________________
પુખ્ખરવરદી સૂત્ર સૂત્રઃ
पुक्खरवरदीवडे धायइसंडे य जंबुद्दीवे य । भररवयविदेहे धम्माइगरे नम॑सामि । । १ । ।
૧૩૯
સૂત્રાર્થ :
પુષ્કરવરદ્વીપાર્કમાં, ધાતકી ખંડમાં, જંબુદ્વીપમાં અને ભરત, ઐરાવત અને મહાવિદેહમાં ધર્મની આદિ કરનારાઓને હું નમસ્કાર કરું છું. IIII
લલિતવિસ્તરા :
व्याख्या - पुष्कराणि पद्मानि तैर्वरः = प्रधान:- पुष्करवरः, पुष्करवरश्चासौ द्वीपश्चेति समासः, तस्यार्द्धं=मानुषोत्तराचलार्वाग्भागवर्त्ति, तस्मिन्, तथा धातकीनां खण्डानि यस्मिन् स धातकीखण्डो द्वीप:, तस्मिंश्च, तथा जम्ब्वा उपलक्षितस्तत्प्रधानो वा द्वीपो जम्बूद्वीपः, तस्मिंश्च, एतेष्वर्द्धतृतीयेषु द्वीपेषु महत्तरक्षेत्रप्राधान्याङ्गीकरणात् पश्चानुपूर्व्यापन्यस्तेषु यानि भरतैरावतविदेहानि, प्राकृतशैल्या त्वेकवचननिर्देशः द्वन्द्वैकवद्भावाद् वा भरतैसवतविदेह इत्यपि भवति, तत्र 'धर्म्मादिकरान् नमस्यामि'दुर्गतिप्रसृतान् जीवान् इत्यादिश्लोकोक्तनिरुक्तो धर्म्मः; स च द्विभेदः, श्रुतधर्म्मश्चारित्रधर्म्मश्च श्रुतधर्मेणेहाधिकारः तस्य च भरतादिषु आदौ करणशीलाः तीर्थकरा एव ।
લલિતવિસ્તરાર્થ ઃ
પુષ્કરો કમળો છે, તેઓથી વર=પ્રધાન, પુષ્કરવર છે=કમળો છે પ્રધાન જેમાં એ પુષ્કરવર છે, પુષ્કરવર એવો દ્વીપ એ પ્રકારે સમાસ છે, તેનો=પુષ્કરવર દ્વીપનો, અર્ધ=માનુષોત્તર પર્વતના આગળના ભાગમાં વર્તતો એવો જે દ્વીપાઈ, તેમાં અને ધાતકીના ખંડો છે જેમાં તે ઘાતકીખંડરૂપ દ્વીપ તેમાં અને જંબૂથી ઉપલક્ષિત અથવા તત્ પ્રધાન=જંબૂવૃક્ષ પ્રધાન એવો દ્વીપ જંબૂદ્વીપ તેમાં, તે અઢી દ્વીપોમાં મોટા ક્ષેત્રના પ્રાધાન્યનો સ્વીકાર હોવાથી પશ્ચાનુપૂર્વીથી ઉપન્યાસ કરાયેલા દ્વીપોમાં જે ભરત ઐરવત મહાવિદેહ છે, પ્રાકૃત શૈલીથી એક વચનનો નિર્દેશ છે=ભદેવ વિવેદેપુને બદલે મહેશવવિવે એ પ્રમાણે એક વચનનો નિર્દેશ છે, અથવા દ્વંદ્વ સમાસને કારણે એવદ્ ભાવ હોવાથી મરતેરાવતવિવેદે એ પ્રમાણે પણ થાય છે=એકવચનનો પ્રયોગ થાય છે, તેમાં=અઢી દ્વીપમાં રહેલા ભરત-ઐરવત-વિદેહમાં, ધર્મના આદિકર એવા તીર્થંકરોને હું નમસ્કાર કરું છું, દુર્ગતિમાં ભટક્તા જીવોનું રક્ષણ કરીને સુગતિમાં સ્થાપન કરે છે, ઈત્યાદિ શ્લોકમાં કહેલ વ્યુત્પત્તિવાળો ધર્મ છે અને તે બે ભેદવાળો છે – શ્રુતધર્મ અને ચારિત્રધર્મ, અહીં=પ્રસ્તુત સૂત્રમાં, શ્રુતધર્મથી અધિકાર છે અને ભરતાદિમાં તેને=શ્રુતધર્મને, આદિમાં કરવાના સ્વભાવવાળા તીર્થંકરો જ છે.