અત્યાર સુધી બતાવ્યું એ રીતે, મુતધર્મની વૃદ્ધિથી ફલસિદ્ધિને કહીને આના જ હેતુની સિદ્ધિને ફલસિદ્ધિના જ હેતુની સિદ્ધિને, કહે છે – આ રીતેaઉક્ત પ્રકારથી=પ્રસ્તુત સૂત્રથી ચાન્નિધર્મની ઉત્તરમાં શ્રતધર્મની વૃદ્ધિ થાય એ પ્રકારનું પ્રણિધાન કર્યું એ રીતે, સદ્દભાવના આરોપણથી તેની વૃદ્ધિ વળી થાય છે=ભુતની વૃદ્ધિની પ્રાર્થનારૂપ શુદ્ધ પરિણામના અંગીકરણથી મૃતધર્મની વૃદ્ધિ વળી, થાય છે, લલિતવિસ્તરામાં તદ્ધિ પછી મતિ શબ્દ અધ્યાહાર છે, જે શબ્દ પુનઃ અર્થમાં છે અને ભિન્ન ક્રમવાળો છે, તેથી તઃિ પછી તેનું યોજન છે.
ભાવાર્થ -
પ્રસ્તુત સૂત્રમાં અંતે કહ્યું કે ચારિત્રધર્મની ઉત્તરમાં શ્રતધર્મ વૃદ્ધિ પામો, એ પ્રકારે શ્રતધર્મની વૃદ્ધિનું કથન શું બતાવે છે ? તે સ્પષ્ટ કરતાં કહે છે – મોક્ષના અર્થી જીવે પ્રતિદિવસ જ્ઞાનની વૃદ્ધિ કરવી જોઈએ તે બતાવવા માટે ફરી ધૃતધર્મની વૃદ્ધિની ઇચ્છા કરાય છે, તેથી ફલિત થાય કે શ્રતધર્મની વૃદ્ધિ મોક્ષની પ્રાપ્તિમાં પ્રબળ અંગ છે માટે તેની ઇચ્છા કરાય છે, વળી, તત્ત્વાર્થસૂત્રમાં તીર્થંકરનામકર્મના હેતુઓનું પ્રતિપાદન કરાયું છે ત્યાં કહ્યું છે કે અપૂર્વજ્ઞાનગ્રહણથી તીર્થંકરનામકર્મનો બંધ થાય છે, તેથી ફલિત થાય છે કે જે મહાત્મા જિનવચનના તાત્પર્યનું યથાર્થ પ્રતિસંધાન કરીને શ્રતધર્મની વૃદ્ધિમાં યત્ન કરે છે તેઓને મોક્ષપ્રાપ્તિ સુલભ છે અને તીર્થંકરનામકર્મના બંધની પ્રાપ્તિ પણ સુલભ છે, માટે જગતમાં સર્વશ્રેષ્ઠ તીર્થંકરપદની પ્રાપ્તિ અને પૂર્ણ સુખમયે મોક્ષની પ્રાપ્તિના અર્થીએ શ્રુતજ્ઞાનની વૃદ્ધિમાં યત્ન કરવો જોઈએ.
અહીં પ્રશ્ન થાય કે ચારિત્રધર્મની ઉત્તરમાં મૃતધર્મની વૃદ્ધિ થાવ, એ પ્રકારે પ્રસ્તુત સૂત્રમાં બોલવાથી શું પ્રાપ્ત થાય ? એથી કહે છે –