________________
૧૭૬
લલિતવિસ્તરા ભાગ-૩
જાણવું જોઈએ, જેથી શ્રુતના પારમાર્થિક તત્ત્વનો બોધ થાય, જેનાથી કરાયેલી ઉચિત ક્રિયા દ્વારા સંસારનો નાશ થાય.
વળી, જેઓ બળદ જેવી મંદબુદ્ધિવાળા જીવો છે તેઓને વિવેકપૂર્વકનું જ્ઞાન કઈ રીતે ઉચિત યત્ન દ્વારા મોક્ષનું કારણ છે તેનો પરમાર્થ જણાતો નથી, તેથી જે જે અનુષ્ઠાન કરવાનો તેમને અભિલાષ થાય તે તે અનુષ્ઠાનના માત્ર બાહ્ય આચારોનો ચૂલથી બોધ કરીને તે આચારોના સેવનથી પોતાનો નિસ્વાર થશે તેવો ભ્રમ વર્તે છે, તેથી મંદબુદ્ધિવાળા જીવોનો એકાંતથી આ અવિષય છે; કેમ કે તેઓ સંસારક્ષય પ્રત્યે સૂક્ષ્મબોધ અને સૂક્ષ્મબોધથી નિયંત્રિત સૂક્ષ્મ ક્રિયા કારણ છે તે ક્યારેય જાણી શકતા નથી, તેથી પોતાના સ્કૂલબોધથી જ તે તે ક્રિયાઓ કરીને તોષ પામે છે, આથી જ ચારિત્રધર્મની ઉત્તરમાં શ્રતધર્મની વૃદ્ધિ થાવ, એ પ્રકારનું પ્રણિધાન પ્રસ્તુત સૂત્રથી તેઓ વારંવાર કરતા હોય તોપણ શ્રતના પરમાર્થને જાણવાને અભિમુખ પરિણામ પણ તેઓને થતો નથી; કેમ કે તેઓ બળદ જેવી સ્કૂલ બુદ્ધિવાળા છે. લલિતવિસ્તરા -
परमगर्भ एष योगशास्त्राणाम्, अभिहितमिदं तैस्तैश्चारुशब्दैः, 'मोक्षाध्वदुर्गग्रहणमिति कैश्चित्; 'तमोग्रन्थिभेदानन्द' इति चान्यैः, 'गुहान्धकारालोककल्पम'परैः; 'भवोदधिद्वीपस्थानं' चान्यैरिति।
न चैतद् यथावदवबुध्यते महामिथ्यादृष्टिः, तद्भावाऽच्छादनात्, अहृदयवत्काव्यभावमिति, तत्प्रवृत्त्याद्येव ह्यत्र सल्लिङ्गम् तद्भाववृद्धिश्च काव्यभावज्ञवत्, अत एव हि महामिथ्यादृष्टेः प्राप्तिरप्यप्राप्तिः, तत्फलाभावात्, अभव्यचिन्तामणिप्राप्तिवत्। લલિતવિસ્તરાર્થ:
આ=વિવેક, ચોગશાસ્ત્રોનું પરમગર્ભ છે–પરમ રહસ્ય છે, તે તે સુંદર શબ્દો વડે આ=વિવેકરૂપ વસ્તુ, કહેવાઈ છે યોગશાસ્ત્રોમાં કહેવાઈ છે.
શું કહેવાયું છે ? તે સ્પષ્ટ કરે છે – મોક્ષમાર્ગમાં દુર્ગનું ગ્રહણ વિવેક છે એ પ્રમાણે કેટલાક કહે છે અને અંધકારની ગ્રંથિના ભેદથી થનારો આનંદ વિવેક છે એ પ્રમાણે અન્ય કહે છે, ગુફાના અંધકારમાં પ્રકાશ જેવો વિવેક છે એમ બીજા કહે છે અને ભવરૂપી સમુદ્રમાં દ્વીપનું સ્થાન વિવેક છે એમ બીજા કહે છે.
આને શ્રુતને, મહામિથ્યાષ્ટિ યથાવત્ જાણતો નથી; કેમ કે તેના ભાવનું આચ્છાદન છે=શ્રુતના રહસ્યનો બોધ થાય તેના ભાવનું આવારક કર્મ છે, અહૃદયવાળો પુરુષ કાવ્યના ભાવને જાણતો નથી, તેમ મહામિથ્યાદષ્ટિ વ્યુતના ભાવને યથાવ જાણતો નથી એમ અન્વય છે, દિ=જે કારણથી, અહીં=શ્રુતના અર્થના અવબોધમાં, તેની પ્રવૃત્તિ આદિ જ શ્રુતના અર્થ વિષયક પ્રવૃત્તિ આદિ જ, સદ્ લિંગ છે અને કાવ્યના ભાવના જ્ઞાનવાળા પુરુષની જેમ તેના ભાવની વૃદ્ધિ બોધના ભાવની