________________
પુખ્ખરવરદી સૂત્ર
૧૪૩
અપૌરુષેયત્વરૂપ સાધ્યનો પ્રતિષેધ થાય છે, આની જ=સ્વરૂપથી અપૌરુષેયત્વનું નિરાકરણ થાય છે એની જ, કેવી રીતે તે થવા માટે યોગ્ય છે એ પ્રમાણે પર્યંતવાળા તથા ઇત્યાદિથી ભાવનાને કહે છે= સ્વરૂપથી નિરાકરણ કઈ રીતે થાય છે ? તે સ્પષ્ટ કરે છે અને આતથાન્તિથી માંડીને અર્હુતિ સુધીનું લલિતવિસ્તરાનું કથન, સુગમ છે, તેથી પંજિકાકાર સ્પષ્ટ કરતા નથી, પ્રયોગ=અનુમાનનો પ્રયોગ, આ પ્રમાણે છે જે ઉપન્યાસ કરાતું સ્વવચનથી પણ બાધ પામે છે તે વિદ્વાને વિદ્વાનની સભામાં કહેવું જોઈએ નહિ, જે પ્રમાણે – મારી માતા વંધ્યા છે, મારા પિતા કુમાર અવસ્થાથી બ્રહ્મચારી છે અને તે પ્રમાણે=જે પ્રમાણે મારી માતા વંધ્યા છે ઇત્યાદિ છે તે પ્રમાણે, અપૌરુષેય વચન છે, રૂતિ શબ્દ અનુમાનના પ્રયોગની સમાપ્તિ માટે છે.
-
-
અભ્યુચ્ચયને કહે છે=અપૌરુષેય વચન સંભવતું નથી તેમ પૂર્વમાં યુક્તિથી બતાવ્યું તેને જ દૃઢ કરવા માટે અન્ય યુક્તિના સમુચ્ચયને કહે છે – કેવલ=પુરુષ વ્યાપાર રહિત, આ=અપૌરુષેયપણાથી સ્વીકારાયેલું વેદવચન, કોઈક આકાશાદિમાં શબ્દ કરતું સંભળાતું નથી જ, ક્વચિત્=કોઈક ક્ષેત્રમાં, કદાચિત્=કોઈક કાળમાં, કંઈક્ર=કોઈક વચન, પ્રાપ્ત થાય છે જ=આકાશ આદિમાં બોલાતું સંભળાય જ છે, એમ જો પૂર્વપક્ષી કહે એથી કહે છે=પૂર્વપક્ષીના કથનના નિરાકરણ માટે હેતુ કહે છે ઉપલબ્ધિમાં પણ=ક્વચિત્ અવાજ કરતાં શબ્દના શ્રવણમાં પણ, અદ્દેશ્ય વક્તાની આશંકાનો સંભવ છે=અદૃશ્ય એવા પિશાચાદિ વક્તાની આશંકાનો સંભવ છે=તેના વડે અર્થાત્ પિશાચાદિ વડે બોલાયેલું થાય એ પ્રકારે સંશયનો સદ્ભાવ છે, અસાર આ એ પ્રમાણે આગળ કહેવાય છે તેનો સંબંધ કરાય છે, કયા કારણથી આ અસાર છે ? એમાં હેતુ કહે છે તેની નિવૃત્તિના ઉપાયનો અભાવ છે=અદૃશ્ય વક્તાની આશંકાની નિવૃત્તિના ઉપાયનો અભાવ છે=આકાશમાં ધ્વનિ સંભળાતો હોય ત્યારે તે ધ્વનિનો કોઈ અદૃશ્ય વક્તા છે એ પ્રકારની આશંકાની નિવૃત્તિના ઉપાયનો અભાવ છે, =િજે કારણથી, કોઈ હેતુ નથી જેના વડે તે આશંકા=સંભળાતા ધ્વનિનો અદૃષ્ટ વક્તા છે એ પ્રકારની આશંકા, નિવર્તન કરવા માટે શક્ય છે.
-
આ પણ=અદૃશ્ય વક્તાની આશંકાની નિવૃત્તિના ઉપાયનો અભાવ પણ, કયા કારણથી છે ? એથી કહે છે=એથી હેતુને કહે છે અતીન્દ્રિય અર્થને જોનારાની સિદ્ધિ છે=અતીન્દ્રિય એવા પિશાચાદિ અર્થ તેને જોવા માટેના સ્વભાવવાળો પુરુષ જ તેની નિવૃત્તિનો ઉપાય છે અર્થાત્ અદૃશ્ય વક્તાની આશંકાની નિવૃત્તિનો ઉપાય છે, તેનાથી જ=તેવા પુરુષથી જ, પિશાચાદિ પ્રભવ આ વચન છે અથવા સ્વતઃ જ અવાજ કરતું સંભળાય છે, એ પ્રકારે નિશ્ચયનો સદ્ભાવ છે.
વ્યતિરેકને કહે છે=અતીન્દ્રિય અર્થને જોનાર પુરુષની સિદ્ધિ વગર અદૃશ્ય વક્તાની આશંકાની નિવૃત્તિ થઈ શકે નહિ એ રૂપ વ્યતિરેકને કહે છે – અન્યથા=અતીન્દ્રિય અર્થદર્શી વગર, તેનો અયોગ હોવાથી=અદૃશ્ય વક્તાની આશંકાની નિવૃત્તિનો અયોગ હોવાથી, અતીન્દ્રિય અર્થને જોનાર પુરુષની સિદ્ધિ છે, જો અતીન્દ્રિય અર્થદર્શી પુરુષ સિદ્ધ થાય તો કઈ ક્ષતિ છે ? એમાં હેતુ કહે છે – ફરી તેની